અનુયાયીઓ

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

૬૫મું આઝાદી પર્વઃ ર૦૧૧ ખેડા જિલ્લોઃ રાજયકક્ષાનો મહોત્સવ


સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાના દિને મુખ્ય મંત્રીશ્રી નડીયાદમાં દેશભક્તિથી છલકાતા નગરજનોના ઉમંગમાં સહભાગી બન્યા

ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સમસ્ત નડિયાદ નગરમાં મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિથી નગરજનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં હિલોળે ચડયા

સરદાર પટેલના જન્મસ્થળે જઇને લોહપુરૂષને શ્રદ્ધાસુમન અર્પણ કરી પૂર્વ સંધ્યાએ વિકાસના જનઉત્સવનો પ્રારંભ કરતા મુખ્ય મંત્રીશ્રી

આઝાદીની ૬પમા પર્વની ઉજવણીનો વિકાસ ઉત્સવ ઉજવતા ખેડા જિલ્લામાં રૂ. ૭પ૭ કરોડના ખર્ચે ૩૮ર૭ વિકાસકામોથી ધબકતાં ગામ-નગરો

ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ""જ્ઞાનોદયને દ્વારેઃ ગુજરાત'' વિષયક વિઘાર્થીઓ સાથે ગોષ્ઠી

ગુજરાતમાં વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપીને યુવા સંશોધકોને સંપૂર્ણ મદદ કરાશેઃ શ્રી નારાયણ મૂર્તિના નેતૃત્વમાં નવા શોધ સંશોધનને પ્રોત્સાહિત કરવાની આગવી પહેલ

""ગુજરાતની જનતાએ મને બધા ક્ષેત્રોમાં (દૂષણોની) સફાઇ કરવાની જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરીશ''- મુખ્ય મંત્રીશ્રી

નડિયાદ શહેરઃ મહી આધારીત પાણી પુરવઠા યોજના રૂ. પ૭ કરોડ

ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણ યોજના રૂ. ૧૧૧.ર૦ કરોડ

નડિયાદ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગ રૂ. ર૪૪ કરોડ

મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા ત્રણ વિકાસ પ્રોજેકટના કુલ રૂ. ૪૧૨ કરોડના ખાતમુહૂર્ત

સંતરામમંદિરમાં દર્શનાર્થે જઇ પૂજય મહારાજના આશીર્વાદ મેળવ્યા

હિન્દુ અનાથાશ્રમની પ્રવૃત્તિઓને બિરદાવી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૬પમા આઝાદી પર્વના રાજ્યકક્ષાના શાનદાર મહોત્સવની ઉજવણી કરી રહેલા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દેશભક્તિનો સાક્ષાત્કાર કરાવતા નગરજનોના અભૂતપૂર્વ ઉમંગ-ઉત્સાહમાં આજે આખો દિવસ સહભાગી બન્યા હતા.

ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સાક્ષરભૂમિ નડિયાદના સમસ્ત નગરવાસીઓ વિકાસ ઉત્સવ નિહાળવા હિલોળે ચડયા હોય તેવા આનંદ ઉલ્લાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નડિયાદમાં લોહપુરૂષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આઝાદી પર્વની પૂર્વ સંધ્યાના વિકાસ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદમાં ત્રણ મહત્વના વિકાસકામોના ખાતમુર્હૂત કર્યા હતા. જેમાં નડિયાદ શહેર માટે મહી આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના, નડિયાદ શહેરની ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણની રૂ. ૧૧૧.ર૦ કરોડની જનસુખાકારી યોજના તથા નડિયાદ-કઠલાલ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગના રૂ. ર૪૪ કરોડના માર્ગ વિકાસ પ્રોજેકટના ખાતમુર્હૂતનો સમાવેશ થાય છે.

ધર્મસંસ્કૃતિ રક્ષા અને માનવસેવા માટે પ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શનાર્થે જઇને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમની અનેકવિધ પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કરીને તેની પ્રસંશા કરી હતી.

વિકાસ પર્વ તરીકે આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન ખેડા જિલ્લામાં દશ દિવસમાં એકંદરે રૂ. ૭પ૭ કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવા કામોની જાહેરાતો સાથે ૩૮ર૯ વિકાસકામોની અવિરત પ્રગતિયાત્રા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓએ કરી હતી, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં વિશ્વકક્ષાનું, યુવાસંશોધકો માટે સંપૂર્ણ સહાય કરતું ઇન્કયુબેશન સેન્ટરઃ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં મુખ્ય મંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના વિઘાર્થી સંશોધકો દ્વારા નિર્મિત વિવિધ સંશોધન પ્રોજેકટની પ્રસ્તુતિ નિહાળીને જ્ઞાનોદયના દ્વારે ગુજરાત વિષયક યુવાગોષ્ઠી કરી હતી.

તેમણે ગુજરાત સરકાર કોઇપણ ક્ષેત્રમાં નવીનત્તમ વિચારો, શોધ સંશોધનો માટે સંપૂર્ણ પ્રોત્સાહન આપવા તત્પર છે તેવી નેમ વ્યકત કરી જણાવ્યું કે, રાજ્યમાં યુવા સંશોધનકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન, સમર્થન, પ્રેરણા અને સહાયરૂપ થવા વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથપાવર સ્થાપવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે અને શ્રી નારાયણ મૂર્તિજી તેનું સંચાલન નેતૃત્વ હાથ ધરે એવી વિનંતી પણ કરેલી છે.

મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતના કોઇપણ યુવાને કોઇપણ ક્ષેત્રમાં સંશોધનના પ્રોજેકટ બનાવ્યા હશે અને યુનિવર્સિટીના માધ્યમથી તેમની સમક્ષ પ્રસ્તુત કરાશે તો આવા યુવા સંશોધકોને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેઓ તત્પર રહેશે.

૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દેશભક્તિના પર્વની ઉજવણી વિકાસ ઉત્સવ તરીકે જનશક્તિને જોડીને ઉજવવાનો નિર્ણય ગુજરાતમાં લોકપિ્રય બની ગયો છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના યુવા સંશોધકો અને તેમનામાં પ્રેરણા સિંચન કરનારા યુનિવર્સિટી સંચાલકોને વિશેષ અભિનંદન આપ્યા હતા.

આપણે રાષ્ટ્રીય પર્વોને દેશ અને સમાજ માટેના કર્તવ્યભાવના ઉજાગર કરવાના અવસર તરીકે ઉજવવા જોઇએ, એવી પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદ શહેરમાં સફાઇનું અભિયાન સફળ બન્યું છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે, જનતા જનાર્દને તેમને બધા ક્ષેત્રોમાં (દૂષણો)ના સફાઇની જવાબદારી સોંપી છે અને કાર્ય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.

ગુજરાતે નવા વિચારો અને નવી શોધને ઉત્તેજન આપવા ઇનોવેશન કમિશન ફોર એજ્યુકેશન કાર્યરત કર્યું છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને સમાજમાં નિરંતર નવા વિચારો, નવા સંશોધનોનો આવિષ્કાર થવો જોઇએ એમ જણાવ્યું હતું.

ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધતાપૂર્ણ સમાજોપયોગી સંશોધનકાર્યને મુખ્ય મંત્રીશ્રીના આશીર્વાદથી નવું ચાલકબળ મળશે તેવી લાગણી સાથે સહુને આવકારતાં કુલપતિ ર્ડા. એચ. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં ર૮ સંશોધન પ્રોજેકટ ચાલી રહ્યા છે. સંસ્થામાં શોધાયેલું પોટ્રેઇટ બિલ્ડીંગનું સોફટવેર દેશભરની પોલીસ ગુનેગારોનો સ્કેચ બનાવવા વાપરે છે. કોમ્પ્યુટર એન્જીનિયરિંગના ભાષાકીય એકસૂત્રતા માટેના મેધધનુષ પ્રોજેકટ માટે પસંદ થયેલી દેશહની સંસ્થાઓમાં ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ અને શહેરી સુખ સુવિધા માટે નડિયાદમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ખાતમુર્હૂર્ત

નડિયાદ શહેરની મહી કેનાલ આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના અને રૂ. ૧૧૧.ર૦ કરોડની ભૂગર્ભ શહેર ગટર વિસ્તૃતિકરણ યોજનાના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત શહેરીકરણમાં ૪૦ ટકા વસતિ સાથે શહેરી વિકાસના નવા આયામો અપનાવી રહ્યું છે. ગુજરાતની શહેરી જનતાની સુખસુવિધા માટે સ્વર્ણિમ જયંતી મંત્રીશ્રી, શહેરી વિકાસ યોજના હાથ ધરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે વિકાસમાં લોકશક્તિને જોડીને ગુજરાત નવી ઊંચાઇ ઉપર પ્રગતિ કરવા પ્રતિબદ્ધ બન્યું છે.

નડીયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા માર્ગનું વિસ્તૃતિ અને મજબૂતીકરણ થશે

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ર૪પ કરોડના ખર્ચે તૈયાર થનારા નડિયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા રસ્તાના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણના કામનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, રસ્તો હવે બમણો પહોળો અને વધુ મજબૂત બનશે. તેનાથી નડિયાદ સીધેસીધું મુંબઇ-ઉદેપુર અને વાપી-શામળાજીથી જોડાશે. નડિયાદથી ઉત્તમ કામ શરૂ થાય તેવી પરંપરા આયોજનથી જળવાઇ છે. રાષ્ટ્રીય પર્વો હવે વિકાસના પર્વો બન્યા છે, તેવી લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ, લોક સહયોગ અને લોકશક્તિના સમન્વયથી રાજ્યના વિકાસની અભિનવ દિશા ખુલી છે.

માર્ગ વિકાસ પ્રોજેકટ ગુજરાત સરકારના રાજ્ય ધોરીમાર્ગ વિકાસની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે.

હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્તિઓની ભરપૂર પ્રસંશા

મુખ્ય મંત્રીશ્રીએ ૧૦૪ વર્ષથી સમાજના અનાથ બાળકોના સ્વમાનભેર જીવન ધડતર અને પુનઃસ્થાપન માટે સેવારત નડિયાદના પ્રસિદ્ધ હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ૧૦૦ જેટલા બાળકોને સમાજના વાલીઓ તથા સરકાર ભેગા મળીને જે આત્મવિશ્વાસથી જીવન જીવવવાનો અવસર આપી રહ્યા છે, તેને પ્રેરક ગણાવ્યો હતો. સમાજની શક્તિ શાસનની શકિત કરતા વધારે છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમના સંચાલનમાં સહયોગી સહુને અભિનંદન આપ્યા હતા.

પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દિનશા પટેલે ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મંત્રીશ્રી, સામાજિક સુરક્ષા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા તથા જિલ્લા પ્રભારી શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાનું ભાવભર્યું સ્વાગત કરી હિન્દુ અનાથાશ્રમની સેવાવૃત્તિની રૂપરેખા આપી હતી.

આજના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ, શહેરી વિકાસ અને મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, ધારાસભ્યશ્રીઓ શ્રી દેવુસિંહ, કનુભાઈ ડાભી, નડિયાદ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી સંજય દેસાઇ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ-નાથધામ છેઃ મુખ્ય મંત્રીશ્રી

હિન્દુ અનાથાશ્રમની અભિપ્રાય પોથીમાં નરેન્દ્રભાઇ મોદીનાં શબ્દ પુષ્પો

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે નડિયાદ પધારેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી હિન્દુ અનાથાશ્રમની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો.

આશ્રમની અભિપ્રાયપોથીમાં મુખ્યમંત્રીશ્રીએ લખેલ નોંધ અક્ષરશઃ પ્રમાણે છે.

આ સ-નાથધામ છે, પૂ. બાપુના ચરણરજથી પાવન થયેલ તીર્થભૂમિ છે- તપોવન છે. અહીં ભાવિ પેઢીને સનાથ બનાવવાના સંસ્કારયજ્ઞને હું વંદન કરું છું ખૂબખૂબ શુભેચ્છા, અભિનંદન - નરેન્દ્ર મોદી

અનાથાશ્રમના બાળકોને વહાલપૂર્વક સંબોધન કર્યાબાદ મુખ્યમંત્રીશ્રીએ તેઓ સાથે સંવાદ કરતાં પૂછયું હતું કે, તમને ખબર છે, આવતી કાલે શું છે? બાળકોએ જવાબ આપ્યોઃ ""૧૫મી ઓગસ્ટ''

૧૫મી ઓગસ્ટે શું હોય? મુખ્યમંત્રીશ્રી - બાળકો કહેઃ સ્વાતંત્ર્ય દિન.

આમ વાતવાતમાં મુખ્યમંત્રીશ્રીએ મહાત્માગાંધીજી અને તેમના અનાથાશ્રમ સાથેના અનુસંધાન અંગે બાળકોને જાણકારી આપી હતી. પૂ. ગાંધીજીની લડતમાં એમના મહત્ત્વના સાથીદાર તરીકે સરદાર પટેલની પણ સ્મૃતિ બાળકોને કરાવી હતી.

પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગાંધી-સરદાર સ્મૃતિભવન, લાયબ્રેરી, કૉમ્પ્યુટરરૂમ વગેરેની મુલાકાત લીધી હતી.

આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહો


સ્વરાજની લડતમાં ગુજરાતનું યોગદાન સૌથી મોખરે રહ્યું છે અને તેના
સત્યાગ્રહોના ઇતિહાસે સમગ્ર રાષ્ટ્રમાં જનશકિતની ચેતના જગાડી છે

આલેખન :: દિલીપ ગજ્જર

ગાંધીનગરઃ ૧રમી ઓગસ્ટઃ ર૦૧૧ઃ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ખેડા-આણંદ જિલ્લાના વિવિધ સત્યાગ્રહોએ પ્રજામાં અનેરી ચેતના જગાવીહતી. રાષ્ટ્રના ૬પમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઊજ્વણી ખેડા જિલ્લામાં શાનદાર રીતે થઇ રહી છે ત્યારે પર્વે શહીદોને સ્મરણાંજલિ આપવાનો અવસર આપણને સાંડયો છે તો આવો આજે મહામૂલી આઝાદીના જતન માટે ૬પમાં સ્વાતંત્ર્ય પર્વે આપણે સૌ સંકલ્પબધ્ધબની આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહોને સ્મરણીએ..... રાષ્ટ્રીય આઝાદી અને એકતાના મશાલચી એવા મહાનસપૂતોની આકાશગંગા ગુજરાતમાંથી પ્રારંભાઇ. સ્વાતંત્ર્ય સંગ્રામના વયોવૃદ્ધ પ્રણેતા શ્રી દાદાભાઇ નવરોજી, અખંડ ભારતના શિલ્પીસરદાર વલ્લભભાઇ પટેલ અને રાષ્ટ્રપિતા ગાંધીજી જેવા અનેક મહાન માનવીઓએ ભારતની જનતાના હ્રદય અને જોમમાં નવા પ્રાણ પૂર્યાં.અંગ્રેજશાસનની નાગચૂડમાંથી મુકત થઇને આઝાદીનું સ્વપ્ન સાકાર કરવા પ્રત્યેક હિન્દવાસીઓની ઝંખના હતી. આઝાદી મેળવવા માટેના યજ્ઞમાં અનેક જવાનોએ બલિદાનો આપ્યાં. મહાનુભાવોએ તેમનામાં સહિષ્ણુતા, ભાતૃભાવ, અહિંસા અને દેશદાઝના ગુણોનું સીંચનકર્યું.
પ્રજાએ અનેક સત્યાગ્રહો અને સંગ્રામો આરંભ્યા. આઝાદીની ચળવળમાં સમગ્ર રાષ્ટ્રની સાથે ગુજરાતે પણ ખૂબ ખુમારી પૂર્વક સત્યાગ્રહોચલાવ્યા જે પૈકીના કેટલાક સત્યાગ્રહ અને સંગ્રામની રૂપરેખા અત્રે પ્રસ્તુત છે.
સત્યાગ્રહ એટલે શું ?
જોહનિસ બર્ગ વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે મગનલાલ ગાંધીએ""સદાગ્રહ'' શબ્દ આપ્યો. સત્‍ને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ""સત્યાગ્રહ'' શબ્દઆપ્યો. લોકોએ શબ્દ વધાવી લીધો અને ૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રચલિત બન્યો.
દાંડી કૂચ ઃઃ
સવિનય કાનૂન ભંગની લડત સમગ્ર દેશમાં વ્યાપક રીતે ફેલાવવા માટે મહત્વનું ચાલક બળ પ્રદાન કરનાર દાંડીકૂચના બીજ ૧૯ર૯નાડિસેમ્બરમાં લાહોર ખાતે કોગ્રેસના અધિવેશનમાં રોપાયા. દસ પાઇના મીઠા પર બસો પાઇની જકાત સરકારેનાંખી હતી. તેને નાબૂદ કરવાગાંધીજીએ રજી માર્ચે ૧૯૩૦ના રોજ લોર્ડ ઇરવીનને પત્ર લખી. ૧રમી માર્ચે સત્યાગ્રહ શરૂ કરવા જણાવ્યું. સત્યાગ્રહનો આરંભ સાબરમતીઆશ્રમથી ગાંધીજી ૮૦ સૈનિકો સાથે નીકળી. સુરત જિલ્લાને વીધીને દાંડીના દરિયા કિનારે લઇ જવાનું નક્કી કરી. ૩૮૮ કિ.મી. સુધી પદયાત્રાશરૂ કરી. ર૪ દિવસ યાત્રા પુર્ણ કરી પમી એપ્રિલે દાંડી પહોંચ્યા અને બીજા દિવસે સવારે ગાંધીજીએ દરિયા કિનારે જામેલા મીઠાની ચપટીઉપાડી મીઠાનો કાયદો તોડયો. જેના પડધા ઇગ્લેન્ડ, અમેરિકા, જાપાનમાં પડયા અને બિ્રટીશ સામ્રાજ્યના પાયા હચમચી ઉઠયાં.
બારડોલી સત્યાગ્રહ ઃઃ-
ગાંધીજીએ ૧૯રરમાં બારડોલી ખાતે ""ના કરની લડત'' કરવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. જે માટે બારડોલીની પસંદગી કરાઇ. ચોરીચૌરાનીબનેલી કરૂણ ધટનાને લીધે લડત વિલંબ પડી સને ૧૯ર૮માં બારડોલીમાં જમીન મહેસૂલ વધારાના પ્રશ્ને ફરી ચિનગારી પ્રગટી. બારડોલીમાં૧૯ર૬માં બિન અનુભવી અમલદાર દ્વારા ખોટી આકારણી કરી જમીન મહેસૂલમાં ૩૦ ટકા વધારો સૂચવ્યો. લડત માટે લોકસેવકોનીછાવણીઓ નંખાઇ. સરદાર વલ્લભભાઇ પટેલ તથા અન્ય નેતાઓના માર્ગદર્શનથી ઉત્સાહ જાગ્યો. સરકારે મહેસૂલ વસુલાત માટે જલદપગલા લીધાં. જમીનો ખાબસા કરાઇ, ઢોરની જપ્તી થઇ, ખેડૂતો પર ત્રાસો ગુજારવા પઠાણો રોકયા. જે માટે બારડોલીના લોકો મહિનાઝઝૂમ્યા અને સફળ થયા.
ધરાસણા સત્યાગ્રહ ઃઃ-
ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગરો પર અહિંસક હલ્લો લઇ જવાનું નક્કી કર્યું એટલે તેમની ધરપકડ કરવામાં આવી અને સાથેધરાસણાનો સત્યાગ્રહ શરૂ થયો જેમાં ર૬પ૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ધરાસણા સત્યાગ્રહમાં સરોજીની નાયડુ સહિત બહેનોએ પણ ભાગલીધો.
અડાસનો સત્યાગ્રહ ઃઃ-
અડાસ રેલ્વે સ્ટેશને હિન્દ છોડોની ચળવળમાં જોડાયેલા નવયુવાનોને પોલીસે નિર્દેસી રીતે વીંધી નાંખ્યા જેમાં ત્રણ યુવાનો શહીદીને વર્યા. શહીદોની ગાથા જેવા અડાસ સત્યાગ્રહમાં ૩૪ જેટલાં સત્યાગ્રહીઓએ ભાગ લીધો ""કરેંગે યા મરેગે''ના મંત્ર સાથે સૂત્રોચ્ચાર કરતાંવડોદરા જિલ્લાના યુવાનો સત્યાગ્રહમાં જોડાયા. વડોદરાથી નાવલી, નાવલી-આણંદ, આણંદથી વડોદ અને તેજ દિવસે યુવાનોનેવડોદરા પહોંચવું હતું. પરંતુ અડાસ સ્ટેશનથી વડોદરાની ટ્રેન પકડવા યુવાનો અડાસ સ્ટેશનથી થોડા દૂર હતાં ત્યાં પોલીસે તેઓનેખેતરમાં આંતર્યા અને લાઠીઓ અને બંદૂકોના ગૂંદા માર્યા આમ અડાસ શબ્દ સાથે જોડાયેલો અડાસનો સત્યાગ્રહ ચિરસ્મરણીય બની રહ્યો.
બોરસદનો સત્યાગ્રહ ઃઃ-
ખેડા જિલ્લામાં બહારવટિયાઓનો ત્રાસ હતો. સરકારે બહારવટિયાઓને જેર કરવા પોલીસની ટુકડી ગોઠવી અને તેનો ખર્ચ બોરસદતાલુકાની પ્રજા પાસેથી વસૂલ કરવાનું નક્કી કર્યું. અંગ્રેજ સરકારના પગલાં સામે ચાલેલી લડત. બોરસદના સત્યાગ્રહ તરીકે ઓળખાય છે.સરદાર વલ્લભભાઇ પટેલ, રવિશંકર મહારાજ, દરબાર ગોપાલદાસ, અબ્બાસ સાહેબ જેવા નેતાઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો. આડત્રીસદિવસ ચાલેલી લડતના અંતે પ્રજાનો વિજય થયો તેથી બોરસદ સત્યાગ્રહ વિજય સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે.
ખેડા સત્યાગ્રહ ઃઃ-
ખેડા જિલ્લામાં તે વખતની સરકારે સરકારી અધિકારીઓને ધાક ધમકી આપી વધુ આનાવારી કરાવી. દુષ્કાળની સ્થિતિ હતી છતાંય સરકારેમહેસૂલ વસુલાતમાં ઉદારતા બતાવી નહી તેના વિરોધમાં ખેડા સત્યાગ્રહ યોજાયો. ગાંધીજી અને તેમના સાથીઓએ લડતમાં સક્રિય ભાગભજવ્યો લડતના કારણે ખેડૂત વર્ગમાં જાગૃતિ આવી અને ખેડૂતોમાં રાજકીય કેળવણીનો આરંભ થયો.
રાસ સત્યાગ્રહ ઃઃ-
બોરસદ તાલુકાના નાના ગામ રાસ સાથે સંકળાયેલો રાસ સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા મહત્વની રહી જમીન મહેસૂલનહીં ભરવા આખું ગામ હિજરત કરી ગયું અને રાસ સત્યાગ્રહનો પ્રારંભ થયો. ગાંધીજીની પ્રેરણાથી અહીં ગ્રામજનો માટે દવાખાનું, શાળાનુંમકાન તૈયાર થયું. રાસ સત્યાગ્રહમાં અંતે પ્રજાનો વિજ્ય થયો હતો.
વિરમગામ સત્યાગ્રહ ઃઃ-
૧૯૩૦માં ગુજરાતની પ્રાંતિક સમિતિએ વિરમગામ અને ધોલેરામાં મીઠાના સત્યાગ્રહના પગલે સત્યગ્રહનો પ્રારંભ થયો.
૧૯૩૦ની એપ્રિલથી ૧૯૩૧ના જાન્યુઆરી સુધી ચાલેલા સત્યાગ્રહમાં ઝવેરચંદ મેધાણી, બળવંતરાય મહેતા જેવા સત્યાગ્રહીઓમાં જોડાયાઅને ધરપકડ વહોરી. શ્રી મેધાણીએ ધંધુકાની કોર્ટમાં મેજીસ્ટ્રેટ સમક્ષ એમણે લખેલું રાષ્ટ્રગીત બુલંદ અવાજે ગાયા ત્યારે સહું કોઇ પીગળીગયા હતાં.
માણસા સત્યાગ્રહ ઃઃ-
માણસાના રાજવીએ અંગ્રેજોના પક્ષમાં રહીને લીધેલા અન્યાયી પગલા સામે પ્રજાનો આક્રોશ લડતના મૂળમાં હતો. માણસા ઠાકોરનીઆપખુદી અટકાવવા પ્રજાએ વેઠ પ્રથા અને વેપારીઓનું શોષણ કરતી પ્રવૃત્ત્િાઓ સામે સંગઠિત પ્રયાસો કર્યા. સત્તાવાળાઓ તરફથીલોકોની ધરપકડો કરવામાં આવી દરમ્યાન સમગ્ર દેશમાં અસહકારની લડત પ્રારંભ થતાં માણસાની પ્રજાએ પણ તેમાં સક્રિય ભાગલીધો. મહાત્મા ગાંધી, વલ્લભભાઇ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞીકના માર્ગદર્શન હેઠળ માણસાના સત્યાગ્રહમાં પ્રજા મતનો વિજય થયો.૧૯૩૮નો માણસા સત્યાગ્રહ પ્રજાના મક્કમ મનોબળના પ્રતિક સમો ગણાય છે.
રાજકોટનો સત્યાગ્રહ ઃઃ-
રાજકોટના ઠાકોરના આપખુદ અને જુલ્મી વલણ સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણાયી રાજકોટની પ્રજાએ ચલાવેલો સત્યાગ્રહ""રાજકોટ ના સત્યાગ્રહ તરીકે જાણીતો'' છે. સત્યાગ્રહમાં અંગ્રેજ પ્રતિનિધિ રેસીડેન્ટ ગીબ્સ સામે ગાંધીજીએ ઉપવાસ આદર્યા અનેસત્યાગ્રહીઓમાં જોમ આવ્યું. આખરે સત્યનો જય થયો અને રાજકોટ રાજયના વહીવટની લગામ અંગ્રેજ પ્રતિનિધિ તેમજ વીરાવાલાનાહાથમાંથી ગઇ. , રાજકોટના ઠાકોરની ખટપટનો અંત આવતા પ્રજાજનો આપખુદ અને જુલ્મી શાસનમાંથી મુકત થયાં. આમ, અંગ્રેજશાસનના અન્યાયો સામે લડવા સમગ્ર રાષ્ટ્રમાં જે અસરકારક સત્યાગ્રહો યોજાયા તેમાં ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામો સિમાચિહન રૂપ ગણાય.ગુજરાતે સ્વતંત્રતાની ચળવળને વેગ આપ્યો અને ધરતીપર આઝાદીની લડતને વેગ આપતી અનેક નાની મોટી ધટનાઓથી સમગ્રદેશ મુકિત સંગ્રામનો સંદેશો ઝીલવા તૈયાર થયો. બારડોલી, દાંડીકૂચ, ધરાસણા જેવા અનેક સત્યાગ્રહો સામે અંગ્રેજ સરકાર ઝૂંકી ગઇ. અનેસમગ્ર રાષ્ટ્રમાં અંગ્રેજ શાસનમાંથી મુકત થવાની જાગેલી પ્રતિબધ્ધતાએ પ્રજાનું આઝાદીનું સ્વપ્ન સાકાર કર્યું.
આઝાદીનું પર્વ આપણા સૌને માટે આનંદનું અને ગૌરવનું પર્વ છે. કોઇપણ વ્યક્તિ પ્રજા, સંસ્કૃતિ કે રાષ્ટ્ર માટે આઝાદીએ સૌથી મોટીઉપલબ્ધિ છે. આઝાદીના જંગમાં આપણો ઇતિહાસ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. ઉપર જણાવેલાં સ્વાતંત્ર્ય સંગ્રામના પૃષ્ઠોઉકેલતાં આપણું મસ્તક ગર્વથી ઉન્નત થઇ ઉઠે છે. ગાંધીજીએ સ્થાપેલાં સાબરમતી આશ્રમનો જગત માટે દર્શન-પ્રેરણાતીર્થ બની રહ્યો છે.બિ્રટિશ સત્તાના પાયા હચમચાવી નાંખનાર દાંડીકૂચ અહીથી આરંભાઇ હતી. ગુજરાતમાં ખેલાયેલાં નાના-મોટા સ્વાતંત્ર્ય સંગ્રામોનો અનેસ્વાતંત્ર્ય વીરોનો ઇતિહાસ અજોડ છે. ગુજરાતની ધરતીનું અનન્ય બળ નવી પેઢીને ઉપયોગી બની રહેશે.

સંદર્ભ :: સ્વાતંત્ર્ય પર્વ સુવર્ણ જ્યંતી વિશેષાંક, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય.