અનુયાયીઓ

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

રાજકોટ જિલ્‍લામાં મતદારયાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણાનો જાહેર થયેલો કાર્યક્રમ મતદારો મતદાર-યાદીમાં પોતાના નામો જોઇ શકશે-સુધારા-વધારા સૂચવી શકશે

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જીલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે આજે બપોરે યોજેલી પત્રકાર પરીષદમાં જણાવ્‍યુ હતુ કે ભારતનાં ચૂંટણી પંચના આદેશ અનુસાર તા. ૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ કામગીરી જિલ્‍લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાશે. મતદારો મતદાર યાદીમાં પોતાના નામોની ચકાસણી કરી શકશે અને સુધારાવધારા સૂચવી શકશે.
કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે મતદાર યાદીની ખાસ સંક્ષીપ્‍ત સુધારણાનો કાર્યક્રમ આ પ્રમાણે યોજાશે જે મુજબ ફોટાવાળી મતદાર યાદીના મુસદાની પ્રસિધ્‍ધિ તા. ૧/૧૦/૨૦૧૧ના રોજ થશે ત્‍યાર બાદ મતદાર યાદીમાં હકક દાવા અને વાંધા રજુ કરવાની પ્રક્રિયા તા. ૧/૧૦/૧૧ થી તા. ૧/૧૧/૧૧ સુધી ચાલુ રહેશે. તા. ૮/૧૦/૧૧ તથા તા. ૧૧/૧૦/૧૧ના રોજ જિલ્‍લાના ગામોમાં ગ્રામસભામાં તથા શહેરી વિસ્‍તારમાં સ્‍થાનિક સંસ્‍થાઓ અને નિવાસી કલ્‍યાણ સંઘોની બેઠકમાં મતદાર યાદીના સબંધિત ભાગોનું વાંચન કરાશે. તા. ૮ અને ૯ ઓકટોબર-૨૦૧૧ તેમજ બીજા તબક્કે તા. ૧૫ અને ૧૬ ઓકટોબર-૨૦૧૧ના રોજ જીલ્‍લા /શહેરોમાં નિયોજીત સ્‍થળે હક્ક-દાવા-વાંધા સ્‍વીકારવા માટેની ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. મતદાર યાદી સુધારણા સબંધમાં હક્ક દાવો અને વાંધાઓનો નિકાલ કરવાની આખરી તારીખ ૧/૧૨/૨૦૧૧ નિયત કરાઇ છે. તા. ૩૧-૧૨-૨૦૧૧ સુધીમાં મતદાર યાદીની પૂરવણી યાદીઓ તૈયાર કરાશે અને છાપકામની તથા એન્‍ટ્રી બાદ તેની ચકાસણી કરાશે. મતદારોના ફોટાવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિ તા. ૫/૧/૨૦૧૨ ના રોજ પ્રસિધ્‍ધ કરાશે.
મતદાર યાદીની સંક્ષીપ્‍ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ બી-એલ ઓ સહિતને તા. ૧/૧૦/૧૧ થી મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિની કામગીરી પૂર્ણ થતાં સુધી અનિવાર્ય ખાસ સંજોગો સિવાય રજા કે બદલી ઉપર બાન મૂકવામાં આવેલ છે.
કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે જિલ્‍લાનાં ૧૧ વિધાનસભા મતદાર મંડળના કૂલ ર૩,૭૧,૪૭૬ મતદારો છે. જે પૈકી રર,૮૨,૩૨૧ મતદારોનો ફોટાવાળી મતદાર યાદીમાં સમાવેશ છે. એટલે કે કૂલ મતદારોનાં ૯૬ ટકા મતદારોનો ફોટા પડી ગયા છે.
મતદાર યાદીમાં નામો સુધારવા, ઉમેરવા કે નામો કમી કરવા સહિતના સુધારણા કાર્યક્રમ માટે જિલ્‍લા ચૂંટણી તંત્રે માન્‍ય રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી અને મતદાન મથક દીઠ પક્ષ દ્વારા બી.એલ.એ.ની નિમણૂક કરવા અને આ કાર્યક્રમ દરમ્‍યાન પુરતો સાથ સહકાર આપવા તેઓને અપીલ કરાઇ હતી તેમ કલેકટરશ્રીએ જણાવ્‍યુ હતું.
રાજકોટ જિલ્‍લામાં ૮૨ કોલેજોમાં સબંધિત કોલેજનાં કર્મચારીઓને પદનાપિત અધિકારી તરીકે નિયુકત કરવામાં આવેલ છે. જેઓ સંસ્‍થાના વિદ્યાર્થીઓ મતદાર યાદીમાં નામ નોંધાવાની પાત્રતા ધરાવતા હોય તો તેઓના ફોર્મ મેળવી જિલ્‍લા ચૂંટણી કચેરીને મોકલી આપશે.
સરગમ કલબ દ્વારા નવરાત્રી મહોત્‍સવ ‘‘ગોપીરાસ’’નું નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્‍તે ઉદધાટન
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – શહેરની જાણીતી સામાજીક સંસ્‍થા સરગમ કલબે દર વર્ષની જેમ આ વર્ષે પણ મા ના નોરતા સમાજને સથવારે ઉજવવાનું ખુબજ ધામધુમ પુર્વક આયોજન કર્યુ છે.
ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે સરગમ કલબ દ્વારા યોજાયેલ માત્ર બહેનો માટેના આ ‘‘ગોપીરાસ’’ કાર્યક્રમનું ઉદધાટન રાજયના નાણામંત્રી અને સરગમ કલબના ચેરમેનશ્રી વજુભાઇ વાળાએ દીપ પ્રગટાવીને કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યુ કે રાજકોટના યુવાધન સમી અને સમાજની ઘરોહર બહેનો નવરાત્રીના નવ દિવસ જે આનંદ, ઉત્‍સાહ અને જોમ અને થનગનાટ પૂર્વક રાસ રમીને ભકિત આરાધના કરે છે તેવો જ જોમ, જુસ્‍સો, આનંદ, ઉત્‍સાહ અને થનગનાટ તેઓના જીવનમાં મા શકિતની કૃપાથી રહે અને રાસ રમતી બહેનો અહીં મોટા સમુહમાં જે પારિવારિક સમુહ ભાવના અને માતૃભાવ સાથે પ્રેમથી રમે છે તેવી જ કુટુંબભાવના, પ્રેમ અને લાગણી તેમના જીવનમાં પણ ઉતારીને આપણા સંસ્‍કાર વારસાને ભકિતરસ સાથે જીવંત રાખે તેવી અભ્‍યર્થના વ્‍યકત કરી હતી.
આ પ્રસંગે જાણીતા કેળવણીકાર, દાનવીર શ્રી જયંતીભાઇ કુંડલીયા, સરગમ લેડીઝ કલબના ચેરમેન ચંદાબેન શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
શરૂઆતમાં સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળાએ મહેમાનોનું સ્‍વાગત કર્યુ હતુ અને ચંદાબેન શાહે આભારવિધિ કરી હતી.
પડઘરી તાલુકાની પાંચ સિંચાઇ યોજના દ્વારા પ૪૬૨ હેકટર વિસ્‍તારને સિંચાઇની સુવિધા
૨૬ ગામોને મળતો લાભ
તાલુકામાં એક દશકામાં ૪૬૪ ચેકડેમ બન્‍યા
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જીલ્‍લાનાં પડઘરી તાલુકામાં પાંચ સિંચાઇ યોજનાઓ આવેલી છે. જેમાં આજી-ર, આજી-૩, ન્‍યારી-ર, ખોડાપીપર અને ડોંડીનો સમાવેશ થાય છે. આ યોજનામાં ૩૬૧૨.૫૨ એમ.સી.એફ.ટી. પાણીની સંગ્રહ ક્ષમતા છે. તાલુકાનાં ર૬ ગામોની પ૪૬૨.૮૩ હેકટર જમીન વિસ્‍તારને સિંચાઇની સુવિધાનો લાભ મળી રહ્યો છે. યોજનાવાર જોઇએ તો આજી-ર યોજના હેઠળ સાત ગામોની ૧૮૬૯ હેકટર, આજી-૩માં ૯ ગામોની ૧૭૮૨ હેકટર, ન્‍યારી-રમાં પ (પાંચ) ગામોની ૬૬૧.૮૩ હેકટર, ખોડાપીપર યોજનામાં બે ગામોની ૧૪૦ અને ડોંડી યોજનામાં ૩ ગામોની ૧૦૧૦ હેકટર જમીન વિસ્‍તારનો સમાવેશ થાય છે. આ પાંચ યોજનામાં ૬૫.૭૦ કી.મી.ની કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઇ સુવિધા ઉપલબ્‍ધ બનાવવામાં આવી છે.
આ પાંચ સિંચાઇ યોજના પાછળ રુ. પ૭૭૭.૩૨ લાખનો ખર્ચ થયેલ છે.
તેવી જ રીતે તાલુકામાં સરદાર પટેલ સહભાગી સિંચાઇ યોજના, સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ, તળાવ અને પુરસંરક્ષણના કામો પણ હાથ ધરવામાં આવ્‍યા છે. છેલ્‍લા એક દશકામાં તાલુકામાં ૪૬૪ ચેકડેમ, નવ તળાવો અને ચાર પૂરસંરક્ષણના કામો પણ થયેલા છે.
હેલ્‍પ લાઇન હેલ્‍પ લાઇન
રાજકોટ જિલ્‍લામાં તા. ૧ ઓકટોબરથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ શરૂ થશે
લોકોને હેલ્‍પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા. ૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજકોટ જિલ્‍લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ તા. ૧/૧૦/૧૧ના રોજ શરૂ થનાર છે. આ મતદાર યાદી કાર્યક્રમ અન્‍વયે મતદાર યાદીમાં લોકોનું નામ છે કે નહીં તે જાણવા માટે હેલ્‍પલાઇનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. આ હેલ્‍પ લાઇનના ટેલિફોન નંબરો અનુક્રમે ર૪૫૦૫૭૫, ૨૪૫૦૫૪૮, ૨૪૫૦૫૫૭, ૨૪૫૦૫૬૮ અને ૨૪૫૦૫૬૫ છે.
આ હેલ્‍પલાઇનનો લોકોને ઉપયોગ કરવા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે અનુરોધ કરેલ છે.
ધોરાજી તાલુકામાં ૪૪ તળાવો ઉંડા કરાયા-૧૫૭ નવા ચેકડેમો બન્‍યા

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – ધોરાજી તાલુકાના જુદા જુદા ગામોમાં જળસંચયના હેતૂ માટે ૪૪ તળાવો ઉંડા ઉતારાયા છે. સિંચાઇ અને વોટરશેડ તથા એન.આર.ઇ.જી.એ. યોજના હેઠળ તાલુકામાં ૧૫૭ નવા ચેકડેમો બંધાયા છે. તાલુકામાં વધુ ર૩ તળાવો અને ૪૩ ચેકડેમો સિંચાઇ વિભાગ-એન.આર.ઇ.વી. યોજના હેઠળ બનાવવાનો લક્ષ્‍યાંક રખાયો છે.
હળવદ તાલુકાના સુંદરગઢ તથા શિરોઇ ગામે બોરની સુવિધા ઉપલબ્‍ધ કરાશે

રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ તાલુકાના નવા વસાવાયેલ ગામો સુંદરગઢ તથા શિરોઇ ખાતે પીવાના પાણી માટે અંદાજે રૂ. પ.૧૧ લાખના ખર્ચે બોર તથા સબ મર્સીબલની સુવિધા બ્રાહ્મણી-ર જળસંપતિ યોજના અંતર્ગત ઉપલબ્‍ધ કરવામાં આવશે.
મચ્‍છુ-ર સિંચાઇ યોજના અંતર્ગત ઇન્‍સ્‍પેકશન ગેલેરીનું કામ હાથ ધરાશે
રાજકોટ તા. ૨૯ સપ્‍ટેમ્‍બર – રાજકોટ જિલ્‍લાના મોરબી તાલુકામાં આવેલ મચ્‍છુ-ર સિંચાઇ યોજના અંતર્ગત રેસ્‍ટોરેશન ઓફ ઇન્‍સ્‍પેકશન ગેલેરીનું કામ અંદાજે રૂ. ર૪.ર૮ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ કામ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઇ અને જાળવણી વિભાગ, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવ્‍યું છે.
એ.પી.જોશી/ ભટ્ટ
બાયોમેડિકલ વેસ્ટના વર્તમાન નિયમો નવેસરથી નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના વન અન પર્યાવરણ મંત્રાલયે મંગાવ્યા વાંધા-સુચનો
બાયોમેડિકલ વેસ્ટના વર્તમાન નિયમો નવસેરથી નક્કી કરવા માટે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે વાંધા-સૂચનો મંગાવ્યા છે. આ અંગે સૂચિત જૈવિક તબીબી કચરો (વ્યવસ્થાપન અને જાળવણી) નિયમો, ર૦૧૧ શીર્ષક સૂચવ્યું છે. આ નવા નિયમોના મુસદામાં વર્તમાન નિયમો અને તેમાં કરાયેલા સુધારાઓ સહિત નવેસરથી મહત્વના મુદાઓને પણ આવરી લઇને તા.ર૪/૮/ર૦૧૧નાં રોજ અંગ્રેજી જાહેરનામામાં વિગતો આ મંત્રાલયની વેબસાઇટ www.envfor.nic.in પર પ્રદર્શિત કરી છે, એમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગરનાં સભ્ય સચિવ શ્રી હાર્દિક શાહે જણાવ્યું છે.
આ સૂચિત નિયમોમાં ચિકિત્સાલય, પરિચર્યાગૃહ (નર્સિંગ હોમ), નિદાનગૃહ, દવાખાનુ, પશુ જૈવિક સંસ્થા, પશુગૃહ, રોગ વિજ્ઞાન વિષયક (પૅથોલોજીકલ) પ્રયોગશાળા, રૂધિરાગાર (બ્લડબૅંક) સહિતની તથા અન્ય કોઇપણ નામથી ઓળખાતી બાયોમેડિકલ કચરો ઉત્પન્ન કરતી સંસ્થાના જવાબદાર વ્યક્તિ તેમજ આવો કચરો એકત્ર કરતી, પ્રાપ્ત કરતી, સંગ્રહ કરતી, પરિવહન કરતી, માવજત (ટ્રીટમેન્ટ) કરતી, નિકાલ કરવાની સુવિધા ધરાવતી વ્યક્તિ, સંસ્થા કે સંચાલકો સહિતની ફરજો સ્પષ્ટ કરવામાં આવી છે.
વર્તમાન નિયમોમાં બાયોમેડિકલ વેસ્ટના દર્શાવેલા પ્રકાર દસ (૧૦) ને બદલે નવા સૂચિત નિયમોમાં ૮ કરવાના છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના કન્ટેઇનર/પાત્રની રંગસંજ્ઞામાં પણ સ્પષ્ટતા કરી છે. વર્તમાન નિયમ મુજબ પ્રતિમાસ ૧૦૦૦ દર્દીઓથી ઓછાને તપાસતા દાક્તરોને ઑથોરાઇઝેશન ન મેળવવાનો નિયમ રદૃ કરવાનો થાય છે. અર્થાત હવે કોઇને પણ બાકાત ન રાખતા આ નવા થનારા નિયમો હેઠળ ઑથોરાઇઝેશન ફરજિયાત મેળવવાનું રહેશે.
આ સૂચિત નવેસરથી તૈયાર થનારા નિયમોના મુસદાની બાબત જાહેર જનતાના ધ્યાન પર મુકીને આ ક્ષેત્રે રસ ધરાવતી વ્યક્તિ કે સંસ્થાઓ તેઓના વાંધા-સૂચનોને સચિવશ્રી, વન અને પર્યાવરણ મંત્રાલય, પર્યાવરણ ભવન, સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૩ના સરનામે પત્ર અથવા secy-moef@nic.in સરનામે ઇ-મેઇલથી તા.ર૪/૮/ર૦૧૧ થી દિન-૬૦માં મોકલી શકે છે, એમ યાદીમાં જણાવાયું છે.
કલ્‍યાણપુર ના રણજીતપર ખાતે રૂ.૧૩ લાખના ખર્ચે વાસ્‍મો દ્વારા પાણી પૂરવઠાના કામો હાથ ધરાશે
કલ્‍યાણપુર તાલુકાના રણજીતપર ગામે વાસ્‍મો યુનિટ જામનગર દ્વારા રૂ.૧૩ લાખના ખર્ચે પાણી પૂરવઠાના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. રણજીતપરના ગ્રામવાસીઓને પીવાના પાણીની સુવિધા માટે હાથ ધરાનાર આ વિકાસ કામોમાં સંપ, પાણી વિતરણ પાઇપ લાઇન, પંપીગ મશીનરી સંપ વીજ કનેકશનનો સમાવેશ થાય છે. રાજય સરકાર દ્વારા રણજીતપરમાં ઘરે-ઘરે પાણી વિતરણ સહિત સુવિધા ઉભી કરાશે. ગ્રામજનોના ૧૦ ટકા લોકફાળાથી આ સુવિધાનું નિર્માણ થશે. તેમ વાસ્‍મો જામનગરની યાદીમાં જણાવાયુ છે.
સેકટર ઓફિસરોને ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી સિવાય રજા મળી શકશે નહી
જામનગર ખાતે કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે બેઠક મળી
જામનગર કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સંદિપકુમારના અધ્‍યક્ષસ્‍થાને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્‍વયે બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ તા. ૧/૧૦/૨૦૧૧ થી તા.૧/૧/૨૦૧૨ સુધી ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ ચાલનાર હોય તે અન્‍વયે જામનગર જિલ્‍લામાં ૧૫૦ જેટલા સેકટર ઓફિસરોની નિમણૂક કરાઇ છે. આ સેકટર ઓફિસરો ઇલેકશન કમિશનના ડેપ્‍યુટેશન ઉપરના કર્મચારીઓ હોય તેઓને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી સિવાય રજા મળી શકશે નહી કે બદલી થઇ શકશે નહી. નિયંત્રણ અધિકારીઓને પણ આ રજા અને બદલી માટે ઇલેકશન કમિશન, ગાંધીનગરની મંજૂરી લેવી પડશે. અન્‍યથા દંડને પાત્ર ઠરશે.
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત સહિતની સ્‍થાનિક સતાએ પણ મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમમાં ફરજો બજાવવાની રહેશે. ખાસ ઝુંબેશ સ્વરૂપે તા. ૮ તથા ૯/૧૦/૧૧ને (શનિવાર તથા રવિવાર) તથા તા. ૧૫ તથા ૧૬/૧૦/૧૧ને (શનિવાર તથા રવિવાર) ના રોજ તમામ મતદાન મથકો ઉપર પદનામીત અધિકારીશ્રીઓ સવારના ૯.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી ફરજ બજાવવાની રહેશે.
બેઠકમાં સેકટર્સ ઓફિસરની તાલીમ, ખેલમહાકુંભ-૨૦૧૨ વગેરે વિશેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિક કલેકટરશ્રી મોદી, અને જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્‍થિત રહયા હતા.
કલ્‍યાણપુર તાલુકાના કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે ખાસ સેમિનાર યોજાશે
૫૭૬ અતિ કુ-પોષિત બાળકો માટે વિશેષ પ્રોજેકટ
જામનગર જિલ્‍લા પંચાયત દ્વારા તા.૧/૧૦/૧૧ ના રોજ કલ્‍યાણપુરના ભાટિયા માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે ૧૦ કલાકે કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે ખાસ સેમિનાર યોજાશે. જેમાં કલ્‍યાણપુરના તમામ ગામના સરપંચ, તલાટીશ્રી, હેલ્‍થ વર્કર, આંગણવાડી વર્કર બહેનો સહભાગી થશે.
સમગ્ર કલ્‍યાણપુર તાલુકાનો ૪૯ મુખ્‍ય સેવિકાની ટીમ દ્વારા સર્વે કરી ૯૫૧૮ બાળકોના વજન – ગ્રેડેશનની કાર્યવાહી કરતા ૫૭૬ બાળકો અતિ કુ-પોષિત જણાયેલ. આ અતિ કુ-પોષિત બાળકોના અપગ્રેડેશન માટે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી અજયકુમારે ખાસ પ્રોજેકટ તરીકે પસંદગી કરી રૂ.૧૮ લાખની આયોજન મંડળની ગ્રાન્‍ટ મંજૂર કરાવી આ બાળકોની માતાઓને પોષણનું શિક્ષણ આપી કુ-પોષણ તથા અયોગ્‍ય પોષણથી થતી મુશ્‍કેલીઓ જડમૂળથી દૂર કરવાનો પ્રોજેકટનો હેતુ છે.
સેમિનારમાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પંડયા, સીડીપીઓ શ્રીમતિ ઇલાબા રાણા તેમજ જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી અજયકુમાર વિશેષ માર્ગદર્શન આપશે. આ બાળકોના અપગ્રેડેશન માટે અત્‍યાર સુધીમાં ૭ કેમ્‍પ પૂર્ણ કરાયા છે. ૪૩૨ બાળકોનું જામનગર જી.જી.હોસ્‍પિટલની નિષ્‍ણાંત ડોકટરોની ટીમ દ્વારા ચેકઅપ કરી ૭૨ બાળકોને જામનર તથા ૯ બાળકોને અમદાવદ સિવિલ તથા વી.એસ હોસ્‍પિટલમાં રીફર કરાયા હતા. આ બાળકોને રહેવા, જમવા તથા આવવા-જવા સહિતની તમામ સુવિધા આપવામાં આવી હતી.
રેડ ઝોન તથા યેલ્‍લો ઝોનમાં આવતા બાળકોને નિયમિત મળતા પૂરક પોષણ ઉપરાંત માતૃમંડળ દ્વારા ફળ તથા પ્રોટિન-કેલરીયુકત ગરમ નાસ્‍તો એક વર્ષ સુધી આપવામાં આવનાર છે. રેડ ઝોનના ૫૭૬ બાળકોનું દર મહિને ગ્રેડિન કરી, નિષ્‍ણાંત ડોકટર દ્વારા નિયમિત આરોગ્‍ય તપાસનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાથે સાથે સગર્ભા, ધાત્રી, કિશોરી તથા બાળકોની માતાને જરૂરી આરોગ્‍ય પોષણનું શિક્ષણ આપી કુપોષણ તથા અયોગ્‍ય પોષણથી થતી મુશ્‍કેલી જડમૂળમાંથી દૂર કરવાનો હેતુ સમાયેલ છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્‍થિત રહેશે.
અર્જૂન/પારૂલ
સુરેન્‍દ્રનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર, તા. ૨૯,નવેમ્‍બર :– ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૧/૧/૨૦૧૨ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત હકક દાવા સ્‍વીકારવાનો સમયગાળો તા.૧/૧૦/૨૦૧૧ થી તા.૧/૧૧/૨૦૧૧ સુધીનો છે. આ સમયગાળા દરમ્‍યાન મતદારો હકક દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે. ફોટાવાળી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્‍ધિ તા.૧/૧૦/૨૦૧૧ના રોજ થી તમામ મતદાન મથકોએ, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, જીલ્‍લા-તાલુકા પંચાયત કચેરીએ તથા સંબંધિત નગરપાલિકા કચેરીએ કરવામાં આવશે.
આ મતદાર યાદીમાં મતદાર પોતાના તેમજ પોતાના કુટુંબીજનોના નામ, સંબંધીના નામ વિગેરેની ખરાઇ કરી શકશે. તા.૧/૧/૨૦૧૨ના રોજ ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા લાયક વ્‍યકિતઓ તેમજ જે વ્‍યકતિઓના નામ મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ વ્‍યકિતઓએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે નમુના-૬માં હકકદાવા રજુ કરવાના રહેશે. મતદારે ફોર્મનં.-૬ સાથે પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો અચુક રજુ કરવાનો રહેશે. મતદારયાદીમાં દાખલ થયેલ મતદારોના નામ સામે વાંધો હોય અથવા મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા માટે પ્રયોગમાં લેવાતા ફોર્મનં. - ૭માં અરજી કરવાની રહેશે. મતદાર યાદીમાં પોતાના નામની વિગતમાં ભૂલ હોય તો સુધારવા માટે ફોર્મ નં. - ૮નો ઉપયોગ કરવાનો રહેશે. મતદાર યાદીમાં એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેર બદલ કરવા માટે નમુના ૮(ક)માં અરજી રજુ કરવાની રહેશે. આ અંગેના તમામ નિયત ફોર્મ સંબંધકર્તાને વિના મુલ્‍યે મામલતદાર કચેરી અથવા નાયબ કલેકટર કચેરી ખાતેથી મળી શકશે. ભરેલા અરજી ફોર્મ જરૂરી પુરાવાઓ સાથે ઉકત કચેરીઓ ખાતે રજુ કરવાના રહેશે.
ઉપરાંત તા. ૮ અને ૯ ઓક્ટોમ્બર - ૨૦૧૧ તથા તા. ૧૫ અને ૧૬ ઓક્ટોમ્બર - ૨૦૧૧ના ખાસ ઝુંબેશના દિવસો દરમ્‍યાન સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી જે તે મતદાન મથકો ઉપર પણ પદનામિત અધિકારીઓ પાસે અરજીઓ/હકકદાવા રજુ કરી શકાય છે. વધુ જાણકારી માટે કલેકટર કચેરી, ચૂંટણીશાખાની હેલ્‍પલાઈન નં. (૦૨૭૫૨) ૨૮૨૭૮૧ તથા સંબંધિત તાલુકા મામલતદાર કચેરીઓ તથા પ્રાંત કચેરીઓનો સંપર્ક કરવા સુરેન્‍દ્રનગર જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સુરેન્‍દ્રનગર જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા ટુંકા ગાળાના તાલીમ વર્ગો યોજાશે
તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ ચુકવાશે
સુરેન્‍દ્રનગર તા.૨૯ સપ્‍ટેઃ- રાજયમાં બાંધકામ ઉદ્યોગનો ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ થઇ રહયો છે. પરંતુ આ ઉદ્યોગોમાં તાલીમબધ્‍ધ કારીગરોની અછત વર્તાય છે, તેના કારણે રાજયના યુવા બેરોજગારોને તાંત્રિક તાલીમ આપી તેઓ રોજગારી ક્ષેત્રે પગભર બને તે હેતુથી રોજગાર કચેરી દ્વારા આઇ.ટી.આઇ. સુરેન્‍દ્રનગર ખાતે ફોર્મ વર્ક, કારપેન્‍ટરી, બાર બેન્‍ડીંગ, પ્‍લમ્‍બીંગ એન્‍ડ સેનીટેશન જેવા એકથી ત્રણ માસના ટુંકાગાળાના તાલીમવર્ગનું આયોજન કરેલ છે. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર અનુ.જાતિ/બી.પી.એલ. ઉમેદવારોને પ્રતિ માસ રૂ.૨૫૦૦/- તથા બક્ષીપંચ અને જનરલ કેટેગરીના ઉમેદવારોને પ્રતિમાસ રૂ.૧૫૦૦/- લેખે રોજગાર કચેરી દ્વારા સ્‍ટાઇપેન્‍ડ શરતોને આધીન ચુકવવામાં આવશે. જેથી જે ઉમેદવારોએ પ થી ૧૦ ધોરણ સુધીનો અભ્‍યાસ કરેલ હોય (ધોરણ-૧૦થી વધારે નહી) તેમજ મહત્તમ ૩૫ વર્ષની વય સુધીના ઇચ્‍છુક ઉમેદવારોએ તા.૧૦/૧૦/૨૦૧૧ સુધી રોજગાર કચેરી, સુરેન્‍દ્રનગર ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવા રોજગાર અધિકારી (વ્‍ય.મા.), સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના સંચાલકો જોગ
સુરેન્‍દ્રનગર તા.૨૯ સપ્‍ટેઃ- સુરેન્‍દ્રનગર જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તમામ પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવની દુકાન)ના સંચાલકોને જણાવવામાં આવે છે કે, અન્‍ય જિલ્‍લાની પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની આકસ્‍મિક તપાસણીમાં ઘણા ભુતિયા રેશનકાર્ડ મળી આવેલ છે. જેથી જિલ્‍લાના તમામ સંચાલકશ્રીઓને જણાવવામાં આવે છે કે, તેઓની દુકાને ઉપલબ્‍ધ હોય તેવા તમામ ભુતિયા રેશનકાર્ડ દિન-૩માં સંબંધિત મામલતદાર કચેરીએ જમા કરાવવા તાકિદ કરવામાં આવે છે. આ સમયગાળો પુરો થયા બાદ દુકાનોની આકસ્‍મિક તપાસણી હાથ ધરવામાં આવશે, જેમાં ભુતિયા રેશનકાર્ડ મળી આવ્‍યેથી સંબંધિતો સામે ગંભીર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ સરકાર માન્‍ય વ્‍યાજબી ભાવની દુકાનના દુકાનદારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
હેતલ/ડેલા

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

સોમનાથ સાનિધ્યે મોરારિબાપુની રામકથા : ૮ મી ઓક્ટોબરે કથાનો પ્રારંભ : તડામાર તૈયારીઓ

ભારતનાં બાર જયોતિgલીંગમાં પ્રથમ અને વિશ્વમાં આસ્થાનાં કેન્દ્ર બિન્દુ સમાન સોમનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં આગામી ઓક્ટોબર મહિનામાં પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે. ત્રિવેણી સંગમનાં કાંઠે યોજાનારી રામકથાની તડામાર તૈયારીઓ વેરાવળ-સોમનાથનાં પત્રકારો દ્વારા કરાઇ રહી છે. યાત્રાધામ વેરાવળનાં પ્રભાસ તિર્થનાં ગોલોકધામ ગીતા મંદિર દેહોત્સર્ગ મેળાનાં વિશાળ મેદાનમાં આગામી તા. ૮/૧૦ થી ૧૬/૧૦ સુધી મોરારીબાપુની રામકથા યોજાશે. કથા શ્રવણનો સમય સવારનાં ૯ થી ૧ નો રહેશે. આ રામકથા મોરારીબાપુએ ઈતિહાસમાં પહેલીવાર પત્રકારોને આપી હોવાથી અખબાર જગતમાં અનેરો ઉત્સાહ છવાયો છે. રામકથા અંગેની માહિતી આપતાં મહેન્દ્ર રાજા, હેમલ ભટ્ટ, દિપક ઠક્કરે જણાવ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રીઓ, વિરોધ પક્ષનાં નેતા તેમજ પ્રિન્ટ-ઇલેકટ્રોનીક જગતનાં મોભીઓને આમંત્રણ મોકલાયા છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ, ભુજ તેમજ મધ્યપ્રદેશ, ગોવામાં પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ પત્રકાર જગતને આમંત્રણ મોકલવાની વ્યવસ્થા ગોઠવાય છે. આ રામકથામાં દેશ-વિદેશની ફિલ્મી હસ્તીઓ, રાજકારણીઓ અને સેલીબ્રીટીઓ ઉપસ્થિત રહેશે. તા. ૮ નાં સોમનાથ દાદાને ધ્વજારોહણ બાદ દગિ્વીજય દ્વારથી બપોરનાં ૧૨.૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે અને કથા સ્થળે પોથીયાત્રાની પધરામણી બાદ કથાનો પ્રારંભ થશે. દરરોજ રાત્રિનાં ૭ થી ૧૦ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ અલૌકિક રામકથા શ્રવણનો પ્રજાજનોને લાભ લેવા અનુરોધ છે. આ તકે સોમનાથ ટ્રસ્ટ, વહિવટી તંત્ર, પોલીસ વિભાગ, આર એન્ડ બી વિભાગ, નગર સેવા સદન, સામાજીક સંસ્થાઓ, યુવક મંડળોનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે. કથા સ્થળે આશરે એક લાખ શ્રોતાજનો બેસી શકે તેવા મંડપો, પાકિઁગની સુવિધા અને પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. રામકથાનાં આયોજનને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાજલી મુકામે ત્રિવેણી સંગમનાં કિનારે આવેલી નવિનર્મિત કુટીરમાં મોરારીબાપુ નિવાસ કરશે. તેઓ દરરોજ નાૈકાવિહાર કરી કથા સ્થળે આવશે. આ કથાનાં મુખ્ય યજમાન મહુવાનાં ચીમનભાઇ વાઘેલા રહેશે. મોરારીબાપુની આ રામકથા ૭૦૨ મી હોય ૭ અને ૨ નો મળી નવનો શુકનિયાળ આંક થાય છે. રામકથાની દરેક માહિતી વેબસાઇટ, ફેશબુક, ઓરકુટ, ટ્વિટર, ગુગલ ઉપર ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાશે. પ્રત્યેક વ્યક્તિ કથા સ્થળ સુધી પહોંચી શકે તે માટે વેબસાઇટhttp://ramkathadehotsarg.com માહિતી ઉપલબ્ધ કરાય છે. લીલાવંતી ભવનમાં મિડીયા સેન્ટર ઉભું કરાશે. સોમનાથ ટ્રસ્ટનાં સહયોગથી દરેકને કથા સ્થળે લઇ જવાશે. સેન્ટરમાં કમ્પ્યુટર, ફેકસ, પ્રીન્ટર, ઇમેઇલ વ્યવસ્થા રખાશે. દેશ-વિદેશનાં પત્રકારો માટે રહેવા તથા કથા શ્રવણ માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
For More Details Contact Mr. Dipakbhai Kakkad Ananddham Complex, Shop No. 16, Nr. Bus Station, Veraval - 362 266 Phone 02876-245771 / 241181 E-mail ramkathadehotsarg@live.com /ramkathadehotsarg@ymail.com Customer Care 98242 98336 / 94273 88122 / 98242 83103 / 99791 21200 / 99250 29766 / 94269 82461

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

જેતપુરમાં ૬ રાજસ્થાની પાખંડીઓને ઝડપી લેતું જાથા.

પાખંડી ઓએ ભોળી પ્રજાને છેતરતા હોવાનું કબુલતા લોકો એ તક ઝડપી હાથ સાફ કરવાની તમામને ભરપેટ લમધાર્યા. આખા જેતપુરમાં ફેલાયેલી ચર્ચાઓ.પોલીસ ના સંગીન સહયોગ વચ્ચે જાથાના ચેરમેન જયંત પંડયા એ હાથ ધરેલા ઓપરેશન થી રાહતનો દમ ખેંચાતી પ્રજા. પોલીસે ૧૦૯ મુજબનો ગુનો નોંધી ૬ રાજસ્થાની ઓને લીધા હિરાસતમાં.પોલીસે આગવી ધાબે સરભરા કરતા પાખંડી ઓએ કાઢી આપ્યા રોકડા રૂપિયા ૨૦૬૦૦/- પોલીસ કહે છે કે કોઈ ફરિયાદ કરે તો વધુ ગુનો નોંધવા તૈયાર.
જેતપુર પોલીસ ના પી આઈ બી,જી,લીંબાસીયા, ફોજદારો ત્રિવેદી અને સોનારની પ્રશંશનીય કામગીરી.
બીજી બાજુ જેતપુરના ધારાસભ્ય જસુબેન કોરાટે યુવા પત્રકાર કશ્યપ જોશી ને જન્વેલ કે પાખંડીઓ ને રૂમ ભાડે અપાવનાર રાજુ વાણંદ નામના યુવાનને પણ પૂછ પરછ માટે પોલીસ બોલાવશે, તો સોના ચાંદી ની વીંટીઓ બનાવવા માટે ચોક્કસ સોની પાસે ભોળી પ્રજાને ધકેલાતી હોય, આ સોની મહાજન ને પણ શોધતી પોલીસ.
શાળા સંચાલક (શારદા વિદ્યા મંદિર) ભરત પટેલે પોતાની શાળાનો રૂમ પાખંડી ઓને ભાડે આપ્યાની વાત થી તેમના પર સર્વત્ર ફિટકાર..

જાણો, નવરાત્રિમાં મા અંબેના સ્થાપન-પૂજાવિધિની વિવિધ રીતો

જાણો, નવરાત્રિમાં મા અંબેના સ્થાપન-પૂજાવિધિની વિવિધ રીતો

ધર્મશાસ્ત્રોમાં નવરાત્રિ પર્વની પૂજાના અનેક પ્રકારો દર્શાવ્યા છે. જેમાં અભિગમન, ઉપાદાન, યોગ, સ્વાઘ્યાય અને યજ્ઞ રૂપી પાંચ પ્રકાર મુખ્ય છે. પૂજા સ્થાનને પવિત્ર , સ્વચ્છ કરવાં વગેરે અભિગમન પૂજાની શ્રેણીમાં આવે છે. જુદી જુદી પૂજા વિધિ(ગંધ, ધૂપ, દીપ, નૈવેધ વગેરે) ઉપાદાન પૂજામાં આવે છે. પોતાનાં ઈષ્ટ (દેવી-દેવતા)ની આત્માસ્વરૂપે પૂજા કરવી યોગ કહેવાય છે. દેવી-દેવતાનાં સૂક્ત, સ્ત્રોત, ગુણ, નામ, લીલા વગેરેનો પાઠ કરવો તે સ્વાઘ્યાય પૂજા કહેવાય છે. અષ્ટમીના રોજ માતાજીનો યજ્ઞ કરીને આહુતિ આપવી તેને યજ્ઞપૂજા કહે છે. દેવીપૂજામાં પૂજા સામગ્રીથી દેવીપૂજાની ઉપાસના કેવી રીતે કરીએ આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. આમ તો દેવીપૂજાના ૬૪, ૧૬, ૧૦ અને પાંચ ઉપચારોથી પૂજા કરવાની પદ્ધતિઓ જોવા મળે છે. તેની સાથે રાજોપચાર પૂજાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. અહીં આપણે માત્ર પંચોપચાર પૂજા જે ઓછા સમયમાં વધુમાં વધુ ફળદાયી છે તેની ચર્ચા કરીશું. પંચોપચારમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું વધુ મહત્ત્વ છે. પૂજાવિધિની શરૂઆત કરતા પહેલાં જળથી સંપૂર્ણ શરીરની શુદ્ધિ કરી લો, પૂજા સામગ્રીને એક તાસકમાં એકત્રિત કરીને પોતાની સામે મૂકો. એક પાટ કે બાજઠ ઉપર માતાજીની તસવીર, મૂર્તિ અથવા યંત્ર ઉપલબ્ધ હોય તેની સ્થાપના કરો.

ઘટ (કળશ) સ્થાપન:

એકમના રોજ શુભ મુહૂર્તમાં શુદ્ધતા અને પવિત્રતાપૂર્વક માતાજીની સામે પાટ ઉપર ઘટ(કળશ)ની સ્થાપના કરો. એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમાં નાગરવેલનાં પાંચ લીલાં પાન મૂકો અને તેની ઉપર શ્રીફળ મૂકી દો. આને ધાન્ય(ઘઉ) ઉપર મૂકી તેની ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવૈધથી પૂજા કરો. આને કળશ સ્થાપના કહેવામાં આવે છે. શક્તિપૂજામાં કળશ સ્થાપનાનું ખૂબ જ મહત્ત્વ છે. કળશને લક્ષ્ય કહેવામાં આવે છે. કળશ પવિત્રતા અને સમૃદ્ધિનું સૂચક છે.

જવારા રોપણ:

માતાજીના ભક્તો એકમના દિવસે પરિવારની સુખસમૃદ્ધિ માટે જવારાઓનું રોપણ કરે છે. માટીના એક મોટા કોડિયામાં કાળી માટી નાખીને ઘઉ કે જવને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો. ત્યારબાદ જળ છાટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવે-નવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટો. જવારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે. જે લીલોતરી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

અંખડદીપ સાધના :

માતાજીની પ્રસન્નતા માટે નવરાત્રિમાં અંખડદીપ સાધનાનું ખૂબ જ મહત્ત્વ છે. દીવાને માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં રૂની મોટી વાટ બનાવીને સુરક્ષિત સ્થાને મૂકી દો. પછી તેનું પંચોપચાર પૂજન કરો. અખંડદીપ સાધના, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડતાનું પ્રતીક છે.

દેવી પૂજા :

માતાજીની મૂર્તિ અથવા તસવીરને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચોખ્ખા કપડાથી સાફ કરી લો. ત્યારબાદ ચોકીની વચ્ચે ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો. પૂજા એવી રીતે કરવી કે સાક્ષાત્ માતાજી તમારી સન્મુખ બિરાજેલા હોય અને તમે માતાજીની ઉપાસના કરી રહ્યા હો. અનામિકા આંગળીથી માના મસ્તક, હૃદય, ભુજાઓ(હાથો) અને પગોમાં ગંઘ લગાવો. પછી માતાજીને લાલ ફૂલ સમર્પિત કરો. અગરબત્તી અથવા ગૂગળનો ધૂપ આપો. દીવો સળગાવી પૂજા કરો અને નૈવેધ સમર્પણ કરી પૂજાવિધિ સમર્પિત કરો. આ થઈ પંચોપચાર દેવીપૂજા.

કુળદેવી પૂજન :

પોતપોતાની કુળ પરંપરા પ્રમાણે દુર્ગાષ્ટમી અથવા નોમના રોજ કુળદેવી પૂજાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો આપણે નવરાત્રિના નવે-નવ દિવસ સુધી માતાજીની પૂજા, ઉપાસના ન કરી શકીએ તો આઠમ અથવા તો નોમના રોજ સમગ્ર પરિવાર સાથે મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ભૈરવીપૂજનની સાથે બટુક અને કુમારી પૂજન કરી કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

કુમારી પૂજન :

નવરાત્રિમાં કુમારિકાઓની પૂજાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જો એકમથી લઈ નોમ સુધી બે થી દસ વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. જો શકય હોય તો નોમના રોજ એકીસાથે નવદુર્ગા સ્વરૂપ કુમારી પૂજાથી ઐશ્વર્ય, ભોગ અને મોક્ષ ચારેય પુરુષાર્થ, શ્રી અને સંપદાની પ્રાપ્તિ થાય છે.

દેવી સ્તવન :

એકમથી નોમ સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે. આ દુર્ગાપૂજાનો એક મહત્ત્વનો ભાગ માનવામાં આવ્યો છે. દુર્ગાસપ્તશતીમાં ૧૩ અઘ્યાય છે જે ત્રણ ભાગોમાં વહેંચવામાં આવેલ છે. પહેલા, બીજા ને ત્રીજામાં ચરિતને એકમ, બીજ અને ત્રીજના રોજ પઠન કરી શકો છો અથવા નવ દિવસ સુધી પણ તેનું પારાયણ કરી શકાય છે. જો શક્ય ન બને તો નવાર્ણ મંત્ર ‘ઓમ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ’ આ મંત્રનો રોજેરોજ પાઠ કરવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જો તે પણ શક્ય ન હોય તો ‘ઓમ દું દુર્ગાયૈ નમ:’ આ મહામંત્રનો જાપ કરવાથી પણ માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

રાજકીય વિવાદમાં દોરવાયા વગર સમાજના હિતમાં અને શિક્ષણ ઉપર વિકાસ માટેનું ધ્‍યાન કેન્‍દ્રીત કરવા મુખ્‍યમંત્રીશ્રીનું માર્ગદર્શન માલધારી સમાજના સંતો અગ્રણીઓના પ્રતિનિધિમંડળે મુખ્‍યમંત્રીશ્રીને મળી પ્રશ્નોની રજૂઆત કરી






સમાજના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવા માટેની મુખ્‍યમંત્રીશ્રીની પ્રતિબધ્‍ધતા અને વિધેયાત્‍મક અભિગમની પ્રતીતિ થઇ

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને મળેલા માલધારી-રબારી સમાજના સંતો-મહંતો અને આગેવાનોના પ્રતિનિધિમંડળે સમાજના સાંપ્રત પ્રશ્નોની રજૂઆતો કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ માલધારી સમાજના વર્ષો જૂના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સમસ્‍યાના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેવાની વર્તમાન સરકારની પ્રતિબધ્‍ધતા અને સકારાત્‍મક અભિગમ અંગે વિગતવાર ભૂમિકા આપી હતી.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકશાહીમાં પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર દરેક સમાજને છે પણ રાજકારણના કાવાદાવાથી સરવાળે તો સમાજનું જ અહિત થશે એમ જણાવી રાજ્‍યના વિકાસમાં બધા જ સમાજવર્ગોની સાથે વિકાસમાં ભાગીદાર બનવા અને શિક્ષણ દ્વારા પ્રગતિની દિશા લેવાનું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

માલધારી સમાજના આગેવાનો એ ગૌચરની જમીન, ગૌરક્ષા, ઘરખેડના કાયદા, વીડીઓ અને વાડાની જમીન વગેરે પ્રશ્નો અંગે કરેલી રજૂઆતના સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજ્‍ય સરકારનો અભિગમ જ વિકાસલક્ષી રહ્યો છે અને પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા તેના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેનારી આ જ સરકાર છે.

ગૌવંશ રક્ષા માટે સર્વોચ્‍ચ ન્‍યાયપાલિકા પાસેથી ન્‍યાય મેળવીને આ જ સરકારે કાયદો કર્યો છે પરંતુ, ભારત સરકારે હજુ સુધી આવો કાયદો કરવા વિચારણા પણ હાથ નથી ધરી. ઉલટુ, માંસ-મટનની નિકાસ માટે પ્રોત્‍સાહન આપી રહી છે. રાજકીય વિવાદમાં દોરાઇ જવાથી સમાજનું ભલુ થવાનું નથી એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં પશુપાલકો અને માલધારીઓના પશુઓની રક્ષા માટેનું સૌથી મોટું જીવદયાનું કામ ર૭૦૦ જેટલા પશુ આરોગ્‍ય મેળાઓ યોજીને અને લાખો પશુઓનું રસીકરણ કર્યું છે અને ૧૧ર જેટલા પશુરોગો કાયમી ધોરણે નેસ્‍તનાબૂદ પણ આ સરકારે કર્યાં છે. આના પરિણામે જ ગુજરાતમાં દૂધ ઉત્‍પાદનમાં દશ વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે.

ગોચરની જમીન માટે અને તેના દબાણો દૂર કરવા સર્વોચ્‍ચ અદાલતે જ ફેસલો આપેલો છે, તે અંગે આ સરકારે જ હિંમતપૂર્વક તેનો અમલ કરી ૮૦ ટકા દબાણો પણ દૂર કર્યા છે. ગુજરાતમાં ઉદ્યોગોની સ્‍થાપના કરનારે ગૌચરની જમીનના બદલામાં વળતરરૂપે ગૌચરની જમીન ખરીદીને પણ આપવી પડે તેવો નિયમ કરેલો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ઉદ્યોગો મહદ્‌અંશે જ્‍યાં ઘાસનું તણખલું પણ ઉગતુ ના હોય એવી બિનઉપજાઉ જમીનમાં સ્‍થપાય છે. ઉદ્યોગોની સાથોસાથ ખેતી માટે વાવેતર વિસ્‍તાર વધ્‍યો હોય એવું એકમાત્ર અપવાદરૂપ રાજ્‍ય પણ ગુજરાત જ છે જે આ સરકારની મહેસૂલના કાયદાઓમાં હિંમતપૂર્વક સુધારા કરીને એકેએક ઇંચ જમીનની માપણી કરવાની પ્રતિબધ્‍ધતામાં વ્‍યકત થાય છે એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

પશુધન માટે માલધારી સમાજ જેટલી જ ચિન્‍તા આ સરકારની રહી છે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ માલધારી પશુપાલકોને વૈજ્ઞાનિક પશુસંવર્ધન અપનાવવા અને જે વર્ષોજૂની સમસ્‍યાઓ છે તેની વહીવટી ગૂંચ ઉકેલવામાં રાજ્‍ય સરકારના પ્રયાસોને સમજવા માર્ગદર્શન આપ્‍યું હતું.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રબારી સમાજની નવી પેઢીને શિક્ષિત બનાવવાની નેમ વ્‍યકત કરતા માર્મિક શબ્‍દોમાં એમ પણ જણાવ્‍યુ઼ હતું કે માલધારીઓની લાકડી છોડાવીને તેમના સંતાનોને કલમ (શિક્ષણ) હાથમાં આપવી છે! શિક્ષણ જ વિકાસનો ઉત્તમ પર્યાય છે એમ તેમણે જણાવ્‍યું હતું.

નર્મદાના પાણીની સુવિધા અને દુષ્‍કાળ જેવી કુદરતી આપત્તિથી મૂકત રહેલા ગુજરાતમાં સૌનો સાથ સૌના વિકાસમાં માલધારી સમાજ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી.

આ પ્રતિનિધિમંડળમાં રબારી સમાજના મહંત વડવાળા મંદિરના શ્રી કનીરામ બાપુ, આગેવાન શ્રી તેજાભાઇ દેસાઇ, શ્રી રણછોડભાઇ રબારી, ધારાસભ્‍યશ્રી બાબુભાઇ દેસાઇએ રાજકારણથી પર રહીને મુખ્‍યમંત્રીશ્રીની સમાજના પ્રશ્નો ઉકેલવા માટેની તત્‍પરતા અને વિધેયાત્‍મક અભિગમને આવકારી સંતોષની લાગણી વ્‍યકત કરી હતી અને ખૂબજ સાનુકુળ વાતાવરણમાં પ્રશ્નો સાંભળવા માટે સમય ફાળવ્‍યો તે માટે આભારની લાગણી વ્‍યકત કરી હતી.

માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યામઓના સમાધાન માટે ટેકનોલોજીનો વિનિયોગ જરૂરી

ટેકનોલોજીનું જ્ઞાન ગામડાં અને ઘર-ઘર સાથે પહોંચી ગુણાત્મોક પરિવર્તનની અનુભૂતિ કરાવે
ગ્રામીણ વિકાસમાં ઇન્ફમર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક સમગ્ર દેશમાં ગુજરાતે જ વિકસાવ્યું છે
ગ્રામ વિકાસમાં ઇન્ફ્ર્મેશન એન્ડો કોમ્યુ નિકેશન ટેકનોલોજીનો વિનિયોગ- વિષયક બે દિવસના વાર્ષિક અધિવેશનનું ઉદ્દઘાન કરતા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી

મુખ્યા મંત્રી શ્રી નરેન્દ્રકભાઈ મોદીએ ગ્રામ વિકાસમાં ઇન્ફ ર્મેશન એન્ડધ કોમ્યુનનિકેશન ટેકનોલોજી વિષયક બે દિવસના અધિવેશનનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં ટેકનોલોજીનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે ત્યાંરે ઇન્ફંર્મેશન ટેકનોલોજી( IT) અને એન્વા્યર્નમેન્ટન ટેકનોલોજી(ET)નું કોમ્બીેનેશન માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યા ઓનું સમાધાન કરી શકે તે દિશામાં ટેકનોલોજીનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ઇન્ટીે દ ટયુટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડધ ટેલી કોમ્યુિનિકેશન્સ્ એન્જીાનીયર્સ (IETE)નું પ૪મું વાર્ષિક અધિવેશન આજથી અમદાવાદમાં બે દિવસ માટે શરૂ થયું છે. આઇ.ટી એન્ડ ટેલીકોમ્યુ્નિકેશન ક્ષેત્રના તજજ્ઞો એમાં ભાગ લઇ રહ્યા છે.
ઇન્ફતર્મેશન એન્ડઇ ટેલીકોમ્યુનનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રનાં જીવનભર ઉત્તમ યોગદાન આપનાર તજજ્ઞ ઇજનેરોનું અભિવાદન કરતાં મુખ્યર મંત્રીશ્રીએ જણાવ્યુંન કે, ટેકનોલોજી અને વિજ્ઞાનના રહસ્યોતની શોધ માટે જીવન ખપાવી દેનારા દુનિયામાં માનવ સંસ્કૃએતિ વિકાસમાં પોતાનું યોગદાન અંકિત કરેલું છે. સુસંસ્કૃુત માનવસમાજના નિર્માણમાં ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા સાતત્યલપૂર્ણ વિકાસે મહત્વંની ભૂમિકા ભજવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ર૧મી સદીમાં સૌથી શક્તિછશાળી-વિકસીત સમાજ અને રાષ્ટ્રં એ જ ગણાય છે જે ટેકનોલોજીના માધ્યંમથી વિકાસની કેટલી ઉંચાઇ ઉપર પહોંચ્યોવ છે તેનો માપદંડ બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યુંથ કે, ટેકનોલોજીનો ઉપયોગી ભારત જેવા દેશમાં ‘‘સાયન્સે યુનિવર્સલ એન્ડે ટેકનોલોજી ઇઝ લોકલ''નો સિદ્ધાંત ધ્યાોનમાં લેવો પડશે. ભારત કૃષિપ્રધાન ગ્રામ વિકાસનો દેશ છે ત્યાોરે ઉપલબ્ધ ટેકનોલોજીનું જ્ઞાન ગામડા સુધી, ગરીબ ઘર સુધી કેવી રીતે પહોંચે અને તેના જીવનમાં ગુણાત્મેક પરિવર્તનની અનુભૂતિ કરાવે તે જ મહત્વાનું છે, એમ તેમણે જણાવ્યુંો હતું.
મુખ્યા મંત્રીશ્રીએ ગુજરાતમાં ટેકનોલોજી દ્વારા ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ વિકાસ અને સામાજિક માળખાકીય વિકાસ સુવિધાના ક્ષેત્રોમાં કેવો બદલાવ આવ્યોા છે તેના દ્રષ્ટાંબતો આપતાં જણાવ્યું કે, ટેલીમેડીસીન ટેકનોલોજીનો ઉપયોગ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવી ટેકનોલોજીની જાણકારીથી કિસાન અને ગ્રામસમાજ સુપેરે પરિચિત થયેલો છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ દર લગાતાર દશ વર્ષ સુધી ૧૧ ટકા રહ્યો છે તેનું શ્રેય કૃષિ ટેકનોલોજીની સફળતાને તેમણે આપ્યુંર હતું.
શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પશુઆરોગ્યશ મેળાઓમાં ટેકનોલોજીથી પશુઓના મોતિયાના ઓપરેશનો અને દંતચિકિત્સાુના પ્રયોગો સફળ રહ્યા છે એનાથી ગુજરાતની દૂધ ઉત્પા દન ક્ષમતામાં ૬૦ ટકા વૃદ્ધિ થઇ છે અને ૧૧૨ જેટલા પશુરોગો નાબૂદ થઇ ગયા છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં બધી જ ગ્રામ પંચાયતોમાં આઇ.ટી. બ્રોડબેન્ડા કનેકટીવીટીની સુવિધા ઉપલબ્ધદ છે અને સમગ્ર ભારતમાં આ પ્રકારનું ગ્રામીણ વિકાસમાં ઇન્ફનર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક ગુજરાતે જ વિકસાવ્યુંમ છે તેની ભૂમિકા આપી મુખ્યન મંત્રીશ્રીએ જણાવ્યું કે, મોબાઇલ ટેકનોલોજીના કોમ્યુ્નિકેશનથી ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રમાં આપત્તિ વ્યશવસ્થાાપનને સુચારૂ સ્વ રૂપે સુગ્રથિત કરી છે. એ જ રીતે ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સીી એમ્યુત્તિલન્સે સર્વિસ સાથે કોમ્યુવનિકેશન ટેકનોલોજીનું જોડાણ પણ માનવીય સંવેદનાને અનુલક્ષીને વિકસાવ્યુંી છે, એમ જણાવી ૧૦૮ ઇમરજન્સીમ એમ્યુકેશનલન્સશ સર્વિસ ૧૩ મિનિટમાં ભોગ બનનારાને મદદ માટે પહોંચી જાય છે તેની જાણકારી આપી હતી.
ટેકનોલોજી દ્વારા જનસેવા અને પારદર્શિતાનો ઉત્તમ વિનિયોગ ગુજરાતે કર્યો છે, એમ જણાવતાં મુખ્યલ મંત્રીશ્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રવની સરહદે આર.ટી.ઓ. ચેકપોસ્ટસની આવકમાં પ અબજ રૂપિયાનો તફાવત એટલા માટે છે કે, ગુજરાતે આર.ટી.ઓ. સાથે આઇટી1જરાવર્ક જોડી દીધું છે. ગુજરાતે શિક્ષકોની ભરતી માટેની પારદર્શિતા માટે ઓનલાઇન ટેકનોલોજી સર્વિસનો વિનિયોગ કર્યો છે, એમ તેમણે જણાવ્યુંદ હતું.
આઇ.ઇ.ટી.ઇ.ના અધ્યંક્ષ શ્રી આર. કે. ગુપ્તાએ ગુજરાતને દેશના સૌથી વધુ પ્રગતિશીલ રાજ્યન તરીકે ઓળખાવી જણાવ્યુંી હતું કે, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્યે અને જાહેર માર્ગ ક્ષેત્રે ગુજરાતે જે વિકાસ કર્યો છે તેના કારણે દેશમાં ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે જણાવ્યુંપ હતું કે, આ સાર્વત્રિક વિકાસના કારણે આજે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં એના કારણે જ વ્યાવવસાયિક પ્રવૃત્તિ વધી છે.
ર્ડા. આર. આર. નવલકુંડે જણાવ્યુંા હતું કે, દેશનો આત્મા ગામડાં છે, ગામડાના વિકાસ વિના દેશનો વિકાસ ન જ થઇ શકે. એટલે જ દેશની સમૃદ્ધિ માટે ગામડાની સમૃદ્ધિ જરૂરી છે. બદલાતા સમયના કારણે આ સમૃદ્ધિમાં ટેકનોલોજીની ખૂબ મોટી ભૂમિકા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ર્ડા. આર. કે. ગુપ્તા, પ્રખર શિક્ષણશાષા ડી. પી. અગ્રાવત, કે. કે. અગ્રવાલ, વૈજ્ઞાનિક એસ.એસ. અગ્રવાલ, વૈજ્ઞાનિક, કેરાલા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેડલર એ. ભાસ્કારનારાયણ વગેરેને વિવિધ ફેલોશિપ, એવોર્ડથી મુખ્યપ મંત્રીશ્રીના હસ્તેટ સન્માચનિત કરાયા હતા.
આ પ્રસંગે આઇ.ઇ.ટી.ઇ.ના બેસ્ટએ સેન્ટ્ર તરીકે અમદાવાદને પ્રથમ તથા ગૌહાટીને દ્વિતીય ક્રમે જાહેર કરીને મુખ્યા મંત્રીશ્રીના હસ્તે. એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે બેસ્ટપ સબ સેન્ટદર એવોર્ડ ઇમ્ફા લને પ્રથમ ક્રમ માટે જયારે રાજકોટને બીજા ક્રમ માટે એનાયત કરાયો હતો. રામલાલ વાઘવા એવોર્ડ સી.એસ.આઇ.ઓ., ચંદીગઢના નિયામક ર્ડા. પવન કપૂરને એનાયત કરાયો હતો.
આ પ્રસંગે ઇન્ફ્ર્મેશન એન્ડઓ ટેકનોલોજી, ઇજનેરી ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકો, ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઇઓ, મહાનુભાવો વગેરે મોટી સંખ્યાામાં ઉપસ્થિ્ત રહ્યા હતા.


આરોગ્યે મંત્રી શ્રી જયનારાયણ વ્યાનસ સિવિલ કેમ્પખસની મુલાકાતે
સિવિલ કેમ્પસસમાં સ્વાચ્છ‍તા અંગેની કામગીરી સઘન રીતે કરવા તાકીદ
અમદાવાદઃ શનિવારઃ આરોગ્યા મંત્રી શ્રી જયનારાયણ વ્યાકસે આજે સિવિલ હોસ્પિાટલ સંકુલની તાત્કાદલિક મુલાકાત લીધી હતી અને સ્વ્ચ્છયતા સંદર્ભે ઉભા થયેલા પ્રશ્નો અંગે સિવિલ હોસ્પિતટલના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ કામગીરી સઘન રીતે અને યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આરોગ્યક મંત્રીશ્રી સાથે કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિ્ત રહ્યા હતા. મંત્રીશ્રીઓએ સમગ્ર કેમ્પતસનું જાત નિરીક્ષણ કર્યું હતું તથા સિવિલ હોસ્પિણટલના કેમ્પરસમાં ડ્રેનેજ લાઇનના ચોકીંગ અને મચ્છમર નાબૂદી માટે પણ અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ કેમ્પાસમાં દર્દીઓની અને ડોક્ટજર તથા મુલાકાતીઓની સલામતી માટે અમદાવાદ મ્યુેનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અધિકારી શ્રી સાચાની ઓફિસર ઓન સ્પે શિયલ ડયુટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.


ભૂતપૂર્વ કેન્દ્રી ય મંત્રી શ્રી વસંત સાઠેના નિધન પર સંવેદના વ્યાકત કરતાં રાજયપાલશ્રી
અમદાવાદ
ગુજરાતના રાજયપાલ શ્રીમતી ર્ડા. કમલાજીએ ભૂતપૂર્વ કેન્દ્રી ય મંત્રીશ્રી વસંત સાઠેના દુઃખદ નિધન પર ઊંડા શોક અને આધાતની લાગણી વ્યમકત કરી છે. તેમણે એક શોક સંદેશામાં જણાવ્યું છે કે, સ્વ ર્ગસ્થ શ્રી સાઠે એક કુશળ પ્રશાસક અને પીઢ રાજનૈતીક પણ તેમના જનહિતના કાર્યો ચીરસ્મંરણીય રહેશે. ઇશ્વર દિવંગત આત્માશને ચીર શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અકલ્પોનીય દુઃખ સહન કરવાની શકિત પ્રદાન કરે તેવી તેમણે પ્રાર્થના કરી છે.

૨૭ સપ્ટેમ્બરથી બદલાઈ જશે એસએમએસની દુનિયા

૨૭ સપ્ટેમ્બરથી દેશમાં એસએમએસની દુનિયા સંપૂર્ણ બદલાઈ જશે. પ્રમોશનલ એસએમએસથી પરેશાન થતા મોબાઈલધારકોનાં હિતમાં ટ્રાઈએ ડુ નોટ કોલના નિયમોને વધુ આકરા બનાવ્યા છે. ડુ નોટ ડિસ્ટર્બ (ડીએનડી) સુવિધા હવે નેશનલ કસ્ટમર કોલ પ્રેફસન્સ રજિસ્ટ્રી (એનસીસીપીઆર)ના નામથી ઓળખાશે. જાહેરખબરોના ભાગરૂપે મોકલાતા એસએમએસની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. નાણામંત્રી પ્રણવ મુખરજીએ પણ જણાવ્યું હતું કે આવા એસએમએસ તેમને પણ પરેશાન કરી રહ્યા છે. નવા નિયમોને કારણે એવા યુવાનોને જોકે પરેશાની ઊભી થઈ શકે છે જેઓ કોલ કરવાના બદલે સસ્તા એસએમએસ પેકથી પોતાનું કામ પતાવી દે છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન સંખ્યાબંધ મેસેજ દ્વારા જ શુભેચ્છાઓ મોકલતા લોકોને પણ નવા નિયમોથી પરેશાની થઈ શકે છે.

નવા નિયમ : ગ્રાહકો માટે

૧. જો આપ ‘ડુ નોટ ડિસ્ટર્બ લિસ્ટ’ (ડીએનડી)માં રજિસ્ટર્ડ છો તો આપને પ્રમોશનલ એસએમએસ નહીં મોકલાય.

મહત્વ : ગ્રાહકોને અનિચ્છિત એસએમએસમાંથી મુક્તિ માટે જોગવાઈ કરાઈ છે. તેના ઉલ્લંઘનની પહેલી ફરિયાદમાં ગ્રાહકને રૂપિયા ૨૫ હજારનું વળતર મળશે. આ રકમ દર ફરિયાદે વધતી જશે અને રૂપિયા ૨.૫ લાખ સુધી પણ પહોંચી શકશે. આ રકમ ટેલિમાર્કેટિંગ કંપનીએ ચૂકવવાની રહેશે.

૨. એક દિવસમાં સોથી વધારે એસએમએસ નહીં મોકલી શકાય.

નવા નિયમો: ટેલિમાર્કેટિંગ કંપની માટે

૧ .અઠવાડિયામાં બે વખત અપડેટેડ ડીએનડી લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે.

મહત્વ : ટેલિમાર્કેટિંગ કંપનીઓએ દર મંગળવાર અને શુક્રવારે ડીએનડીમાં રજિસ્ટ્રેશન કરાવનાર ગ્રાહકોનું લિસ્ટ ડાઉનલોડ કરવું પડશે જેથી તેમને એસએમએસ ન મોકલે.

૨. સવારે નવથી રાત્રે નવ દરમિયાન જ પ્રમોશનલ એસએમએસ મોકલી શકાશે.

મહત્વ : ટેલિમાર્કેટિંગ કંપનીઓ રાત્રે એસએમએસ મોકલવાનું વધુ બહેતર માને છે કારણ કે ત્યારે મોબાઈલ નેટવર્ક બહેતર કામ કરે છે. પરંતુ તેનાથી એસએમએસ મેળવનાર પરેશાન થઈ જાય છે.

ડીએનડીનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

૧. જેમને પ્રમોશનલ એસએમએસ નથી જોઈતા-

મોબાઈલ કંપનીના કોલ સેન્ટર નંબર ૧૯૦૯ પર અંગ્રેજીમાં ‘સ્ટાર્ટ ડીએનડી’ લખી એસએમએસ કરો. રજિસ્ટ્રેશનના ૪૫ દિવસમાં પ્રમોશનલ એસએમએસ બંધ થઈ જશે.

૨. જેઓ ચોક્કસ ક્ષેત્રના એસએમએસ ઈચ્છે છે -

કોલ સેન્ટરના નંબર ૧૯૦૯ પર ફોન કરી સાતમાંથી કોઈપણ શ્રેણી પસંદ કરી શકે છે.

ટેલિમાર્કેટિંગની સાત શ્રેણીઓ :

૧. બેકિંગ અને ફાઈનાન્સ, ૨. રિઅલ એસ્ટેટ, ૩. એજ્યુકેશન, ૪. હેલ્થ, ૫. કન્Íયુમર ગુડ્સ, ૬. આઈટી અને એન્ટરટેઈનમેન્ટ, ૭. ટુરિઝમ અને ટ્રાવેલ્સ

તેમને સંબંધિત શ્રેણીના મેસેજ મળવા લાગશે.

ફરિયાદ કેવી રીતે કરવી :

ડીએનડી રજિસ્ટ્રેશનના ૪૫ દિવસ પછી પણ જો પ્રમોશનલ એસએમએસ અથવા કોલ આવે તો, પોતાના મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને ફરિયાદ કરી શકો છો., ફરિયાદમાં આવનાર કોલનો નંબર, સમય અને વિવરણ અનિવાર્યપણે આપવું પડશે., જો એસએમએસમાં નંબર જોવા ન મળે તો, તેના કોડ અને વિષયનું વિવરણ આપવું પડશે., ફરિયાદ કર્યા બાદ ફરિયાદ નંબર અવશ્ય લઈ લેવો.

કાર્યવાહી કેવી રીતે થશે:

જો ફરિયાદ સર્વિસ પ્રોવાઈડરને સંબંધિત ટેલિમાર્કેટિંગ કંપની સામે હશે તો કાર્યવાહીની જાણકારી ૨૮ દિવસમાં આપવાની રહેશે, જો ટેલિમાર્કેટિંગ કંપની અન્ય સર્વિસ પ્રોવાઈડર સાથે સંકળાયેલી હશે તો કાર્યવાહીની જાણકારી ૩૫ દિવસમાં આપવાની રહેશે.

ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2011

To view this activity, go to:
http://www.gujarati.nu/group/kashyap-joshi-reporter-jetpur/user/list?xg_source=msg

::: આજ ના સુવિચારો :::

(૧) વૃદ્ધાવસ્થા અથવા વૃદ્ધત્વ આપણા બાળપણનું જ પુનરાગમન છે.
(૨) વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર
મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ.

(૩) સમાધાન એ એક સરસ છત્રીરૂપ જરૂર બની શકે છે પણ
એ કદી છત બની શકતી નથી.

(૪) સદગુણ એકમાત્ર એવું રોકાણ છે જેમાં ક્યારેય નુકસાન થતું નથી.

(૫) પરિવારમાં જો પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ હોય
તો સૌનાં જીવન સ્વર્ગ સમાન બની જાય છે.

(૬) આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે- જે કામથી તમે
ડરો છો તે જ કરો.

(૭) જે કામ ઉપાયથી થઈ શકે છે, તે પરાક્રમથી થઈ શકતું નથી.

(૮) અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.

(૯) જે દ્રઢનિશ્ચયી છે, તે દુનિયાને પોતાના બીબામાં ઢાળી શકે છે.

(૧૦) કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના
ખોળામાં ખૂંદવું પડે છે.

(૧૧) દેવું એક એવું મહેમાન છે જે એક વખત આવ્યા પછી જવાનું
નામ નથી લેતું.


બુધવાર, 21 સપ્ટેમ્બર, 2011

ભારત-જાપાન ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર

ભારત-જાપાન ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર: વર્તમાનમાં ચીનની વધતી જતી દખલઅંદાજીને રોકવા માટે જાપાન અને ભારતે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો એબેએ કહ્યું હતું કે એશિયા અને...

નરેન્દ્ર મોદી ભાજપ માટે માથાનો દુખાવો : કોંગ્રેસ

નરેન્દ્ર મોદી ભાજપ માટે માથાનો દુખાવો : કોંગ્રેસ: કોંગ્રેસ એ વાતને લઇને પ્રસન્ન છે કે વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદીની રજૂઆતે એનડીએમાં દરાર સર્જી દીધી છે અને તેનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભા

હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી : અડવાણી

હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી : અડવાણી: ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતે પીએમ પદ માટે પાર્ટીના ઉમેદવાર ન હોવાની અને પીએમની દોડમાં સામેલ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી. દરમિયાન અડવાણીએ જણાવ્યું કે પાર્ટીનો ભાગ બનીને તેઓ ખુશ છે.

ત્રાસવાદ અને અર્થવ્યવસ્થા વડાપ્રધાનના મુખ્ય મુદ્દાઓ

ત્રાસવાદ અને અર્થવ્યવસ્થા વડાપ્રધાનના મુખ્ય મુદ્દાઓ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 66માં અધિવેશનમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા, ત્રાસવાદ અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકામાં વ્યાપી રહેલી અશાંતિના મુદ્દા વડાપ્રધાન મનમોહન સિંહના એજન્ડામાં મુખ્ય રહેશે.

મારો દાવો ખોટો પડ્યો તો હું સજા મેળવવા તૈયાર છું : રામદેવ

મારો દાવો ખોટો પડ્યો તો હું સજા મેળવવા તૈયાર છું : રામદેવ: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અને વિદેશી બેન્કોમાં જમા થયેલા કાળા ધનને પાછું લાવવાનું આંદોલન ચલાવી રહેલા યોગ ગુરૂ બાબા રામદેવે આજે કહ્યું કે ગુમનામ લોકોના પાંચસો લાખ કરોડ રૂપિયા વિદેશી બેન્કોમાં જમા

સિક્કિમમાં મૃતાંક 90ને પાર, લોકોમાં ફફડાટ

સિક્કિમમાં મૃતાંક 90ને પાર, લોકોમાં ફફડાટ: સિક્કિમમાં આવેલા વિનાશક ભૂકંપનો મૃતાંક વધીને 91ને પાર થવા પામી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવકર્મચારીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે.

દિલ્હી વિસ્ફોટોના પીડિતોને વળતર પેટે 10 લાખ આપવા આદેશ

દિલ્હી વિસ્ફોટોના પીડિતોને વળતર પેટે 10 લાખ આપવા આદેશ: દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યું પામનારાઓ તથા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને આપવામાં આવેલા વળતર પર દિલ્હી હાઈકોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી.

મનિષ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી

મનિષ તિવારીએ અણ્ણા હજારેની લેખિતમાં માફી માંગી: કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે વિશે પોતાના નિવેદન વિશે આખરે લેખિતમાં માહિતી માંગી છે.તિવારીએ કહ્યું કે તેઓને પોતાના નિવેદનોને લઇને અફસોસ છે. પુ

રેડ્ડી અને તેમના સહયોગીઓના એક બેંકમાં 200 લૉકર

રેડ્ડી અને તેમના સહયોગીઓના એક બેંકમાં 200 લૉકર: ઓબુલાપુરમ ખાણ ખોદકામ કંપની સંબંધિત ખાણોમાં ખોદકામમાં અનિયમિતતાઓ અને ગેરકાયદે ખોદકામની તપાસ કરી રહેલી...

CVCને ટુજી કૌભાંડમાં વધુ બે ફરિયાદ મળી

CVCને ટુજી કૌભાંડમાં વધુ બે ફરિયાદ મળી: કેન્દ્રિય સતર્કતા આયોગ (CVC)ને ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં વધુ કેટલીક ફરિયાદો મળી છે અને તેમાં ઘણા અમલદારોના નામ...

નકસલી હુમલા રોકો તો, સરકાર વાતચીત માટે તૈયાર :ચિદમ્બરમ

નકસલી હુમલા રોકો તો, સરકાર વાતચીત માટે તૈયાર :ચિદમ્બરમ: કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે ભારત ચેમ્બર્સ ઓફ કોમર્સના વિશેષ સત્રને સંબોધિત કરતા કહ્યું કે, નકસલવાદીઓ દ્વારા હથિયાર નહીં છોડવા અને પોતાની વિચારધાર નહીં છોડવા છતાં

રાઈટ ટુ રિકોલ પર અમલ કરવો ખૂબ જ મુશ્કેલ : CEC

રાઈટ ટુ રિકોલ પર અમલ કરવો ખૂબ જ મુશ્કેલ : CEC: મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ સામાજીક કાર્યકર અણ્ણા હઝારેની રાઈટ ટુ રિકોલની માંગણી અમલી બનાવવી ખૂબ જ મુશ્કેલ...

રાજૂ રામચન્દ્રન સુપ્રીમમાં કસાબનો બચાવ કરશે

રાજૂ રામચન્દ્રન સુપ્રીમમાં કસાબનો બચાવ કરશે: ભારતીય ન્યાયપાલિકામાં નિષ્પક્ષતાની સર્વેચ્ચ પરંપરાને જાળવી રાખવા માટે ન્યાયાલયે વરિષ્ઠ વકિલ રાજૂ રામચન્દ્રનને...





મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2011

જેતપુર માં પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી ના શુભ વિવાહ પ્રસ્તાવ ની તડામાર તૈયારી શરૂ


સર્વ વૈષ્ણવ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી ના વંશજ અને ગુરુદેવ ગો.૧૦૮ શ્રી વ્રજ ભૂષણલાલજી મહારાજશ્રી (ચોપાસેની-જામનગર)ના ષષ્ઠ લાલજી જેતપુરશ્રી મોટી હવેલી ના વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના આત્મજ, યુવા અને ઉત્સાહી પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી ના શુભ વિવાહ પ્રસ્તાવ પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી ની આજ્ઞા થી આગામી મહા વદ ૧૧,ને શુક્રવાર તા .૧૭.૨.૨૦૧૨ ના શુભ દિવસે નીર્ધારેલ છે જે માટે ની જોરદાર તૈયારી ઓ અત્યાર થી જ પ્રારંભાઈ ચુકી છે . પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના અધ્યક્ષ સ્થાન હેઠળ શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ પ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ કે જેઓ જેતપુર શહેર ના ડાઈંગ એન્ડ પ્રી.એસો.ના તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને શહેર ના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે.જેઓ પોતાના ગુરુ ઘર ની સેવા કરવાનો કોઈ પણ અવસર છોડતાં નથી.આ રૂડા અને સોનેરી અવસર ની જવાબદારી પણ ખુશાલી પૂર્વક તેમણે સ્વીકારી બધી તૈયારી શરુ કરાવી દીધી છે .જેતપુર ના આંગણે પુષ્ટિ સંપ્રદાય ના શ્રી શુભ વિવાહ પ્રસ્તાવ નો આ પહેલો પ્રસંગ તેમજ અવસર હોય દરેક વૈષ્ણવો તેમજ શહેર ની આજુબાજુ ના ગામડાઓ અને ધર્મ પ્રેમી પ્રજા આ સોનેરી અવસર ની જાણ થતા જ ખુબ આનંદ અને પ્રસન્નતા ની લાગણી અનુભવી રહ્યા છે.શ્રી ઠાકોરજી ના શુભ વિવાહ હોય આનંદ કિલ્લોલ માં ઉછળી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વર્ષો અગાઉ જલ સંચય અભિયાન ની સમાજ સેવારૂપી પ્રવૃત્તિ થી આપ શ્રી એ ખુબજ પરિશ્રમ કરી આજુબાજુ ના ગ્રામ્યજનો તેમજ શહેરી જનો ના હૃદય માં પૂજનીય સ્થાન અંકિત કર્યું છે એવા પૂજ્ય પાદ ગો.શ્રી બાલ કૃષ્ણલાલજી મહારાજ શ્રી ના આત્મજ, યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય જેજેશ્રી પ્રિયાંક રાયજી દ્વારા પણ સમાજસેવા રૂપી અનેક કાર્યો થી સુવિખ્યાત બનેલા MYM ફાઉંડેશન ની સ્થાપના પાંચ વર્ષ પહેલા કરવામાં આવી,જેમાં મુખ્યત્વે વ્યસન મુક્તિ અભિયાન ,મેડીકલ કેમ્પ બ્લડ ડોનેસન કેમ્પ,જેવા અનેક સેવાકીય કાર્યો દ્વારા આપ શ્રી શ્રમ લઇ ને લોકો ની વચ્ચે રહી ને ખુબ જ પ્રિય અને પૂજનીય બન્યા છો .લગભગ ૫૦૦ સભ્યો થી પણ વધુ સંખ્યા ધરાવતું શ્રી મદન મોહન પ્રભુ યુવક મંડળ જેતપુર,સુરત,રાજકોટ,દુબઈ તેમજ આજુબાજુ ના ગામડાઓ માં ખુબજ પ્રવૃતિમય છે.દરેક વૈષ્ણવો ના હૃદય કમળ માં આપ બિરાજમાન છો.માટે સ્વાભાવિક છે કે આપનાં શુભ વિવાહ પ્રસ્તાવ ની તૈયારી માં કોઈપણ કમી ના રહે અને દરેક ને આ સેવા નો લાભ મળે તે માટે અત્યાર થી જ અલગ અલગ કમિટી ઓ નું બંધારણ અને માળખું તૈયાર થઇ રહ્યું છે.જુદી જુદી ૪૦ જેટલી અગત્યની જવાબદારી સાથે ની કમિટી માં ૪૦૦ થી ૫૦૦ સભ્યો ને આવરી લેવામાં આવશે.આ ઉપરાંત સ્વયં સેવકો પણ બહોળી સંખ્યા માં સેવા પૂરી પાડશે.આ શુભ વિવાહ પ્રસ્તાવ પાંચ થી સાત દિવસ સુધી દમદાર અને શાનદાર રીતે ભવ્યતા થી આયોજિત થશે.દરેક કમિટી માં માર્ગદર્શક તરીકે જુનાગઢ,નડિયાદ,કાશી,જામનગર,જોધપુર તેમજ જેતપુર ના ગોસ્વામી બાલકો,તેમજ તેમના આત્મજ શ્રીઓ બિરાજશે.દરેક કમિટી માં વરિષ્ઠ કન્વીનર,કન્વીનર,સહ કન્વીનર અને સભ્યો એમ બધા સાથે મળી ને આ સેવા પૂરી પાડશે.આ શુભ વિવાહ પ્રસ્તાવ દરમિયાન અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો,આપ શ્રી નો વરઘોડો જે શહેર ના મુખ્ય માર્ગો પર થી પસાર થશે,વૈષ્ણવો માટે આખા શુભ પ્રસંગ દરમિયાન પ્રસાદ ની વ્યવસ્થા તેમજ વિશાળ બેઠક વ્યવથા પણ કરવામાં આવશે.અત્યાર થી જ પોતાના ગુરુઘર ને જુદી જુદી સેવાઓ આપવા વૈષ્ણવો નો ઘસારો થઇ રહ્યો છે ,જેમાં પોતાના વાહનો ની સેવા ,ઉતારા વ્યવસ્થા ની સેવા ,સ્વયં સેવક તરીકે ની સેવા,જુદી જુદી સેવાઓ તેમજ મનોરથ માટેની તૈયારી,મંડાણ તેમજ શુભ વિવાહ પ્રસ્તાવ સ્થળે આવતી જવાબદારીઓ વગેરે અનેક કાર્યો માં નામ લખવાનું શરૂ થઇ ગયું છે. પૂજ્ય પાદ ગો.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી ખુબ શ્રમ લઈને ખુબજ હોંશ થી આ તૈયારી ઓ માં માર્ગદર્શક તરીકે પરિશ્રમ લઇ રહ્યા છે.શ્રી મદનમોહન પ્રભુ ની કૃપા થી જેતપુર શહેર ના આંગણે આવી રહેલ આ રૂડા અને અનેરા અવસર ને વધાવા સમગ્ર પુષ્ટિ સંપ્રદાય તલ પાપડ થઇ રહ્યો છે.આ તકે નોંધનીય છે કે આ સોનેરી અવસર માં વૈષ્ણવો તેમજ દરેક ધર્મ પ્રેમી જનતા સ્વેછીક પોતાની સેવા પૂરી પાડે કારણ કે આટલા મોટા પ્રસંગ ખભેખભા મિલાવી ને કામ કરીએ તો જ પૂર્ણ થાય અને આશા રાખીએ કે દરેક શહેરીજન અને ગ્રામ્યજન આ સેવા થી વંચિત ના રહે અને આ રૂડા અવસર ને ખુબજ આનંદ અને ઉત્સાહ થી માણે.આ પૂર્વ સુચના થી જાણ કરવામાં આવે છે કે સર્વે વૈષ્ણવો પોતાના પારિવારિક પ્રસંગો વિગેરે લગ્ન પ્રસ્તાવ ના દિવસો ને અનુલક્ષી ને રાખે.લગ્ન પ્રસ્તાવ ની વિગતવાર પત્રિકા હવે પછી બહાર પડશે.પ્રસ્તાવ ને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે કિશોરભાઈ કાકડિયા મોબાઇલ નં ૯૮૨૫૧૮૯૫૦૮ નો સંપર્ક કરવો.


અમરકાંત તથા શ્રીલાક શુક્લને જ્ઞાનપીઠ પુરસ્કાર

અમરકાંત તથા શ્રીલાક શુક્લને જ્ઞાનપીઠ પુરસ્કાર: ભારતીય જ્ઞાનપીઠના જણાવ્યા પ્રમાણે વર્ષ 2009 માટે 45મો જ્ઞાનપીઠ પુરસ્કાર હિન્દી લેખક અમરકાંત અને શ્રીલાલ શુક્લને સંયુક્તરૂપે પ્રદાન કરવામાં આવશે. 2010માટે 46મો જ્ઞાનપીઠ પુરસ્કાર...

યેદ્દિયુરપ્પાના જમાઈની ઓફિસો પર લોકાયુક્તના દરોડા

યેદ્દિયુરપ્પાના જમાઈની ઓફિસો પર લોકાયુક્તના દરોડા: કર્ણાટકની લોકાયુક્ત પોલીસે જમીન અધિસૂચનાથી બહાર કરાવવાના કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના જમાઈ સોહન કુમારની ચાર ઓફિસો પર દરોડા પાડ્યા હતાં.

ઉદ્ધવ ઠાકરેનો રાજ ઠાકરેને પ્રહાર

ઉદ્ધવ ઠાકરેનો રાજ ઠાકરેને પ્રહાર: શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેની વચ્ચે ફરીથી અણબનાવ થઇ ગયો છે. બંનેની વચ્ચે ખાડાથી શરૂ થયેલી આ

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી: કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ ફેલાયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. આ ફ્લૂની જાણ બંગાળના નદિયા જીલ્લાથી લેવામાં...

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી

પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ : એલર્ટ જારી: કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં બર્ડ ફ્લૂ ફેલાયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. આ ફ્લૂની જાણ બંગાળના નદિયા જીલ્લાથી લેવામાં...

KCRની અલગ તેલંગણા માટે વધુ એક અનશનની યોજના

KCRની અલગ તેલંગણા માટે વધુ એક અનશનની યોજના: કેસીઆર નામથી પ્રખ્યાત તેલંગના રાષ્ટ્ર સમિતિ (કેસીઆર)ના અધ્યક્ષ કે.ચન્દ્રશેખર રાવ અલગ તેલંગણા રાજ્યની માંગને....

જો મોદી વડાપ્રધાન બનશે તો એનડીએમાંથી અલગ થઇ જશે જેડીયુ

જો મોદી વડાપ્રધાન બનશે તો એનડીએમાંથી અલગ થઇ જશે જેડીયુ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઉપવાસથી પેદા થયેલી રાજકીય ગતિવિધીઓએ બીજેપીની સાથે સાથે એનડીએમાં પણ ભૂકંપ મચાવી દીધો છે. એનડીએનો સૌથી મજબૂત પક્ષ જેડીયુએ ખુલ્લી ધમકી આપી છે

The World's Most Colorful Snakes..

Emerald Tree Boa
Most species of boas are colorful like the Corallus caninus, a non-venomous snake found in the rainforests of South America. Adults grow to about 6 feet or 1.8 m in length.. They have highly developed front teeth that are likely proportionately larger than those of any other non-venomous snake.

Coast Garter Snake
This species of snake is called Coast Garter Snake or Thamnophis elegans terrestris have toxins in their saliva and the bite can produce mild reaction in humans. They are not considered dangerous to humans, although they excrete a foulsmelling musk when handled.

Green Vine Snake
This snake with pretty geometrical color pattern is also called the Long-nosed Whipped Snake or Ahaetulla nasuta is a slender green tree snake found in India, Sri Lanka, Bangladesh, Myanmar,Thailand, Cambodia and Vietnam. The green vine snake is diurnal and mildly venomous. They are slow moving, relying on camouflaging as a vine in foliage. The snake expands its body when disturbed to show a black and white scale marking. Also, they may open their mouth in threat display and point their head in the direction of the perceived threat.

Albino Burmese Python
This famous and colorful species of python, the Burmese Python or Python molurus bivittatus, is the largest subspecies of the Indian Python and one of the 6th largest snakes in the world. This snake is native to rain forest areas of Southeast Asia. The Burmese python average growing up to 5.5meters (18ft) and weighing up to 71kilograms (160lb). It continues to grow throughout life..

Morelia spilota
This species of python called Morelia spilota is a large snake found in Australia, Indonesia and New
Guinea. The subspecies are commonly named the Carpet and Diamond pythons. This species traps or constricts its prey until they suffocate.
Bitis nasicornis
This big viper known for its striking color pattern and prominent horns on its nose named Bitis nasicornis is a venomous snake found in Central Africa. It is a large and stout snake, ranging in length from 72 cmto 107 cm.

Amazon Tree Boa (Corallus enydris)
This brightly colored species of snake named the Amazon Tree Boa is found in Costa Rica, Panama,and northern South America, through most of Venezuela and Guyana, and south and westward through Amazonian Columbia, Ecuador, Peru, Bolivia, and Brazil.

Red-tailed Green Ratsnake
This snake's color goes along well with the color of nature - green. Red-tailed Green Ratsnake or

Gonyosoma oxycephalum is a species of snake found in the region where I live - Southeast Asia. It is a thin snake with powerful and rough scales on its bottom, which makes it ideal to move and climb trees. Its tail is red hence the name. It lives and spends its life in the trees. It feeds mostly on small mammals. Its body can grow up to 2.3 meters and its average age is 15 years.

જાહેર સ્‍વચ્‍છતા જાળવવા ‘‘સ્‍વચ્‍છતા અભિયાન’’ના સંદેશા સાથે રાજકોટમાં નિર્મળ-પદયાત્રા નિકળી ધારાસભ્‍યો શ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ ભાનુબેન બાબરીયાએ કરાવેલું પ્રસ્‍થાન

મોટી સંખ્‍યામાં માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને નાગરિકો પદયાત્રામાં જોડાયા
રાજકોટ
રાજકોટ જીલ્‍લામાં આજથી ઉજવવામાં આવનાર નિર્મળ ઉત્‍સવના પ્રારંભે રાજકોટમાં આજે સવારે સ્‍વચ્‍છતા જાળવાનો સંદેશો ફેલાવતી નિર્મળ પદયાત્રા જયુબીલી ચોક નજીક આવેલ મહાત્‍મા ગાંધી વિદ્યાલય ખાતેથી નિકળી હતી. રાજકોટના ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ આ પદયાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યુ હતું. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી તેમજ રાજકોટ જિલ્‍લા વહિવટીતંત્રના ઉપક્રમે નિકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો આગેવાનો અને નાગરિકો જોડાયા હતા. આ રેલીનું રેસકોર્ષ બહુમાળી ભવન ખાતે સમાપન થયું હતું.
ચોમાસાને અનુલક્ષીને તેમજ આગામી સમયમાં આવી રહેલા નવરાત્રી અને દિપોત્‍સવી તહેવારો પુર્વે તમામ ગામો/શહેરોમાં જાહેર સ્‍વચ્‍છતા જાળવવાના આશયથી લોકજાગૃતિ અર્થે સમગ્રરાજયમાં તા. ૧૯ સપ્‍ટે થી તા. ૧ ઓકટોબર સુધી નિર્મળ ઉત્‍સવ ઉજવવામાં આવનાર છે તેના ઉપલક્ષમાં રાજકોટમાં આ પદયાત્રા નિકળી હતી.
મહાત્‍મા ગાંધી વિદ્યાલય ખાતે આ પદયાત્રા પ્રારંભે ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે જાહેર સ્‍વચ્‍છતા અને જાહેર આરોગ્‍ય જળવાઇ રહે તે માટે દરેકે જાગૃત રહેવું જોઇએ અને સ્‍વચ્‍છતા જાળવવા પ્રતિબધ્‍ધ બનવું જોઇએ કેમ કે ગંદકીથી રોગો ફેલાય છે અને આરોગ્‍યને નૂકશાનકર્તા બને છે. જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધીએ પણ વ્‍યકિતગત અને જાહેર આરોગ્‍ય જાળવવા પર ભાર મૂકયો હતો.
ધારાસભ્‍ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘોઘુભા જાડેજા તેમજ કોટડાસાંગાણીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઘેલાભાઇ સહિત પંચાયતોના પદાધિકારીઓ અને નાગરિકો આ પદયાત્રામાં જોડાયા હતા.
જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયે જયાં સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુનો વાસ છે તેમ જણાવી રાજકોટ જિલ્‍લાના ગામે ગામ નિર્મળ અભિયાન હેઠળ સ્‍વ્‍ચ્‍છતા અભિયાનને વેગ અપાશે અને આ પદયાત્રા નિર્મળતાના સંદેશાનોપ્રસાર કરશે.
મહાત્‍મા ગાંધી વિદ્યાલય ખાતેથી પ્રસ્‍થાન થયેલી આ પદયાત્રા જયુબીલી ચોક, ચૌધરી હાઇસ્‍કુલ થઇ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી જયાં પૂ. સરદાર પટેલની પ્રતિમાને આગેવાનોએ પુષ્‍પાંજલી અર્પી હતી.
આ પદયાત્રા પ્રસંગે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ મહાનુભાવોનું સ્‍વાગત કર્યુ હતુ અને નિર્મળ ઉત્‍સવનો હેતુ સ્‍પષ્‍ટ કર્યો હતો. રેલીના આયોજનમાં જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી ચેતનાબેન વ્‍યાસ તેમજ શિક્ષક ભાઇ-બહેનો તેમજ શિક્ષણ સંઘના મંત્રીશ્રી અશોકભાઇ સેતા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ વગેરે સહયોગી બની સૌ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા વિદ્યાર્થી ભાઇ બહેનો પદયાત્રામાં ઉત્‍સાહભેર જોડાયા હતા.


માળીયા-મીંયાણા તાલુકાના ઉમેદવારો માટે યોજાનારા ભારતીય નેવીમાં ભરતી અંગેના તાલીમ વર્ગો
રાજકોટ
ફકત માળીયા-મીંયાણા તાલુકાના ઉમેદવારો માટે સાગરખેડુ અંતર્ગત ભારતીય નેવીમાં ભરતી અંગેના તાલીમ વર્ગો યોજાશે.
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા ૨૬૦ કલાકના આ તાલીમવર્ગો યોજાશે. આ તાલીમવર્ગમાં ૧૬ થી ૧૯ વર્ષના ફીઝીકસ , કેમિસ્‍ટ્રી અને મેથ્‍સ વિષયો સાથે ધોરણ-૧૨ પાસ થયેલા અપરિણીત ભારતીય પુરૂષ ઉમેદવારો જોડાઇ શકશે. બહેનો અને અપંગ ઉમેદવારો આ તાલીમવર્ગમાં જોડાઇ શકશે નહીં. ૬(છ) માસના આ તાલીમવર્ગ સોમથી શુક્ર બે કલાક અથવા શનિ અને રવિ પાંચ કલાક યોજાશે. તાલીમવર્ગમાં જોડાનાર ઉમેદવારને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબનું સ્‍ટાઇપેન્‍ડ અને સાહિત્‍ય આપવામાં આવશે. આ અંગેનું ફોર્મ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રાજકોટ ફોન નં-૦૨૮૧ ૨૪૪૦૪૧૯ અથવા ૨૪૪૭૪૨૯ ખાતેથી કામકાજના દિવસો દરમ્‍યાન વિના-મૂલ્‍યે મળી શકશે, તેમ શ્રી એ.કે.સચાણીયા, મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.


ઉપલેટાની ખોવાયેલ યુવતી વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
ઉપલેટાના મનસુખભાઇ પાદરીયાની ૨૬ વર્ષની ઉંમરની પુત્રી યોગીતાબેન તણસવા તા. ઉપલેટા ખાતેના પોતાના ઘરેથી ગત તા.૨.૯.૨૦૧૧ના રોજ બપોરે ૩ વાગ્‍યે કોઇને કહયા વગર ગુમ થયા છે. સાધારણ બાંધાની, લંબગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ મરૂન કલરનો પંજાબી પહેર્યો છે. તેના જમણા હાથના પોંચા ઉપર ઓમ ત્રોફાવેલ છે. તથા આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્‍ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.


ઇન્‍ડીયન એરફોર્સનો ભરતી મેળો નવેમ્‍બરમાં યોજાશે.
રાજકોટ
રાજકોટ ખાતે ચાલુ માસ દરમ્‍યાન યોજાનારો ઇન્‍ડીયન એરફોર્સમાં એરમેનની ભરતી માટેનો ભરતીમેળો વીંગકમાન્‍ડર એરફોર્સ, મુંબઇ દ્વારા અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્‍યો છે. આ ભરતીમેળો હવે નવેમ્‍બર-૨૦૧૧માં યોજાશે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.


રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના કિરણભાઇ સોલંકીની ૨૦ વર્ષની ઉંમરના પત્‍ની જયોતિબેન પોતાના ઘરેથી ગત તા.૮.૯.૨૦૧૧ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે ગુમ થયેલ છે. મધ્‍યમ બાંધાના અને વાને ઘઉંવર્ણા આ બહેને પીળા સાડી-બ્‍લાઉઝ પહેર્યા છે. તથા આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૧-૨૩૮૯૫૫૨ ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.


તોલમાપ તેમજ ખોરાક-ઔષધ નિયમન તંત્રની કામગીરી વધુ અસરકારક અને ઘનિષ્‍ઠ બનાવવાની સૂચના આપતાં જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહ
જિલ્‍લા કલેકટરશ્રી શાહના અધ્‍યક્ષપદે જિલ્‍લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર-ગ્રાહક સુરક્ષા ભંડાર માટેની સંયુકત સમિતિની મળેલી બેઠક

જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહના અધ્‍યક્ષપદે તેમની ચેમ્‍બરમાં મળેલી જિલ્‍લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતિની એક સંયુકત બેઠકમાં નાગરિક પુરવઠો અને તેના વિતરણ તેમજ સંલગ્‍ન વિભાગોની કામગીરીની વિસ્‍તૃત સમીક્ષા કરતાં તેમણે જિલ્‍લાના તમામ તાલુકાઓમાં તોલમાપ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રની કામગીરી વધુ અસરકારક અને ઘનિષ્‍ઠ બની રહે તેવા પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી.
ઇનચાર્જ જિલ્‍લા નાગરિક પુરવઠા અધિકારીશ્રી અને સમિતિના સભ્‍ય સચિવશ્રી બી.સી. ચુડાસમા સહિત સમિતિના અન્‍ય સભ્‍યશ્રીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વાજબી ભાવની દુકાનોની સંખ્‍યા તેમજ તેની પસંદગી, જિલ્‍લામાં કાયમી ૬૧૯ જેટલી વાજબી ભાવની દુકાનો દ્વારા માહે ઓગષ્‍ટ-૨૦૧૧ ના માસમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓ અને નાગરિક પુરવઠાની વહેંચણી બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તોલમાપ વિભાગ દ્વારા માહે ઓગષ્‍ટ-૨૦૧૧ દરમિયાન જિલ્‍લામાં પેટ્રોલપંપ, ગેસ એજન્‍સી, વાજબી ભાવની દુકાનો, તથા અન્‍ય વેપારી-ફેરિયાઓ મળી કુલ ૨૮૨ સંસ્‍થાઓની કરાયેલી તપાસણીની કામગીરી અને તેમાં ૨૩ સંસ્‍થા સામે થયેલી કાયદેસરની કાર્યવાહી ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થના લેવાયેલાં ૪ નમૂના ઉપરાંત ૨૦ જેટલા ખાદ્ય પદાર્થના નમૂનાની કરાયેલી ચકાસણીની રજુ થયેલી વિગતોની સમીક્ષા પણ કરવામાં આવી હતી.


વઢવાણ ખાતેથી“નિર્મળ ઉત્‍સવ”- નિર્મળ પદયાત્રાનો શુભારંભ
દિવાળી પહેલા સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તમામ ગામો નિર્મળ બને તે માટેના સ્‍વચ્‍છતા અભિયાનનો પ્રારંભ

સુરેન્‍દ્રનગર,
રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા.૧૯/૯/૨૦૧૧ થી તા.૨/૧૦/૨૦૧૧ દરમિયાન સમગ્ર રાજયમાં નિર્મળ ઉત્‍સવ તરીકે ઉજવણી કરવા તેમજ આ દિવસો દરમિયાન સ્‍વચ્‍છતા માટે લોકોને જાગૃત કરવા માટે ગામોના તમામ લોકોને આવરી લેવાના કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં જિલ્‍લા કક્ષાનો નિર્મળ ઉત્‍સવ તથા નિર્મળ પદયાત્રાનો આજે સવારે વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખશ્રી બચુભાઇ પટેલના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે શ્રી બચુભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આરોગ્‍ય સુખાકારી જળવાય તે માટે આગામી દિવાળી પર્વો પહેલા જિલ્‍લાના તમામ ગામોને નિર્મળ બનાવવામાં આવશે, જેમાં ઘરે-ઘરે શૌચાલયો ઉભા કરવામાં આવશે, ગામની આસપાસનો એક કી.મી.નો વિસ્‍તાર પ્‍લાસ્‍ટીક મુકત કરાશે. ગંદા પાણીનો નિકાલ, ઘરે-ઘરેથી ઘન કચરાનો નિકાલ, જાહેર સ્‍થળોની નિયમિત સાફ સફાઇ, તેમજ ઉકરડામાંથી કમ્‍પોસ્‍ટીંગ અને વર્મી કંમ્‍પોસ્‍ટીંગની કામગીરીની કાયમી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહે શૌચાલયોનો ઉપયોગ તથા હાલનાં ચોમાસાનાં સમયમાં રોગચાળાની પરિસ્‍થિતિ ન થાય તે માટે સફાઇનું મહત્‍વ સમજાવી ઘનિષ્‍ઠ સફાઇની કામગીરી માટે લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.
આ તકે દશ તાલુકાની દશ પદયાત્રીઓની ટીમોને આ કાર્યક્રમના અધ્‍યક્ષશ્રી અને પ્રમુખશ્રી જિલ્‍લા પંચાયતના અન્‍ય મહાનુભાવોની હાજરીમાં ફલેગ આપી તેમના તાલુકા માટે પ્રસ્‍થાન કરાવાયું હતું. આ પદયાત્રા જિલ્‍લાનાં ૧૦ તાલુકાઓમાં જશે અને ત્‍યાંથી તા.૨૦/૯/૨૦૧૧ થી તાલુકાનાં કલસ્‍ટર વાઇઝ રૂટનાં ગામોમાં જઇ નિર્મળ ઉત્‍સવ અંગે લોકોમાં જાગૃતિ કેળવશે.
આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સી.પી. પટેલ, અધિક કલેકટરશ્રી અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એમ. બી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ખીમજીભાઇ પરમાર, વઢવાણના તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકાના આગેવાનો, સખીમંડળના સભ્‍યો, શાળાનાં આચાર્યશ્રીઓ, આંગણવાડી સ્‍ટાફ - સી.ડી.પી.ઓ.શ્રી, સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.



જામનગર તાલુકાના વિવિધ ગામોમાં તા.૨૧ અને ૨૨મીએ ગ્રામસભા
જામનગર તાલુકાના વિવિધ ગામોમાં સરપંચશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા યોજાશે. જેમાં તા.૨૧ ના રોજ ધુતારપર, ધુંવાવ, ધુડસિયા, ધ્રાંગડા, ઠીંચડા, ઢંઢા, દરેડ, દળિયા, ચેલા, ચાવડા ખાતે તથા તા.૨૨ના રોજ ચંગા, ચંદ્રગઢ, ચંદ્રાગા, ચાપા બેરાજા, બેરાજા, બેડ, બાવરિયા, બાલંભડી, બાડા, અામરા, અલીયા ખાતે ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્‍લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. તેમ જામનગર તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.


કાલાવડ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા.૨૨ ના મળશે ગ્રામસભા
કાલાવડ તાલુકાના ભાંગડા, ભગત ખીજડિયા, બેરાજા, બેડિયા, બાવા ખાખરિયા, બાંગા, બામણગામ, બાલંભડી, અરલા, આણંદપુર ખાતે તા.૨૨ ના રોજ સરપંચશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્‍લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. તેમ કાલાવડ તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.


જોડિયા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા.૨૧ અને ૨૨ સપ્‍ટે. ના રોજ ગ્રામસભા
જોડિયા તાલુકાના ભીમકટા, ભાદરા, બેરાજા, બેલા, બારાડી, બાલંભા ખાતે તા.૨૧ ના રોજ અને બાલાચડી, બાદનપર(જોડિયા), બાદનપર(આમરણ), આણદા, આમરણ, અંબાલા ખાતે તા.૨૨ ના રોજ સરપંચશ્રીના અધ્‍યક્ષસ્‍થાને ગ્રામસભા મળશે. ગ્રામસભામાં જિલ્‍લા તથા તાલુકાક્ક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહી ગ્રામજનોને માર્ગદર્શન આપશે. ગ્રામજનોને ગ્રામસભામાં ઉપસ્‍થિત રહેવા જોડિયા તાલુકા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.


હાલારમાં ૯૦ ગામ નિર્મળ ગ્રામ અભિલાષી
જામનગર જિલ્‍લામાં ચાલુ સાલે નિર્મળ ગ્રામનો પુરષ્‍કાર મેળવવા ૯૦ ગ્રામ પંચયતોને દરખાસ્‍ત કરી છે. જિલ્‍લા ગ્રામ વિસ એજન્‍સીના નિયામકશ્રી પટ્ટણીના જણાવ્‍યા મુજબ જે ગામના તમામ ઘરોમાં શૌચાલય, ગંદકીમુકત ગામ હોય આ ગામો નિર્મળગામના તમામ ધારાધોરણો પૂર્ણ કરે તેની પૂરતી તપાસ કરી સબંધીત ગામને નિર્મળગ્રામનો પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.


હાલારમાં ૧૩ દિવસીય નિર્મળ ઉત્‍સવનો જામનગરથી પ્રારંભ
૮૦ ટકા રોગો, અસ્‍વચ્‍છતા અને પ્રદૂષિત પાણીના લીધે થાય છે
હાલારમાં હજુ ૭૫ હજારથી વધુ કુટુંબો શૌચાલય વિહોણા
હાલારના ૪ ગામમાં રૂ. ૨૮.૮૯ લાખના ખર્ચે ભુગર્ભ ગટર બનશે
હાલારમાં ૧૩ દિવસીય નિર્મળ ઉત્‍સવનો જામનગર સ્‍થિત ટાઉન હોલથી જિલ્‍લા પંચાયત પ્રમુખ ડો.પી.બી.વસોયા, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમાર અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી પટ્ટણી દ્વારા પ્રારંભ કરાયો હતો.
નિર્મળ ઉત્‍સવ અંતર્ગત યોજાયેલ પદયાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ, લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહજી જાડેજા, કલ્‍યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગાભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયતના સભ્‍યશ્રી મુળુભાઇ કંડોરિયા ઉપરાંત વિવિધ શાળાના ૧૫૦૦ થી વધુ વિધાર્થીઓ સહભાગી થયા હતા. આ ઉત્‍સવ નિમિતે વિશાળ પદયાત્રા યોજાઇ હતી.
આ પ્રસંગે ટાઉન હોલ ખાતે યોજાયેલ સમારોહમાં સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત જામનગર જિલ્‍લાના ૪ ગામમાં નિર્માણ થનાર ભૂગર્ભ ગટર માટે કુલ રૂ.૨૮.૮૯ લાખના ચેક રણજીતપુર, દડિયા, જંબુસર અને વાનાવડ ગામના સરપંચોને અર્પણ કરાયા હતા.
વ્‍યકિતગત સ્‍વચ્‍છતા માટે પ્રથમ પગલુ શૌચાલય છે. લોકો પાસે બાઇક, સ્‍કુટર, મોબાઇલ, જમીન, દોલત બધુ હશે છતાં શૌચાલય બનાવવાની માનસિકતાના અભાવે જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હજુ પણ ૭૫૬૪૩ ઘરોમાં શૌચાલય નથી. જેમાં ૭૫૦૭૯ એપીએલ અને માત્ર ૫૬૪ બીપીએલ કુટુંબોનો સમાવેશ થાય છે.
સંપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત બીપીએલ લાભાર્થીઓને વ્‍યકિતગત શૌચાલય બનાવવા રૂ.૩૨૦૦ અને એપીએલ લાભાર્થીઓને રૂ.૨ હજાર સહાય આપવામાં આવે છે. શૌચાલય ન હોવાથી ખુલ્‍લામાં શૌચક્રિયાથી કમળો, કોલેરા, મરડો, ઝાડા, કૃમિ તથા ટાઇફોઇડ જેવા રોગોના લોકો ભોગ બને છે.
નિર્મળ મહોત્‍સવનો મુખ્‍ય આદેશ ખુલ્‍લામાં થતી શૌચક્રિયા સદંતર બંધ કરવાનો છે. તેમ આ તકે જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પટ્ટણીએ જણાવ્‍યુ હતું. આ મહોત્‍સવને સફળ બનાવવા ગ્રામ વિકાસ એજન્‍સીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ તથા ગ્રામ્‍ય લેવલે આંગણવાડી વર્કરો, આરોગ્‍ય કર્મચારીઓ, તલાટીમંત્રીઓ, શિક્ષકોને સહભાગી થવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિજય ગૌસ્‍વામી તથા સહયોગી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી નલીન રાજાણીએ કર્યુ હતું.


સ્‍વચ્‍છતા અને સફાઇને મિશન સ્‍વરૂપે અપનાવોઃ
કચ્‍છમાં નિર્મળ ઉત્‍સવનો પ્રારંભઃ કચ્‍છમાં આ વર્ષે ૨૭ લાખના ખર્ચે ૮૬૦૦ શૌચાલયો બનશેઃ
૧૩૮ ગામોને નિર્મળ ગ્રામ જાહેર કરવા દરખાસ્‍ત કરાશેઃ
ભુજ,
કચ્‍છમાં સંપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ હેઠળ સફાઇ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર નિર્મળ ઉત્‍સવ ઉજવણી અંતર્ગત નિર્મળ પદયાત્રાનો પ્રારંભ થયો છે. રજી ઓકટો. સુધી જીલ્‍લામાં ગામડે ગામડે સફાઇ બાબતે જાગૃતિનો સંદેશ વહેતો કરાશે. ભુજ ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્‍વચ્‍છતાને જીવનમાં મિશન સ્‍વરૂપે લેવા હાકલ કરવામાં આવી હતી.
જિલ્‍લાના દસે દસ તાલુકામાં પહોંચનારી ટીમને પ્રસ્‍થાન કરાવતા જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગાએ સ્‍વચ્‍છતાને અભિયાન તરીકે લેવાનું જણાવી કહયું કે, કોઇપણ સામૂહિક આચરણ માટે વ્‍યકિતગત અમલ કરવો જરૂરી છે. તેમણે કહયું કે, પશ્‍ચિમના દેશો પાસેથી શીખવા જેવી બાબત કોઇ હોય તો તે સ્‍વચ્‍છતા છે. બીજી વણજોઇતી નકલ કરવાને બદલે ‘‘સ્‍વચ્‍છતાના પાઠ ભણવાનો’’ તેમણે અનુરોધ કર્યો હતો. સ્‍વચ્‍છતા મિશન તો જ પુરૂં થાય જો કચ્‍છના દરેક ગામ નિર્મળ ગ્રામ બને.
જિલ્‍લા કલેકટરશ્રી એમ થેન્‍નારસને સ્‍વચ્‍છતા માટે લોકજાગૃતિ અત્‍યંત મહત્‍વનું પાસું છે એમ જણાવી કહયું કે, સફાઇ સ્‍વચ્‍છતાનો કાયદો તો જ અસરકારક બને જો લોકો જાતે આગળ આવે. એકલ-દોકલ કામ ચલાવવાથી કાંઇ ન થાય. પ્‍લાસ્‍ટિકના ઉપયોગ સામે પર્યાવરણને મોટો ખતરો છે તેમ જણાવી કલેકટરે કહયું કે, બજારમાં ખરીદી કરવા હવે પરંપરાગત પધ્‍ધતિ એવી થેલીનો ઉપયોગ કરાય તો જ ૨૦ થી ૪૦ માઇક્રોન પ્‍લાસ્‍ટિક આપો આપ નાબૂદ થઇ જાય. ઘરનો કચરો આમ તેમ ફેંકવા કરતા નિશ્‍ચિત જગ્‍યાએ રાખવાની ટેવ પણ પ્રજાએ કેળવવી પડશે, એમ તેમણે ઊમેર્યુ હતું.
જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે સ્‍વચ્‍છ અને સુખી સમાજના નિર્માણ માટે સ્‍વચ્‍છતાને કાયમી ધોરણે જીવનમંત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. ગામડામાં સફાઇનો સંદેશો પહોંચાડવા એન.એસ.એસ. અને એમ.એસ.ડબલ્‍યુના વિધાર્થીઓને અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી આર.જી.ભાલારાએ સ્‍વાગત કરી, કાર્યક્રમનો ઉદેશ સમજાવ્‍યો હતો. કાર્યક્રમનું સંચાલન સ્‍નેહલ વૈધએ અને આભારદર્શન ગ્રામ વિકાસ એજન્‍સીના જે.કે.છાયાએ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્‍લા પંચાયતના ઉપ-પ્રમુખશ્રી છાયાબેન ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગેરિયા, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી વિનોદ ચાવડા, જિલ્‍લા કારોબારી સમિતિના ચેરમેન અરવિંદ પિંડોરિયા, શાસક પક્ષના નેતા જયંત માધાપરિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હિતેષ ખંડોલ, સ્‍વચ્‍છતા અભિયાનના તપન ઘોષ, પાલજી ડોરિયા, આસીફ રાયમા રૂચિબેન વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.
ઉલ્‍લેખનીય છે કે, કચ્‍છમાં સંપૂર્ણ સ્‍વચ્‍છતા અભિયાન યોજના હેઠળ નિર્મળ ગુજરાત અંતર્ગત આ વર્ષે ૮૬૦૦ શૌચાલયો બનાવવાનો લક્ષ્‍યાંક નિર્ધારિત કરવામાં આવ્‍યો છે. એપીએલ, બીપીએલ શાળા શૌચાલય, આંગણવાડી શૌચાલય અને સામૂહિક શૌચાલય પાછળ ૨૭ લાખનો ખર્ચ કરાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે કચ્‍છમાં ૧૩૮ ગામોને નિર્મળ ગ્રામ બનાવવા સરકારને દરખાસ્‍ત કરાશે.


મોસમ જોઇ વિકસતો કચ્‍છનો તરણેતરઃ
રાજાશાહીના વખતથી ચાલતો મેળો એક જમાનામાં આર્થિક અને સામાજિક વ્‍યવહારનું શ્રેષ્‍ઠ માધ્‍યમ હતુંઃ
યક્ષનો મેળો ભાતીગળથી હવે વેબસાઇટ સુધી પહોંચશેઃ

ભુજ,
કચ્‍છના મિની તરણેતર તરીકે ગણાતા યક્ષના મેળાનો પ્રારંભ થયો છે. માત્ર પશ્‍ચિમ કચ્‍છનો જ નહીં સમગ્ર કચ્‍છનો આ સૌથી મોટો મેળો છે. ચાર દિવસ ચાલનારા યક્ષના મેળામાં રવિવારની રાતથી બુધવારની બપોર સુધી સરેરાશ પાંચ લાખ જેટલા મેળાના માણીગરો ઉમટી પડે છે. રાજાશાહીના વખતથી ભરાતો આ મેળો સમયને સથવારે ચાલી રૂપ રંગ બદલે છે. એક સમયે તદન ભાતીગળ હતો. આજે સી.સી.કેમેરા સાથે સજ્જ છે તો આવતીકાલે વિશ્‍વના લોકો વેબસાઇટ ઉપર મેળો જોઇ શકે તેવું આયોજન સંચાલકોએ વિચાર્યુ છે.
મોસમ જોઇ વિકસતો યક્ષનો મેળો જમાના પ્રમાણે ચાલે છે. એક જમાનામાં આ મેળો યક્ષના આળા-પાંચાળામાં આર્થિક અને સામાજિક વ્‍યવહાર માટે પ્રચલિત હતો. ગામડાના કમી કસબીઓની સેવાના બદલામાં મેળામાં વાપરવા તેમને કૃષિપુત્રો તથા વેપારીઓ પાસેથી પૈસા મળતા તો આ મેળો દીકરા-દીકરીના સગપણ માટે પણ યોગ્‍ય સ્‍થળ ગણાતું. કારણ કે આજુબાજુના લોકો ગાડાંથી આવે ત્‍યારે એકાદ બે દિવસ તંબુ તાણીને રહી પરસ્‍પર પરિચય કેળવતા.
યક્ષનો મેળો તે વખતે માત્ર સલેહગાહ કે મનોરંજન પુરતો મર્યાદિત ન હોતો. ગ્રામ પ્રજા અહીં વાસણોની ખરીદી પણ કરતી. એક આખી કંસારા બજાર અસ્‍તિત્‍વમાં હતી. વાળંદની સલૂનો લાગતી. કપડાના તાકા મળતા. એકાદ દરજીની દુકાન પણ લાગતી. જો કે રમકડાં, પ્રસાધનો, કટલેરી તેમજ જલેબી, ગાંઠીયા અને ભજીયા મળતાં.... મનોરંજનમાં માત્ર ગોળ અને ઉભા ફરતાં ચકડોળ જ હતા.
પછી જમાનો બદલાતો ચાલ્‍યો.. ગાડાંનું ચલણ ઓછું થયું. એસ.ટી. સેવાની ધૂમ મચી. હવે તો બાઇક અને ફોર વ્‍હીલનો જમાનો છે. મેળામાં રોકાવાનો તો સવાલ જ નથી. મુંબઇની જેમ દિવસને બદલે રાત્રે તેની રોનક વધે છે. ચગડોળનું સ્‍થાન મેરીગો રાઉન્‍ડે લીધું છે. ડાન્‍સ-પ્રોગ્રામ, મોતનો કૂવો, બ્રેકજુલો, સેલબો, નાવ, ચિલ્‍ડ્રન આઇટમ, ટોરાટોરા જેવી અવનવી મનોરંજનની વસ્‍તુઓ ઉપલબ્‍ધ છે. મનોરંજન સાથે ખાણીપીણીનું મહત્‍વ વધ્‍યું છે. પ્રિન્‍સ્‍ટાર જેવો નજારો જોવા મળે છે. હવે તો રમકડા સહિત અનેક વસ્‍તુનાં સેલ લાગવા માંડયા છે.
આખા દિવસનો કલશોર અને રાત્રે શાંત વાતાવરણમાં મેળાની રોનક વધુ જામતી જાય છે. અવાજ હોય છે, માત્ર પોતાના સ્‍ટોલમાં આવકારનો.
યક્ષનો મેળો જમાના પ્રમાણે ચાલે છે. દેશ અને રાજયની પ્રાસંગિક બાબતને અહીં વણી લેવામાં આવે છે. સરદાર સરોવર ડેમના આંદોલનથી માંડીને, વાઇબ્રન્‍ટ ગુજરાત, કચ્‍છને નર્મદાના નીર મળે તો તેની વાત, કોમી એકતા વિગેરે બાબતો વખતો વખત જોવા મળે છે.
મેળા આયોજક સમિતિના ચેરમેન ધીરૂભાઇએ કહયું કે, આજે મેળાનો વિસ્‍તાર વધ્‍યો છે. સમયને અનુરૂપ અને બદલવા લાવીએ છે. આજે સી.સી.કેમેરા ગોઠવ્‍યા છે. કાલે અમે વેબસાઇટ તૈયાર કરવાના છીએ. જેથી અમેરિકામાં રહેતો કચ્‍છી તેના મેળાને જોઇ શકે.


માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્‍પના સ્‍થળે વિગતો રાખવા જાહેરનામું
નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરવાની રહેશેઃ

ભુજ,
આસો નવરાત્રિ પર્વ તા. ૨૬/૯ થી પ/૧૦ દરમિયાન તથા તા. ૬/૧૦/૧૧ના રોજ દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લાક બહારના શ્રધ્‍ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા જિલ્‍લના સામખીયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્‍પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે. આ સેવા કેમ્‍પો તા. ૨૨/૯/૧૧થી ખોલવામાં આવે તેવી સંભાવના છે.
જેથી પદયાત્રીઓનાં માર્ગમાં કોઇ અડચણ કે મુશ્‍કેલી ઊભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી સી.પી.નેમાએ એક જાહેરનામા દ્વારા તા.૨૨/૯/૧૧ના સવારના ૬-૦૦ કલાકથી તા.૬/૧૦/૨૦૧૧ સુધી સંબંધિત કેમ્‍પ સંચાલકોને આ જાહેરનામાની વિગતોનો અમલ કરવા જણાવાયું છે.
તદ્દઅનુસાર સામખીયાળીથી માતાના મઢ સુધી શ્રધ્‍ધાળુઓ માટે કચ્‍છ અને કચ્‍છ બહારની જે સંસ્‍થાઓ તરફથી રસ્‍તાની સાઇડે કેમ્‍પ રાખવામાં આવે છે, તેઓએ સેવાભાવી સંસ્‍થાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, કેમ્‍પનું સ્‍થળ અને કેમ્‍પનો હેતુ, કેમ્‍પના મુખ્‍ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નં. તેમજ કેમ્‍પના સેવા આપનાર સ્‍વયં સેવકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઇલ નંબરની સાથે કેમ્‍પમાં કોઇ ચીજ/વસ્‍તુ ખાદ્ય પદાર્થ વિતરણ કરવાના હોય તો તેની સંપૂર્ણ વિગત. કેમ્‍પમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહીં. કેમ્‍પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે.
આ ઉપરાંત જે જગ્‍યાએ કેમ્‍પ લગાડવાના હોય તે જગ્‍યાએ લાઇટ રીફલેકટર રાખવા, કેમ્‍પ આયોજકોએ સફાઇ માટેની જરૂરી વ્‍યવસ્‍થા કરવી. યાત્રાળુઓ માટે શુધ્‍ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્‍તા ઉપર વધારાના સ્‍પીડબ્રેકર કે બમ્‍પ બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્‍પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્‍લાસ્‍ટીકની થેલીનો ઉપયોગ નહીં કરવો. કેમ્‍પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે તેમજ કેમ્‍પના સંચાલકોએ જાહેર રસ્‍તા કે મુખ્‍ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા નહીં કરવા તેમજ સેવા કેમ્‍પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહન-વ્‍યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા જણાવાયું છે.
આ તમામ વિગતો કેમ્‍પના સ્‍થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત પોલીસ સ્‍ટેશનને તેની જાણ કરવાની રહેશે. તેમ વધુમાં જાહેરનામા દ્વારા જણાવાયું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે .


તા.૨૬/૯ થી ૬/૧૦ રાત્રિના ૨૪ કલાક સુધી માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુ મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ
ભુજ
આગામી તા. ૨૬/૯ થી ૬/૧૦/૧૧ના રાત્રિના ૨૪ કલાક સુધી નવરાત્રિ અને દશેરા પર્વની ઉજવણી થનાર છે. દયાપર પોલીસ સ્‍ટેશનના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્‍યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી સી.પી. નેમાએ એક જાહેરનામા દ્વારા તા.૨૬/૯ ના વહેલી સવારે ૬ કલાકથી ૬/૧૦/૧૧ રાત્રિના ૨૪ કલાક સુધી માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્‍પદ વસ્‍તુઓ, શ્રીફળ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને સજા થશે.


અબડાસામાં રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના હેઠળ સારવારલક્ષી સ્‍માર્ટકાર્ડ જોગઃ
ભુજ,
જિલ્‍લામાં રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના હેઠળ સારવારલક્ષી સ્‍માર્ટ કાર્ડ બનાવવા માટે અબડાસા તાલુકાના ગામોમાં તા.૧૯/૯/૨૦૧૧ થી ૨૩/૯/૨૦૧૧ સુધી બી.પી.એલ.કુટુંબોના સભ્‍યોએ બીપીએલ યાદી મુજબ વ્‍યકિત દીઠ ૫ સભ્‍યોએ એક વર્ષની મુદત માટે નોંધણી ફી પેટે રૂપિયા ૩૦ ચૂકવી સારવારલક્ષી સ્‍માર્ટ કાર્ડ બનાવી લેવા. બીપીએલ લાભાર્થીઓ આ લાભથી વંચિત ન રહી જાય તે માટે ગામના સરપંચશ્રીઓ, સદસ્‍યશ્રીઓ, લોક આગેવાનોને આ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. સ્‍માર્ટ કાર્ડ દ્વારા બીપીએલ કુટુંબોના નોંધાયેલા ૫ સભ્‍યો પૈકી ચોલા મન્‍ડલમ કંપની દ્વારા નિર્ધારિત દવાખાનાઓમાં એક વર્ષ માટે રૂપિયા ૩૦ હજાર સુધીની સારવાર પેટે ખર્ચની રકમ ચોલા મન્‍ડલમ કંપની દ્વારા કરવામાં આવનાર છે. જેથી આ રાષ્‍ટ્રીય સ્‍વાચ્‍થ્‍ય યોજનાનો લાભ લેવા મુખ્‍ય જિલ્‍લા આયોજન અધિકારી એસ.કે.મોઢ દ્વારા જણાવાયું છે.


કોમર્શીયલ રીતે સ્‍પર્ધાત્‍મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું
ડોરફ્રેમ મેટલ ડીટેકટર, સી.સી. ટીવી કેમેરા રાખવાના રહેશેઃ
ભુજ,
ચાલુ માસે નવરાત્રિ પર્વ દશેરા પર્વની ઉજવણી કચ્‍છ જિલ્‍લામાં આગામી તા. ૨૬/૯ થી તા. ૬/૧૦/૧૧ સુધી થનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્‍તારોમાં જિલ્‍લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્‍ટ્રા ગ્રુપોને બોલાવી એન્‍ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્‍પર્ધાત્‍મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય છે.
જેથી આવા મોટા પાયે કોમર્શીયલ અને સાર્વજનિક રીતે યોજવામાં આવતા દાંડીયા રાસ, ગરબા, મ્‍યુઝીકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્‍થાઓએ હાલની સલામતીની પરિસ્‍થિતની દ્રષ્‍ટિએ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તથા એકત્રિત માનવ મેદની વગેરે બાબતે ચોકસાઇ અને તકેદારી રાખી શકાય તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ શ્રી સી.પી.નેમાએ એક જાહેરનામું બહાર પાડી તમામ પ્રકારના ગરબાઓ મોડામાં મોડા રાત્રીના ૧૨-૦૦ વાગ્‍યા સુધી જ ચાલુ રાખી શકાશે તેમ જણાવ્‍યું છે. આ ઉપરાંત દરેક સંસ્‍થા/વ્‍યકિત તે સ્‍થળ અંગેનું પરફોર્મન્‍સ પ્રિમાઇસીસ લાયસન્‍સ નિયમાનુસાર મેળવી સ્‍થાનિકે રાખવાનું રહેશે.
સંબંધિત અધિકારી પાસે લાઉડ સ્‍પીકર વગાડવાની નિયમાનુસારની મંજૂરી મેળવી લેવાની રહેશે. ઇલેકટ્રીક અંગેના કનેકશનો સંબંધિત ઓથોરીટી પાસેથી મેળવી લેવાના રહેશે. દરેક એન્‍ટ્રી પોઇન્‍ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડીટેકટર રાખવાના રહેશે. દરેક એન્‍ટ્રી પોઇન્‍ટ ઉપર તથા પાર્કીંગની જગ્‍યાએ સી.સી. ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. કાર્યક્રમમાં અવર-જવરનું રેકોર્ડીંગ(વિડીયોગ્રાફી) કરવાનું રહેશે અને કરેલ રેકોર્ડીંગની સી.ડી. પોલીસ કંટ્રોલરૂમને આપવાની રહેશે. પાર્કીંગ માટે પૂરતી વ્‍યવસ્‍થા રાખવાની રહેશે. સિકયુરીટી માણસો સલામતી માટે રાખવાના રહેશે, તેમ વધુમાં આ જાહેરનામાં દ્વારા જણાવાયું છે.
આ જાહેરનામાના હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર શિક્ષાનેપાત્ર થશે.

વીરપુર પોલીસે ગોંડલ ની દલિત મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધી

વીરપુર પોલીસ ના ઇન્ચાર્જ ફોજદાર રાયઝાડા એ આજે માતૃક્રીપા ટ્રાવેલ્સ ની બુસમાં મુસાફરી કરતી અને જુનાગઢ થી ગોંડલ દેશી દારૂ લઈને જતી શર્મિલા સોલંકી નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીરપુર પોલીસ ના જમાદાર બલદેવસીહજી અ જણાવેલ કી ગોંડલ ની ઉક્ત મહિલા દેશી દારૂ લઈને નીકળી હોવાની વર્ષાબેન બારોટ નામના મહિલા પોલીસ ને મળેલી બાતમીના આધારે શર્મિલા ને પકડી પડી હતી. આ કાર્યવાહી માં ફોજદાર રાયઝાડા,બલુંભા, દિલીપસીહજી, વર્ષાબેન લખધીર વિગેરે રોકાયા હતા.

મોદી હિન્દુઓને ‘બિનસાંપ્રદાયિકતાનું ઝેર’ ન પીવડાવે : બાલ ઠાકરે

મોદી હિન્દુઓને ‘બિનસાંપ્રદાયિકતાનું ઝેર’ ન પીવડાવે : બાલ ઠાકરે: સદ્ભાવના મિશન દ્વારા પોતાની છબી બિનસાંપ્રદાયિક ચીતરવાના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો બદલ તેમની...

બાબા રામદેવની સ્વાભિમાન યાત્રાનો ઝાંસીથી પ્રારંભ

બાબા રામદેવની સ્વાભિમાન યાત્રાનો ઝાંસીથી પ્રારંભ: યોગગુરુ બાબા રામદેવે એક લાખ કિલોમીટરની સ્વાભિમાન યાત્રાનું બીજું ચરણ ઉત્તર પ્રદેશના ઝાંસીથી શરૂ કર્યું છે. મંગળવારે પોતાની યાત્રાની શરૂઆતમાં તેમણે સમર્થકોને સંબોધિત કર્યા અને ચાર લાખ કરોડના