અનુયાયીઓ

રવિવાર, 25 ડિસેમ્બર, 2011

વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ વિશ્વવિખ્‍યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીનું વ્‍યાખ્‍યાન ગુજરાત વિકાસ વિષય વસ્‍તુ ઉપર પ્રેરક ચિંતન પ્રો. જગદીશ ભગવતીઃ


વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ
વિશ્વવિખ્‍યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીનું વ્‍યાખ્‍યાન
ગુજરાત વિકાસ વિષય વસ્‍તુ ઉપર પ્રેરક ચિંતન
પ્રો. જગદીશ ભગવતીઃ 
ગુજરાત મોડેલ સમૃદ્ધિ પોષક અને વિકાસ સાતત્‍યની અનુભૂતિ કરાવે છે
સામાજિક, આર્થિક પરિવર્તનની ગતિ વધુ તેજીલી બનાવીએ
મુખ્‍ય મંત્રીશ્રીઃ
ગુજરાતે માત્ર વિકાસની દિશા જ નહીં, વિકાસના મોડેલની નામના મેળવી છે
વિશ્વવિખ્‍યાત અર્થશાષાી પ્રો. જગદીશ ભગવતીએ વાયબ્રન્‍ટ ગુજરાત વ્‍યાખ્‍યાન શ્રેણીનો પ્રારંભ કરતાં ગુજરાત મોડેલને વિકાસના સાતત્‍ય અને સમૃદ્ધિને પોષક ગણાવ્‍યું હતું. વિકાસવૃદ્ધિ માટે સંપત્તિનું સર્જન જેટલું આવશ્‍યક છે એટલું તેનું સામાજિક દાયિત્‍વ પણ સાથોસાથ વિસ્‍તરવું જોઇએ. જનતાની વધતી આકાંક્ષાઓને ઝડપથી મૂર્તિમંત કરવાની સાથે શિક્ષણ અને આરોગ્‍ય જેવી સામાજિક, આર્થિક પરિવર્તનની સેવાઓની પણ પૂર્તિ થવી જોઇએ. આ દિશામાં ગુજરાત મોડેલ પ્રભાવક છે જેને વધુ ગતિશીલતા અપાશે તો નિર્ધારિત લક્ષ્ય ઝડપથી હાંસલ થશે.
ગરવા ગુજરાતી પ્રો. જગદીશ ભગવતી કોલંબીયા યુનિવર્સિટીના સિનીયર પ્રોફેસર છે અને તેમણે તથા તેમના ભાઇ નિવૃત્ત મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી પ્રફુલ્લભાઇને પદ્મવિભૂષણની તથા પ્રોફેસર જગદીશ ભગવતીના વિદૂષી પત્‍ની શ્રીમતી પદમાબેનને પદ્મભૂષણના ઇલ્‍કાબથી વિભૂષિત કરેલા છે.
મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર ભગવતી પરિવારની પ્રતિભા સંપન્નતા અને આઝાદીની લડતમાં યોગદાનથી લઇને ન્‍યાયતંત્ર અને શિક્ષણ ક્ષેત્રે સહિત યશસ્‍વી પ્રદાન કર્યું છે, તેમ જણાવીને આ ગુજરાત પ્રેમી ખ્‍યાતનામ અર્થશાષાી થકી વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ સીમાચિહ્‌નરૂપ ગણાવ્‍યો હતો.
પ્રો. જગદીશ ભગવતીએ સમૃદ્ધિની સિદ્ધિઓ વિશે લોકરંજક માન્‍યતાઓના વિષયવસ્‍તુ સાથે ગુજરાતના પ્રયોગમાંથી અને ગુજરાત માટેના બોધપાઠ ઉપર વ્‍યાખ્‍યાન શ્રેણીનું પ્રથમ ચિંતન રજૂ કર્યું હતું.
આર્થિક સંપન્નતાને સામાજિક દાયિત્‍વની ભાવનામાં રૂપાંતર કરવામાં ગુજરાત- અનુભવને કેન્‍દ્રવર્તી ગણાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, આર્થિક સમૃદ્ધિ અને સામાજિક શ્રેયનો એજન્‍ડા અલગ નથી.
વૈશ્વિકરણનું ૧૯૯૧નું મોડેલ માત્ર સંપન્ન વર્ગ માટે નહીં, વંચિતોના વિકાસ અને જીવન સુધારણાને પણ આવરી લે તે જરૂરી છે, એમ તેમણે જણાવ્‍યું હતું. વૈશ્વિકરણના લાભ નિરક્ષરતા, ગરીબી, બિમારી જેવી સમસ્‍યાના નિરાકરણ માટે ઉપલબ્‍ધ થવા જોઇએ તેના ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, ગુજરાત માત્ર વિકાસના દરનું  મોડલ નથી પણ વિકાસની પ્રક્રિયામાં ગુણાત્‍મક સુધારા કરીને પ્રગતિની હરોળમાં પાછળ રહી ગયેલાઓને જોડવામાં સફળ
રહ્યું છે.
તેમણે જણાવ્‍યું કે, વિકાસ ગરીબોની જીવનની પ્રગતિમાં પરિવર્તન લાવનારો હોવો જોઇએ. ગરીબોની સમસ્‍યાનું સાતત્‍યપૂર્ણ સમાધાન થવું જોઇએ. ગરીબી નિવારણ માટે આર્થિક વિકાસ-ગ્રોથ જરૂરી છે પણ તે સાધન છે, આપણું લક્ષ્ય તો ગરીબી નાબૂદીનું છે.
ગરીબી સંલગ્ન બધી જ સમસ્‍યાના ઉકેલ માટેની વ્‍યૂહરચના વિકાસના સાતત્‍યમાં કેન્‍દ્રવર્તી હોવી જોઇએ એ હકીકત ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, વિકાસ ગ્રોથની નીતિઓ આવક વૃદ્ધિમાં પરિણમે એ આવશ્‍યક છે. ભારતની આર્થિક નીતિઓ અને સુધારાઓનું વિશ્‍લેષણ કરતાં તેમણે જણાવ્‍યું કે, સમૃદ્ધિ અને સંપત્તિના વિતરણની વ્‍યૂહરચનામાં સામાજિક-આર્થિક પરિવર્તનનો મહિમા હોવો જોઇએ. આરોગ્‍ય સેવા, લઘુત્તમ રોજગાર, શિક્ષણ, આવાસ અને જીવન આવશ્‍યક માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો અહેસાસ થવો જોઇએ. રાજકીય નીતિઓ અને તેની અસરો આ સંદર્ભમાં મુલવવી જોઇએ, એમ તેમણે જણાવ્‍યું હતું. વિશ્વની આ સંદર્ભની ઉત્તમ વ્‍યૂહરચનાને સ્‍થાનિક વાતાવરણમાં પરિવર્તિત કરવા પણ તેમણે જણાવ્‍યું હતું.
ગુજરાતની જાહેર છબી અને ઓળખ વિકાસની બની છે અને વિકાસ માત્ર વેપાર વણજનો નહીં, સામાજિક-આર્થિક પરિવર્તનના સુધારા સાથેનો છે. ગુજરાત એક્‍સપીરિયન્‍સ આની પ્રતિતી કરાવે છે, એમ સ્‍પષ્‍ટપણે પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું હતું.
દેશમાં આર્થિક સુધારાની ગતિ ધીમી પડી ગઇ છે તેને ગતિશીલ બનાવવી પડે. ભૂતકાળમાં લાયસન્‍સ રાજની નીતિઓએ ભ્રષ્‍ટાચારની ગતિવિધિ અને અસરો વકરાવી હતી. પરવાના પદ્ધતિના દૂષણોએ અનેક ભ્રષ્‍ટ રીતિ-નીતિને જન્‍માવી અને રાજકારણ કે પ્રશાસનતંત્ર તેમાંથી બાકાત રહ્યા નથી. ભ્રષ્‍ટાચાર નાબૂદ કરવા માટે પારદર્શી સુધારાની પદ્ધતિ અપનાવવાની જરૂર ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, ગુજરાત અને બિહાર આ દિશામાં દ્રષ્‍ટાંત પુરું પાડી રહ્યા છે.
‘‘ગુજરાત અનુભવ''ની ભૂમિકા વિકાસવ્‍યૂહ સંદર્ભમાં દર્શાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, પ્રગતિથી જનતાની આકાંક્ષા પણ વધી જાય છે અને તેથી વિકાસનું સાતત્‍ય અને સર્વદેશીક વાતાવરણ સર્જાય તો સામાજિક સંતુલન જળવાય. જે ગુજરાતની દિશા યોગ્‍ય છે તે દર્શાવે છે. ગુજરાતે આર્થિક સુધારાને માનવીય સ્‍પર્શ આપ્‍યો છે અને તેને વધુ સઘન વ્‍યાપક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેનું શ્રેય તેમણે મુખ્‍ય મંત્રીશ્રીને આપ્‍યું હતું.
પ્રો. જગદીશ ભગવતીએ ગુજરાતે વિકાસ અને ટેકનોલોજીના વિનિયોગ સાથે કૃષિ વિકાસ ઊંચો દર હાંસલ કર્યો છે તેની વ્‍યૂહરચનાને પણ પ્રભાવક ગણાવી હતી. પ્રબુદ્ધ નાગરિકોએ વિશ્વના સામાજિક-આર્થિક પરિવર્તન સંદર્ભમાં પ્રો. જગદીશ ભગવતી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.
મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મોડેલની દેશમાં ચર્ચા થાય છે તે માત્ર વિકાસની નોંધ નથી પરંતુ વિકાસના મોડેલ તરીકેની પ્રશંસા થાય છે અને આ ફલશ્રુતિ આપણને વધુ સારું કરવાની પ્રતિબદ્ધતા માટે પ્રેરે છે, એમ જણાવ્‍યું હતું.
વિશ્વના સાંપ્રત પ્રવાહોને અનુરૂપ ગુજરાતની વિકાસયાત્રાને પ્રોત્‍સાહક નીતિ નિર્ધારણ માટેની ચિંતન પ્રક્રિયા ઉભી કરવા માટે વાયબ્રન્‍ટ ગુજરાત વ્‍યાખ્‍યાન શ્રેણીની ભૂમિકા દર્શાવતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આખો ભગવતી પરિવાર ગુજરાતની ગૌરવરૂપ અમાનત છે. ગુજરાતનું મૂલ્‍યાંકન અને તારીફ કરીને ગુજરાતને સાચી દિશામાં પ્રેરતા પ્રો. જગદીશ ભગવતીના મંતવ્‍યોને મુખ્‍ય મંત્રીશ્રીએ ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્‍યા હતા.
મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વિકાસના વ્‍યૂહમાં માત્ર ભૌતિક પ્રગતિ કે માળખાકીય સુવિધા પર્યાપ્ત નથી પરંતુ વિકાસ સાથે પર્યાવરણને સુસંગત પ્રકૃતિનું તાદાત્‍મ્‍ય વ્‍યવસ્‍થા સાથે જોડવું પડશે. ગત ૩૦૦ વર્ષમાં જે પ્રદૂષણના પાપ કર્યા છે તે વધુ ના થાય પરંતુ પ્રાકૃતિક શક્‍તિઓને વિકાસમાં જોડવા ગુજરાત તત્‍પર છે.
વાયબ્રન્‍ટ ડેમોક્રેસી, ટેલેન્‍ટ અને યુથ પાવર એ ભારતની તાકાત છે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપવા માંગે છે તેનો નિર્ધાર વ્‍યકત કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નારી શક્‍તિને વિકાસમાં નિર્ણાયક બનાવવા ઉપર ભાર મુકયો હતો.
મુખ્‍ય મંત્રીશ્રીએ વિકાસમાં જનભાગીદારી વ્‍યાપક ફલક વિકસાવવા, લોક સુખાકારીને સુદૃઢ કરવા માટે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં ગુજરાત અગ્રેસર છે અને હવે તો ગુજરાતે લોંગ ડીસ્‍ટન્‍સ લર્નિંગ માટે ૩૬ મેગાહર્ટસ્‌નું આખું ટ્રાન્‍સપોન્‍ડર ઉપયોગમાં લેવાની પહેલ કરી છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.
આ વ્‍યાખ્‍યાન શ્રેણીમાં વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, રાજ્‍ય મંત્રીમંડળના સભ્‍યો, મુખ્‍ય સચિવશ્રી અને વરિષ્‍ઠ સચિવશ્રીઓ તથા નિવૃત્ત સનદી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
માહિતી કમિશનર શ્રી વી. થીરૂપુગલે સ્‍વાગત પ્રવચનમાં પ્રો. જગદીશ ભગવતીનો પરિચય અને વ્‍યાખ્‍યાન શ્રેણીની ભૂમિકા આપી હતી.

નાતાલ પર્વની શુભકામના પાઠવતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સૌ ખ્રિસ્‍તી પરિવારો-નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્‍યમંત્રીશ્રીએ ‘મેરીક્રિસમસ'ની શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું છે કે, પ્રભુ ઇસુના કરૂણા, પ્રેમ અને ભાઇચારાની ભાવનાને આત્‍મસાત કરીને આ પર્વની ઉજવણી કરીએ.
ગુરૂજનોનું સન્‍માન આપણી ભારતીય સંસ્‍કૃતિની પ્રણાલી રહી છે

મજબૂત સમાજ-રાષ્‍ટ્રના નિર્માણમાં આવા શિક્ષણવિદોની આવશ્‍યકતાઃ રાજ્‍યપાલ ર્ડા. કમલાજી
ભારતીય પરંપરામાં ગુરૂજનોના સન્‍માનની વિશિષ્‍ટતા રહી છે, તેમ મહામહિમ રાજ્‍યપાલ ર્ડા. કમલાજીએ સરદાર વલ્લભભાઈ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજીત શિક્ષણ ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ઠ સેવા પ્રદાન કરવા માટે ટ્રસ્‍ટના નિયામક તથા પ્રિન્‍સીપાલ શ્રી દર્શનસીંગ શીખનું સન્‍માન કરતાં જણાવ્‍યું હતું. ર્ડા. કમલાજીએ કહ્યું હતું કે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનારા ગુરૂનું આદર સ્‍થાન રહ્યું છે. શ્રી શીખની શૈક્ષણિક સેવાઓને બિરદાવી વિદ્યાર્થી જગતમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપવા અભિનંદન પાઠવી એમનું યોગદાન અમૂલ્‍ય રહેશે તેમ જણાવ્‍યું હતું. શિક્ષણ જગતમાં આવા શિક્ષણવિદ્‌ની ખૂબ જ જરૂરિયાત છે. આપણા સમાજ અને રાષ્‍ટ્રના નિર્માણમાં વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવાની ઉત્‍કૃષ્‍ઠ કામગીરી ગુરૂજનોની છે.

સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા પ્રકાશિત અને શ્રી દર્શનસીંગ શીખ લિખિત ‘‘શિક્ષણને સમર્પિત જીવન સુવર્ણ પૃષ્‍ઠ'' પુસ્‍તકનું ર્ડા. કમલાજીના વરદ્‌હસ્‍તે વિમોચન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્‍ટ સાથે શ્રી દર્શનસીંગ શીખ છેલ્લા પાંચ દાયકાથી સંકળાયેલા છે. તેમણે અથર્શાષા વિષય પર ર૪થી વધુ પુસ્‍તકો પ્રકાશિત કર્યા છે. પ્રખર શિક્ષણવિદ અને આદર્શ વહીવટકર્તા એવા પ્રિન્‍સીપાલ દર્શનસીંગ શીખ માને છે કે શિક્ષણનો પાયો મજબૂત હશે તો મજબૂત સમાજ અને મજબૂત રાષ્‍ટ્રનું નિર્માણ થાય જ.
આ સન્‍માન સમારોહમાં સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી નરહરી અમીન, શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, ગુજરાત લૉ સોસાયટીના એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રી સુધીરભાઈ નાણાવટી, શિક્ષણ જગતના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, નગરજનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

શહેરી ગરીબ કલ્યાણમેળો ૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ


શહેરી ગરીબ કલ્યાણમેળો
૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી
વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ
ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ
સૂરતઃ - પડિત દિનદયાળ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ચોર્યાસી વિસ્તારના નવ હજાર કરતા વધુ જરૂરતમંદોને ૨૪ જેટલી વિવિધ યોજના હેઠળ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય સીધે સીધી એનાયત કરવામાં આવી હતી.
જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલ, અન્નવિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે એક જ સ્થળે સમૂહમાં હાથોહાથ સાધન સહાય કરવાના પ્રસંગે શ્રી મંગુભાઈએ ગરીબ કલ્યાણ મેળો મુખ્યમંત્રીશ્રીના અભ્યાસનું પરિણામ હોવાનું જણાવી કહ્યું હતું કે, યોજનાઓ તો વર્ષોથી ચાલતી આવી છે. પણ યોજનાઓનું અનુદાન વણવપરાયેલું રહેતું, ગરીબો સુધી યોજના પહોચતી નહીં, વચેટીયાઓનું રાજ હતું જે પધ્ધતિ ધ્યાને આવતા મ્યુખ્યમત્રીશ્રીએ વીતેલા ત્રણ વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ ગુજરાતના તમામ ગામડાઓ શહેરોમાં યોજવાનું આયોજન કર્યું.જેના પ્રથમ વર્ષે ૩૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ૩૨૮૭ કરોડની સાધન સહાય ચૂકવાઈ.
હવે પદાધિકારીઓ-અધિકારીઓ ધરે ધરે પંહોચી ફોર્મ ભરાવીને યોજનાનો લાભ ગરીબને આપી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીની ગરીબી સામે લડવાની લડાઈનો મૂળ હેતું આજના આ મોધવારીના સમયે જરૂરતમંદ વ્યકિતઓની આવકમાં વધારો કરવા માટેનો હોવાનું જણાવી ઉમ્મીદ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજયના અન્ન વિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાનું હાર્દ સમજાવી કહ્યું હતું કે, રાજય સરકારની યોજનાનો લાભ મેળવવા માટે કચેરીમાં દોડા કરતો લાભાર્થીને હવે ધર બેઠા પદાધિકારી-અધિકારીઓ આવીને ફોર્મ ભરાવી જાય છે. જરૂરતમંદોને શોધી-શોધીને તેમના હક્કો અપાવવાનું કાર્ય મુખ્યમંત્રીશ્રીની દેન છે. તેમણે ગરીબોને છેતરવાની જે ધરેડ પડી ગઈ હતી તે દૂર કરી રસ્તો કાઢયો છે. મંત્રીશ્રીએ વિવિધ યોજના હેઠળ મળતા લાભોની પણ વિગતો આપી હતી.
તેમણે સૂરત શહેરમાં વાતાનુકુલિત હોલમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવી સૌને અભિનંદન આપ્યા હતા.
પ્રારંભમાં મેયરશ્રી રાજેન્દ્ર દેસાઈએ મહાનુભાવોને આવકાર્યા હતા.
આ પ્રસંગે યોજનનો લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે સાંસદસર્વશ્રી સી.આર.પટેલ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી કિશોરભાઈ વાકાવાલા, નાનુભાઈ વાનાણી, શાસકપક્ષના નેતા દયાશંકરસિંગ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈ પટેલ, કમિશનરશ્રી મનોજકુમાર દાસના હસ્તે પણ સાધન સહાય એનાયત કરવામાં આવી હતી.
આભારવિધિ ડેપ્યુટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણાએ કરી હતી.


આજના શહેરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ શું કહ્યુંઃ
રીક્ષા માટે લોન મેળવી ચૂકેલા ફિરોજ ખાનઃ  
ભાડાની રીક્ષા ચલાવતા ફિરોજખાન ગુલાબખાન પઠાનને સુરત શહેરી ગરીબ કલ્યાણમેળામાં એસ.વાય.એસ.યોજના હેઠળ રીક્ષા ખરીદવા માટે મહાનગરના યુ.સી.ડી. વિભાગ અંતર્ગત બેકમાંથી રૂા.૧.૩૪ લાખની લોન મળતા આનંદીત થઈ ઝુમી ઉઠયા હતા. તેઓ છે કે, ભાડાની રીક્ષા ચલાવતો ત્યારે આવક કરતા ખર્ચાઓ વધારે થતા. ધરની પરિસ્થિતિ સારી નહોતી. જયારે આજે હું મારી માલિકીની રીક્ષા મળતા મારી બધી જ સમસ્યા હલ થઈ ગઈ છે તેમજ લોનના હપ્તા બાદ કરતા સારૂ એવી બચત થઈ રહે છે.

"ઉમ્મીદ' થકી કોમ્યુટર ઓપરેટર થઈઃ 
ધરની પરિસ્થિતિને કારણે હું ભણી શકી નથી પણ ઉમ્મીદને કારણે હું મારા પરિવારને મદદરૂપ થઈ શકું છું એવા શબ્દો છે વિશ્વકર્માબહેનના. તેણીએ કહ્યું કે, મારા પિતા ફર્નિચરનું કામ કરીને પેટીયું રળતા જેના કારણે મારી અધ્ધવચ્ચે ભણવાનું મુકી દેવું પડયું. પણ જયારે ધરની નજીક પાડેસરામાં ઉમીદ યોજના સેન્ટરની મુલાકાત લઇને ઉમીદ યોજના હેઠળ ત્રણ મહિનાની કોમ્યુટર, ટેલી, માર્કેટીગની તાલીમ લઇ આજે હું કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરીને ધરમાં મદદરૂપ થઈ રહી છું.જેના માટે હું હદયથી રાજય સરકારનો આભાર માનું છું.

રસ્તા પર ધંધો કરતો આજે પોતાની દુકાન ધરાવું છુંઃ હિતેશ
પહેલા રસ્તા પર ગીફટ આર્ટિકલ્સ, ઝવેલરી વેચતો પણ આજે ધરની દુકાનમાં ધરાવતો થયો છું તેમ  હિતેશભાઈ જાવડેએ જુસ્સાભેર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓ કહે છે કે,  મહાનગર પાલિકાના યુ.સી.ડી.ના અર્બન કેમ્પમાં સુવર્ણ શહેરી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂા.૨ લાખની લોન મળી તેમજ સરકારની ૨૫ ટકા સબસીડી સાથે આજે હું મારા ધરની દુકાન ધરાવીને ગર્વભેર ધધો કરતો થયો છું.

ઝુંપડપટ્ટીમાંથી પાકા ધરમાં આવ્યોઃરાજુભાઈ
રાજુભાઈ કહે છે કે એક સમયે ધરતીનગર ખાતેની ઝુંપડપટ્ટીમાં કાદવ કીચડના રસ્તાઓ, પીવાના પાણી માટે લાબી લાઈનો, પાણી ટપકતા ઝુંપડીમાં રહેતો હતો. પણ ગરીબ કલ્યાણ મેળામાં કોસાડ ખાતે તમામ ભૌતિક સુવિધાઓથી સજ્જ ધરનું ધર મળતા તમામ મુશ્કેલીઓનું નિવારણ આવ્યું છે.

રમતગમત રાજ્યમંત્રી આજે સૂરતમાંઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ આવતીકાલ તા. ૨૪મીના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બારડોલી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ અને અમેરીકા લેઉવા પાટીદાર સમાજ આયોજીત વોલીબોલ ટુનામેન્ટ વિજેતા ટ્રોફી એનાયત કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે કુટીરઉઘોગમંત્રી સુરતમાંઃ
સૂરતઃ - કુટીર ઉઘોગમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલ તા.૨૪મીના રોજ સાંજે ૬.૦૦ વાગે રંગઉપવન, નાનપુરા ખાતે મૂક બધીર વિકાસ ટ્રસ્ટનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. તા.૨૫મીએ સવારે ૬.૦૦ વાગે સુરતથી સાપુતારા જવા રવાના થશે. તા.૨૬મીએ સવારે ૮.૦૦ વાગે સુરતથી ગાંધીનગર જવા રવાના થશે.

રમતગમત રાજ્યમંત્રી સૂરતમાંઃ
પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટિટયુટના ઉદ્‍ધાટનમાં હાજરી આપશેઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તા. ૨૫મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યે ધારૂકાવાળા કોલેજ કમ્પાઉન્ડ, વરાછા રોડ ખાતે આવેલી પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટિટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના ઉદ્‍ધાટન સમારંભમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

પ્રોહીબીશનની પ્રવૃતિ જણાય તો પોલીસ કંટ્રોલમાં જાણ કરશોઃ પોલીસ અધિક્ષક
સૂરતઃ- સૂરત જિલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી પિયુષ પટેલે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે, આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ ગ્રામ પંચાયતની ચંૂટણી યોજાનાર છે. ગુજરાત રાજયમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ ઉપર કાયમી બાંધ છે. તેમ છતા ચૂંટણી દરમિયાન ખલેલ ન પહોચે તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી જળવાઈ રહે તે માટે સમગ્ર જિલ્લામાં  પ્રોહીબીશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટેના પ્રયત્નો શરૂ છે.  આથી આવી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી જો કોઈને મળે તો તે અંગેની જાણ સૂરત ગ્રામ્ય કંટ્રોલ રૂમના ફોન નંઃ (૦૨૬૧)૨૬૫૧૮૩૨,૨૬૫૧૮૩૩ તેમજ ફેકસ નંબરઃ૦૨૬૧-૨૬૫૧૮૩૪ પર સંપર્ક સાધવા

એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવો છે?ઃ
સૂરતઃ- ગુજરાત રાજય ડેવલપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશન ઈન્સ્ટીટયુશન્સ સોસાયટી (ગુજરાત સરકારના આદિજાતિ  વિભાગ દ્વારા સંચાલિત) ૩જો માળ, બિરસા મુન્ડા ભવન, સેકટર-૧૦એ, ગાંધીનગર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં ભણતા વધુમાં વધુ ૧૩ વર્ષની વયના આદિજાતિના બાળકો માટે પ્રવેશ માહિતી પુસ્તિકા અને પ્રવેશ ફોર્મ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, બી-૩, અઠવાલાઈન્સ, સુરત ખાતે થી કચેરીના સમય દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન
સૂરતઃ-મી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૫/૧૨/૧૧ના રોજ ૯.૦૦ થી 1.00 વાગ્યા દરમિયાન વૈશાલી જેમ્સ, કેસરબા માર્કેટ, ગોટાલાવાડી, કતારગામ ખાતે બટુકભાઈ પટોલીયાને ત્યાં મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં હરીદ્વારના પ્રખર વેદાંતાચાર્ય મહામંડલેશ્વરના રામસ્વરૂપજી મહારાજ અને ભગવદસ્વરૂપ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહેશે.

તરસાડા-કાકરાપાર-વ્યારા રસ્તા ઉપર મોટીચેર વેસ્ટ વિયરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધઃ
સૂરતઃ તરસાડા-કાકરાપાર-વ્યારાના રસ્તા ઉપર આવેલા મોટીચેર પર વર્ષો જૂના વેસ્ટ વિયરના પુલની હાલમાં અવર જવરની ક્ષમતા ઓછી થઇ હોવાના કારણે સલામતીના ભાગરૂપે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.આર.ડોડીયાએ એક જાહેરનામાં દ્વારા પુલ પરથી ભારે વાહનો પર નિયંત્રણ ફરમાવ્યો છે. આ વાહનોને વ્યારા જનક હોસ્પિટલ ત્રણ રસ્તાથી સીધા નેશનલ હાઇવે નં.૬ ઉપર થઇ બાજીપુરા સુમુલ ડેરી-મઢી થઈ માંડવી તરફ ડાયવરઝન કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અમલ તા. ૧૩.૨.૨૦૧૨ સુધી રહેશે.

સાપુતારા ખાતે તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલ ખુલ્લો મૂકાશે
  સાપુતારા ખાતે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનુ઼ ગર્વનર હિલ સાપુતારા  ખાતે ૧૦-૦૦ કલાકે પ્રવાસન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયાના હસ્તે ઉદ્‍ધાટન કરાશે. આ પ્રસંગે પ્રમુખસ્થાને રણજીત ગીલીટવાલા મંત્રીશ્રી રાજયકક્ષાના કુટિર ઉધોગ, મીઠા ઉધોગ, છાપકામ અને લેખનસામગ્રી  તેમજ મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઇ પટેલ અધ્યક્ષ ગુજરાત પ્રવાસન નિગમ ઉપસિથત રહેશે.
જયારે અતિથિવિશેષ  તરીકે  ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ ડાંગ-આહવા અને શ્રી વિપુલ મિત્રા અગ્રસચિવ ટુરીઝમ, દેવસ્થાન, પવિત્ર યાત્રાધામ અને એવીયેશન, શ્રી દિનેશભાઇ દાસા નિયાકમશ્રી ગુજરાત પ્રવાસન નિગમ , શ્રી રમેશભાઇ ચૌધરી ઉપપ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયત અને ખાસ ઉપસ્થિતિ તરીકે શ્રી પી.કે.સોલંકી કલેકટર ડાંગ ઉપસ્થિત રહેશે.

ભવાનદગડ ખાતે તા.૨૪ મીએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની  ઉજવણી કરાશે
  ડાંગ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અનુ ડાંગ જિલ્લા ગ્રાહક હિતરક્ષક મંડળ આહવા દ્રારા તા.૨૪-૧૨-૨૦૧૧ નાં રોજ  આદિવાસી કુમાર છાત્રાયલ ભવાનદગન આહવા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવશે. સેમીનારનુ઼ં ઉદ્‍ધાટન પી.કે.સોલંકી કલેકટરશ્રી  અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આહવા-ડાંગ કરશે. અતિથિવિશેષ તરીકે પ્રાંત અધિકારીશ્રી  અને ગ્રાહક સુરક્ષા અધિકારી ડાંગ આહવા ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે શ્રી ગાંડાભાઇ પટેલ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા, શ્રી ગુણવંતભાઇ પરીખ આશ્રમ શાળા કાલીબેલ અને આચાર્યશ્રી ભવાનદગડ પ્રાથમિક શાળા હાજર રહેશે.

ડાંગ જિલ્લાના પ્રવાસે રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર સુખડીયા
  પ્રવાસન,બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયા તા.૨૪-૧૨-૨૦૧૧  શનીવારે  ૧૬-૦૦ કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝ કાર્યક્રમમાં હાજરી આપી ૧૮-૦૦ કલાકે ગાંધીનગરથી સાપુતારા આવવા રવાના થશે.  તા.૨૫-૧૨-૨૦૧૧ રવિવારે ૧૦-૦૦ કલાકે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનું મંત્રીશ્રીના હસ્તે ગર્વનર હિલ સાપુતારા ખાતે ઉદ્‍ધાટન કરાશે.

સુબીરમાં  પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો
 ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સુરત નેચર કલબના સંયુકત પ્રયાસથી ડાંગના સરકારી શાળાના સાત હજાર વિધાર્થીઓ માટે પર્યાવરણ શિક્ષણ બસ દ્રારા  નેચર કલબ સુરત આપે છે. તાજેતરમાં સુબીર ખાતે સરકારી ઉ.માધ્યમિક શાળા તથા  પ્રાથમિક શાળા  ખાતે ચાલતી દ્રષ્ટ્રિ ઇકોકલબના સંયુકત ઉપક્રમે આ પ્રકૃતિ શિક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વસનજીભાઇ, શ્રી ગમનભાઇ તથા સરકારી ઉ.મા. શાળાના ઇનચાર્જ આચાર્યશ્રી આશાબેને  પ્રદર્શનમાં બસમાં ભાગ લેનાર વિધાર્થીઓને આવકાર્યા હતા.આ પ્રસંગે સુરતના દિગંતભાઇ તથા શ્રી પરમારભાઇએ વિગતવાર પૂર્ણ માહિતી આપી શાળાઓને કીટ્સ પણ આપવામાં આવી હતી.આભારીવધિ ડી.બી.મોરે કરી હતી.

ડાંગઃ ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ નાં આયોજન અંગેની બેઠક મળશે
  ડાંગ જિલ્લામાં આગામી  ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ ના આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠક  તા.૩-૧-૨૦૧૨ નાં રોજ ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને હાજર રહેવા કલેકટરશ્રી ડાંગ આહવાની અખબારી યાદીમાં જણાવેલ છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ઃ
નવસારી જિલ્લામાં ૧.૧૫ લાખ બાળકોના આરોગ્યની તપાસણી કરાઇ
નવસારીઃ  નવસારી જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ભણતા બાળકોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં પાંચ સપ્તાહ અંત સુધી ૧૧૫૮૫૦ બાળકોની તપાસણી કરવામાં આવી હોવાનું મખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઘ્વારા જણાવાયું છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ હાલ છઠૃા સપ્તાહની કામગીરી ચાલી રહી છે. પાંચમાં સપ્તાહ અંતિત નવસારી જિલ્લામાં ૩૦૪૮૨૯ બાળકો પૈકી ૧૧૫૮૫૦ બાળકોની આરોગ્ય તપાસણી થઇ ચૂકી છે. જે પૈકી ૩૪૬૬૬ ખામીવાળા બાળકોને તબીબી અધિકારી દ્વારા તપાસ હાથ ધરી સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૨૧૮ બાળકોને સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે સંદર્ભ સેવા માટે રીફર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૭૮ બાળકોની સારવાર પુર્ણ થઇ છે. જેમાં ૮૨ બાળકો બાળરોગ નિષ્ણાંત દ્વારા', ૮૬૯ બાળકો આંખની નાની મોટી બિમારી, ૧૭૫ દાંતના રોગો, ૬૭ ચામડીના રોગો, ૫૦ કાન-નાક-ગળાના રોગો માટે તથા ૩૫ અન્ય નિષ્ણાંત દ્વારા તપાસવામાં આવ્યાં છે. તે પૈકી હ્દયરોગ, કીડની તથા કેન્સર જેવી ગંભીર બિમારી માટે ૧૭ બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે રીફર કરવમાં આવ્યાં છે. જેમાં ૫ હ્દયરોગ તથા ૨ કેન્સર સારવાર માટે સુપરસ્પેશ્યાલીટી સારવાર અપાઇ છે.
આથી તમામ વાલીઓને અનુરોધ છે જયારે પણ શાળા આરોગ્ય તપાસણી ચાલતી હોય ત્યારે આપનાં બાળકોને જરૂરથી શાળાએ મોકલશો તથા તબીબી અધિકારીનાં સલાહ-સૂચન મુજબ સાથ સહકાર આપી આપના બાળકોને તંદુરસ્ત બનાવવાનાં અભિયાનમાં મદદરૂપ થશો. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના શાળાએ જતાં આંગણવાડીમાં જતાં તમામ બાળકો તેમજ ૦ થી ૧૪ વર્ષના શાળાએ ન જતાં બાળકોની પણ તપાસ હાથ ધરવામાં આવે છે.                                              

આજે સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે વાર્તાલાપ ઃ
નવસારીઃ  શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે તા.૨૪/૧૨/૧૧ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે પ્રસિધ્ધ સાહિત્યકાર-સર્જક ધ્રુવભટૃનો "અકૂપાર' પુસ્તક પર વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ સાંભળવા નગરજનોને પુસ્તકાલય પરિવાર ઘ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

સર જે.જે.પ્રાયમરી સ્કુલના બાળકો સ્પર્ધામાં વિજેતા બન્યા ઃ
નવસારીઃ  નવસારી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ફિલાટેલી કવીઝ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલ(ગુજરામી મિડિયમ)ના બાળકોએ ભાગ લીધો હતો. ફિલાટેલી કવીઝ સ્પર્ધામાં પ્રથમક્રમે નાયક કથન, દ્વિતિયક્રમે પટેલ દર્શન, તૃતીયક્રમે સોની સૃષ્ટિ વિજેતા, પત્રલેખન સ્પર્ધામાં રાઠોડ હેનિલ વિજેતા, ડ્રોઇંગ સ્પર્ધામાં પ્રથમક્રમે વિશ્વા દેસાઇ અને દ્વિતિયક્રમે રાઠોડ હેનિલ વિજેતા જાહેર થયા છે. વિજેતા થેયલા બાળકો વડોદરા ખાતે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. શિક્ષક સર્વશ્રીઓ સવિતાબેન પટેલ, ભારતીનબેન કંસારા અને અશોકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકો વિજેતા બન્યા છે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રીમતી તારકેશ્વરી સુરતી તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.

આજે બીલીમોરા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી ઃ
નવસારીઃ નવસારી જિલ્લાકક્ષાનો "રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન'ની ઉજવણી તા.૨૪/૧૨/૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ વાગે સાંઇબાબા મંદિરનો હોલ, બીલીમોરા ખાતે યોજાશે. એમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે.જે.રાઠોડ ઘ્વારા જણાવાયું છે.                      





અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા


અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
 નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્‍યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્‍યનિષ્‍ઠ અગ્રણીશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇને મોમેન્‍ટો અર્પણ કરતાં જણાવ્‍યું હતુ કે, શ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇએ રચનાત્‍મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્‍દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્‍મા શકિત આપે, એવી શુભેચ્‍છા પણ તેમણે આ પ્રસંગે વ્‍યકત કરી હતી.
કેન્‍દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્‍યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્‍દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્‍યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્‍યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્‍નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્‍થાપના સમયના તથા રાનષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી સાથેના સંસ્‍મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્‍માન કરવા બદલ સરગમ કલબના અધ્‍યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.
આ સન્‍માન સમારંભમાં બાન લેબ્‍સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્‍યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.


સદભાવના મિશન
મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસ સંદર્ભે કરાયેલ વાહન પાર્કીગની વ્‍યવસ્‍થા

રાજકોટ
 આગામી તા. ર૬/૧૨/૧૧ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સદભાવના ઉપવાસ સંદર્ભે નીચે મુજબની પાર્કીગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
વીઆઇપી પાર્કીગઃ કાર્યક્રમથી જમણી બાજુ રૂરલ એસ.પી.ના બંગલા સામેના રેસકોર્ષના દરવાજાથી એન્‍ટ્રી રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં.
આમંત્રીત/સામાજીક/ધાર્મિક એનજીઓ ગૃપ પાર્કીગ માધવરાવ સિધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ આગળનો ભાગ રેસકોર્સ.
જનરલ પાર્કીગ બસ/ફોરવ્‍હીલર/ટુવ્‍હીલરઃ રીલાયન્‍સ ગ્રાઉન્‍ડ તથા રઘુનંદન સોસાયટીનું પાર્કીગ આઇકર વાટીકા ભવન પાછળ
એસ.ટી.બસો માટે પાર્કિગઃ મોરબી,માળીયા,ટંકારા, વાંકાનેર બસોના પાર્કીગ માટે એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડ રેસકોર્ષ.
પોલીસ સ્‍ટાફ તથા ગવર્નમેન્‍ટ વાહનોનું પાર્કિગઃ હોમગાર્ડ ઓફીસર કર્વાટર કમ્‍પાઉન્‍ડ ફોર વ્‍હીલર તથા ટુવ્‍હીલર વાહનો.
રાજકોટ શહેરની બસોનું પાર્કિગઃ ઇન્‍ડોર સ્‍ટેડીયમ
બહાર ગામથી આવતી બસો માટેનો રૂટઃ મોરબી, ટંકારા તથા માળીયામીયાણાથી સદભાવનામીશન કાર્યક્રમમાં આવતી બસો મોરબી બાયપાસ થઇ માધાપર ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ, રેયા સર્કલ, હનુમાન મઢી, આમ્રપાલી, કિશાન પરા ચોક બાલભવન ગેઇટ થઇ એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડમાં પાર્કીગ કરશે.
વાંકાનેર તરફથી સદભાવના મીશન કાર્યક્રમમાં આવતી બસો કુવાડવા રોડ, ગ્રીનલેન્‍ડ ચોકડી, ડીલક્ષ પારેવડી ચોક, હોસ્‍પીટલ ચોક, ચૌધરી ચોક, ધરમ સિનેમા થઇ જીલ્‍લા પંચાયત ચોક, કિશાન પરા ચોક બાવભલન ગેઇટ થઇ એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડમાં પાર્કીગ કરશે.


હાથશાળ મંડળીઓને હિસાબી ઓડિટ કરાવી લેવા સૂચના
રાજકોટ
 મેનેજરશ્રી, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજકોટ જિલ્‍લામાં આવેલ હાથશાળ(પ્રાથમિક વણકર સહકારી મંડળી/એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.) સહકારી સંસ્‍થાઓ, વ્‍યકિતગત હાથશાળ વણકરો, માસ્‍ટર વણકરો, સ્‍વસહાયજુથો અને સંયુકત જવાબદારી જુથો, જેઓએ બેંક લોન હાથશાળ વણાટના હેતુ માટે લીધેલ હોય અને તા. ૩૧/૩/૨૦૧૦ના રોજ મુદત વિતિ બાકી હોય અને બેંક તેમને નવી લોન આપવા તૈયાર હોય, તેઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધીમાં આ કચેરીનો સંપર્ક કરવા તેમજ પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ/ એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.એ તેમનું હિસાબી ઓડીટ તા. ૩૧/૩/૨૦૧૦ સુધીનુ ગુજરાત રાજય સહકારી અધિનિયમ કલમ-૮૪ હેટળ અચુક કરાવી લેવા જણાવવામાં આવે છે.


વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસરને વિકલાંગ પારિતોષિક અંગેની અરજી કરવા અનુરોધ
રાજકોટ   વર્ષ-૨૦૧૧ માટે રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા  શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્‍યક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ નજીકની રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે  તા.૨૩-૧૨-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૮-૧૨-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ  ધરાવતા કર્મચારીઓના કિસ્‍સામાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમમાં જામનગર સાંસ્‍કૃતિક નગરી બને  તેવી શુભેચ્‍છા વ્‍યકત કરતા રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી
જામનગર,
 આર્ય સમાજ દ્વારા સામવેદ પારાયણ મહાયજ્ઞના પૂર્ણાહૂતી કાર્યક્રમ તથા શ્રીમદ દયાનંદ કન્‍યા વિદ્યાલયનો ૮૫મો વાર્ષિકોત્‍સવ તેમજ સ્‍વામી શ્રધ્‍ધાનંદ બલિદાન દિવસની ઉજવણી રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્‍થિતીમાં યોજાય હતી.
સામવેદ પારાયણ શ્રી રામદેવજી શાસ્‍ત્રીએ તથા વેદપાઠી પં.મણિલાલ આર્ય તથા ટંકારાના બ્રહમચારીઓએ કરાવ્‍યું હતું.
ધર્મલાભના સહભાગી બનાવવા બદલ આર્ય સમાજના હોદેદારોનો આભાર વ્‍યકત કરતા મંત્રીશ્રી વસુબહેને કહયુ હતું કે, મારા લગ્‍ન આ જ સ્‍થળે આર્ય સમાજ વિધિથી થયા હતા. આજે જયારે આપણા દેશમાં વૈશ્‍વિક અને સાંસ્‍કૃતિક આક્રમણના કારણે આપણે ઘણુ બધું ભુલી ગયા છીએ ત્‍યારે આવતી કાલની પેઢી સજજ થાય તે માટે આ પ્રકારના કાર્યક્રમો સમાજને ઘણા ઉપયોગી છે. જામનગર સાંસ્‍કૃતિક નગરી બને, તેવું વાતાવરણ ઉભુ થાય તેવી સૌને શુભેચ્‍છા પાઠવી હતી. મંત્રીશ્રીએ શહીદોને પણ શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતા.
આ તકે આર્યસમાજના પ્રમુખ પ્રેમજીભાઇ રાણા, મંત્રી ડો.અવિનાશ ભટ્ટ, શાળાના આચાર્યશ્રી હર્ષાબેન શાહ, પ્રેમિલાબેન પિત્રોડા સહિતના આર્ય સમાજના હોદેદારો તથા ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.
રાષ્‍ટ્રીય અનુ.જાતિ આયોગના સભ્યશ્રીએ બેંક ઓફ બરોડાના કર્મચારીઓની લીધેલ મુલાકાત
જામનગર,
–રાષ્‍ટ્રીય અનુસુચિત જાતિ આયોગ અને રાજ્યસભાના સદસ્ય શ્રી રાજુભાઇ ૫રમારે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓને મળી આ બેંકમાં કાર્યરત અનુસુચિત જતિના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ તકે ભારત સરકારના અનુસુચિત જાતિના આસીસ્ટન્ટ ડાયરેકટર શ્રી એ. સત્ય નારાયણ, સક્રેટરી
શ્રી મહેન્દ્ર પ્રસાદ, ઓફિસ સક્રેટરી શ્રી મુદાયાર, બેંક ઓફ બરોડાના લાયઝન ઓફિસર શ્રી મકવાણા, સિનિયર મેનેજર શ્રી ૫રમાર ઉ૫સ્થિત રહયા હતા.
બેંક ઓફ બરોડાના શેડયુઅલ કાસ્ટ એમ્પ્‍લોયસ વેલફર સોસાયટી એસોસિએશનના રિઝિયન સેક્રેટરી
શ્રી એસ. જી. ઝાલા અને સભ્ય શ્રી પી. જે. સોંદરવાએ શ્રી રાજુભાઇ ૫રમારની સાથે અનુ. જાતિના પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં કચ્છ અને જુનાગઢ જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં કર્મચારીઓને રહેવા મકાનો સહિતની  સુવિધા આ૫વા રજુઆત કરી હતી.
સ્વાગત પ્રવચન બેંક ઓફ બરોડાના ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી કપાસીએ કર્યુ હતું. આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સિંહાએ આભાર વિધિ કરી હતી.

અનોખા અને આગવા દ્રષ્‍ટિકોણથી જિલ્લાનો વિકાસઃ
ટીમ પોરબંદર ની તત્પરતા જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની મીટીંગમાં પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાનું આહવાન 
વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને અનોખા અને આગવા દ્રષ્‍ટિકોણથી જિલ્લાના વિકાસ નું મોડેલ તૈયાર કરવા જિલ્લાના પ્રભારી સચિવશ્રી વિનય વ્યાસાએ કરેલ  આહવાન ઝીલી લઇને ’’ટીમ પોરબંદર’’ ની વિભાવનાથી જિલ્લાના તંત્રે તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગવા અને અનોખા દ્રષ્‍ટિકોણથી પ્રજાલક્ષી અને વિકાસલક્ષી વિશિષ્‍ટ પ્રકારના આયોજનો વિચારીને અમલ મૂકવા ના થયેલા સૂચનનો ઉલ્લેખ કરીને શ્રી વ્યાસાએ વહીવટીતંત્રના વિવિધ વિભાગવાર હાલમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જિલ્લા કલેકટરશ્રી ગીરીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી અને ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચિરાગ ચાવડા, જિલ્લા પોલીસ વડાશ્રી દિપન ભદ્રન, પ્રાન્ત અધિકારીશ્રીઓ શ્રી દિપક શુકલા અને પંકજ ઔંધિયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી વરસાણી, પુરવઠા અધિકારીશ્રી શાહ, નાયબ કલેકટરશ્રી નાયક તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં આ પ્રેરણાદાયી પહેલ થઇ હતી.
આ અંગે પ્રત્યેક વિભાગ દ્વારા વિચારણા બાદ થનારા સૂચનો સંકલિત કરીને જિલ્લાના વિકાસ અને લોક-સુખાકારી ની દિશામાં નવતર અને ઉત્સાહવર્ધક અભિગમ સાથે કામ કરવા માટે તબકકાવાર આયોજન પણ નકકી થયું હતું,


ભારતીય નૌકાદળમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક
ભારતીય નૌકાદળ દ્વારા અપરણીત યુવાનો માટે વિવિધ જગ્‍યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે. સ્‍ટીવાર્ડસની જગ્‍યા માટે એસ.એસ.સી. પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, કુક્સની જગ્‍યા માટે એસ.એસ.સી પાસ અને તા.૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા, ટોપાઝની જગ્‍યા માટે ધો. ૬ પાસ અને તા. ૦૧-૧૦-૨૦૧૨ ના રોજ ૧૭ થી ૨૧ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ જાહેરાતના અરજી ફોર્મ ભારતીય નૌસેનાની વેબસાઇટ www.nausena-bharti.nic.in ઉપરથી મળી શકશે તથા વધુ માહિતી પણ આ વેબસાઇટ ઉપરથી મળી શકશે અરજી કરવાની છેલ્‍લી તા. ૬-૧-૨૦૧૨ છે. જેની નોંધ લેવા રોજગાર અધિકારી (જનરલ) પોરબંદર દ્વારા જણાવાયું છે.


પોલિસને જાણ કર્યા પછી જ મકાન ભાડે દેવું...
ભુજ,
 ત્રાસવાદી કે અસામાજિક તત્‍વો કચ્‍છ જિલ્‍લાના વિસ્‍તારમાં ગુપ્‍ત આશરો મેળવીને જાહેર સલામતિ અને શાંતિ ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુંવારી કે લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે તે સામે જાહેર સુલેહશાંતિ જાળવવાના હેતુથી મકાન માલિકો ઉપર નિયંત્રણો જાહેર કરાયા છે.
જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ. થેન્‍નારસને તા. ૨૫/૧૨/૧૧ થી તા.૨૨/૨/૨૦૧૨ બંને દિવસો સહિત ૬૦ દિવસ માટે અમલમાં આવનાર એક જાહેરનામા દ્વારા જણાવ્‍યું છે કે, કચ્‍છ જિલ્‍લાની હદમાં આવેલ તમામ ગ્રામ્‍ય તથા શહેરી  વિસ્‍તારમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં.
ભાડે આપેલ મકાનની વિગતમાં ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે અંગેની માહિતીમાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, વિસ્‍તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્‍યકિતનું નામ, સરનામું, સંપર્ક નંબર, માસિક ભાડુ, જે વ્‍યકતિને ભાડે આપેલ હોય તેના પાકા નામ-સરનામા, સંપર્ક નંબર અને મકાન માલિક તથા ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યકિતનું નામ, સંપર્ક નંબર સહિત જાહેરનામામાં સૂચિત નિયત કરાયેલી તમામ વિગતો જે-તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશન ખાતે આપવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કરતા નાણાંમંત્રીશ્રી વાળા
રાજકોટ
 રાજયના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગના નવનિયુકત અધ્‍યક્ષશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇનું સન્‍માન કર્યું હતું.
હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજાયેલા સુરૂચિપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રી વાળાએ ગાંધીવાદી મૂલ્‍યોના પ્રણેતા એવા સહકારી ક્ષેત્રના મૂલ્‍યનિષ્‍ઠ અગ્રણીશ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇને મોમેન્‍ટો અર્પણ કરતાં જણાવ્‍યું હતુ કે, શ્રી દેવેન્‍દ્રભાઇ દેસાઇએ રચનાત્‍મક પ્રવૃત્તિમાં જ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. ખાદી ગ્રામોદ્યોગના સવા કરોડ કર્મચારીઓના શ્રેયની જવાબદારી સુપેરે વહન કરવાની શ્રી દેવેન્‍દ્રભાઇને પરમ કૃપાળુ પરમાત્‍મા શકિત આપે, એવી શુભેચ્‍છા પણ તેમણે આ પ્રસંગે વ્‍યકત કરી હતી.
કેન્‍દ્રીય સરકારી આયોગ એવા ખાદી ગ્રામોદ્યોગના પંદરમાં અધ્‍યક્ષ તરીકે તાજેતરમાં જ કાર્યભાર સંભાળનાર ૭૭ વર્ષીય શ્રી દેવેન્‍દ્રભાઇ મેસાઇએ આ પ્રસંગે તેમજો પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતુ કે, ખાદી ગ્રામોદ્યોગના અધ્‍યક્ષ તરીકે તેમને દરિદ્રનારાયણની સેવા કરવાની તક મળી છે, ત્‍યારે તેઓ તેમનાથી શકય એવા તમામ પ્રયત્‍નો કરી છૂટશે. હવે ‘‘અમુલ’’માં પરિવર્તન થયેલ રાજકોટ સહકારી ડેરી-‘‘ગોપાલ’’ની સ્‍થાપના સમયના તથા રાનષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી સાથેના સંસ્‍મરણો પણ તેમણે આ તકે વાગોળ્યા હતા અને તેમનું સન્‍માન કરવા બદલ સરગમ કલબના અધ્‍યક્ષશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.
આ સન્‍માન સમારંભમાં બાન લેબ્‍સના મેનેજીંગ ડીરેકટરશ્રી મૌલેશભાઇ ઉકાણી, સિટિઝન બેંકના મેનેજીગ ડીરેકટરશ્રી અશ્વિનભાઇ મહેતા, બાલભવનના અધ્‍યક્ષશ્રી મનસુખભાઇ જોષી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આભારદર્શન શ્રી સંજયભાઇ કામદારે કર્યુ હતું.

શુક્રવાર, 23 ડિસેમ્બર, 2011

સદભાવના મિશન-જૂનાગઢ સદભાવના મિશનમાં લાખો લોકોની લાગણીના પુરમાં ગુજરાતના વિકાસ, એકતા અને શાંતિની અભિવ્‍યકિત છે. નરેન્‍દ્રભાઇ મોદી



સદભાવના મિશનના એક દિવસના ઉપવાસ જૂનાગઢમાં સંપન્‍ન કરતા નરેન્દ્રભાઇ મોદીને સમર્થન આપવા હજારો નાગરિકોનો અવિરત પ્રવાહ
સોરઠની સંત શુરાની ધરતી ઉપર સદભાવના મિશનમાં જનશકિતનો સાક્ષત્‍કાર
૮૦૦૦ નાગરિકોએ સ્‍વૈચ્‍છીક અનશન કર્યા
જૂનાગઢ જિલ્‍લા માટે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત રૂ. ૧૦૫૫ કરોડના વિકાસ કામોની જાહેરાત 
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં ઉમટી રહેલા લાખો લોકોના મહેરામણના લાગણીના પુરની અભિવ્‍યકિતને ગુજરાતના વિકાસમાં જનતાની તાકાતની અભિવ્‍યકત ગણાવી હતી.
તેમણે જૂનાગઢમાં જણાવ્યું કે, જેમણે ગુજરાતને બદનામ કરવા ડિકશનેરીનો  એક પણ શબ્‍દ છોડયો નથી અને બધીજ સંસ્‍થાઓને કામે લગાડી દીધી છે. છતાં જનતાનું સમર્થન દશ-દશ વર્ષથી આ સરકારને મળી રહયું છે. તેનું કારણ ગુજરાતનો ધમધમતો વિકાસ છે. અને એની પાછળનું સત્‍ય છે, છ કરોડ ગુજરાતીઓની એકતા, શાંતિ અને ભાઇચારો.
ગુજરાતમાં સદભાવના મિશનમાં જનજનને જોડવાના સંકલ્‍પ સાથે ૩૩ ઉપવાસનું  જિલ્‍લા અભિયાન કરી રહેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢમાં એક દિવસના અનશનનું તપ કરતા, આખો દિવસ હજારો નાગરિકો શુભકામના અને સમર્થન આપવા ઉમટયા હતા. ૮૦૦૦ હજાર નાગરિકોએ પણ સ્‍વૈચ્‍છાએ ઉપવાસ કર્યા હતા.
સોરઠની સંત અને શુરાની ધરતી ઉપર સદભાવનાની જનશકિતનો સાક્ષાત્‍કાર કરાવતી આ ઘટનાના ઐતિહાસિક સંકેતને સમજવા તેમણે રાજકીય વિશ્લેષકોને અને જાહેર જીવનના હિતચિંતકોને અનુરોધ કર્યો હતો.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉપવાસની પરિભાષા સદભાવના મિશનથી નવી સર્જાઇ છે. મારા ઉપવાસનું વિશ્લેષણ સદભાવનાથી થશે તો, તેના અનેક સંકેત જાણવા મળશે.
“કોંગ્રેસે એમનું નકારાત્‍મકતાનું પોત પ્રકાશ્યું છે. અમે સંસ્‍કારોને ઉજાળ્યા છે.  સમાંતર કાર્યક્રમ કરીને કોગ્રેસે સળગતું લાકડું પકડયું છે  પણ તેમની બાંધી મુઠી ખુલી ગઇ છે.  ગયા દશકથી મેળ નથી પડતો અને હવે આવતા ૨૫ વર્ષ પણ પડવાનો નથી. લાગણીનો ધોધ, મહેરામણની ઉપસ્‍થિતિ આ સદભાવના મિશનમાં કેમ છે. તેનું રહસ્‍ય તેમણે પ્રગટ કર્યું હતું. દશ દશ વર્ષ સુધી ગુજરાતને બદનામ કરવા અને જુઠાણા  ફેલાવવા, ડિકશનેરીનો એકય શબ્‍દ બાકી નથી રાખ્યો છતાં જનતાનું સમર્થન સરકારને કેમ છે?  ગુજરાત વિરોધીઓ સામે ગુજરાતની જનતાનો આક્રોશ સદભાવના મીશનના અનશનમાં વ્‍યકત  થયો છે. જે ગુજરાતને તમે બદનામ કરી રહયા છો,  તે ગુજરાત તો વિકાસનો વાવટો ફરકાવી રહયો છે. આ લાગણીના પુરની અભિવ્‍યકિત એતો ગુજરાતની આવતી કાલની ચિન્‍તા અને વિકાસ માટેની અભિવ્‍યક્તિ છે.  એમ તેમણે જણાવ્‍યું હતું.
તેમણે  જણાવ્‍યું કે  ભુતકાળમાં ગુજરાતને જાતિવાદના ઝેર અને જ્ઞાતિવાદના વેરથી એકતા થવાની દીધીજ નહીં. ગામમાં એકતા થવાની વાત આવેતો  એકડ ચોગડ ચૌદશ ઉભો કરીજ દેવાય એવી સ્‍થિતી સર્જી દીધી હતી. ગુજરાતને આ ચૌદશિયાથી દુર રાખીને એકતાના મંત્રથી  વિકાસની યાત્રા આગળ ધપાવી છે. તેની જનતા જનાર્દનને તેમણે ભુમિકા  આપી હતી.
તેઓ લડાવતા હતા કારણ તેમને ખુરશી સલામત રાખવી હતી. વોટ બેન્‍ક ખાતર પ્રજાને રહેંસી નાખીને ભાગલા પાડોની અને રાજ કરવાની વિકૃતિ સર્જી દિધી હતી. જનતા અંદરો અંદર લડતી રહે કોમી હુલ્‍લ્‍ડ અને  રમખાણો થતાં રહે ‘‘વર મરો કન્યા મરો ખુરશીની વોટબેન્‍ક ભરો‘‘ એવી રાજકારણની અશાંતિમાંથી ગુજરાતે મૂકિત મેળવી લીધી છે. છ કરોડ ગુજરાતીઓની આ તાકાત આ શકિતમાં કેટલું સામર્થ્ય છે. એની પ્રતિતિ કરાવવા સદભાવના મિશન લઇને  જનતા વચ્‍ચે આવ્‍યો છું. એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું.
ગુજરાત મોડેલ એટલે  માત્ર જયોર્તિગ્રામ, કન્‍યા કેળવણી, કૃષિ મહોત્‍સવ, ઔદ્યોગિક વિકાસમાં  સિમીત નથી  ગુજરાતના  વિકાસનું મોડેલ તો એની એકતાની તાકાત છે. ગુજરાત પોતાની શકિતને ઓળખે અને હિન્‍દુસ્‍તાનના જે રાજયોને વિકાસના માર્ગે જવું છે તે આ એકતાની શકિત ઓળખે અને એકતા શાંતિની બુનિયાદ ઉપર ઉભેલા વિકાસના મોડેલને અનુસરે એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
ગુજરાતનો વિકાસ નંબર એક ઉપર છે એ અમે નથી કહેતાં રાજીવ ગાંધી ફાઉન્‍ડેન્‍શન પ્‍લાનિંગ કમિશનનું  એગ્રીકલ્‍ચર માટેનું વર્કિંગ ગૃપ કેન્‍દ્રના પ્રવાસન મંત્રીએ ગુજરાતને શ્રેષ્‍ઠ પ્રવાસન રાજયનો આપેલો એવોર્ડ એ બધું જ સત્‍ય છે પણ આ સત્‍યને પચાવી શકવાની ગુજરાત વિરોધીઓમાં તાકાત જ નથી ગુજરાતનો વિકાસ થયો છે આર્થિક પ્રવૃતિ ધમધમે છે                                                            
તેનાથી બેંન્‍કોનો ગુજરાતમાં તેજ ગતીથી કારોબાર ચાલે છે. તેવી હકિકત સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડીયાના કુલ ૭૪ ઝોનમાંથી સર્વ શ્રેષ્‍ઠ  જાહેર થયેલાં છ ઝોનમાં એકલાં ગુજરાતના જ ચાર ઝોન છે. આખા દેશમાં ઇન્‍કમટેક્ષની આવકની વૃધ્‍ધિનો દર ગુજરાતનો સૌથી ઉંચો છે એ બતાવે છે કે, ગુજરાત વિકાસની કેટલી મોટી છલાંગ મારી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું.
પ્રવાસન વિકાસ માટેના આ સરકારના વિકાસ વ્‍યુહના પરિણામે કચ્‍છ અને જૂનાગઢ વિશ્‍વના પ્રવાસન નકશામાં નવા આકર્ષણ બન્‍યા છે. ગીરના સિંહો જેાવા આવનારની સંખ્‍યા અમિતાભ બચ્‍ચનના અભિયાનથી એકજ વર્ષમાં ૧૩૦ ટકા વધારો સુચવે છે. ગીરના સિંહો વિશ્‍વ પ્રવાસીઓનું અનેરું આકર્ષણ બની ગયા છે. સોમનાથ મંદિરની આવકમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. જૂનાગઢ જિલ્‍લાના વિકાસની તાકાત જ આ પ્રવાસનમાં છે ગરીબમાં ગરીબને રોજગારી મળે એવી તાકાત આ પ્રવાસનમાં છે અને એને  એ ઉંચાઇ ઉપર સોરઠના વિકાસ પેકેજ દ્વારા લઇ જઇ રહ્યા છીએ. આ પ્રતિબધ્‍ધતા સાથે જૂનાગઢનો પ્રવાસન  વિકાસ ધમધમતો થવાનો છે.
તેમણે રૂ. ૬૦૦ કરોડના સોરઠ વિકાસ પેકેજ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્‍લાના વિકાસ કામો માટે રૂ. ૧૦૫૫ કરોડના પ્રોજેકટની જાહેરાત કરી હતી. જેમણે વિરોધ પક્ષની જવાબદાર ભૂમિકા પણ નિભાવવાની દરકાર નથી કરી તેને ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠે આખું નવું આધુનિક ગુજરાત ઉભું થઇ રહ્યું છે, તેની તાકાત નહી જ સમજાય એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું.
જૂનાગઢ સહિત ડેરીને સજીવન કરીને કૃષિ અને દૂધ ઉત્‍પાદન દ્વારા કિસાનની આવક વધતી રહે ગીરની ગાયની સારી ઓલાદનું સવર્ધન થાય એ માટે આ સરકારે કમ્મર કસી છે. આ કામ કેમ એ લોકોને સુજયા નહીં જેઓ આજે ગુજરાતના વિકાસની ટીકા કરે છે. એવી મૌખિક આલોચના તેમણે કરી હતી.
અઢી લાખ જેટલાં સખીમંડળોની બહેનો મારફતે મિશન મંગલમ દ્વારા રૂા ૧૪૦૦ કરોડનો કારોબાર ચાલે છે. અને ગરીબ પરિવારની નારી શકિતના હાથમાં રૂા ૫૦૦૦ હજાર કરોડનો કારોબાર થવાનો છે. જે ગ્રામ અર્થતંત્રની તાકાત બનશે. ગુજરાત વિરોધીઓના અપ્‍પ્રચારના કારણે ગુજરાતે શું વિકાસનો માર્ગ છોડી દેવો ? છ કરોડ ગુજરાતીઓના આર્શિવાદ અને તપસ્‍યા એળે નહીં જવા દેવાય પુરી તાકાતથી સપના પુરા કરીશું એવો દ્રઢ વિશ્‍વાસ તેમણે જનતા જનાર્દનને ઉપવાસને સમર્થ આપવા માટે ભાવાવશ બનીને આભાર માન્‍યો હતો.
ગામ, જિલ્‍લો, રાજય બધે જ સદભાવનાનો મંત્ર લઇને વિકાસમાં એકતાથી આગળ વધીએ એવી અપીલ તેમણે કરી હતી.
એ.શેખ.
જુનાગઢ જિલ્લાના વિકાસ માટે ૧૦૫૫ કરોડ રૂપિયા ફાળવાશે
મુખ્યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સોરઠ ખાતે આજે યોજાયેલા સદભાવના મીશનના જિલ્લા અભિયાનમાં ઉદ્દબોધન કરતાં જણાવ્‍યું હતુ કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. જેનો સૌથી વધુ લાભ જુનાગઢ અને કચ્છ જિલ્લાને થયો છે. જુનાગઢ જિલ્લામાં આવનારા દિવસોમાં સર્વાંગી વિકાસ થાય અને સમગ્ર જિલ્લામાં પાણી, રસ્‍તા, નાળા – પુલ, શાળાના ઓરડાઓ, વીજળી અને આરોગ્‍ય સેવા સહિતની માળખાકિય સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૦૫૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં જુનાગઢ જિલ્લો પ્રવાસનની સાથે વિકાસ ક્ષેત્રે પણ નવી ઉંચાઈને આંબશે. આ માતબર રકમમાંથી દરિયાકાંઠાના વિકાસનું પણ આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, જુનાગઢ, સાસણ અને સોમનાથ વિસ્‍તારમાં સરકારશ્રીએ માળખાગત સુવિધાઓ વધારતાં પ્રવાસીઓ -  યાત્રિકો વધ્યા છે. સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ૧૩૦ ટકાનો વધારો થયો છે. જિલ્લામાં પ્રવાસન વિસ્‍તરતા હોટલ, રેસ્‍ટોરન્ટ, રિસોર્ટ પણ વધ્યા છે. સોમનાથ મંદિરના દર્શને આવતાં યાત્રિકો વધતા મંદિરની આવકમાં પણ ૪૦૦ ટકા જેટલો વધારો થયો છે, આમ જુનાગઢ જિલ્લો આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે ધમધમતો થવાનો છે.
સદભાવના મિશન-જૂનાગઢ
જૂનાગઢ જાફર મેદાન ખાતેના હેલીપેડ પર મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના મિશનના જિલ્લા અભિયાન અંતર્ગત આજના જૂનાગઢ મહાનગરના સદભાવના મિશન કાર્યક્રમ અન્વયે જાફર મેદાન ખાતે હેલીપેડ પર મુખ્યમંત્રીશ્રીનું  ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું
હેલીપેડ પર રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, શ્રી કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દીવીબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માધાભાઇ બોરીચા, જિતુભાઇ હિરપરા જિલ્લા પ્રભારી સચિવશ્રી વિપુલ મિત્રા, કલેકટરશ્રી એ.એમ.પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી  દિલીપ રાણા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી વિપ્રા ભાલ, કૃષિ યુનિ. વાઇસ ચાન્સેલરશ્રી એન.સી.પટેલ ,પોલીસ અધિક્ષકશ્રી દિપાંકર ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહી સ્વાગત વિધિમાં જોડાયા હતાં.
સદભાવના મિશન-જૂનાગઢ
માહિતી વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રએ ઉભા કરેલ પ્રદર્શનને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ રસપૂર્વક નિહાળ્યું
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ કુષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સદભાવના મિશન અંતર્ગત માહિતી વિભાગ દ્વારા ઉભા કરાયેલા ‘‘સૌનો સાથ સૌનો વિકાસ‘‘ પ્રદર્શન અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલ વિવિધ સ્ટોલોનું પ્રદર્શન નિરીક્ષણ કરવા પધારેલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું
રાજયકક્ષાના પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રી પધાર્યા ત્યારે સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ. પરમાર અને નાયબ માહિતી નિયામક જૂનાગઢ શ્રી કે.વી. ભગોરાએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યુ હતું
મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ માહિતી ખાતા દ્વારા ઉભા કરાયેલ પ્રદર્શનને નિહાળી ખીરસરા સખી મંડળ, જ્ઞાનશકિત પ્રદર્શન, બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય અને ડો. પ્રદ્યુમન ખાચરના ઐતિહાસિક નગરી જૂનાગઢ તસ્વીર પ્રદર્શનનું રસપૂર્વક નિરીક્ષણ કરી સંચાલકો પાસેથી  સવિસ્તાર માહિતી મેળવી હતી.
વન વિભાગ, વાસ્મો, બાગાયત, કુષિ, પશુપાલન, કૃષિ અને ટેકનોલોજી કોલેજ, સર્વશિક્ષા અભિયાન,અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય અને મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ, ફાયર અને ઇમરજન્સી તેમજ હેરીટેઇઝ ઐતિહાસિક સ્મારક ચિત્ર પ્રદર્શન સ્ટોલની પણ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીશ્રી વાસણભાઇ આહિર, કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, નાયબ કમિશ્નરશ્રી સહિત ઉચ્ચઅધિકારીઓ-પદાધિકારીઓ રસપુર્વક પ્રદર્શન નિહાળવા જોડાયા હતા.
સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવનાની વિભાવનાને કારણે વિકાસ થયો છે.
- રામ મનિષા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ નરસિંહ મહેતાની ભૂમિમાં સદભાવના મિશન દ્રારા સમાજમાં શાંતિ અને ભાઇચારાની જયોત જલાવવા આવેલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નુર છે.
ગુજરાતે મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં સાધેલ વિકાસની સુવાસ આજે ચોમેર ફેલાયેલ છે.  જેના પાયામાં સદભાવનાની વિભાવના જ હોઇ શકે નહિ તો આવો વિકાસ થાય જ નહિ. એમ દેવલપુરની એમ.બી.એ.ની વિદ્યાર્થીની રામ મનિષાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં મહિલાઓ વિકાસમાં સહભાગી બની છે.
પૂર્વમેયર જયોતિબેન વાછાણી
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ પુર્વ મેયર-(જૂનાગઢ જયોતિબેન વાછાણીએ જણાવ્યું કે, સામાજીક કાર્યકર તરીકે મારા વિસ્તારમાં સદભાવના કાર્યક્રમ માટે પ્રજાજનોને મળતી હતી ત્યારે નાના મોટા સૌએ ઉપવાસ કરવાની તત્પરતા દાખવી હતી અને આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સદભાવનાની વિભાવનાને ચરિતાર્થ કરવા સૌં ઉમળકાભેર ભાગીદાર પણ થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અને ચિરંજવી યોજનાને કારણે મહિલાઓ ગુજરાતના સર્વાંગી વિકાસમાં સક્રિયપણે ભાગ લેતી થઇ છે.  
ગુજરાતનો વિકાસ ચોમેર ચર્ચામાં છે.
મનુભાઇ ચાવડા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સદભાવના મિશનથી ગુજરાતની ૬ કરોડની જનતામાં શાંતિ ભાઇચારો અને કોમી એકતાની સુવાસ ફેલાઇ છે.  જેનાથી આગામી સમયમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે એમાં કોઇ શક નથી. છેલ્લા દાયકામાં ગુજરાતે કરેલ વિકાસ આજે ચોમેર ચર્ચામાં છે  ત્યારે સદભાવના મિશન વિકાસની ગતિને ઝડપી બનાવશે એમ મનુભાઇ ચાવડા, ઉપાધ્યક્ષ ઠાકોર, કોળી સમાજ વિકાસ બોર્ડ-ગાંધીનગરએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું.
સમરસ ગામોથી કોમી એકતાને બળ મળ્યું છે.
ઉપસરપંચશ્રી નથુભાઇ
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જિલ્લાકક્ષાએ યોજાતા સદભાવના કાર્યક્રમથી સમાજમાં જાગૃતિ આવશે.  સરકારની સમરસ ગ્રામ યોજનાથી ગામે ગામ કોમી એકતાથી સદભાવના ઉજાગર થઇ છે તેમજ આવા કાર્યક્રમથી કોમી સંવાદિતાનું સર્જન થશે.  એમ નથુભાઇ કરશનભાઇ (ઉપ સરપંચ- ચીખલોદ્રા) એ પ્રતિભાવમાં જણાવ્યું હતું.
સદભાવના મિશન-જૂનાગઢ
સદભાવના અનશનની સાથે સાથે
મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે રાધા દામોદર કુંડના સામવેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.
ભવનાથ તળેટીના સ્થાનિક તમામ લોકો સ્વૈચ્છિક બંધ પાળીને સદભાવના મિશનમાં જોડાયા હતાં.
જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ૧૦ ફુટના ફુલહારથી સ્વાગત કરાયું હતું.
મહા મંડલેશ્વર પૂ. ભારતીબાપુ અને વિવિધ સંતોમહંતોએ મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી અભિવાદન કર્યું હતું.
સદભાવના કાર્યકમમાં ‘વંદે માતરમ ‘ના નારાઓથી સભામંચ ગાજી ઉઠયો હતો.
મુખ્યમંત્રીશ્રીનું દલિત સમાજની ૧૦૧ બાળાઓએ માથે કળશ-શ્રીફળ ધારણ કરીને અભિવાદન કર્યુ હતું.
જૂનાગઢના સીનીયર સીટીઝનોએ પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું અને મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવ્યો હતો. જેમાં જુદા જુદા રમતવીરો પણ હતા.
રાષ્ટ્રીય, રાજય એવોર્ડ વિજેતા શિક્ષકો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો અને લઘુમતિ સમાજના સંતોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને સદભાવના માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આહિર મહિલા મંડળની બહેનો દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શીખ અને સીંધી સમાજના ભાઇઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
જૂનાગઢના પટેલ,નાગર સહિતના વિવિધ સમાજના લોકોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સગર સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી ફંડમાં રૂ.૨૫,૦૦૦ અર્પણ કરાયા હતાં.
કાઠી,લોહાણા, સિંધી, શીખ, આચાર્યો, શિક્ષકો તથા ક્ષત્રિય, દલિત સમાજ-કેશોદ રામાનંદી સમાજ માળીયા હાટિના ક્ષત્રિય સમાજ, રઘુવંશી મહિલા મંડળે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
ક્ષત્રિય, કાઠી સમાજે સુર્ય નારાયણ ભગવાનની સિલ્વર કલરની પ્રતિકૃતિ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.
ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાએ મુખ્યમંત્રીશ્રીને ચાંદીનું નાળિયેર અને ચાંદીનું નાગરવેલ પાન અર્પણ  કર્યું હતું.
ઉમિયા સખીમંડળ, સીદી સમાજના અગ્રણીઓ ક્ષત્રીય સમાજ તથા બહેનોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.
જુનાગઢના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, કડવા પટેલ જ્ઞાતિ સમાજે મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.
૧૦૦ વર્ષના બ્રહ્મસમાજના જોશી પરિવારના વયોવૃધ્ધ માજીએ મુખ્યમંત્રીશ્રીને આર્શિવચન પાઠવ્યા અને તેમને દુઃખણા લઇ વધાવ્યા હતા.
જૈન સંપ્રદાયની મહાસતીજીઓ તથા અન્ય સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીને આશિર્વાદ આપ્યાં હતાં.
મેર સમાજના રાસે ઉપસ્થિત જનસુમદાયમાં ભારે આકર્ષણ ઉભુ કર્યું હતું.
૧૧૫ વર્ષના દેવીપૂજક સમાજના વૃધ્ધા ગંગામાંએ સદભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓ મેંદરડા તાલુકાના દેવગઢ ગામના વતની છે. અને આ ઉમરે પણ બકરા ચારી શકે છે.
મુસ્લિમ સમાજના આગેવાનો ધર્મગુરૂ, યુવાનોએ શાલ તથા મેમેન્ટો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
કોળી સમાજ, ત્રિમૂર્તિ હોસ્પીટલ તબીબી સ્ટાફ અને કારડીયા રાજપૂત સમાજે મુખ્યમંત્રીશ્રીને સાફો પહેરાવીને તલવાર અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.
ખેલ મહાકુંભ અને વિવિધ રમતોના વિજેતા રમતવીરોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
સદભાવના મિશનથી સમાજ એકતા તણે બંધાયો છે.
ભાવીની કોટેચા
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સભદભાવના મિશન જનશકિતને પૂરકબળ આપનાર કાર્યક્રમ સાબિત થયો છે.  સાથો સાથ કોમી એકતા અને ભાઇચારાની લાગણીથી સમાજનો દરેક વર્ગ એકતાતંણે બંધાયો છે.  જે ગુજરાતના વિકાસમાં સહાયક પૂરવાર થઇ રહેવાનું જણાય છે.  મુખ્યમંત્રીશ્રીના સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા અમો આ સદભાવના કાર્યક્રમમાં જોડાયા છીએ એમ સતવાવ (ઊના) ના રહેવાસી ભાવીની કોટેચાએ જણાવ્યું હતું.
સદભાવનાની સુવાસ જન જન સુધી પહોંચે છે.
સરોજબેન સભાડ
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ કુકરાસ ગામના સરોજબેને જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના કાર્યક્રમથી સારી ભાવના, લાગણીની સુવાસ જનજન સુધી પહોંચે છે.  બીજા પ્રત્યે સારી ભાવના પ્રસારાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે અને સદભાવના મિશને ભાઇચારાનું ઉતમ  ઉદાહરણ પુરુ પાડયું છે.
દરેક જિલ્લા મથકે સદભાવના કાર્યક્રમમાં યોજાતા પ્રદર્શનો થકી વિવિધ યોજનાની જાણકારી પણ આમ જનતાને મળી રહે છે.
ગુજરાતમાં વિકાસ માનવતાના ઉત્કર્ષને અર્પણ કરાયો છે.
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ છેલ્લા દશ વર્ષમાં ગુજરાતના તમામ ક્ષેત્રે થયેલ વિકાસ માનવતાના ઉત્કર્ષને અર્પણ કરાયો છે,  તેમ જણાવી જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ કહયું કે, ગુજરાતીઓમાં પડેલી શકિતઓને જગાડવાના યોગ્ય વાતાવરણનું સર્જન થયું છે.
સદભાવનાની શકિત આજે ગુજરાતના ગામડે ગામડે છલકતી થઇ છે.  પશુપાલન, કૃષિના વિકાસ સાથે ડેરી ઉદ્યોગોએ ગામડાને ધબકતા કર્યા છે.  જે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધ દ્રષ્ટ્રીનું પરિણામ છે.
દશ વર્ષ પહેલા ગુજરાતના કોઇને કોઇ શહેરમાં અજંપો અશાંતિ રહેતા તે સીનારિયો હવે બિલકુલ બદલાઇ ગયો છે અને સંપૂર્ણ શાંતિ ગુજરાતમાં સ્થપાઇ છે.  આ સદભાવના શકિત છે, તાકાત છે અને આ બધુ શકય બનું છે  ગુજરાત સરકારની રાજકીય ઇચ્છા શકિતથી તેમ પણ શ્રી સંઘાણીએ જણાવ્યું હતું.
પડતર જમીનને નવસાધ્ય કરવાની વાત હોય, કૃષિ સંશોધને લેબ ટુ લેન્ડ સુધી લાવવાનું હોય.  કૃષિ તજજ્ઞોને ખેડૂતો સુધી પહોંચાડવાનું આયોજન હોય, એક એક પગલા ગામડા અને ખેડૂતોના વિકાસ માટે વર્તમાન સરકારે લીધા છે,  તેમશ્રી પણ સંઘાણી જણાવ્યું હતું.
રાજય સરકારે પછાત વર્ગના લોકો માટે વિવિધ વસાહતોના નિર્માણ દ્રારા તેમના પુનઃસ્થાપનનું કામ કર્યું છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહિર
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ સામાજીક અને શિક્ષણીક રીતે પછાત વર્ગ કલ્યાણ રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપમાં કચ્છમાં ઉભી થયેલ વિકટ પરિસ્થિતિમાંથી કચ્છના લોકોને બહાર લાવીને મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રત્યેની સદભાવનાની સાથે કચ્છના વિકાસ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા જેના કારણે એક દશકામાં સમગ્ર ગુજરાતની સાથે કચ્છનો અવિરત વિકાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાજીક શૈક્ષિણક રીતે પછાત વર્ગના લોકોને આવાસ મળી રહે તે માટે છેલ્લા ૭ વર્ષોમાં ૯.૭૭ કરોડની સહાય પુરી પાડવામાં આવી છે.  સાથો સાથ રાજયમાં જુદા જુદા સ્થળોએ પછાત વર્ગના લોકો માટે વસાહતના નિર્માણ દ્રારા તેમના પુનઃસ્થાપનનું કાર્ય પણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયના શહેરોને બાજપાઇ નગર વિકાસ યોજના તથા શહેરી વિકાસ યોજના જેવી અનેક વિકાસ યોજનાઓ દ્રારા વિકાસશીલ શહેરો બનાવ્યાં છે.  સાથો સાથ દેશ અને દુનિયાને સદભાવના મિશન થકી નવી દિશા આપી છે.
પ્રદર્શનોથી વિકાસની વિગતો જાણવા મળે છે. .
ર્ડા.પ્રદ્યુમન ખાચર
જૂનાગઢઃતા.૨૨/૧૨/૨૦૧૧ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લાકક્ષાએ  સદભાવના કાર્યક્રમ રાખવાનું સ્તુત્ત પ્રયાસ કર્યો છે.  જેનાથી હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ સહિત વિવિધ ધર્મો અને કોમના નાગરિકો વચ્ચે ભાઇચારો વધશે.  સદભાવના મિશનથી જિલ્લાકક્ષાએ યોજાતા પ્રદર્શનોમાં જિલ્લાની સંસ્કૃતિ અને વિરાસતને માણવાનો અવસર પ્રજાજનો પણ મળતો થયાનો મારો મત છે.  એમ જાણીતા ઇતિહાસ લેખક ર્ડા.પ્રદ્યુમન ખાચર પોતાના પ્રત્તીભાવમાં જણાવ્યું હતું.
નેશનલ કમીશન ફોર શેડયુઅલ કાસ્‍ટ, નવી દિલ્‍હીના સભ્‍યશ્રી જામનગરની મુલાકાતે
જામનગર, તા. ર૨ –નેશનલ કમીશન ફોર શેડયુઅલ કાસ્‍ટ, નવી દિલ્‍હીના સભ્‍યશ્રી તથા રાજયસભાના સદસ્‍યશ્રી રાજુભાઇ પરમાર તા.૨૩ અને ૨૪ ડિસેમ્‍બરના રોજ જામનગર જિલ્‍લાની મુલાકાતે આવશે.
તેઓ તા.૨૩ના સવારે ૧૧.૩૦ વાગ્‍યે બેંક ઓફ બરોડાના શેડયુલ કાસ્‍ટ એમ્‍પ્‍લોયઝ વેલફર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તથા બેંકના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજી શેડયુઅલ કાસ્‍ટના વિવિધ પ્રશ્‍નોની ચર્ચા વિચારણા કરશે. તેમજ બપોરે ૨.૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે ધારાસભ્‍યો, પૂર્વ ધારાસભ્‍યો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધિઓ, સ્‍થાનિક શેડયુલ કાસ્‍ટના નેતાઓ, જિલ્‍લા કલેકટર તેમજ જિલ્‍લાના પોલીસ વડાને પણ મળશે.  તા.૨૪ નાર રોજ સવારે ૧૦.૩૦ વાગ્‍યે તથા બેંક ઓફ ઇન્‍ડિયાના શેડયુલ કાસ્‍ટ એમ્‍પ્‍લોયઝ વેલફર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તથા બેંકના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ ૨.૩૦ કલાકે મહાનગરપાલિકાનામાં અધિકારીઓ તથા અનુ.જાતિના આગેવાનોને મળશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
જિલ્‍લા રોગ અટકાયત અને જિલ્‍લા સર્વેલન્‍સની કામગીરી અંગેની બેઠક તા.૫ જાન્‍યુઆરીના
સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્‍લા રોગ અટકાયત અને જિલ્‍લા સર્વેલન્‍સની કામગરીની બેઠક તા.૫/૧/૧૨ ના રોજ સાંજે ૪ વાગ્‍યે જિલ્‍લા પંચાયત ખાતે યોજાશે. તેમ સભ્‍ય સચિવશ્રી, રોગચાળા અટકાયતથા માટેની સમિતિ અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
વિકલાંગ પારિતોષિકોની સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ
વર્ષ – ૨૦૧૧ ના રાજય વિકલાંગ પારિતોષિકોની સ્‍પર્ધા માટે શારીરિક રીતે ક્ષતિ ધરાવતી શ્રેષ્‍ઠ વ્‍યકિતઓ/સ્‍વરોજગાર કરતી  વિકલાંગ વ્‍યકિતઓ, તેઓને કામે રાખતા શ્રેષ્‍ઠ નોકરી દાતા તથા વિકલાંગ વ્‍યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્‍લેસમેન્‍ટ ઓફીસર્સ પાસેથી નિયત નમૂનામાં અરજી પત્રકો રોજગાર કચેરીમાંથી વિનામૂલ્‍યે મેળવી શકાશે. આ અરજી પત્રકો તા.૨૮/૧૨/૧૧ સુધીમાં જરૂરી આધાર સાથે રોજગાર કચેરીને મોકલી આપવા મદદનીશ નિયામક(રોજગાર)શ્રીની યાદીમાં જણાવાયુ છે.
વાડીનાર આજુબાજુનો વિસ્‍તાર પ્રતિબંધિત જાહેર કરાયો
જામનગર જિલ્‍લાના જામખંભાડિયા તાલુકાના વાડીનાર ગામમાં ઉપરાંત એસ્‍સાર વાડીનાર રિફાઇનરી તથા મરીન ફેસીલીટીઝની આજુબાજુના વિસ્‍તારને રાજયના ગૃહ વિભાગે એક નોટીફિકેશન દ્વારા પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કર્યો છે. જેમાં જાખર ગામના સર્વે નં.૩૬૧ થી માંડી જામનગર, ખંભાળિયા હાઇવે સુધીનો, ચામુંડા હોટલેને લગત વિસ્‍તાર તથા એસ્‍સાર પાવર પ્‍લાન્‍ટથી માંડીને ભરાણા સુધીનો વિસ્‍તાર તથા લાલપુર તાલુકાના લગત વિસ્‍તારો ઉપરાંત ખંભાળિયા-દ્વારકાના હાઇવેના પણ લગત વિસ્‍તારનો સમાવેશ થાય છે.
આ વિસ્‍તારને સુરક્ષાના મુદે પ્રતિબંધિત કર્યો છે. જેમાંથી પોલીસ, આર્મી જેવા વિભાગોને છૂટછાટ મળવા પાત્ર છે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.
ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળની રચના કરાઇ
ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ વિભાગના જાહેરનામા અન્‍વયે વાડીના વિકાસ સતા મંડળમાંથી અમુક વિસ્‍તાર અલગ કરી ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળની રચના કરવામાં આવી છે. ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળમાં ખંભાળિયા, ધરમપુર, શકિતનગર, રામનગર, હર્ષદપુર, હરીપર, દાંતા તથા કંચનપુર ગામોનો સમાવેશ થાય છે. આથી જયા સુધી આ કચેરીનું સ્‍થળ નકકી ન થાય ત્‍યાં સુધી આ ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળમાં  લે આઉટ પ્‍લાનની અરજી પ્રાંત કચેરી, ખંભાળિયા ખાતે સ્‍વીકારવામાં આવશે. જેની લાગતા વળગતાએ નોંધ લેવા મુખ્‍ય કારોબારી અધિકારીશ્રી, ખંભાળિયા વિસ્‍તાર વિકાસ સતામંડળની યાદીમાં જણાવાયુ છે.
પારૂલ

જેતપુર નજીક મેટાડોર હડફેટે છકડો રીક્ષા ચાલકનું પત્ની સામેજ કરુણ મોત...


ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

THANAGALOL NO MAHESH MANSUKH VAGHASIYA GERKAYDESAR GES SILINDAR SAATHE PAKDAYO


જેતપુર તાલુકાના થાનાગલોલ ગામેથી રાંધણ ગેસના ૬ બાટલા સાથે પટેલ યુવાન પકડાયો..

જેતપુર તાલુકાના થાનાગલોલ ગામેથી રાંધણ ગેસના ૬ બાટલા સાથે પટેલ યુવાન પકડાયો..
(કશ્યપ જોશી) જેતપુર તા.૨૨
રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે જેતપુરના થાનાગલોલ ગામે રાંધણ ગેસ ના બાટલા નો કોમર્સિયલ ઉપયોગ કરતા સાંધી સિમેન્ટ ના એજન્ટ  મહેશ મનસુખ વઘાસીયા ને પકડી પાડ્યો હતો.
પોલીસ ની આ કામગીરીમાં એલ સી બી ના ફોજદાર જાની, બાપાલાલ ચુડાસમા, ધીરુભાઈ ડાંગર, રામભાઈ વિગેરે રોકાયા હતા. ફોજદાર જાની એ કહ્યું કે મહેશ પાસેથી રૂપિયા ૯૦૦૦ હજાર ના ૬ ગેસ સીલીન્ડર તથા રૂપિયા ૧૫ હજાર ની કિમતનું એક બાઈક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બુધવાર, 21 ડિસેમ્બર, 2011






Friend

Promote Your Page Too

JODAVA JEVU CHHE KAI KHOTU NATHI ..


રોકાણકારો માટે સુવર્ણ તક...

રોકાણકારો માટે સુવર્ણ તક... 
૬ વરસે ડબલ, દસ વરસે ૩ ગણા,  
૧૨ વરસે ૪ ગણા, અને ૧૫ વરસે ૭ 
ગણા થી વધુ નાણા ફિક્સ ડીપોઝીટ માં મેળવો. 
એજન્ટો પણ નીમવાના છે. સારું કમીશન મેળવવા 
આજેજ સંપર્ક કરો.ગુજરાત રાજ્ય ભરમાં ૫૦૦૦ એડવાઈઝર ની નિમણુંકો કરવાની છે. વિના મુલ્યે ભાઈ બહેન કોઈ પણ જોડાઈ શકે છે, ૯૪૦૮૯ ૨૫૩૩૪ 

જેતપુર તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતો ની ચુંટણી પ્રચારનો ચકરાવો જોર શોરથી ચાલુ.

જેતપુર તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતો ની ચુંટણી પ્રચારનો ચકરાવો જોર શોરથી ચાલુ.
ચુંટણી માં  ઉભેલા  ઉમેદવારો જાત જાત ના પ્રલોભનો દ્વારા મતદારોને રીઝવી રહ્યા હોવાના મળતા અહેવાલો.
ભૂતકાળ માં કદી ના દેખાયેલા ઉમેદવારો હવે મતદારો ના પગ પકડી રહ્યા હોવાના મતદારોના આક્ષેપો. તો અમુક ગામોના લોકો એ પંચાયત ને સમરસ કરવા કરેલી મહેનત લેખે લાગી.

JIVAN.......NABH ANE DHARTI VACHHENU...........


સદભાવના મિશન એ ગુજરાતના સ્‍વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે




જામનગર શહેર ઉપરાંત ધ્રોળ-જોડીયા,કાલાવડ,જામનગર ગ્રામમાંથી જનમેદનીનો અવિરત પ્રવાહ:
૧૧,૧૧૧ ઉપવાસીઓનું સ્‍વૈચ્‍છિક તપ દીપી ઉઠયું
મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્‍યો
જામનગરમાં એક દિવસના ઉપવાસ
સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્‍કારઃભાવવિભોર થતા 
નરેન્‍દ્રભાઇ મોદી
જામનગર શહેર અને જિલ્‍લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્‍યમંત્રીશ્રી
જામનગર, તા. ર૦ઃ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્‍લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું આજે જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્‍વાભિમાનનો સાત્‍વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્‍યકિત છે, એમ ભાવવશ શબ્‍દોમાં જણાવ્‍યુ હતું.
ગુજરાત વિરોધી સત્તાભૂખી ટોળકીએ દશ દશ વર્ષ ગુજરાતને બદનામ કરવાની કોઇ તક જતી નથી કરી એવા તત્‍વો સામે પ્રજાનો આક્રોશ સદભાવના મિશનના માધ્‍યમથી ઉભો થયેલો સાત્‍વિક રસ્‍તો છે, એ જ આ જનજૂવાળના ઉમંગનું રહસ્‍ય છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સદભાવના મિશનના આજના એક દિવસના ઉપવાસની તપસ્‍યાને જામનગર શહેર, ગ્રામ્‍ય તાલુકો, ઘ્રોળ-જોડીયા અને કાલાવડ તાલુકાના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દનનું અપૂર્વ ઉમળકાભર્યુ સમર્થન મળ્યું હતું. આ ઉપવાસના સંકલ્‍પમાં સ્‍વૈચ્‍છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું.
સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્‍કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ  ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્‍ધ સાત્‍વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ?
દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્‍વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
 સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્‍લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્‍યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્‍ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો  બજેટનો હિસ્‍સો વિકાસ માટે આ જિલ્‍લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્‍યુ કે ગુજરાતના કોઇપણ વિસ્‍તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્‍ધહસ્‍ત કરી છે તે જ છે.
તેમણે જણાવ્‍યુ કે આ વિકાસમાં કયાંય જાતિવાદ, કોમવાદના વેર-ઝેર કે હુમલા-હુલ્‍લડ નથી. જાતિવાદ-જ્ઞાતિવાદને લડાવવા સિવાય ભૂતકાળના શાસકોએ ખૂરશી સલામત રાખવા કોઇનું ભલુ નથી કર્યુ. આજે સદભાવનાની શકિતએ ગુજરાતમાંથી દશ વર્ષમાં જાતિવાદના ઝેર, કોમવાદના સંઘર્ષને દેશવટો કરી દીધો છે. ભૂતકાળના છાશવારે કરફયુ, ચક્કાબાજી, ભાઇ-ભાઇની કત્‍લેઆમના દિવસો યાદ કરજો. આજે આ બધામાંથી  દશ વર્ષમાં મુકિત મળી ગઇ છે. હવે બધાને વિકાસની ઇચ્‍છા છે. નવો પ્રગતિનો યુગ શરૂ કરી દીધો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ  ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્‍છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્‍મો અને એકતાનો, શાંતિનો રસ્‍તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ  પડાવવાનો રસ્‍તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે ‘‘અગર રાજકીય ઇચ્‍છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્‍ત થયા છે.’’
ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્‍વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્‍ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો.
સદભાવના મિશન જામનગર
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું જામનગર હવાઇ મથકે પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કરેલ સ્‍વાગત
જામનગર, તા. ર૦ઃ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે જામનગર ખાતે સદભાવના મિશન અંતર્ગત જિલ્‍લા અભિયાનના ઉપવાસ કાર્યક્રમમાં જોડાવા હવાઇ મથકે આવી પહોંચતા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા અને મેયરશ્રી અમીબેન પરીખે પુષ્‍પ ગુચ્‍છ આપી ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતુ તેમજ અક્ષરપુરૂષોતમ સ્‍વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મનિધિ સ્‍વામી, ભાદરા સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મકુંવર સ્‍વામી, દેવશીબાપા, કથાકારશ્રી કિશોરદાસજીએ પુષ્‍પહાર અને શાલથી મુખ્‍યમંત્રીશ્રીનું સ્‍વાગત કર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી ડો. પી.બી.વસોયા, શહેર ભાજપા પ્રમુખશ્રી અશોકભાઇ નંદા, રાજપૂત સમાજના પ્રમુખશ્રી નવલસિંહ જાડેજા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી લાખાભાઇ કેસવાલા, પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ, કલેકટરશ્રી સંદિપકુમાર, મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી અનુપમ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમાર, પોલીસ અધિકારીશ્રી, એરપોર્ટ ડાયરેકટરશ્રી વિલ્‍સન સહિત ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમર્પણ સર્કલથી ઓસવાળ સેન્‍ટર સુધી વિવિધ શાળા, સંસ્‍થા, એન.સી.સી. કેડેટ સહિત યુવાધને માનવ સાંકળ રચી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને જામનગમાં આવકારી અભિવાદન ઝીલ્‍યું હતું.
સદભાવના મિશનમાં આગમન થતાં મેદનીએ હર્ષોલ્‍લાસથી કરેલું સ્‍વાગત
જિલ્‍લાના સંતો, મહંતો, વિવિધ ધર્મોના ધર્મગુરુઓ, પ્રતિનિધિઓ તથા વિવિધ વર્ગોના આગેવાનો દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનો થયેલ ભવ્‍ય સત્‍કાર
જામનગર, તા. ર૦ઃ મુખ્‍ય મંચ પર મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું આગમન થતા વેદોના મંત્રોચ્‍ચાર સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જનમેદનીએ મુખ્‍યમંત્રીશ્રીને ઉંચા હાથ ધરીને આવકાર્યા હતા અને મુખ્‍યમંત્રીશ્રીએ અભિવાદન ઝીલ્‍યું હતું.
મુખ્‍મંત્રીશ્રીએ સદભાવના જયોત પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યા બાદ ચાલીસ ઋષિકુમારો દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું અભિવદન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા, કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, રાજયમંત્રીઓ શ્રીમતિ વસુબેન ત્રિવેદી, શ્રી કનુભાઇ ભાલાળા, શ્રી વાસણભાઇ આહીર, શ્રી કિરીટસીંહ રાણા, શ્રી મોહનભાઇ કુંડારીયા, મેયરશ્રી અમીબેન પરીખ, ધારાસભ્‍યોશ્રી લાલજીભાઇ સોલંકી, શ્રી પબુભા માણેક, શ્રી મુળુભાઇ બેરા, શ્રી મેઘજીભાઇ કણઝારીયા, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી આર.સી.ફળદું, સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત અલ્‍પસંખ્‍યક નિગમના ઉપાધ્‍યક્ષશ્રી કાદરભાઇ સલોત, રાજય સ્‍વર્ણિમ જયંતિ ઉજવણી સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી આઇ.કે.જાડેજા, ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, જામસાહેબ શ્રી શત્રુશલ્‍યસિંહજી જાડેજા, એસ.ટી. નિગમના ચેરમેનશ્રી બાબુભાઇ ઘોડાસરા, પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ સહિતના મહાનુભાવો મુખ્‍યમંત્રીશ્રીને સત્‍કાર્યા હતા.
કલેકટરશ્રી સંદીપકુમાર, મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી અનુપમકુમાર, પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ શાપરીયા, અગ્રણીશ્રી ભરતભાઇ પંડયા, આંણદાબાવા આશ્રમ મહંતશ્રી દેવપ્રસાદજી મહારજ, સ્‍વામિનારયાણના સંતશ્રી ચત્રભૂજસ્‍વામી, મોટી હવેલી વૈષ્‍ણવ સંપ્રદાય ૧૦૮શ્રી વલ્‍લભરાયજી મહારાજ, કબીર આશ્રમના શ્રી જગદીશનાથજી મહારાજ, ગંથ્રીજી ગુરુદેવસિંહ, ફાધર શ્રી જયોર્જ, ફાધરશ્રી જહોન, ફાધરશ્રી જોશ જોસેફ, શ્રી પાસ્‍તર સમ મેલાની, જનાબ આબીન સાહેબે મહોમ્‍મદ, શ્રી પટીવાલા ઇમામ, શ્રી મૌલાના મુસ્‍તાફ બ્‍લોચ, મૌલાના ફારૂક સાહેબ, હૈદર બાપુ, કબીર આશ્રમના રામદાસજી મહારાજ, મોટી હવેલીના હરિરામ મહારાજ, શ્રી દાઉજી હવેલીના મધુરરેશજી મહારાજ, પ્રજાપતિ બ્રહ્માકુમારીના સુનામાદીદી, સન્‍યાસ આશ્રમના મહંત હિતેશ પુરી, રાજેશ મુનિ, મુખ્‍યાજી હંસરાજભાઇ વૈદ્ય, મનજીભાઇ, નંદકિશોર મહારાજ, મહંતશ્રી હનુમાનનાથજી તેમજ જિલ્‍લાના વિવિધ  ધર્મસ્‍થાનોના સંતો/મહંતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પેરશ વડગામા અને શ્રી વિરેન્‍દ્રભાઇ જાનીએ કર્યુ હતું.
હૃદયમાંથી નિકળતી સંવેદના એટલે સદભાવના
ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
જામનગર, તા. ર૦ઃ રાજયના ઉર્જા મંત્રી અને જામનગર જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્‍યુ હતુ કે ગુજરાતે છેલ્‍લા એક દાયકામાં જે અભૂતપુર્વ વિકાસ કર્યો તે સમર્પિત કરવાનો આ મહા અવસર છે. શાંતિ, એકતા અને સ્‍થિરતાનો ત્રિવેણી સંગમ એટલે સદભાવઃ હૃદયમાંથી નિકળતી સંવેદનાએ સદભાવના છે. એક દાયકા પહેલા ગુજરાતનાં ગામો-શહેરોમાં એક, બે કે ચાર કલાક વિજળી મળતી. આજે છેલ્‍લા એક દાયકામાં રાજય સરકારની સહાયથી ર૪ કલાક ગુજરાતના ગામો-શહેરોમાં વિજળી પૂરી પાડવામાં આવી રહી છે.
રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે આજે ગુજરાત જેટલું વિજળીનું ઉત્‍પાદન કરે છે તેટલું વીજ ઉત્‍પાદન એકલું સૌરાષ્‍ટ્ર એક માત્ર કરશે. દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજય છે કે જે ર૪ કલાક વિજળી પૂરી પાડી રહ્યું છે.
રાજય સરકારે ખેડૂતોને સુવિધા મળે, ઉદ્યોગોને પૂરતી વીજળી મળે તે માટે ફિડરો અને સબસ્‍ટેશનોની સંખ્‍યા વધારી, અને પર્યાપ્‍ત સબસ્‍ટેશનો ઉભા કર્યા છે.
વિજ ઉત્‍પાદન ક્ષેત્રે રાજય સરકારે નવા સીમા ચિન્‍હો હાંસલ કર્યા છે, તેમ જણાવી શ્રી પટેલે કહ્યું કે, ઉર્જા ક્ષેત્રે આપણો દેશમાં નવી ઓળખ પ્રસ્‍થાપિત કરી છે. વિજ ઉત્‍પાદન સ્‍થાનિક જિલ્‍લા સ્‍તરે થાય તેવું આયોજન છે. જામનગર જિલ્‍લામાં પ્‍ણ આવતા બે વર્ષમાં ૧૭ નવા સબ સ્‍ટેશનો બનાવવાનું આયોજન છે.
ખેતીવાડી ક્ષેત્રે ખેડુતોની વિજ કનેકશન માંગ પૂરી કરવા આવતા વર્ષમાં ૧ લાખ નવા કનેકશન આપવાનું  આયોજન છે. આઝાદી પછી ૪૦ વર્ષ સુધી ૬ લાખ વિજ કનેકશન અપાયા હતા. જયારે છેલ્‍લા ૧૦ વર્ષમાં ૪ લાખ કનેકશન આપી ખેડૂતોને મહત્તમ ન્‍યાય મળે તેવું આયોજન વર્તમાન સરકારે કર્યુ હોવાનું શ્રી પટેલે ઉમેર્યુ હતું.
જામનગરના પદાધિકારીઓએ મુખ્‍યમંત્રીને આવકાર્યા
જામનગરના સહપ્રભારી મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય સર્વશ્રી પબુભા માણેક, શ્રી મેધજી કણઝારીયા, શ્રી મુળુભાઇ બેરા, શ્રી વસુબેન ત્રિવેદી, શ્રી પુરષોતમ ભોજાણી(જાડાના ચેરમેન), શ્રી રમેશ મુંગરા (એસ.ટી.નિગમના ચેરમેન), શ્રી ચંદ્રેશ પટેલ (પૂર્વ સાંસદ) જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી પી.બી.વસોયાએ મુખ્‍યમંત્રીશ્રીનું ફલહારથી અવકાર્યા હતા.


જામનગરમાં સદ્દભાવના મિશનને મળ્યો અભૂતપૂર્વ જનપ્રતિસાદ
વિવિધ ધર્મ-જ્ઞાતિ-સમાજના લોકોએ સ્‍વયંભૂ ઉપવાસમાં જોડાઇને મુખ્‍યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન પ્રત્‍યે તેમની સદૃભાવના વ્‍યકત કરી. 
જામનગર,તા.૨૦, જામનગરની ધરા પર આજે યોજાયેલા મુખ્‍યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનમાં વિવિધ ધર્મ-જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી સ્‍વયંભૂ એક દિવસના પ્રતિક ઉપવાસ દ્વારા જોડાઇને મુખ્‍યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન પ્રત્‍યે તેમની સંવેદનાસભર સદ્દભાવના વ્‍યકત કરી હતી. 
આ સદ્દભાવના મિશનમાં જામનગરના મુરલીધર મુકતેશ્‍વર મહાદેવની ૫૦ જેટલી બહેનો પ્રતિક ઉપવાસ સાથે જોડાઇ હતી. જેનો પ્રતિભાવ વ્‍યકત કરતાં મંડળના લક્ષ્‍મીબેને જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી આજે અમારા જામનગરમાં સદ્દભાવના મિશનમાં પધાર્યા છે, ત્‍યારે અમારા મંડળની બહેનો પણ તેમના આ મિશન પ્રત્‍યેની અમારી સદ્દભાવના વ્‍યકત કરવા એક દિવસના ઉપવાસ કરશે.
આવી જ લાગણી ૭૩ વર્ષીય એવા નટવરલાલ જોષીએ વ્‍યકત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, રાજયના વિકાસ માટે મુખ્‍ય મંત્રીશ્રી જે કાર્ય કરી રહયાં છે તેમાં મારો સૂર પૂરાવવા, મારી લાગણી વ્‍યકત કરવા અને આ મિશનમાં હું સહભાગી બની શકુ તે માટે હું આવ્‍યો છું, આ મિશનના સમર્થનમાં હું આજે પ્રતિક ઉપવાસ કરીને મુખ્‍યમંત્રીશ્રી અને ગુજરાતના વિકાસ માટેની તેમની કાર્યશૈલી પ્રત્‍યેની મારી લાગણી વ્‍યકત કરૂં છું. 
આ સદ્દભાવના મિશનને સમર્થન આપવા રાજકોટથી આવેલા દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણી શ્રી શેખ યાહીયાભાઇ ગાંધીએ તેમની આગવી શૈલીમાં જણાવ્‍યું હતું કે, ’સદ્દભાવના’ શબ્‍દમાંજ મહાનતા રહેલી છે આ મિશનમાં દરેક ધર્મ સમાજના લોકોને સ્‍થાન મળે છે તેજ આ મિશનની મહાનતા બતાવે છે. અમારા શહેરના શાહીબી વારંવાર એમ કહે છે કે, ઇમામની મુહોબબત શું છે? એ જ કે, તમે તમારા વતનથી મુહોબ્‍બત કરો, તેને વફાદાર રહો. આજે આ મિશનમાં ઉપસ્‍થિત રહેવા અમારા દાઉદી વ્‍હોરા સમાજના લોકો દુઆ કરે છે કે, પૂરા દેશમાં, પૂરા આલમમાં સદ્દભાવનાનું મિશન કાયમ રહે અને આ સદ્દભાવના મિશન દ્વારા પ્રત્‍યેક સમાજ શાંતિ-શૌહાર્દની ભાવના સાથે વિકાસની દિશામાં આગળ વધે. 
જામનગર ખાતે યોજાયેલા આ સદ્દભાવના મિશનને સમર્થન આપી પોતાની સદ્દભાવના વ્‍યકત કરવા આજે સવારે જામનગરથી રાજપૂત સમાજની ૧૦૦૦ જેટલી બહેનો ઇલાબા જાડેજાની સાથે કાર્યક્રમમાં આવી હતી. જે પૈકી ૬૦૦ જેટલી બહેનોએ પ્રતિક ઉપવાસ દ્વારા તેમની લાગણી વ્‍યકત કરી હતી. જયારે રણજીતનગરના ૫૦ જેટલા બહેનો પણ સ્‍વયંભૂ પ્રતિક ઉપવાસ દ્વારા સદ્દભાવના મિશનને ટેકો આપવા ઉપસ્‍થિત રહયાં હતાં. 
આ ઉપરાંત જામનગરના ૩૦૦ જેટલા વકીલ મિત્રો પણ મુખ્‍યમંત્રીશ્રીએ શુભેચ્‍છા આપવા કાર્યક્રમના સ્‍થળે ઉપસ્‍થિત રહયાં હતાં, જે પૈકી ૧૦૦ જેટલા વકીલો ઉપવાસી તરીકે જોડાયા છે, તેમ લીગલ સેલના કન્‍વીનર શ્રી નરેન્‍દ્રસિંહ જેઠવાએ જણાવીને વધુમાં ઉમેર્યુ હતું કે, મુખ્‍યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન પ્રત્‍યે અમે સૌ વકીલ મિત્રો અમારી શુભ લાગણી વ્‍યકત એ છીએ. 
ગુજરાતને શ્રી નરેન્‍દ્રભાઇ જેવા સક્ષમ નેતા પ્રથમવાર મળ્યા છે. 


જામનગર,તા.૨૦, જામનગરના જામ સાહેબ મુ.શત્રુશલ્‍યસિંહજીએ મુખ્‍યમંત્રીશ્રીને આવકારતા જણાવ્‍યું હતું કે, મારી પ્રજાનું સારૂં થાય, તેના માટે મને હરખ થાય, લોકોને સુખી કરવાના મારા જે કાંઇ સ્‍વપ્‍ન હતાં તે સ્‍વપ્‍નો મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા પૂર્ણ થતાં આવ્‍યા છે. હજુ પ્રજાના વિકાસ માટે કોઇ સ્‍વપ્‍ન રહી ગયું હશે તો મુખ્‍યમંત્રીશ્રીને રજુઆત કરીશું. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતને મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ જેવા પહેલીવાર નેતા મળ્યા છે. આપણે તેઓશ્રીને ટેકો આપીને આપણા વિકાસના સ્‍વપ્‍ન પૂર્ણ કરીએ તેવી અભ્‍યર્થના પણ તેઓશ્રીએ વ્‍યકત કરી હતી. 
જામ સાહેબજીએ મુખ્‍યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે પાઘડી પહેરાવી તથા ફુલહાર દ્વારા અભિવાદન કર્યું હતું. 
મુખ્‍ય મંત્રીશ્રીનું સન્‍માન
જામનગર, તા. ર૦ઃ  હાલારની નારી શકિત દ્વારા મુખ્ય મંત્રીશ્રીને ઝવેરાની મટુકી દ્વારા આવકારાયા હતા. જામનગરની કુમારિકાઓ અને મહિલાઓએ મટકીમાં ઝવેરાવાળા કળશથી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું સન્‍માન કર્યું હતું. વ્‍હોરા સમાજના આગેવાનોએ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સન્‍માન રૂપે સ્‍ટીમર (વહાણ)ની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.યુવા વર્ગ દ્વારા પરંપરાગત પરિવેશમાં મુખ્‍યમંત્રીશ્રીને આવકારાયા હતા.
જામનગરના કલાકારો દ્વારા ભારતીય પરંપરા અનુરૂપ પરિવેશ ધારણ કરી મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કર્યું હતું, જેમાં વિષ્‍ણુ, મહેશ, સરસ્‍વતિ, લક્ષ્‍મી,નારદમુનિ વગેરેના પાત્રોથી આ કલાકારો સજજ થયાં હતાં. 
જીએસએફસી દ્વારા સન્‍માન થયું.
ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર  લિમિટેડના મોટી ખાવડીના સ્‍ટાફના સભ્‍યો દ્વારા મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું સન્‍માન થયું હતું. 
ગાયત્રી શકિતપીઠના સભ્‍યોએ મુખ્‍ય મંત્રીશ્રીને પુસ્‍તક આપી સન્‍માન કર્યું હતું. 
જામનગર જિલ્‍લાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ, વકીલ મંડળના વકીલો, મેડિકલ એસોશિએશન દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કરી સદ્દભાવના દર્શાવવામાં આવી હતી. 
સદભાવના મિશનની સાથે સાથે....
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું વિવિધ જુથો દ્વારા અભિવાદન.


વિકલાંગ ભાઇ-બહેનો તથા પ્રજ્ઞા ચક્ષુઓ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીને સદ્દભાવના વ્‍યકત કરી હતી. 
વાઘેર સમાજ દ્વારા આમદ માલેકના નેતૃત્‍વમાં ૨૨ વ્‍યકિતઓ દ્વારા વહાણનું સ્‍મૃતિચિહન મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરીને સદ્દભાવના વ્‍યકત કરી હતી.
વિવિધ મિત્રો દ્વારા જુદી-જુદી વેશભૂષા ધારણ કરીને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. 
એસ્‍સાર ગૃપના આગેવાની હેઠળ  મિત્રોએ સદ્દભાવના વ્‍યકત કરી હતી. 
ગાયત્રી શકિત પીઠની બહેનોએ પુસ્‍તક અર્પણ કરીને તથા પીળું પિતાંબર પહેરાવીને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
જામનગર શહેર/જિલ્‍લાના વિવિધ નાગરિકોએ મુખ્‍યમંત્રીશ્રીએ શાલ, પુષ્‍પહાર દ્વારા સન્‍માન કર્યુ હતું.
જામનગર શહેરની ૯ વર્ષની બાળકી રોશની મહેશભાઇ ઝાલા સદભાવના મિશનમાં જોડાઇને ઉપવાસ કરેલ છે અને તેમણે બનાવેલ મોમેન્‍ટો મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.
એન.સી.સી.ના બોયઝ તથા ગર્લ્‍સ કેડેટસ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કરાયું હતું.
જામનગર જિલ્‍લામાં કેરળવાસીઓએ તેમની પરંપરાગત વેશભુષામાં મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
વિદ્યાર્થી કુ.કિરણ હર્ષદભાઇએ તેમના વકતવ્‍યમાં સદભાવનાની વિભાવના સ્‍પષ્‍ટ કરી હતી.
માનવ મહેરામણથી સદભાવના મિશન-જામનગરનો સમીયાણો ઉભરાયો.
માહિતી વિભાગ દ્વારા ઉભા કરાયેલ ‘‘વિકાસનો દાયકો’’ પ્રદર્શનમાં લોકોની મોટી ભીડ જામી હતી અને લોકો રસપૂર્વક પ્રદર્શન નિહાળતા હતા.
ભારત માતા આદર્શ ગરબી મંડળના કલાકારોએ વિવિધ વેશભૂષામાં મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ.
જામનગર શહેરના ભાવિ ક્રિકેટરોએ મુખ્‍યમંત્રીશ્રીને જામરણજીતસિંહની તસવીર ભેટ આપી સદભાવના મિશનમાં સહભાગી બન્‍યા.
કિન્નર સમાજે કુમકુમ તિલક કરી પુષ્‍પહાર,શાલથી મુખ્‍યમંત્રીશ્રીને સન્‍માન્‍યા.
સ્‍કાઉટ ગાઇડના બાળકોએ મુખ્‍યમંત્રીશ્રી સાથે ગૃપ ફોટો પડાવ્‍યો.
રાજસ્‍થાની સમાજે પારંપારિક વેશભૂષામાં આવીને મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસને બિરદાવ્‍યો.
જયહિંગળાજ સત્‍સંગ મંડળની બહેનોએ માથે બેડુ તથા શ્રીફળ-માટીના ઘડા સાથે મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ.
મુખ્‍યમંત્રીશ્રીએ બિહારના મુઝફપુરના રહીશ નંદીની અગ્રવાલને ઓટોગ્રાફ આપી અભ્‍યાસ અંગે જાણકારી મેળવી હતી.
સુરત શહેરના કોર્પોરેટરશ્રીઓએ મુખ્‍યમંત્રીશ્રીને મળી સદભાવના મિશનને શુભેચ્‍છા પાઠવી.
વેલનાથ ગ્રુપ જામનગરની બહેનોએ મુખ્‍યમંત્રીશ્રીનાં ઓવારણા લઇ અભિનંદન પાઠવ્‍યા.
માતાજીની માંડવીઓ લઇને આવલા મહિલાઓએ મુખ્‍યમંત્રીશ્રીને શુભકામના પાઠવી.
માલધારી સમાજની બહેનોએ પરંપરાગત ગામઠી પહેરવેશમાં આવીને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન ઝીલ્‍યું.
વિવિધ સર્કલ અને ચોક ખાતે શહેરની શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ દેશભકિત સહિતના રંગારગ કાર્યક્રમો રજુ કરી શહેરીજનોની દાદ મેળવી.
આહિર સમાજનાં શૂરવીર દેવાયત આહિર અને સતી તોરલદેની વેશભૂષામાં સજ્જ આહિર સમાજના યુવાનો અને આગેવાનોએ મુખ્‍યમંત્રીશ્રીનું શ્રીકૃષ્‍ણની મૂર્તિ અર્પણ કરી અભિવાદન કર્યુ.
લઘુમતિ સમાજનાં વૃધ્‍ધ દંપતિએ ઉપવાસી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને શુભેચ્‍છા પાઠવી.
લઘુમતિ સમાજની બહેનોએ પારંપરિક રીતે હાથ ચુમીને મુખ્‍યમંત્રીશ્રી પ્રત્‍યે શુભેચ્‍છા વ્‍યકત કરી.
ધ્રોલથી જામનગર સુધીની ૪૦ કી.મી.ની પદયાત્રા કરીને આવેલ ૧૨૧ ભાજપાના યુવાન મિત્રોએ સૌજન્‍ય મુલાકાત કરી.
૧૨૬૮૭ ગુજરાત પાક્ષિકના લવાજમોની સી.ડી. કલેકટરશ્રી સંદીપકુમારે મુખ્‍યમંત્રીશ્રીને અર્પણ કરી.
સમગ્ર ગઢવી સમાજ તથા ધ્રોળના આહીર સમાજે હાર તથા બળદગાડાની પ્રતિકૃતિ અર્પણ કરીને મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કર્યુ હતું.
જામનગર શહેરના યુવક-યુવતિઓએ વિવિધ વેશભુષા પરિધાન કરીને મુખ્‍યમંત્રીશ્રીને સદભાવના માટે સમર્થન આપ્‍યું હતું.
સમર્પણ સર્કલથી માર્ગની બન્‍ને બાજુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શહેરીજનો, સ્‍કાઉટ, એન.સી.સી., આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાથમાં ફલેગ લઇને મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન ઝીલવા કતારબંધ ઉભા હતા.
બાલાચડી સૈનિક સ્‍કુલના વિદ્યાર્થીઓએ તથા ઇલેકટ્રોનિક અને પ્રિન્‍ટ મિડિયાના પત્રકારશ્રીઓએ પણ મુખ્‍યમંત્રીશ્રીને મળી સદભાવના વ્‍યકત કરી હતી.
રાજય સરકારની સહાયથી દિકરીને નવજીવન મળતા માતાએ સદભાવના દર્શાવી.
સાતવર્ષની જેન્‍સી શૈલેષભાઇ ડાંગરીયાને ગંભીર બિમારી બાદ રાજય સરકારની સહાયથી સારવાર મળતા તેની માતા શ્રીમતી રંજનબેન શૈલેષભાઇ ડાંગરીયાએ મુખ્‍યમંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.


મુખ્‍યમંત્રીશ્રીનું અભિવાદન વિવિધ સમાજો દ્વારા કરાયું
જામનગર, તા. ર૦ઃ જામનગર સદભાવના મિશન કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું અભિવદન વિવિધ સમાજ/જુથો દ્વારા કરાયું હતું.
જામનગરના દલિત સમાજ, સતવારા સમાજ, સમસ્‍ત બ્રહ્મસમાજ, આદર્શ રામાયણ મંડળ, અનુસુચિત જાતિ મોરચાના ભાઇઓ, દાઉદી વોરાસમાજ વાલ્‍મીકી સમાજના સભ્‍યો, ક્રિકેટના યુવાખેલાડીઓ ઉત્‍કર્ષ મહિલા મંડળની બહેનો, પ૪ જેટલા સ્‍કાઉટ ભાઇ-બહેનો, વિવિધ મંડળોના ભાઇઓ, જય યુવરાજ સત્‍સગ મંડળની બહેનોએ માથે બેડા ધારણ કરી મુખ્‍યમંત્રીશ્રીને સત્‍કાર્યા હતા. સુપર માર્કેટ એસોશીયેશનના વેપારીઓ, વોર્ડ નં.૧૧, ૧૪ કાર્યકર ભાઇઓ, કચ્છી રાજપૂત સમાજના ભાઇઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટના સભ્યો, મુખ્યમંત્રીશ્રીને સત્કાર્યા જ્યારે શીખ સમાજે મુખ્યમંત્રીશ્રીને કીરપાણ અર્પણ કરી અભિવાદન કર્યુ અને સમગ્ર રાજપુત સમાજના ભાઇઓ પરં૫રાગત વેશભુષા પાઘડી પહેરીને મુખ્યમંત્રીશ્રીનું શાલ તથા પાઘડી પહેરાવીને અભિવાદન કર્યુ હતું. 
રાજપુત સમાજે મુખ્યમંત્રીશ્રીને આશાપુરા માતાજીની તસ્વીર તથા કૃષ્‍ણ ભગવાનના રથની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. 
વિવિધ સમાજ સંસ્‍થા દ્વારા સદભાવના અભિયાનને ટેકો 
શીખ, દલિત, દેવીપૂજક, રબારી, વાલ્મીકી સંગઠનના અધિકારીઓ, રાજપૂત સમાજ, કચ્છી સમાજ, સી.એ. એસો.ના સભ્યો, સુ૫ર માર્કેટ વેપારી મંડળના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન થયું હતું. 
જામ રણજીતસિંહની તસવીર મુખ્યમંત્રીને અર્પણ કરી સદભાવના દર્શાવાઇ
જામનગર જિલ્લાના ભાવિ ક્રિકેટરોએ જામનગરના મહાન ક્રિકેટર જામ રણજીતસિંહની તસવીર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કરી સદભાવના વ્યક્ત કરી હતી.
ટી.વી. અને રેડિયોના કલાકાર શ્રી અશોકભાઇ પંડ્યા દ્વારા સંગીતના સૂર વહાવામા આવ્‍યા હતા.
રાજયની પ્રજાને નવી આશા જાગી છે
સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી
જામનગર, તા. ર૦ઃ રાજયસભાના સભ્‍યશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતુ કે સમગ્ર ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇએ સવારથી સાંજ સુધી સદભાવના માટે ઉપવાસ કરીને લોકોમાં સદભાવના માટે ચતના પ્રગટાવી છે અને તેઓ સદભાવના અને શાંતી દ્વારા ગુજરાતને વિકાસની ચરમસીમા એ લઇ જવા આ કાર્યક્રમ કરી રહ્યા છે. ગુજરાતને એક પ્રમાણિક મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મળ્યા છે અને તેઓ લોકોના ટેકા દ્વારા માનભેર લોકો વચ્‍ચે ઉભા છે. ‘ગુજરાત મારો પ્રાણ અને ભારત મારો આત્‍મા છે’ તેવી વિભાવના સાથે મુખ્‍યમંત્રીશ્રી કામ કરી રહ્યા છે. દેશ અને રાજયની પ્રજાને તેમનામાં એક આશા જાગી છે. સર્વધર્મ સદભાવની નવી ફિલોસોફી મુખ્‍યમંત્રીશ્રી લાવ્‍યા છે. ગુજરાત અને શ્રી નરેન્‍દ્રભાઇ મોદી વિકાસના પર્યાય બનેલ છે. સૌનો સાથ સૌના વિકાસની નેમ સાથે ગુજરાતે વિકાસમાં હરણફાળ ભરી છે.


મુખ્‍યમંત્રીશ્રી પ્રમાણિક અને કર્તવ્‍યનિષ્‍ઠ શાસક છે.
શ્રી આર.સી.ફળદુ
જામનગર, તા. ર૦ઃ સદભાવના કાર્યક્રમમાં ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને કાલાવડના ધારાસભ્‍યશ્રી આર.સી.ફળદુએ જણાવ્‍યુ હતુ કે શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રીશ્રી બન્‍યા પછી તેમની દરેક યોજનામાં માનવતા અને સદભાવના પડેલી જોવા મળે છે.આપણા આ નેતા લોકોના દિલો પર રાજ કરે છે. સૌના દિલોને વાંચીને શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રજાભિમુખ શાસનની ર૦૦૧થી એક આદર્શ શાસક તરીકે કેડી કંડારી છે. મુખ્‍યમંત્રીશ્રીએ એક પ્રમાણીક અને કર્તવ્‍યનિષ્‍ઠ શાસક તરીકે ગુજરાતને અભૂતપૂર્વ વિકાસ આપ્‍યો છે એટલે તે આપણને વ્‍હાલા નેતા લાગે છે.

બનાસકાંઠા જીલ્લામાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતા ખેડુતો જોગ




સભ્ય સચિવશ્રી નેશનલ મિશન ઓન મેડીશનલ પ્‍લાન્ટસ બોર્ડ, બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ જે ખેડુત ખાતેદારો પોતાના ખેતરમાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતાં હોય તે ખેડુત ખાતેદારોએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરી યોજના અંગેની જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવી સભ્ય સચિવશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠા પાલનપુરની કચેરી, ફાંસીયા ટેકરા, કંથેરીયા હનુમાન મંદિરની સામે, પાલનપુર ખાતે અરજી મોકલવાની રહેશે. જેનો ફોન નંબર-૦૨૭૪૨ ૨૪૭૦૫૬ છે. જેના પર સંપર્ક કરવા જણાવાયું છે. 



સ્‍પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં જિલ્‍લા કક્ષાએ વિવિઘ સ્‍પર્ઘા યોજાશે


સ્‍પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં  જિલ્‍લા કક્ષાએ વિવિઘ સ્‍પર્ઘા યોજાશે
સ્‍પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્રારા ચાલુ વર્ષ ૨૦૧૧-૧૨માં ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત શાળાઓમાં ભણતા ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્‍લા કક્ષાની તરણ, સ્‍કેટીંગ, યોગા, જુડો, જીમ્નાસ્‍ટીકસ, ટેનિસ, બેડમિન્ટન અને ટેબલટેનિસની રમતોનું આયોજન આગામી ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં કરવામાં આવ્યું  છે. 
આ સ્‍પર્ઘામાં ભાગ લેવા ઇચ્છુક શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ શાળા મારફત પોતાની વિગતવાર એન્ટ્રી એલીજીબીટી સર્ટી. સાથે પોતાના જિલ્‍લામાં આવેલી જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્દ્વની કચેરીના સિનીયર કોચશ્રીને તા. ૩૧/૦૧/૨૦૧૨ સુઘીમાં મોકલી આપવાની રહેશે. જિલ્‍લા કક્ષાએ પસંદ થયેલ ખેલાડીઓ માટે પ્રદેશ કક્ષાની સ્‍પર્ઘાનું આયોજન ફેબ્રુઆરી – ૨૦૧૨ દરમ્યાન કરવામાં અવાશે. 
આ યોજના અંગેની વિશેષ વિગતવાર માહિતી માટે ગાંઘીનગર જિલ્‍લાના ખેલાડીઓએ સિનીયર કોચશ્રી, જિલલા રમત પ્રશિક્ષણ કેન્દ્વ, મહાત્મા ગાંઘી વિઘાલય, સેકટર- ૨૧, ગાંઘીનગર અથવા ફોન નંબર- ૦૭૯-૨૩૨ ૪૧૧૮૦ પર સંપર્ક કરવા સિનીયર કોચશ્રી એચ.બી સાવલીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે. 

જામ ખંભાળળિયાના ગ્રામસેવક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા


જામ ખંભાળળિયાના ગ્રામસેવક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા
ઇન્‍દિરા આવાસ યોજનાનો ચેક આપવા બાબતે લાભાર્થી પાસેથી રૂ.500ની લાંચ લેતા જામ ખંભાળીયાના તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ગ્રામ સેવક દિલિપભાઇ વાઘેલાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્‍યા છે.

ટ્રાફિકના હેડ કોન્‍સટેબલ રૂા.200 ની લાંચ લેતા ઝડપાયા


ટ્રાફિકના હેડ કોન્‍સટેબલ રૂા.200 ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ શહેરના ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી / કર્મચારીઓ, હોમગાર્ડ તથા અન્‍ય પોલીસ કર્મચારીઓ ટ્રાફિક પોઇન્‍ટ પર રિક્ષા ચાલકો, જીપ ચાલકો, વગેરે વાહન ચાલકો પાસેથી પેસેન્‍જરોની હેરાફેરી તથા ગાડીના કાગળો, સીટ બેલ્‍ટ, લાયસન્‍સ વગેરેના બહાના હેઠળ કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય રૂ.50 થી રૂ.500 સુધીની લાંચની રકમની માંગણી કરતા હોય છે. આ બાબતે ગોઠવેલ વોચમાં અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે ટ્રાફિક શાખાના શ્રી ચિરાગભાઇ બારોટ અને જયેન્‍દ્રભાઇ પંચોલી રૂ.200ની લાંચ લેતા છટકામાં ઝડપાઇ ગયા છે.

સ્‍થાનિક સ્‍વરાજયની યોજાનાર ચૂંટણીમાં મતદાન કરવા રજા આપવા જોગ




ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણીને મતદાન તા.29-12-2011, ગુરૂવારના રોજ યોજાશે. આથી જે તે વિસ્‍તારમાં મતદાનના દિવસે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકે તે માટે સ્‍થાનિક સંસ્‍થાઓ પોતાના વિસ્‍તારમાં ગ્રામીણ બેંકો, રાષ્‍ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યકત સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્‍ય સંસ્‍થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્‍પીટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય સંસ્‍થાઓ અને અન્‍ય પ્રકારની કેટલીક સંસ્‍થાઓ વિગેરેના શ્રમયોગીને ઉકત હેતુ માટે અઠવાડિક રજાની બદલી કરીને સંબંધિત વિસ્‍તારમાં મતદાનના દિવસે રજા આપવાની વ્‍યવસ્‍થા થાય તેવી ગોઠવણ કરાવવા અને કોઇ કારણસર તેમ ન થઇ શકે તેમ હોય, ત્‍યાં તે શ્રમયોગીઓ / કર્મચારીઓને મતદાનના દિવસે મતદાન કરવા જાય તે માટે વારાફરતી ખાસ રજા મળી રહે તેવો પ્રબંધ કરવા અધિક શ્રમ આયુકત દ્વારા જણાવાયું છે. 

સદભાવના મિશન એ ગુજરાતના સ્‍વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે મુખ્‍યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્‍યો જામનગરમાં એક દિવસના ઉપવાસ સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્‍કારઃભાવવિભોર થતા નરેન્‍દ્રભાઇ મોદી



જામનગર શહેર અને જિલ્‍લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્‍લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્‍વાભિમાનનો સાત્‍વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્‍યકિત છે, એમ ભાવવશ શબ્‍દોમાં જણાવ્‍યુ હતું.
ગુજરાત વિરોધી સત્તાભૂખી ટોળકીએ દશ દશ વર્ષ ગુજરાતને બદનામ કરવાની કોઇ તક જતી નથી કરી એવા તત્‍વો સામે પ્રજાનો આક્રોશ સદભાવના મિશનના માધ્‍યમથી ઉભો થયેલો સાત્‍વિક રસ્‍તો છે, એ જ આ જનજૂવાળના ઉમંગનું રહસ્‍ય છે, એમ તેમણે જણાવ્‍યું હતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સદભાવના મિશનના આજના એક દિવસના ઉપવાસની તપસ્‍યાને જામનગર શહેર, ગ્રામ્‍ય તાલુકો, ઘ્રોળ-જોડીયા અને કાલાવડ તાલુકાના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દનનું અપૂર્વ ઉમળકાભર્યુ સમર્થન મળ્યું હતું. આ ઉપવાસના સંકલ્‍પમાં સ્‍વૈચ્‍છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું.
સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્‍કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્‍ધ સાત્‍વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ?
દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્‍વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
મુખ્‍યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્‍લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્‍યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્‍ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો બજેટનો હિસ્‍સો વિકાસ માટે આ જિલ્‍લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્‍યુ કે ગુજરાતના કોઇપણ વિસ્‍તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્‍ધહસ્‍ત કરી છે તે જ છે.
તેમણે જણાવ્‍યુ કે આ વિકાસમાં કયાંય જાતિવાદ, કોમવાદના વેર-ઝેર કે હુમલા-હુલ્‍લડ નથી. જાતિવાદ-જ્ઞાતિવાદને લડાવવા સિવાય ભૂતકાળના શાસકોએ ખૂરશી સલામત રાખવા કોઇનું ભલુ નથી કર્યુ. આજે સદભાવનાની શકિતએ ગુજરાતમાંથી દશ વર્ષમાં જાતિવાદના ઝેર, કોમવાદના સંઘર્ષને દેશવટો કરી દીધો છે. ભૂતકાળના છાશવારે કરફયુ, ચક્કાબાજી, ભાઇ-ભાઇની કત્‍લેઆમના દિવસો યાદ કરજો. આજે આ બધામાંથી દશ વર્ષમાં મુકિત મળી ગઇ છે. હવે બધાને વિકાસની ઇચ્‍છા છે. નવો પ્રગતિનો યુગ શરૂ કરી દીધો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્‍છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્‍મો અને એકતાનો, શાંતિનો રસ્‍તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ પડાવવાનો રસ્‍તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે.
મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યુ કે ‘‘અગર રાજકીય ઇચ્‍છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્‍ત થયા છે.’’
ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્‍વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્‍ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.
ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો.