અનુયાયીઓ

બુધવાર, 2 નવેમ્બર, 2011

કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી


કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
હકિકતમાં ગુજરાત વીજ નિયમન પંચે નકકી કરેલા દર કરતા પણ પ૦ ટકા ઓછા દરે ખેડૂતોને વીજળી અપાય છે
કેન્દ્રની યુપીએ સરકારની અવિચારી નીતિના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪૨૮૬ કરોડનો બોજ પડયો છે
રાજ્ય સરકારે તો ખેડૂતોને સસ્તી વીજળી મળે તે માટે વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડની સબસીડી ચૂકવી
ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ""કૃષિ વીજદર માં ૩૦૦ ટકાનો વધારો ઝિંકાયો'' શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલોને સરાસર ખોટા અને સત્ય વિહોણા તથા માત્ર રાજકીય ઇરાદા પ્રેરિત ગણાવ્યા છે. ઊર્જા મંત્રીશ્રીએ અહેવાલમાં અપાયેલી વિગતોને વિસંગત ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હકિકતમાં તો રાજ્યમાં વીજ નિયમન પંચે જાહેર કરેલા વીજદર કરતાં અડધો અડધ એટલે કે પ૦ ટકાથી પણ ઓછા વીજ દરે ખેડૂતોને વીજળી અપાય છે.
શ્રી સૌરભભાઇ પટેલે અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, વાસ્તવમાં તો છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા અવારનવાર કોલસા, ગેસ અને રેલ્વે ભાડામાં વધારો ઝિંકતાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪ર૮૬ કરોડનો વધારો થવા પામ્યો છે તેમ છતાં તેનું કોઇ ભારણ ખેડૂતો ઉપર સરકારે પડવા દીધું નથી.
રાજ્યમાં વીજ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વીજગ્રાહકો પાસેથી વસુલ કરવાની વીજ નિયમન પંચની નિતી હોવા છતાં કિસાનોના હિતના હૈયે રાખીને રાજ્ય સરકારે તેનું ભારણ ખેડૂતો ઉપર પડવા દેતા છેલ્લા ત્રણ વર્ષમાં વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડ સબસિડી તરીકે ચૂકવ્યા છે.
શ્રી સૌરભભાઇ પટેલે અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન સરકાર હંમેશા કૃષિ હિતકારી નિર્ણયો અને પગલાંઓને વરેલી રહી છે, તેથી રાજ્યમાં હોર્સપાવર આધારિત વીજ દર ભરતા કિસાનો પાસેથી ૭.પ હોર્સ પાવરના વપરાશ સુધી પ્રતિવર્ષ રૂ. ૬૬પ પ્રતિ હોર્સપાવર પ્રમાણે તથા ૭.પ હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વપરાશકાર ખેડૂતોને રૂા.૮૦૭.પ૦ પ્રતિવર્ષ/પ્રતિહોર્સપાવરના દરે રાજ્ય સરકાર વીજળી આપે છે જેના દર ગુજરાત વીજ નિયમન પંચે પ્રતિ હોર્સપાવર/પ્રતિવર્ષ રૂા. ૧૯૨૦ ના જાહેર કરેલા છે. આમ, વીજ નિયમન પંચના દર કરતાં પણ પ૦ ટકા જેટલા ઓછા વીજ દરે ખેડૂતોને વિજળી આપીને બાકીની રકમ રાજ્ય સરકાર વીજ કંપનીઓને સબસીડી પેટે ચૂકવે છે, જે રૂા. ૭પપ૦ કરોડ જેટલી થવા જાય છે.
કિસાન હિતકારી નીતિને વરેલી સરકાર સબસીડીનો મોટો બોજ વહન કરીને પણ ખેડૂતોને પોષાય તેવા વીજ દર વસુલ કરી રહી હોય ત્યારે માત્ર રાજકીય જુઠ્ઠાણા ફેલાવીને ખેડૂતોના હામી હોવાના દાવા કરતા આવા અખબારી નિવેદનો ખેડૂતો સમાજની આંખમાં ધૂળ નાંખવા સમાન છે પણ ખેડૂતો તેનાથી ગેરમાર્ગે દોરાવાના નથી તેમ ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કૃષિક્ષેત્રે દેશના માર્ગદર્શક બની ડબલ ડિઝીટ કૃષિ વિકાસ દર મેળવનારા ગુજરાત જેવા વિકાસને વરેલા રાજ્યના કિસાનોને ગેરમાર્ગે દોરી આંદોલનના એલાનો આપતા અને રાજકીય રોટલા શેકવા માગતા નિવેદનજીવી નેતાઓની ભ્રમજાળમાં ફસાવાથી સચેત રહેવા પણ રાજ્યના ધરતીપૂત્રોને અનુરોધ કર્યો છે.

રાજકોટ જિલ્‍લાના ચાર તાલુકાઓમાં ગરીબ કલ્‍યાણ મેળા યોજાશે આશરે ૧૭૧૬૮ લાભાર્થીઓને રૂ. ૧૪૨૦.રપ લાખના સાધન સહાયનું હાથોહાથ થનારૂ વિતરણ


રાજકોટ  -  સમગ્ર રાજયમાં તા. ૩જી નવેમ્‍બર-૨૦૧૧થી તાલુકા ગરીબ કલ્‍યાણ મેળા શરૂ થનાર છે. જે અંતર્ગત રાજકોટ જિલ્‍લામાં તા. ૩જીએ લોધીકા ખાતે કુમાર શાળામાં અંદાજે રર૩૬ લક્ષિત લાભાર્થીઓને રૂ. ૧૨૦.૬૦ લાખના સાધન સહાય અર્પણ થશે. તેવી જ રીતે તા. ૪ નવે.ના રોજ નવા માર્કેટીંગ યાર્ડ, ગોંડલ ખાતે ૬૧૦૪ લાભાર્થીઓને રૂ. ૩૦૩ લાખ અને તેજ દિવસે માળીયા મીંયાણા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ર૬૪૦ લાભાર્થીને રૂ. ર૫૬ લાખ તેમજ તા. પમી નવેમ્‍બરના રોજ મોરબીના જેન્‍યુઇન સીરામીક બેલા ખાતે ૬૧૮૮ લાભાર્થીઓ ને રૂ. ૭૪૦.૬૫ લાખના સાધન સહાય મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવશે.
 જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર આ કામગીરી સફળતા પુર્વક પાર પાડવા મહેનત કરી રહ્યું છે.

રાજકોટની ગુમ બાળા અંગે માહિતી મળેતો પોલીસને જાણ કરવી


રાજકોટ  -  રાજકોટની તિરૂપતિ સોસાયટી કોઠારીયા ખાતે રહેતા જયસુખભાઇની પુત્રી રાધીકા ઉર્ફે જયશ્રીબેન ગઇ તા. ૧૫/૧૦/૧૧ના રોજ પોતાના ઘરેથી સાંજના ૭-૦૦ વાગ્‍યા આસપાસ ગુમ થયેલ છે. મજબુત બાંધાની ઘઉવર્ણી આ બાળાનો ડાબા હાથની વચલી આંગળીનો નખ નથી, તેણીએ પંજાબી ડ્રેસ પહેરેલ છે. આ અંગે કોઇને જાણકારી મળે તો રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્‍ટેશન અથવા નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો તેમ ભકિતનગર પોલીસ સ્‍ટેશનની યાદીમાં જણાવાયું છે.

BLACKMAILER RASHMIKANT CAUGHT BY JETPUR POLICE


રવિવાર, 30 ઑક્ટોબર, 2011

16 અદભૂત વાતો, જે જિંદગીમાં દરેક વખતે કામ આવશે..



1-ગુણઃ- ન હોય તો રૂપ વ્યર્થ છે.

2-વિનમ્રતા- ન હોય તો વિદ્યા વ્યર્થ છે.

3-ઉપયોગ- ન આવે તો ધન વ્યર્થ છે.

4-સાહસ- ન હોય તો હથિયાર વ્યર્થ છે.

5-ભૂખઃ- ન હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ- ન હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર- ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8-ગુસ્સો-અકલને ખાઈ જાય છે.

9-અંહકાર- મનને ખાઈ જાય છે.

10-ચિંતાઃ- આયુને ખાઈ જાય છે.

11-રિશ્વત- ઇન્સાફને ખાઈ જાય છે.

12-લાલચ- ઇમાનને ખાઈ જાય છે.

13-દાન- કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14-સુંદરતા- વગર લજ્જા(લાજ) વગરની સુંદરતા વ્યર્થ છે.

15-દોસ્ત-ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.

16-ચહેરોઃ-માણસની કિમત તેની સૂરતથી નહીં પણ સીરત અર્થાત ગુણોથી લગાવવી જોઈએ.
 

એટીએમ કાર્ડ ખોવાઇ જાય તો બેંકને માત્ર SMS કરવાથી બ્લોક કરી શકાશે



વડોદરા,:  બેંકોમાં ગ્રાહક સેવાઓ વધારવા માટે દામોદરન કમિટીએ સૂચવેલી ભલામણોનો અમલ કરવાની રિઝર્વ બેંકે જાહેરાત કરી છે. તેના પગલે હવે જો કોઇ ખાતેદારનુ એટીએમ કાર્ડ ગુમ થઇ જાય તો તેણે મોબાઇલ પરથી એક એસએમએસ કરીને બેંકને એલર્ટ કરી કાર્ડ બ્લોક કરાવી શકશે. જ્યારે બેંકના ખાતેદારને હાલમાં થાપણ પર રૂ.૧ લાખ સુધીનું વીમા કવચ મળતુ હતુ. તેમાં વધારો થઇને રૂ.૫ લાખ સુધીનું કવચ મળશે. આ ભલામણોના અમલ માટે ટૂંક સમયમાં જ આઇબીએ દ્વારા વિધિવત રીતે જાહેરાત કરાશે, તેમ બેંકિગ સૂત્રોએ જણાવ્યુ છે. રિઝર્વ બેંકના ગવર્નરે કરેલી જાહેરાત મુજબ ટૂંક સમયમાં જ ઇન્ડિયન બેંકસ એસોસિએશન (આઇબીએ) દ્વારા દામોદરન કમિટીની ભલામણોના અમલ માટે વિધિવત નિર્ણય લેવામાં આવશે. એટીએમ કાર્ડ ચોરાઇ જાય તો વર્તમાન પધ્ધતિ મુજબ ખાતા નંબર અને બેંકના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવામાં જ સમય જતો હોય છે. આ સમયમાં જ કૌભાંડીઓ ઘણી વખત એટીએમ કાર્ડનો દુરૂપયોગ કરીને નાણાં ઉપાડી લેતા હોય છે. પણ દામોદરન કમિટીની ભલામણ મુજબ બેંક દ્વારા ગ્રાહકને અપાયેલા નંબર પર માત્ર એસએમએસ કરવાનો અને તેમાં પણ માત્ર’ બ્લોક ‘ લખાતા જ ગ્રાહકનું એટીએમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જ્યારે ગ્રાહક સેવા માટે પણ દરેક બેંકો માટે એક જ ટોલ ફ્રી નંબર જાહેર કરવાનો રહેશે. જે નંબર ખાતેદાર ડાયલ કરે ત્યાર બાદ ખાતેદાર જે બેંકની સેવાની વાત કરતો હોય તે બેંકના પ્રતિનિધિની સાથે વાત કરાવાશે. ટોલ ફ્રી નંબરના પગલે પણ ઘણા ખાતેદારોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થશે.બેંકો દ્વારા થર્ડ પાર્ટી કોમન સિંગલ નોયોર કસ્ટમર ડેટા બેંક પણ તૈયાર કરાશે. જેથી અલગ અલગ રીતે પોતાની માહિતી અલગ અલગ બેંકોને આપનારા કૌભાંડીઓ પણ ઝડપાઇ જશે. કેવાયસી ડેટા બેંક હોવાથી ઝડપથી દેશભરમાં બેંક અધિકારીઓ જરૂરી નિર્ણય લઇ શકશે.જ્યારે પેન્શનરો માટે પણ એવી ભલામણ કરવામાં આવી છે કે, જો પેન્શનરો પોતાની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરે તેની સાથે જ  બેંકની કોર બેંકિંગ સુવિધા ધરાવતી કોઇ પણ બ્રાન્ચમાં સિનિયર સિટીજન તરીકેની નવી માહિતી ઉમેરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બેંકોમાં ગ્રાહક સેવાને વધુ મજબૂત બનાવવા માટે ગત વર્ષે રિઝર્વ બેંકે એમ.દામોદરન વડપણ હેઠળની એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ તેનો અહેવાલ તાજેતરમાં જ રિઝર્વ બેંકને રજૂ કર્યો હતો.
 Reply
 Reply to all
 Forward

નીરા રાડિયાએ પીઆર કન્સલ્ટન્સી વ્યવસાય છોડ્યો

નીરા રાડિયાએ પીઆર કન્સલ્ટન્સી વ્યવસાય છોડ્યો: ટાટા ગ્રૃપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગજ કોર્પોરેટ ગ્રાહકો માટે પીઆર કન્સલ્ટેન્સી આપનારી કંપની વૈષ્ણવી ગ્રૃપની નીરા...

સુદર્શન અને મૌલાના કલ્બે સાદિક વચ્ચે મુલાકાત

સુદર્શન અને મૌલાના કલ્બે સાદિક વચ્ચે મુલાકાત: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ભૂતપૂર્વ સરસંઘ ચાલક...

આંધ્ર પ્રદેશમાં 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પાર્ટી છોડી

આંધ્ર પ્રદેશમાં 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પાર્ટી છોડી: આંધ્ર પ્રદેશમાં સત્તાધારી કોંગ્રેસના તેલંગણા ક્ષેત્રના 3 ધારાસભ્યોએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ત્રણેયે તેલંગણા રાષ્ટ્ર સમિતિ...

ક્વીન્સ બેટન મામલે CBI આશિષ પટેલને આરોપી બનાવશે

ક્વીન્સ બેટન મામલે CBI આશિષ પટેલને આરોપી બનાવશે: સ્કોટલેન્ડ યાર્ડથી મળેલા પુરાવાના આધારે સીબીઆઈ એએમ ફિલ્મ્સ એન્ડ એએમ વેન્સના માલિક આશિષ પટેલને કોમનવેલ્થ ગેમ્સ...

શુંગલૂ કમિટિ દ્વારા CAG, CVCમાં પરિવર્તનની ભલામણ

શુંગલૂ કમિટિ દ્વારા CAG, CVCમાં પરિવર્તનની ભલામણ: કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (કેગ)ના કેટલાક રિપોર્ટોને લઈને પેદા થયેલા વિવાદ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ પરિયોજનાઓના સંબંધમાં...

દેશના દરેક જિલ્લામાં બે-બે શાળાઓ ખોલશે અઝીમ પ્રેમજી, જ્યાં અપાશે મફત શિક્ષણ

દેશના દરેક જિલ્લામાં બે-બે શાળાઓ ખોલશે અઝીમ પ્રેમજી, જ્યાં અપાશે મફત શિક્ષણ: અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને દેશની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આણવાનું બીડું ઝડપ્યું છે. ફાઉન્ડેશનની દેશભરમાં 1300 શાળાઓ ખોલવાની યોજના છે. આ પ્રકારે દરેક જિલ્લા

રાલેગણ : ટીમ અણ્ણાની બેઠક જારી

રાલેગણ : ટીમ અણ્ણાની બેઠક જારી: રાલેગણ સિદ્ધિમાં વરિષ્ઠ સમાજસેવી અણ્ણા એન્ડ ટીમની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ટીમ અણ્ણા પર થઇ રહેલા હુમલા સામે પહોંચી વળવા અંગેની રણનીતિ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

કઠોર મહેનત

કઠોર મહેનત 

RSS મુદ્દે દિગ્ગીનો ફરી અણ્ણા પર વાર : કહ્યું, હઝારે કરતા રામદેવ વધુ ઈમાનદાર

RSS મુદ્દે દિગ્ગીનો ફરી અણ્ણા પર વાર : કહ્યું, હઝારે કરતા રામદેવ વધુ ઈમાનદાર: યોગગુરુ બાબા રામદેવને દરેક તબક્કે અપ્રામાણિક ગણાવવાના પ્રયાસો કરનારા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ આજકાલ તેમની પ્રામાણિકતાની પ્રશંસા કરતા ફરી રહ્યા છે.

સુંદર રંગોળી

સુંદર રંગોળી

અમરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી

અમરસિંહને હોસ્પિટલમાંથી રજા મળી: સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અને રાજ્યસભાના સબ્ય અમરસિંહને રવિવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માંથી રજા આપી દેવામાં આવી. કેશ ફોર વોટ

પ્રોસેસ હાઊસ સંચાલકોના પાપે જેતપુરનો સાદી ઉદ્યોગ ભૂતકાળ બનવાના આરે ?


પ્રોસેસ હાઊસ સંચાલકોના પાપે જેતપુરનો સાડી ઉદ્યોગ ભૂતકાળ બનવાના આરે ?  

ITને ચૂકવવાની રકમ માટે મિત્ર પાસેથી લોન લેશે કેજરીવાલ

ITને ચૂકવવાની રકમ માટે મિત્ર પાસેથી લોન લેશે કેજરીવાલ: ટીમ અણ્ણાના મહત્વના સભ્ય એવા અરવિંદ કેજરીવાલે ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટને ચૂકવવાના નાણા માટે લોન લેવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રાજસ્વ સેવા (IRS)ના અધિકારી રહી ચૂકેલા કેજરીવા

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો



મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી-જાહેરજીવન અંગે સને ૨૦૧૨ સુધીમાં સ્વરચિત પુસ્તકનું ફ્રેન્ચ ભાષામાં પ્રકાશન કરવા કટિબધ્ધ ફ્રાન્સના સન્નારી સુશ્રી ચેન્ટાલ આન્ડીવેનો નવસારીના સદભાવના મિશનનો અનુભવ મેળવીને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં.રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિકાસની સાથે પ્રેમ, ભાઇચારો, એકતા અને સદ્‍ભાવના માટે ઉપવાસની સાધના કરે તે જાણીને તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી.
ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે સુશ્રી ચેન્ટાલ ભારતીય સંસ્કૃતિથી ધણાં પ્રભાવિત છે. તેઓ વૈદિક સંસ્કૃતિના પુરસ્કર્તા આર્ય સમાજના ગાઢ સંપર્કમાં છે. અને તેમનું ભારતીય નામકરણ શકુન્તલા કરવામાં આવ્યું છે. જેનો તેઓ હંમેશા પોતાના મૂળ નામની સાથે સગર્વ ઉલ્લેખ કરે છે.
સુશ્રી ચેન્ટાલ ઉર્ફે શકુન્તલાની સદભાવના મિશનની મુલાકાતનો વિશેષ આશય જાહેર જીવનમાં પ્રવૃત્ત મુખ્યમંત્રીશ્રીને નિકટથી નિહાળવાનો છે. આ અગાઉ તેમણે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનુભવ મેળવ્યો છે. તેમણે સંખ્યાબંધ વાર ગુજરાતની મુલાકાત લીધી છે.
નવસારીના જિલ્લા કલેકટર સંધ્યા ભુલ્લરે આ વિદેશી અતિથિને મંડપમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સુશ્રી ચેન્ટાલે ગઇકાલે રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાંસદ ભરતસિંહ પરમાર સાથે સંવાદ કર્યો હતો. તેમણે ડૉ. સુષ્મા અગ્રવાલ સાથે વિકાસશીલ ગુજરાત પ્રદર્શન નિહાળ્યું હતું તથા યાદગીરી માટે તસવીરો પાડી હતી. સદભાવના મિશનના મુખ્યમંચ પર ભારત માતાની તસવીર નિહાળી અને એક ગોડેસ દેવી સ્વરૂપે રાષ્ટ્રને કલ્પીને તેનું પૂજન કરવાની ભાવના અંગે જાણકારી મેળવીને આનંદની લાગણી વ્યકત કરી હતી.
ભારતીય કુટુંબ જીવનની ઉષ્માપૂર્તતાનો અનુભવ કરાવવા સુશ્રી ચેન્ટાલને રોટરી કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર અને નવસારીના અગ્રણી ઉઘોગપતિ રોટેરીયન દિનેશસિંહ ઠાકુરના ધેર ઉતારો આપવામાં આવ્યો હતો. શ્રી દિનેશભાઇ અને તેમના ધર્મપત્ની વિણાબેનનું ઉષ્માભર્યું આતિથ્ય માણીને સુશ્રી ચેન્ટાલ ખૂબ જ અભિભૂત થયાં હતા. ભારતીય પરિવારોમાં મહેમાનનું આગમન આનંદનો પ્રસંગ ગણાવાય છે અને યજમાન પરિવાર મહેમાનને દખલરૂપ ન ગણતા, અતિથિ દેવો ભવની ભાવનાની સત્કાર કરે છે તે જાણીને તેઓએ સાનંદાર્યની લાગણી અનુભવી હતી. ઠાકુર દંપતિએ તેમને સમય ફાળવીને નવસારી અને અખંડ હરિયાળી ધરાવતા દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવા અને મહેમાન બનવા ઇજન પાઠવ્યું હતું.