કેન્દ્ર સરકારનાં પર્યાવરણ અને વન મંત્રાલયે વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ હેઠળ આવતી જમીનને ડાયવર્ઝન માટેની મંજુરી આપી
છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ગુંચવાયેલા પ્રશ્નનો ઉકેલ આવ્યો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના અધિકારીઓના સતત પ્રયાસોનું પરિણામa
ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના ૧૦ ગામોની આશરે ૧૦પ૮ હેકટર જેટલી રિઝર્વ ફોરેસ્ટની જમીનને વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ હેઠળ ડાયવર્ઝનની મંજુરી આપી છે.
સને ૧૯૭૮માં પંચમહાલ જિલ્લાની હાડફ, કસ્તુરી અને ઇદલવાડા સિંચાઇ યોજનાના ૪પ૦ વિસ્થાપિત પરિવારોને વન વિસ્તારના દસ ગામોમાં વસાવવામાં આવ્યા હતા. પરંતુ વન (સંરક્ષણ) અધિનિયમ મુજબ આ રીર્ઝવ ફોરેસ્ટ જમીન, વિસથાપિતો માટે ઉપલબ્ધ થઇ શકતી નહોતી, તેના કારણે આ પ્રશ્ન છેલ્લા ૩૦-૩૦ ૩૦ વર્ષથી ગુંચવાયેલો હતો.
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ધ્યાને આદિવાસી જનતાની આ લાંબા સમયની મુશ્કેલી આવતાં તેમણે રાજ્યના વન વિભાગના અધિકારીઓ તથા દિલ્હી સ્થિત નિવાસી આયુકતશ્રીને આ પ્રશ્નનો અગ્રતાના ધોરણે ઉકેલ લાવવા તાકીદ કરી હતી. આ દસ ગામોની ૧૦પ૮ હેકટર જમીન રીર્ઝવ ફોરેસ્ટ એકટ હેઠળ આવતી હોઇ વિકાસના ધણા બધા કામો પણ અટકી ગયા હતા. નવી દિલ્હી સ્થિત નિવાસી આયુકતશ્રીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય અને સુપિ્રમ કોર્ટ દ્વારા નિયુકત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) સાથે ચર્ચા-વિચારણા કરીને આ ગુંચવણભર્યા પ્રશ્નનો માર્ગ ખૂલ્લો કર્યો હતો. ત્યારબાદ, રાજ્યના વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી પ્રદિપ ખન્નાએ એક દરખાસ્ત તૈયાર કરી જેને રાજ્ય સરકારે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) સમક્ષ મુકેલ અને રાજ્ય સરકાર દ્વારા આ મૂદાને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયમાં રજુ કરવામાં આવેલો હવે મંત્રાલયે વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦ હેઠળ ડાયવર્ઝન માટેની મંજુરી આપી.
પર્યાવરણ અને વન મંત્રાલયની આ મંજુરીથી વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં આ કાયદાના કારણે જે અડચણો ઉભી થતી હતી તે દૂર થશે અને આ તમામ આદિવાસી વસતી ધરાવતા દશેય ગામોને કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો પણ મળશે.
આદિવાસી સમાજના વિકાસમાં અવરોધરૂપ આ ૩૦ વર્ષનો ગાળો એટલે એક પેઢીમાંથી બીજી પેઢી આવી ગઇ, પરંતુ ટેકનીકલ કારણોસર રસ્તો નીકળતો ન હતો. પરંતુ વન વિભાગના અધિકારીશ્રીઓ અને નિવાસી આયુકતશ્રીની કચેરીના સતત ફોલો-અપના કારણે આ દસ ગામોના વિકાસના કામોનો માર્ગ હવે ખુલી ગયો છે...કાયદાની આંટીધૂંટીમાંથી પણ રસ્તો નીકળી શકે છે તેનું એક ઉમદા ઉદાહરણ ગુજરાત સરકારના અધિકારીઓએ સુઝબુઝથી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી પુરૂં પાડયું છે.
આ દસ ગામોની જમીન ફોરેસ્ટ લેન્ડમાંથી મુકત થતાં, આ ગામોના લોકોમાં વિકાસના દ્વાર તેમના માટે પણ ખુલી જશે તે જાણીને ખુશીની લ્હેર ફેલાઇ ગઇ છે.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આદિવાસી પ્રત્યેની સંવેદના અને તેઓના વિકાસની વચ્ચે આવતા તમામ અવરોધોને દૂર કરવાની તેમની રાજકીય ઇચ્છાશકિતની આ ફલશ્રુતિ છે.
રમઝાન ઇદ પ્રસંગે મુસ્લિમ બિરાદરોને ઇદ મૂબારક પાઠવતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમઝાન ઇદ પ્રસંગે ગુજરાતના મુસ્લિમ પરિવારોને મુબારકબાદી પાઠવી છે.
રમઝાન ઇદ પ્રસંગે પાઠવેલા સંદેશમાં મુખ્ય મંત્રીશ્રીએ છેલ્લા એક દશકાથી શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધતી જ રહી છે અને તહેવારોના અવસરે આ સામાજિક એકતાને સુદ્્ઢ બનાવી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.








