અનુયાયીઓ

ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011


મંજુલાબેન કહે આજના મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી છે
વડોદરા, આજે કુદકે ને ભૂસકે વધતી જતી મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી અને આવશ્યક છે. તો જ જીવન નિર્વાહના બે છેડા મેળવી શકાય. એમ વડોદરા રાવપુરા મતવિસ્તારના યોજાયેલ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં સુવર્ણજયંતિ શહેરી રોજગાર યોજનાના લાભાર્થી પરમાર મંજુલાબેન મણીલાલ કહે છે જેઓ ગૃહિણી સાથે ધર બેઠા સાડી-કાપડ વેચાણ અને સિલાઈનો ધંધો કરી પોતાના પતિને રોજગારીમાં મદદરૂપ થાય છે.
મંજુલાબેન કહે છે મોંધવારીએ તો માંઝા મૂકી છે. પતિ જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે. પણ તેમના પગારમાંથી તો માત્ર ધર ખર્ચી ચાલે કંઈ નવિન કામ કરવાનું હોય તો ન થાય. પ્રસંગોપાત થતા ખર્ચને પહોંચી વળવા ઉછીના પૈસા લેવા પડે. પોતાની જરૂરીયાત માટે વારંવાર પતિ પાસે હાથ લંબાવવો પડે એ પણ મુશ્કેલી એટલે મણીબેન ધર બેઠા કાપડ- સાડીનું વેચાણ તથા સિલાઈ કામ કરી પત્નિ આવકમાં મદદરૂપ થાય છે.
બાળકોના ભવિષ્ય માટે પણ બચત કરી શકે છે. આજે પુરુષ સમોવડી મહિલા થતી જાય છે. ત્યારે ગૃહ કાર્યમાંથી પરવાર્યા પછી બેસી રહેવાનું આજની મહિલાને આ જમાનામાં ન ચાલે, અને પોષાય પણ નહીં તેમ દ્દઢતાપૂર્વક મંજુલાબેન કહે છે.
મંજુલાબેન કહે છે રાજય સરકાર દ્વારા યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં શહેરી વિકાસ વિભાગની સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના હેઠળ વડોદરા મહાનગર સેવા સદનના યુ.સી.ડી. દ્વારા રૂા. ૫૦,૦૦૦/- ની લોન સહાય મળી છે. જેના થકી પોતે પોતાનો ધંધો વધારી શકશે. પહેલાં ૫ થી ૬ હજારની માસિક આવક થતી હતી. હવે ૮ થી ૧૦ હજાર રૂપિયની માસિક આવક થશે.
ખરેખર ગરીબ કલ્યાણ મેળો મારા જેવી મહેનતુ અને ગરીબ મહિલા માટે આર્શીવાદ રૂપ બની રહેશે પોતે પોતાના ત્રણ બાળકોને વધુ સારુ શિક્ષણ અપાવી શકશે. મંજુલાબેન રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરતા કહે છે તેઓશ્રીએ ગરીબો પ્રત્યે લાગણી દર્શાવી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે જે ગરીબો માટે આવકારદાયક છે.
જિલ્લામાં આરોગ્ય વિષયક તકલીફો ધરાવતા ૩૩૯૬૧ બાળકોને સારવાર
વડોદરા, જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત પાંચ અઠવાડિયા અંતિત થયેલ કામગીરી જોતાં જિલ્લા પ્રા.શાળામાં આંગણવાડી તથા સ્કૂલે ન જતા કુલ બાળકો ૫,૮૮,૧૬૮ પૈકી ૩,૧૧,૧૬૮ બાળકો કર્મચારી દ્વારા તપાસણી કરવામાં આવી છે. જેમાં ૩૩૯૬૧ ખામીવાળા બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં ૨૭૨૭૦ ખામીવાળા બાળકોની તપાસ મેડિકલ ઓફિસરે કરી હતી. જેમાં ૨૫૩૩૬ને સ્થળ ઉપર સારવાર મેડિકલ ઓફીસરશ્રી દ્વારા આપવામાં આવી હતી. જેના સંદર્ભ સેવા પાત્ર ૧૯૩૪ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. જે પૈકી ૭૬૭ બાળકોને સંદર્ભ સેવાથી આવરી લઈ સેવા આપવામાં આવી છે. જે સંદર્ભ સેવા પૈકી ૯૨ બાળરોગના ૫૭૮ આંખના, ૧૫ દાંતના, ૪૧ ચામીના, ૩૧ કાનનાક ગળાના તેમજ અન્ય રોગોના ૧૦ બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં અતિગંભીર રોગ જેવાકે હ્દય, કીડની, કેન્સરના બાળકોને ઉચ્ચ સારવાર અર્થેયુ.એન.મહેતા યુ.એન.એમ.જી.આઈ.કે.આર.ડી.જી.સી.આર.આઈ. (કેન્સર) અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે યુ.એન.મહેતા અમદાવાદ ખાતે અર્બનમાંથી હ્દયના દર્દીઓ ૯ બાળકો માંથી ૪ બાળકોને 1 કીડનીના અને રૂરલ માંથી ૯ હ્દયના, 1 કેન્સરના બાળકોને સારવાર અર્થે મોકલવામાં આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકી દ્વારા જણાવાયું છે.
એ સંસ્થાઓએ કર્મચારીઓને આજે મતદાન માટે રજા આપવી
વડોદરા, વડોદરા જિલ્લાની ૫૨૯-ગ્રામ પચંાયતની ચૂંટણીઓ માટે આવતીકાલ તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ સવારના ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી મતદાન રાખવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને મતદાનના દિવસે પણ કામગીરી ચાલુ રાખવી ગ્રામ વિસ્તારની ગ્રામીણ બેંકો, રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેંકો, રાજય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓની કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલ્સ, ઔઘોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, રેલવે, ટેલીફોન, તાર-ટપાલ, સ્પીડપોસ્ટ, સરકારી દવાખાનાઓ, પોલીસ મથકો, ફાયરબિગ્રેડ સ્ટેશન્સ અને આવશ્યક સેવાની સંસ્થાઓને, તેમના કર્મચારીઓને વારાફરથી મતદાન કરવા જવા માટે ખાસ રજા આપવા અથવા અઠવાડિક રજાના દિવસે કામ ચાલુ રાખીને મતદાનના દિવસે બદલી રજા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરાએ હુકમ કર્યો છે.
આઈ.ટી.આઈ.ની હાઈટેક તાલીમ યોજનાઓમાં પ્રવેશ
વડોદરા, આચાર્યશ્રી એ.વી.ટી.એસ. આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ વડોદરા-૯ની યાદીમાં જણાવ્યા મુજબ એડવાન્સડ વોકેશનલ ટ્રેનિંગ સ્કીમ (આઈ.એલ.ઓ.યુ.એન.ડી.પી. અને ભારત સરકરનાી યોજના) હેઠળના વિવિધ ટૂંકાગાળાના એડવાન્સ કોર્સીસ જેવા કે, એડવાન્સ વેલ્ડીંગ, મીકેનીકલ મેન્ટેનન્સ, મેટ્રોલોજી એન્ડ એન્જિનીયરીંગ ઇન્સ્પેકસન, ઈલેકટ્રિકલ મેન્ટેનન્સ, હાઈટેક ટ્રેનિંગ સ્કીમ જીટીઝેડ (જર્મની) અને ભારત સરકારની યોજના હેઠળ વિવિધ ટૂંકાગાળાના હાઈટેક કોર્સીસ જેવા કે પર્સનલ કોમ્પ્યુટર મેઈન્ટેનન્સ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઓટોકેડ(રડી) (૩ડી) એમડીટી, એનાલોગ ડીઝીટલ ઈલેકટ્રોનિકસ અને સી.એન.સી.પ્રોગ્રામીંગ તથા એપ્લીકેશન તેમજ ડી.સી.એમ.સ્કાડા જેવા વ્યવસાયો ચાલુ છે. જેમાં પ્રવેશ માટે નાયબ નિયામકશ્રી એવીટીએસ તથા હાઈટેક તાલીમ યોજનાનો, લાભ લેવા રૂબરૂ અથવા ફોન નં. ૦૨૬૫-૨૬૩૦૬૩૪ અને ૨૬૪૬૬૭૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
એ સર્વિસ રોડ પર વાહનો માટે પ્રવેશબંધી
વડોદરા, હાલમાં ચાલતી બાંધકામની કામગીરીને અનુલક્ષીને વાહન વ્યવહારની સરળતા અને અકસ્માત નિવારણ માટે શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા સયાજીગંજ વિસ્તારના ભીમનાથ બ્રીજની નીચે આવેલી ચુનાની ચક્કીથી ભીમનાથના નાકા તરફ જતા બ્રીજની ઉત્તર દિશા તરફના સર્વિસ રોડ ઉપર અવર-જવર કરતા ફકત ટુ વ્હીલર વાહનો સિવાયના તમામ પ્રકારના વહનો માટે પ્રવેશબંધી (નો-એન્ટ્રી) જાહેર કરી છે. તેના વિકલ્પે પરશુરામ ભઠૃા તેમજ બ્રીજની નીચેથી અવર-જવર કરતાં વાહન ચાલકોએ ઉતતર તરફના સર્વિસ રોડને બદલે ચુનાની ચક્કીથી કલ્યાણ હોટલથી સરદાર પ્રતિમા તરફ વાહનોની અવર-જવર કરવાની રહેશે.

જિલ્‍લા શિક્ષણધિકારી ગોધરા  કચેરીને આઇ.એસ.ઓ. ૯૦૦૧ ૨૦૦૮ પ્રમાણપત્ર એનાયત થયુ
ગોધરાઃ જિલ્‍લા શિક્ષણાધિકારી ગોધરા કચેરીને કામગીરીનો ઝડપી નિકાલ, કચેરી સંપૂર્ણ કોમ્‍પ્યુટરાઇઝેશન, ઓનલાઇન પત્ર વ્‍યવહાર, વાર્ષિક નિરીક્ષણ આગોતરૂ આયોજન તથા જિલ્‍લાની તેમજ રાજયની કચેરીઓ સાથે જીવંત સંપર્ક અને સંકલનને કારણે આઇ.એસ.ઓ પ્રમાણપત્ર થી પ્રમાણિત કરવામાં આવી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલ ડી.ઇ.ઓ. મિટીગમાં કચેરીના જિલ્‍લા શિક્ષણાધિકારી જી.બી પટેલે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા તથા અગ્રસચિવશ્રી હસમુખ અઢિયાના હસ્‍તે આ પ્રમાણપત્ર સ્‍વીકાર્યું હતું         
શિક્ષણાધિકારીશ્રી જી.બી. પટેલ જણાવ્‍યું હતું કે છેલ્‍લા બે વર્ષથી તનતોડ મહેનત, કચેરીના તમામ કર્મચારીઓના હકારાત્‍મક અભિગમ અને સંકલનના કારણે કચેરીને આ બહુમાન મળ્યું છે. કચેરીનું ક્ષેત્રિય મુલાકાતીઓ માટેનું પૂર્વ આયોજન,કચેરીના તેમજ કચેરીની સંલગ્ન સરકારી હાઇસ્‍કુલોના કર્મચારીઓ માટે નક્કી કરવામાં આવેલ ડ્રેસ કોડ, ઓળખકાર્ડ વગેરેની રાજય કક્ષાએ સારી નોંધ લેવાઇ હતી અને જિલ્‍લાઓ માટે આ બાબત પ્રેરણારૂપ બની હોવાનું તેમણે ઉમેર્યું હતું 
૫ર મા રાજય કલા પ્રદર્શન માટે કલાકૃતિઓ સ્‍વીકારાશે.
ગોધરાઃ ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ૫ર મું રાજય કલા પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં જુદી જુદી કલાઓ જેવીકે પેઇન્‍ટીંગ, શિલ્‍પ, ગ્રાફિક, વ્‍યવહારિક કલા,ફોટોગ્રાફી, તેમજ બાળ ચિત્રકલાનાં ક્ષેત્રના કલાકારોને પોત્‍સાહન મળે તથા તેમનો ઉત્‍સાહ વધે તેમજ આમજનતાની કલા પ્રત્‍યે રૂચિ કેળવાય તેવા આશયથી ૫ર મા રાજય કલા પ્રદર્શનમાં કલાકારો/ કલાના ચાહકો/ કલા સંસ્‍થાના વિધાર્થીઓ /શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦ માં ભણતા બાળકો પાસેથી સ્‍પર્ધા માટે  કલાકૃતિઓ  મંગાવવામાં આવે છે. કલાકૃતિઓ તા. ૧૯/૧/૨૦૧૨ થી તા. ૨૩/૧/૨૦૧૨ દરમ્‍યાન નિયત અરજી પત્રકો સાથે ગુજરાત રાજય લલિત કલા અકાદમી,રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન,ભાઇકાકા ભવન સામે,એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૬ ખાતે બપોરના ૧૨ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી જ રવિવાર સહિત સ્‍વીકારવામાં આવશે. એમ અકાદમીના સચિવની યાદીમાં જણાવાયું  છે.   

વડોદરામાં યોજાયેલ ટપાલ ટીકીટ પ્રદર્શનમાં ગોધરાના ટપાલ ટીકીટ સંગ્રાહક અનેતલાટી તરીકે ફરજ બજાવતા શ્રી શાંતિલાલ પરમારનું સિલ્‍વર મેડલથી બહુમાન
ગોધરાઃવડોદરામાં તાજેતરમાં યોજાયેલ ૧૨ મા રાજય કક્ષાના, ટપાલ ટીકીટ સંગ્રહ (ફીલાટેલીક) અને ડાક સાહિત્‍ય પ્રદર્શનમાં ગોધરા શહેરમાં રહેતા અને ગોધરા તાલુકાના મીરપમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા શાંતિલાલ પરમારને તેમના અનોખા ટપાલ ટીકીટ સંગ્રહ બદલ સિલ્‍વર મેડલ પાપ્‍ત થયો છે
શ્રી શાંતિલાલ પરમાર ૧૫ વર્ષની ઉંમરથી જ ટપાલ ટીકીટના સંગ્રહનો શોધ ધરાયે છે શ્રી પરમારે વડોદરામાં યોજાયેલ પ્રદર્શનમાં જુદી જુદી જાતની જેવી કે ૨૨ કેરેટ ગોલ્‍ડ,ગોલ્‍ડ ટીકીટવાળું કવર,વિશ્વની સૈાથી મોટી ટીકીટ,નાની ટીકીટ, થ્રીડી ટીકીટ,મોતી ભરેલી ટીકીટ,સુગધવાળી ટીકીટોને પ્રદર્શનમાં મુકી હતી. જેમા ટપાલ વિભાગ દ્વારા તેમને સિલ્‍વર મેડલથી નવાજવામાં આવ્‍યા છે.  અત્રે ઉલ્‍લેખનીય છે કે શ્રી શાંતિલાલ પરમાર પાસે ૨૫ હજાર જેટલી ટપાલ ટીકીટો, દિવાસળીની છાપો તથા ચલણી સિક્કાઓ નોટોનો સંગ્રહ  છે વર્ષ ૨૦૦૦ માં ગાંધીનગરમાં યોજાયેલ તેમના પ્રદર્શનને પૂર્વ રાષ્‍ટૃપતિ શ્રી અબ્‍દુલ કલામે નિહાળી અભિનંદન પાઠવ્‍યા હતા.

પાવાગઢ શક્તિપીઠ ખાતે ઉડન ખટોલા શરદ મહોત્‍સવ ઉજવે છે
૮મી ડીસેમ્‍બર થી ૩૧ મી જાન્‍યુઆરી ૨૦૧૨ સુધી ટિકીટમાં કંન્‍સેશન આપશે
ગોધરાઃમહાકાળી શકિતપીઠ પાવાગઢ માંચી ખાતે વર્ષ ૧૯૮૬ થી ઉષા બ્રેકો કંપની ધ્‍વારા સંચાલિત ઉડન ખટોલા રોપ-વે દુર્ગભ શિખર ઉપર બિરાજમાન પાવન શકિતપીઠ સુધીની કઠિન તથા લાંબી યાત્રા સરળતા-સુગમતા અને આરામદાયક રીતે ફકત છ મીનીટમાં છાશીયા તળાવ સુધીની યાત્રા પૂર્ણ કરે છે.
આ શરદ મહોત્‍સવ દરમ્‍યાન પર્યટન અને શૈક્ષણિક પ્રવાસ ગોઠવનાર શાળાઓ,મહાશાળાઓ, કંપનીઓ તેમજ વ્‍યકિતદીઠ ૩૪ ટકા વળતર( કંન્‍સેશન) આપવામાં આવે છે. તેમજ ૧૧૦ સે.મી થી નાના બાળકો ને ઉડન ખટોલાની યાત્રા વિના મૂલ્‍યે આપવામાં આવે છે. તથા વિકલાંગ-અપંગ સૈનિકોની વિધવાઓને કન્‍સેશન આપવામાં આવશે તેનો લાભ લેવા ઉડન ખટોલાના સંચાલકો ધ્‍વારા  અપીલ કરવામાં આવી છે.  

લેબર કોન્‍ટ્રેકટરે મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત


લેબર કોન્‍ટ્રેકટરે મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત
રાજકોટ 
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા આરઓ ગુન્‍હાના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરીકામ મેળવી શહેરના વિસ્‍તારોમાં રોકાણ (મુકામ) કરતા હોય છે. અને આજુ-બાજુની પરિસ્‍થિતિનો સર્વે કરી મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ આચરતા હોય છે. મજૂરીકામના બહાના હેઠળ આતંકવાદઓ પણ આશરો મેળવતા હોય છે. આ સંજોગોમાં જાહેર જનતાના જાન-માલ અને મિલ્‍કતની સલામતી તથા સુરક્ષા માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી ગીથા જૌહરી દ્વારા જારી કરાયેલા હુકમો મુજબ, પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારોમાં લેબર કોન્‍ટ્રેકટરો અને મુકાદમોએ પોતાની પાસે મજૂરીકામે રાખેલ મજૂરો અને કામકાજ માટે સપ્‍લાય કરતા મજૂરોના અલગ-અલગ ફોર્મ ભરી ફરજિયાતપણે સ્‍થાનિક પોલિસસ્‍ટેશનમાં આપવાના રહેશે. અને મજૂરો જયારે મજૂરીકામ છોડી, શહેર છોડી જતા રહે, ત્‍યારે  લેબર કોન્‍ટ્રેકટરો અને મુકાદમોએ તે અંગેની જાણ નામ/સરનામા સહિતની વિગતો સાથે સ્‍થાનિક પોલિસસ્‍ટેશનમાં કરવાની રહેશે.
તા. ૦૧-૦૧-૨૦૧૨ થી તા.૨૯-૦૨-૨૦૧૨ સુધી આ હુકમ અમલમાં રહેશે, તથા આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
રાજકોટ પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, હોટેલો, બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્‍થળો, શો-રૂમ્‍સ વગેરેમાં મેટલ ડીટેકટર, સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવાના રહેશે
રાજકોટ
- રાજકોટ શહેરમાં કોઇ આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી ગીથા જૌહરીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં તા. ૦૧-૦૧-૨૦૧૨થી તા.૨૯-૦૨-૨૦૧૨ સુધી બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ.સેન્‍ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્‍ટર, કોમર્શીયલ સેન્‍ટર, હોટેલ, ગેસ્‍ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો,  મોટા ધાર્મિક સ્‍થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્‍થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે. પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્‍શન કાઉન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓ આવરી લે તેટલી સંખ્‍યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્‍તાવાળા વધુ રેન્‍જના(માણસોના ચહેરા સ્‍પષ્‍ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્‍યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્‍પષ્‍ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્‍યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્‍શન કાઉન્‍ટર, બેઝમેન્‍ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્‍યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી. ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્‍યવસ્‍થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્‍ધિથી દિન-૭માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ  ઉપરોકત વ્‍યવસ્‍થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નર વિસ્‍તારમાં આ હુકમ તા. ૦૧-૦૧-૨૦૧૨ થી તા.૨૯-૦૧-૨૦૧૨ સુધી લાગુ રહેશે.
હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇજી(GJ-3-EG) સીરીઝ શરૂ થશે
રાજકોટ 
 પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૦૭/૦૧/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇજી(GJ-3-EG) થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્‍ટ ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇજી સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્‍યાને લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
જી.જે.૩-ઇજી સીરીઝના પસંદગી નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૪-૧-૨૦૧૨ ના રોજ દિવસ ૩૦ પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે કરવામાં આવશે.
પોષ્‍ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇજીમાં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા. ૪-૧-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્‍ય રહેશે. ત્‍યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્‍ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્‍તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્‍સામાં નાના અંગ્રેજી આલ્‍ફાબેટ A-B-C ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્‍ફાબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્‍સામાં જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને  નંબરની ફાળવણી કરેલ હશે, તેનું લીસ્‍ટ તા.૭.૧.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્‍સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં આવશે.     
જી.જે.૩-ઇજી(GJ-3-EG) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૧૦.૧.૨૦૧૨થી કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
પસંદગી નંબરની ફાળવણી દરમ્‍યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી વાય.પી.પંડયા,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
પેઇન્‍ટીંગ, શિલ્‍પ, ગ્રાફિક, વ્‍યવહારિક કલા, ફોટોગ્રાફી અને બાળ ચિત્રકલાનું રાજય કલા પ્રદર્શન યોજાશે.
રાજકોટ તા. ૨૮ ડીસેમ્બર ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્‍ટીંગ, શિલ્‍પ, ગ્રાફિક, વ્‍યવહારિક કલા, ફોટોગ્રાફી અને બાળ ચિત્રકલાઓનું રાજય કલા પ્રદર્શન યોજાશે.
આ રાજય કલા પ્રદર્શનમાં ભાગ લેવા માટે કલાકારો/કલાના ચાહકો/કલાસંસ્‍થાના વિદ્યાર્થીઓ/શાળાઓના ૧ થી ૧૦ ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આ અંગેના નિયત અરજીપત્રકો ગુજરાત રાજય લલિત કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે, એલીસબ્રીજ, અમદાવાદ ખાતેથી મેળવી તા.૧૯.૧.૨૦૧૨થી તા.૨૩.૧.૨૦૧૨ દરમ્‍યાન બપોરના ૧૨ થી સાંજના ૫ વાગ્‍યા સુધી રવિવાર સહિતના દિવસોમાં સ્‍વીકારવામાં આવશે. આ પ્રદર્શનમાં રજૂ કરવાની કૃતિઓ આ જ સરનામે રજૂ કરવાની રહેશે. આ રાજય કલા પ્રદર્શનમાં કુલ રૂ. ૧ લાખ ૭૦ હજારના ૭૫ ઇનામો અને કલાકારો/કલાકારોના પરિવારજનો તરફથી અન્‍ય ઇનામો આપવામાં આવશે, તેમ ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદના સચિવશ્રી જીતેન્‍દ્ર ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

લોકોને વીજ ઉપકરણોના ઉપયોગનું પૂરતુ જ્ઞાન મળી રહે તે માટે
ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સલામતિ-પ્રદર્શન અને પરિસંવાદ તા.૩૧ થી ર જાન્‍યુઆરી સુધી યોજાશે
લોકોને વીજ ઉપકરણોના ઉપયોગનું પૂરતુ જ્ઞાન મળી રહે તથા વીજ અકસ્‍માતનો ભાગ ન બને તે હેતુથી  ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સલામતિ-પ્રદર્શન અને પરિસંવાદનું ઉદઘાટના તા.૩૧/૧૨/૧૧ ના સવારે ૧૦ વાગ્‍યે ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીના હસ્‍તે થશે. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે મેયર શ્રીમતી અમીબેન પરીખ તથા ધારાસભ્‍યશ્રી લાલજીભાઇ સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે કલેકટરશ્રી સંદિપકુમાર, કમિશનરશ્રી અનુપમ, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી સુભાષ ત્રિવેદી ઉપસ્‍થિત રહેશે. આ પ્રદર્શન તા.૩૧ થી ર જાન્‍યુઆરી સુધી સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્‍યા સુધી ખુલ્‍લુ રહેશે. તેમજ નેત્ર પરીક્ષણ શિબિર તથા રકતદાન શિબિર યોજાશે. તેમ ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડના  અધિક્ષક ઇજનેરશ્રી ત્રિવેદી અને કાર્યપાલક ઇજનેરશ્રી હિંડોચાની એક યાદીમાં જણાવાયુ છે.
નરેગા યોજના અંતગર્ત જિલ્‍લા લોકપાલને રજૂઆત અને ફરિયાદ અંગે કેમ્‍પ યોજાશે.
મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (એમજી નરેગા) અંતગર્ત જિલ્‍લા લોકપાલ દ્વારા પ્રશ્નોની રજૂઆત/ફરીયાદ લેખીતમાં રૂબરૂ  આપવા તથા સાંભળવા કેમ્‍પનું જાન્‍યુઆરી માસમાં આયોજન કરવામાં આવ્‍યુ છે.
જેમાં તા. ૭ ના રોજ કાલાવડ, તા. અને ૨૩ ના રોજ જામનગર જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, સરદાર પટેલ ભવન, રામેશ્વર ખાતે, તા. ૧૧ ના રોજ ભાણવડ, તા. ૧૩ ના રોજ ધ્રોલ, તા. ૧૬ ના રોજ જામજોધપુર, તા. ૧૮ ના રોજ લાલપુર, તા. ૨૧ ના રોજ કલ્‍યાણપુર બપોરે (૩ થી પ) અને ખંભાળિયા, તા. ૨૭ ના રોજ જોડીયા, તા. ૨૮ ના રોજ દ્રારકા ખાતે ૧૨-૦૦ થી ૨-૦૦ કલાકે યોજાશે. તમામ તાલુકા માટે સરકીટ હાઉસ, તાલુકા પંચાયતના અતિથિગૃહમાં કાર્યક્રમ યોજાશે.. તેમ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી જામનગરની  યાદીમાં જણાવાયુ છે.
અધતન એમ્‍યુઝમેન્‍ટ પાર્કનું ખાતમુર્હૂત મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીના હસ્‍તે થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્‍ટ અન્‍વયે રૂ.૫.૫૦ કરોડના ખર્ચે જામનગરના મેહુલ નગર ટેલિફોન એકક્ષચેન્‍જ સામે નિર્માણ થનાર અધતન એમ્‍યુઝમેન્‍ટ પાર્કનું ખાતમુર્હૂત મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીના હસ્‍તે તા.૨૯/૧૨/૧૧ ના સવારે ૧૦ વાગ્‍યે  થશે.
જેમાં કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી અમીબેન પરીખ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્‍યશ્રી લાલજીભાઇ સોલંકી તેમજ શહેર ભાજપ અધ્‍યક્ષશ્રી અશોક નંદા ઉપસ્‍થિત રહેશે. તેમ મહાનગર પાલિકાની  એક યાદીમાં જણાવાયુ છે.
આયુર્વેદ ઔષધાલયમાં નિઃશૂલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ્‍ા યોજાયો
જગત ગુરૂ શંકરાચાર્ય મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આયુર્વેદ ઔષધાલયમાં નિઃશૂલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ્‍ા યોજાયો હતો. આ તકે દીપ પ્રાગ્‍ટય બ્રહમચારી નારાયણાનંદ સ્‍વામી દારા કરવામાં આવ્‍યુ હતું. આ તકે સ્‍વામી પરિપૂર્ણાનંદ સરસ્‍વતીજી, શ્રી હસમુખભાઇ ઘઘડા, વૈધો ઉપસ્‍થિત રહયા હતા. ૨૫૦ દર્દીઓએ આ કેમ્‍પનો લાભ લીધો હતો.
પર માં રાજય કલા પ્રદર્શન માટે કલાકૃતિઓનો સ્‍વીકારાશે
ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા પર મુ રાજય કલા પ્રદર્શન યોજાશે. જેના માટે શિલ્‍પકલા, ફોટોગ્રાફીના ક્ષેત્રે તેમજ બાળ  ચિત્રકલાના ક્ષેત્રના કલાકારોને પ્રોત્‍સાહન મળે તે માટે કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્‍થાના વિધાર્થીઓ, શાળાના ધો.૧ થી ૧૦ના વિધાર્થીઓએ પોતાની કૃતિઓ મોકલી આપવાની રહેશે. આવા કલાકારોની પોતાની કલાકૃતિઓ નિયત અરજી પત્રકો સાથે તા.૧૯ થી ૨૩ જાન્‍યુઆરી સુધીમાં ગુજરાત રાજય લલિતકલા અકાદમી, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે મોકલી આપવા શ્રી જિતેન્‍દ્ર ઠકકર, સચિવશ્રી, ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
પારૂલ    

MONGHADAR KALAR ANE CHUNAA NE JAAKARO AAPO. APNAVO WALLPAPER.


રવિવાર, 25 ડિસેમ્બર, 2011


www.lokcharcha.in

www.lokcharcha.in
www.lokcharcha.in

જેતલસર જંકશન માં જુગાર દરોડો..

જેતલસર જંકશન માં જુગાર દરોડો..
જેતલસર જંકશનમાં અનો નામનો એક શખ્શ લાંબા સમય થયા પોતાના ઘરમાં લોકોને ભેગા કરી જુગાર રમાડતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા ફોજદાર વ્યાસ સહિતના સ્ટાફે ગઈ કાલે અનો ઉમર ના રહેણાંક મકાન પર જુગાર દરોડો પડતા ત્યાંથી  સદા તેર હાજરની  રોકડ મત્તા સાથે  ૭ ઇસમો પકડાઈ ગયા હતા.
પકડાયેલા શખ્સો માં અનો ઉમર , ભુપત્ગીરી મોતીગીરી મેઘનાથી,ભીખુ કરશન કોળી, રમેશ ખોડા પરમાર, સતીશ, હરેશ તથા જૈમલ કરશન નો સમાવેશ થતો હોવાનું તાલુકા પોલીસ જણાવે છે.

નરેન્‍દ્રભાઇ મોદી : સમગ્ર ગુજરાતમાં ખેલકૂદનું જનઆંદોલન જગાવીએ ગુજરાત રાષ્‍ટ્રિયકક્ષાની રમતસ્‍પર્ધાઓના વિક્રમો તોડવાનું સામર્થ્‍ય બતાવશે ખેલ મહાકુંભ-2011નું શાનદાર સમાપન વિકલાંગ રમતોસ્‍તવના સામર્થને બિરદાવ્‍યું



ફ્રાંસની કંપની ખેલમહાકુંભથી પ્રેરાઇને સ્‍પોર્ટસ વિલેજ સ્‍થાપશે
ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ-2011નું શાનદાર સમાપન કરતાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ખેલકૂદ સ્‍પર્ધાઓને એવી ઉંચાઇ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો કે રાષ્‍ટ્રિયકક્ષાની રમતોના વિક્રમો સાથે ગુજરાત બરોબરી કરશે.
સમાજજીવનમાં ક્રમશઃ ખેલકૂદ માનવીય ગરિમા અને રમત ક્ષેત્રમાં ક્ષમતાવર્ધન અને માનવસંશાધન કૌશલ્‍ય નિર્માણનું સામર્થ્‍ય બનશે એમ તેમણે જણાવ્‍યું હતું.
ભારતનો સૌથી વિરાટ એવો ગુજરાતનો આ દ્વિતિય રમતોત્‍સવ ખેલ મહાકુંભ તા.11-11-11ના રોજ શરૂ થયેલો અને 6,92,000 મહિલા ખેલાડીઓ સહિત 18,24,000 જેટલા રમતવીરોએ 1500થી વધુ સ્‍થળો ઉપર ગામ, તાલુકા, અને જિલ્લાકક્ષાએ 17 જેટલી વિવિધ રમત સ્‍પર્ધાઓમાં પોતાનું કૌવત બતાવ્‍યું હતું અને આખરી સ્‍પર્ધામાં 88 જેટલા જુના વિક્રમો તોડીને નવા સ્‍થાપવામાં આવ્‍યા છે અને તેમાં પણ 42 રેકર્ડસ તો મહિલા ખેલાડીઓએ સ્‍થાપ્‍યા છે.
આ વર્ષે ખેલ મહાકુંભ ઉપરાંત વિકલાંગો માટેની 15 રમતોમાં 58,305 તથા સાગરકાંઠાની બીચ સ્‍પોર્ટસમાં 3650 સાગરખેડુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ મળીને 5,429 ખેલાડીઓએ મેડલ જીત્‍યા હતાં.
મુખ્‍યમંત્રીશ્રીએ વિકલાંગ ખેલાડીઓ સહિત વિજેતા ખેલાડી ભાઇ-બહેનોનું અભિવાદન કરીને કુલ રૂા.40 કરોડના પુરસ્‍કારો એનાયત કર્યા હતા.
આ ખેલમહાકુંભમાં રમતોમાં ભાગ લઇને આટલો વિરાટ પ્રતિસાદ આખા ગુજરાતની જનતાના લાખો ખેલાડીઓ અને વરિષ્‍ઠ તથા વિકલાંગ ખેલાડીઓને મુખ્‍યમંત્રીએ અભિનંદન આપ્‍યાં હતા અને ખેલદિલીની ભાવનાથી ગુજરાતનું ગૌરવ વધારવા માટે ધન્‍યવાદ આપ્‍યા હતા.
સમગ્ર જનતાએ રાજ્‍યમાં ખેલમહાકૂંભમાં ખેલદિલીની ભાવનાથી જે ઉત્તમ રમતોનું વાયુમંડળ રચ્‍યું તે પણ અભિનંદનને પાત્ર છે એમ તેમણે જણાવ્‍યું હતું.
વિકલાંગ ખેલાડીઓને પોતાના આત્‍મવિશ્વાસથી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્‍ય બતાવવા માટે મુખ્‍યમંત્રીશ્રીએ આ વર્ષનો ખેલમહાકૂંભ વિકલાંગ ખેલાડીઓને સમર્પિત કર્યો હતો.
તેમણે જણાવ્‍યું કે, આપણા ખેલમહાકૂંભની સ્‍પર્ધાનું હાર્દ એ પણ હતું કે, આપણે આપણી રમતોના જુના વિક્રમો તોડીએ અને નવા રેકર્ડ પ્રસ્‍થાપિત કરીએ. ગુજરાત જેવા રાજ્‍યમાં ભાગ્‍યેજ ખેલ પારિતોષિક મળતા તેવા વાતાવરણમાં 88 જેટલી રમતોમાં નવા વિક્રમો સ્‍થપાયા એમાં પણ 42 તો મહિલા ખેલાડીઓએ સ્‍થાપ્‍યા છે.
ગુજરાત હવે ખેલકૂદના ક્ષેત્રમાં પણ દેશમાં ગૌરવભેર ઉન્‍નત મસ્‍તક રાખી શકે એવી સ્‍થિતિનું નિર્માણ થયું છે તેમ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાત આધુનિક બનશે. છ કરોડ ગુજરાતીઓની માનવીય ગરિમાથી ખેલકૂદ ક્ષેત્ર આ ગરિમાની અભિવ્‍યકિતનું માધ્‍યમ બન્‍યુ છે એમ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતમાં ફ્રાન્‍સની કંપની ખેલમહાકુંભથી પ્રેરિત થઇને સ્‍પોર્ટસ વિલેજ સ્‍થાપશે તેવી જાહેરાત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ આ ખેલમહાકુંભના સમાપનની ઘોષણા સાથે આગામી વર્ષના ખેલમહાકૂંભની પૂર્વ તૈયારીઓનું ઉદ્‌ઘાટન પણ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. 
રમત-ગમત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ ખેલ મહાકુંભના આ વિરાટ રમતોત્‍સવથી ગુજરાતે દેશ અને દુનિયાના ખેલકુદ નકશામાં આગવું સીમાચિન્‍હ્‌ અંકિત કર્યું છે, તેનો હર્ષ વ્‍યકત કરતાં ગુજરાત અને ગુજરાતીઓના જિનેટીક સિસ્‍ટમમાં ખેલકુદ પ્રત્‍યેનો જે લગાવ ઉભો થયો છે તે આવનારા દિવસોમાં ગુજરાતને રમત-ગમત ક્ષેત્રે આગવા કિર્તિમાન હાંસલ કરાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. 
તેમણે ખેલમહાકુંભના આ રમતોત્‍સવના સફળ આયોજન માટે મુખ્‍યમંત્રીશ્રીના પ્રેરક નેતૃત્‍વને રમ્‍યું ગુજરાત જીત્‍યું ગુજરાતનું સૂત્ર દેશ અને દુનિયામાં ગુંજતુ કરવાનું આગવું અભિયાન ગણાવ્‍યું હતું. 
સ્‍પેશિયલ ઓલિમ્‍પીક ભારતના અધ્‍યક્ષ અને નિવૃત એરમાર્શલ ડેન્‍જીલ કિલરે વર્લ્‍ડ સ્‍પેશિયલ ઓલિમ્‍પીકના શ્રી થીમોટીના મુખ્‍યમંત્રીશ્રીએ શુભેચ્‍છા અને પ્રસંશા કરતાં પત્રનું પઠન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્‍ય મંત્રી મંડળના વરિષ્‍ઠ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, અમદાવાદ શહેરના મેયરશ્રી અને મહાપાલિકાની વિવિધ કમિટિના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં રમતપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતાં. 
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓની વિવિધ જિલ્લા ટુકડીઓની માર્ચપાસ્‍ટ પણ યોજવામાં આવી હતી તેમજ રસ્‍સા ખેંચ, જમ્‍પીંગ રોપ અને ટેકવાડોનના નિદર્શનો પ્રસ્‍તુત કરાયા હતા.