અનુયાયીઓ

શુક્રવાર, 15 જુલાઈ, 2011

FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન YFLO આયોજિત સંવાદ ગોષ્ઠિમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન












ભારતીય સંસ્કૃતિના મહિમાવંત મૂલ્યો અને નારી શકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવાનું પ્રેરક આહ્્વાન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
કુટુંબ સંસ્થાને જાળવવામાં નારીશકિતના નિર્ણાયક યોગદાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
નારીસશકિતકરણ અને બાળ સશકિતકરણ ક્ષેત્રે ગુજરાતની અનેકવિધ ક્રાંતિકારી પહેલઃ-
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતના મૂલ્યો અને માતૃશકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવા ભારતીય મહિલાઓને પ્રેકર આહ્્વાન કર્યું હતું.

નવી દિલ્હીમાં FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘‘ભારતીય હોવાનું સ્વાભિમાન ધરાવીએ’’ વિષયક સંવાદ ગોષ્ઠિ યોજવામાં આવી હતી જેમાં, વિશેષ અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઊદ્યોગ, વેપાર, વ્યવસાય સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી યુવા માતાઓને નવી પેઢીમાં ભારતીય સંસ્કાર મૂલ્યોના સંક્રમણ માટે મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી સાથે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતૃશકિત અને નારીનો જે મહિમા છે તે દુનિયામાં બીજે કયાંય નથી. કુટુંબ સંસ્થાનું અદ્દભુત નજરાણું વિશ્વને ભારતીય સંસ્કૃતિએ આપ્યું છે અને કુટુંબ સંસ્થાને જાળવવામાં ભારતીય નારીનું યોગદાન જ નિર્ણાયક રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નારી સશકિતકરણ ક્ષેત્રે ગુજરાત સરકારે જે નવિનત્તમ શ્રેણીબધ્ધ પહેલ કરી છે તેની સવિસ્તર ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, પરિવાર અને સમાજમાં નિર્ણય પ્રક્રિયામાં નારીને ભાગીદાર બનાવવાથી જ તેનું સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન મળી શકશે. મહિલા આર્થિક રીતે સ્વાશ્રયી હશે તો તે નિર્ણય પ્રકિયામાં પ્રભાવી બનશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી બે વર્ષમાં મિશન મંગલમ પ્રોજેકટ અન્વયે રાજ્યમાં રપ લાખથી વધારે ગરીબ અને ગ્રામીણ મહિલાઓના હાથમાં બે લાખ જેટલા સખીમંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિઓનું નેટવર્ક વિકસાવીને રૂા. પાંચ હજાર કરોડનું ભંડોળ આપવાનો ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી નિર્ધાર વ્યકત કર્યો હતો.
મિશન મંગલમમાં ભારતના ગણમાન્ય કોર્પોરેટ ગૃહો, બેન્કો, સ્વૈચ્છિક સંગઠનો, રાજ્ય સરકાર અને સખીમંડળોના સંયુકત સાહસ એવી અલગ સ્વતંત્ર કંપની રચીને નારી સશકિતકરણની ક્રાંતિકારી પહેલ ઉપરાંત સમગ્રતયા ગ્રામીણ અર્થતંત્રમાં નવી ચેતના જગાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
માતૃશકિતના પારિવારીક પ્રભાવ માટે ગુજરાતમાં કેટલાક નવતર કાનૂન અમલમાં મૂકયા છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મહિલા સભ્યના નામે પરિવારમાં મિલકતો ખરીદવા સ્ટેમ્પ ડયુટી રાહત અને નોંધણી ફી માફીની ક્રાંતિકારી યોજનાના અમલથી રાજ્યમાં નવ લાખથી વધારે બહેનો મિલ્કતની માલિક બની છે. ગુજરાતમાં શાળામાં બાળકના નામાંકન સાથે માતાનું નામ ફરજીયાત નોંધવાનો અને આવાસો સહિત સરકારી યોજનાઓના લાભોમાં લાભાર્થી પરિવારોની મહિલાના નામે ફાળવણીમાં પ્રાથમિકતા આપવાનો કાયદો પણ અમલમાં મૂકયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ભૃણ હત્યાનું પાપ મિટાવવા બેટી બચાવનું જનઆંદોલન સફળ રહ્યું છે તેની વિગતો આપી જણાવ્યું કે દાયકા પહેલાં ગુજરાતમાં દર હજારે ૮૧૬ સ્ત્રીઓનો જન્મદર હતો જે આજે વધીને ર૦૧૧માં ૯૧૬ ઉપર પહોંચ્યો છે.
તેમણે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશન IITE જેવી વિશ્વની વિશિષ્ઠ યુનિર્વસિટીઓના અનોખા ઉદેશની ભૂમિકા આપતાં જણાવ્યું કે, દેશને અને દુનિયાને લાખો ઉત્તમ શિક્ષકોની જરૂરિયાત છે અને આવતીકાલના સામર્થ્યવાન સમાજ માટે માતૃશકિતનું સમર્થ યોગદાન તથા ઉત્તમ શિક્ષકો ભારતીય સંસકૃતિના મૂલ્યોને નવી પેઢીમાં આત્મસાત કરાવે તે દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.
તેમણે જણાવ્યું કે બાળકોમાં તેમની શકિતઓનો વિકાસ કરવા માટે પૂરતો અવસર મળે તે માટે માતા અને શિક્ષકની ભૂમિકા કેન્દ્રસ્થાને છે અને બાળ સશકિતકરણના ઉપેક્ષિત ક્ષેત્રમાં ગુજરાતે નવા આયામો અપનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુલામી કાળખંડને કારણે વિશ્વના અનેક દેશોમાં ભારતીય નારી વિશે જે ભ્રામક છબિ પ્રવર્તે છે તેનો નિર્દેશ કરી જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારીશકિતનો જે મહિમા પ્રસ્થાપિત થયો છે તેને યોગ્ય પ્રરિપ્રેક્ષ્યમાં રજુ કરવો જોઇએ.
ભારતીય સમાજ અને સંસ્કૃતિની વિરાસતનો સનાતન મહિમા ઊજાગર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ પ્રેરક દ્રષ્ટાંતો સાથે જણાવ્યું કે, દુનિયામાં ઘણી માનવ સંસ્કૃતિ કાળગ્રસ્ત થઇ છે પરંતુ ભારતની સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે ‘‘કભી મિટતી નહિં હસ્તી હમારી’’ ભારતની ધરતીની માટીમાં આપણા પૂર્વજોના વિચાર અને વ્યવસ્થા એવા વિકસીત થયા છે કે યુગો બદલાતાં પણ તે નિરંતર પ્રેરણા અને શકિતના પ્રસ્તૃત સ્ત્રોત બની રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય સમાજમાં પરિવર્તન અને સમયાનુકુળ બનવાનું અદ્દભુત સાતત્ય રહ્યું છે અને કાળક્રમે આવતી વિકૃતિઓ સામે લડવામાં આ જ સમાજમાંથી મહાપુરૂષોએ ક્રાંતિકારી પરિવર્તનો હાંસલ કરી બતાવ્યા છે. કાળબાહ્યનો ત્યાગ કરવો અને સમયાનુકુળ નવી વ્યવસ્થાને સ્વીકારવામાં ભારતીય સંસકૃતિ નિત્ય નૂતન સમાજની દિશામાં વિશ્વને પ્રેરણા આપતી રહી છે. આપણે આપણી મહાન સંસકૃતિનું ગૌરવ અને સ્વાભિમાન જાળવવું જોઇએ.
YFLOના અધ્યક્ષ સુશ્રી અવંતિકા દાલમિયાએ મુખ્યમંત્રીશ્રીને ર૧મી સદીના પ્રગતિશીલ નેતૃત્વ અને નવી પેઢીના પ્રેરક માર્ગદર્શક તરીકે ભાવભર્યો આવકાર આપતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાતને આધુનિક વિકાસ માટેનું મોડેલ બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યના સંવર્ધન માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં જે દીર્ઘદ્રષ્ટિ છે તે સમગ્ર રાષ્ટ્રને પથદર્શક બની રહેશે.
આ પ્રસંગે YFLOના શ્રીમતી મીના મલ્હોત્રા, સુશ્રી મનપ્રિત વાલીયા તેમજ દિવ્યા સૂરીએ પણ મુખ્યમંત્રીશ્રીના ભારતીય સંસ્કૃતિ વિષયક વિચારોને અત્યંત મનનીય ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે નારી સશકિતકરણ અને ગુજરાતના અભિનવ વિકાસ અંગે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.




માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરવા મુખ્યમંત્રીશ્રીનુ આહ્્વાન
મુંબઇ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને FICCI ના કાર્યક્રમમાં દિલ્હી ખાતે શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં FICCI YLFO આયોજિત સમારોહની શરૂઆતમાં મુંબઇમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની સ્મૃતિમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, નરાધમોના કૃત્યોનો ભોગ બનેલા પીડિતજનો પ્રત્યે સમગ્ર દેશ સંવેદના પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે, નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓના નરાધમ કૃત્યોથી બચાવી શકાય અને આપણે સૌ સંગઠિત બનીને માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરી શકીએ તેવી શકિત ઇશ્વર આપણને સૌને આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.

સમાજસેવાનો હોબાળો

સમાજસેવાનો હોબાળો
જ્યારે કોઈક ધર્મ–અધ્યાત્મ ગુરુની અલૌકીક ઉત્પત્તી અને ચમત્કારીક શક્તીનો સમાજ સમક્ષ પર્દાફાશ થઈ જાય છે અને તેમની માનવસહજ નીર્બળતાઓ સામે આવે છે ત્યારે તેમના પ્રચારકો એવા ગુરુઓની સામાજીક સેવાઓનો ગોકીરો મચાવી મુકે છે. આશ્વર્યની વાત એ છે કે આવા ગોકીરામાં કેટલાક ચર્ચાપત્રીઓ, કટારલેખકો અને મોટા ચીન્તકો પણ વગર વીચાર્યે જોડાઈ જાય છે.

સમાજસેવા કોણ નથી કરતાં ? વાસ્તવમાં બધા જ લોકો પોતાના કાર્ય દ્વારા નાની–મોટી સમાજસેવા જ કરે છે. એ દૃષ્ટીએ રાજનેતાઓ, અમલદારો, સરકારી–ખાનગી કર્મચારીઓ, ઉદ્યોગપતીઓ, ખેડુતો, પશુપાલકો, વહેપારીઓ, અભીનેતાઓ, લેખકો, પત્રકારો, શીક્ષકો, વૈજ્ઞાનીકો, ટેક્નીશીયનો, મજુરો અને સંડાસ–ગટર સાફ કરનારા પણ સમાજસેવા જ કરે છે. આમ આખો સમાજ સમાજસેવા કરે છે. એ સંજોગોમાં માત્ર ધર્મ–અધ્યાત્મગુરુના સમાજસેવાના કાર્યને જ કેમ અલૌકીક, દીવ્ય, મહાન અને શ્રેષ્ઠ ગણીને તેના ગુણગાન ગાવામાં આવે છે અને માત્ર તેમની જ પુજા–વંદના કેમ કરવામાં આવે છે ?

કોઈ અહીં દલીલ કરશે કે ‘તમે ધર્મ ગુરુ જેવું મહાન કાર્ય કેમ કરી બતાવતા નથી ? તમારી એવી હેસીયત છે ખરી ?’ આવી દલીલ કરનારાઓને મારો પ્રશ્ન છે કે ‘તમે રેલવે સ્ટેશનના પાટા પરની ગંદકી ઉઠાવવાનું અને ગંદી ગટરોની સફાઈનું નાનું અને સામાન્ય કામ કેમ કરી બતાવતા નથી ? તમારી એટલીય હેસીયત કેમ નથી ?’ તાત્પર્ય એ છે કે સંડાસ અને ગટર સફાઈનું કામ પણ સમાજસેવાનું અનન્ય, અજોડ અને મહાન કાર્ય છે. કારણ કે એના વીના આપણો સમાજ એક દીવસ પણ ટકી શકે નહીં. તો એવા મહાન કાર્ય કરનારાને માન–સન્માન આપવાને બદલે તેમનો તીરસ્કાર કેમ કરવામાં આવે છે ? વર્ણવ્યવસ્થાજન્ય પુર્વજન્મનાં પાપકર્મ અને પ્રારબ્ધના બહાના તળે એમને અન્યાય અને એમનું શોષણ કેમ કરવામાં આવે છે ? ધર્મગુરુઓએ આજ પર્યન્ત એ વર્ગનાં સર્વાંગી ઉત્થાનનાં સમાજસેવાનાં કાર્યો કેમ હાથ ધર્યા નથી ?

સંડાસ–ગટર સફાઈ કરનારાઓને અને તમામ પ્રકારના કાર્ય કરનારાઓને એની સમાજસેવાનો બદલો પગારરુપે મળે જ છે. તેમ ધર્મગુરુઓને પણ એમની સમાજસેવાના કાર્યો બદલ વળતર રુપે પગાર મળે જ છે ને ? આ ધર્મગુરુઓ પાસે કરોડો અબજોની સમ્પત્તી ભેગી થાય છે એ દર્શાવે છે એમને એમની સેવા બદલ વળતર પેટે ભરપુર મેવા–મીઠાઈ મળે જ છે.

સરકારી ક્ષેત્રોમાં અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર છે તો ધર્મગુરુઓના આશ્રમોમાં શું ભ્રષ્ટાચાર નથી ? આશ્રમોમાં પણ લડાઈ–ઝઘડા, ખુન અને હત્યાઓ થાય છે, અસામાજીક પ્રવૃત્તીઓની દુર્ગન્ધો પણ એમાંથી અવારનવાર પ્રગટ થાય છે. સામાન્ય લોકોની સમાજસેવા અને ધર્મગુરુઓની સમાજસેવા વચ્ચે ખાસ કોઈ મોટો તફાવત તો છે જ નહીં. પછી ધર્મગુરુઓની સેવાઓને દીવ્ય અને અલૌકીક તથા મહાન શા માટે ગણવામાં આવે છે ? એનો આટલો બધો હોબાળો શા માટે ? વાસ્તવમાં સંશોધનનો આ મહાન વીષય છે.

કોઈ પણ માણસને જીવનમાં સફળતા અને સીદ્ધી માત્ર પોતાની લગન અને પુરુષાર્થને કારણે જ મળે છે. કોઈના આશીર્વાદથી કશું જ મળતું નથી. છતાંય એવું કોઈ માનતા હોય કે તેમને કોઈના આશીર્વાદથી સીદ્ધી મળી છે તો એ તેમનું અજ્ઞાન, શીશુવયમાં મળેલા કુસંસ્કાર યા ખોટું શીક્ષણ અને અન્ધશ્રદ્ધા છે. એટલું જ નહીં; એમાં સામાન્ય સમજણનો પણ અભાવ છે.

- એન. વી. ચાવડા
(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક)

સંપર્ક:

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ - ૩૯૪ ૩૩૫, જી. સુરત. ફોન નંબર: (02622) 247 088

ગોરમાનો વર કેવો ?

જે બાળાઓને હજુ રજ:સ્વલા (માસીક ધર્મ)નો સમય શરુ થયો ન હોય તેવી અબુધ બાળકીથી માંડીને દસ વર્ષ સુધીની વયની ગૌરીઓ માટેના વ્રતને ગૌરી પુજાનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં માબાપ, નીત–નવીન પ્રલોભનો આપી શું ખવાય અને શું ન ખવાય તેના નીયમોનો લશ્કરી શીસ્તની જેમ જ અમલ કરાવવાની મથામણ કરતા હોય છે. એટલું જ નહીં, ‘તું જો આ વ્રત નીયમો તોડીશ તો તને ભવીષ્યમાં સારો વર નહીં મળશે’. એ મતલબનો આઘાતજનક ડર અને ભય કુમળા મન ઉપર જન્માવે છે ત્યારે તો માબાપ હદ વટાવી જાય છે. બાળાઓના શરીર પર દમન કરવાથી જ સુખ મળશે તે મતલબનો પાઠ અહીંથી જ શરુ કરાવે છે. અષાઢી સવારમાં બનીઠનીને પરાણે પહેરેલું ભપકાદાર રેશમી ઘાઘરી–પોલકું જોઈને બાળાઓનો ઉમંગ, આનંદ પાછળ વર પસંદ કરવાની પદ્ધતીમાં રહેલી ક્રુરતાને જોઈને કોઈ બુદ્ધીજીવીનો સુખમય દૃષ્ટીકોણ ક્યારે મુર્છા પામશે ???

–ગોવીન્દ મારુ
સંપર્ક:
શ્રી ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. – 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

કલાકારોને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ઊજવાશે યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨ સાહિત્ય-કલા અને સંગીત વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ગાંધીનગર,
રાજ્યના કલાકારોને પ્રોત્સાહન આપવા તથા નવોદિત યુવક-યુવતીઓને સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપીને તૈયાર કરવાના હેતુસર રાજ્યમાં, તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨નું આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ સપ્ટેમ્બર-૨૦૧૧, જિલ્લા કક્ષાએ ઓક્ટોબર-૨૦૧૧, પ્રદેશ કક્ષાએ નવેમ્બર-૨૦૧૧, રાજ્ય કક્ષાએ ડિસેમ્બર-૨૦૧૧ અને રાષ્ટ્ર કક્ષાએ ૧૨ થી ૧૬, જાન્યુઆરી-૨૦૧૨ દરમિયાન એમ પાંચ કક્ષાએ આ યુવા ઉત્સવ યોજાનાર છે.
આ માટેની જરૂરી અરજીઓ સંબંધિતોએ તા. ૩૦-૧૧-૨૦૧૧ સુધીમાં સંબંધિત જિલ્લાના યુવા ઉત્સવ સમિતિના વડાને મોકલી આપવાની રહેશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવના એકાંકી સ્પર્ધામાં એકાંકી અંગ્રેજી, હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ રજૂ કરી શકાશે. તાલુકા કક્ષા માટે મામલતદાર અને જિલ્લા કક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ વ્યવસ્થાપક સમિતિની રચના કરવામાં આવી છે. યુવા ઉત્સવમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના ઉંમરના યુવક - યુવતી - વિદ્યાર્થી - બિનવિદ્યાર્થી ભાગ લઇ શકશે. (ક) વિભાગમાં સાહિત્ય, (ખ) વિભાગમાં કલા, (ગ) વિભાગમાં સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, પાદ પૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, શીધ્ર વકતૃત્વ સ્પર્ધા (હિન્દી / અંગ્રેજી)નો સમાવેશ થાય છે. જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી અને ચિત્ર કલાનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વિભાગમાં વિવિધ સંગીત શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્યો, સિતાર, વાંસળી, વીણા, મૃદંગમ્, હાર્મોનિયમ, ગિટાર, તબલા વાદન કલાનો સમાવેશ થાય છે.

ગુરુવાર, 14 જુલાઈ, 2011

મુખ્યમંત્રીશ્રી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૪ જુલાઇ-ર૦૧૧ના રોજ નવી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત યંગ-મધર્સ-પ્રાઉડ ટુ બી ઇન્ડિયન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેરક પ્રવચન આપશે.
ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ
ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ

ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ


ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ
ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા રાજકોટ જિલ્લાામાં વિવિધ સ્થંળોએ ગુરૂપુર્ણિમાના કાર્યક્રમોમાં હાજરી આપશે.

રાજકોટ
ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા તા. ૧૫ જુલાઇના રોજ રાજકોટ જિલ્લા માં વિવિધ ધાર્મિક સ્થ ળોએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને ગુરુવંદના કરશે. તેઓ તા. ૧૫મીના રોજ સવારે ૮-૩૦ કલાક થી સાંજના પ કલાક દરમિયાન મોરબીના શ્રી શાંતિવન આશ્રમમાં તેમજ સંતશ્રી શિવરામ સાહેબ, કબીરધામ, સ્વા મિનારાયણ મંદીર, હવેલી મહાપ્રભુ બેઠક, બગથળા ખાતે સંતશ્રી દામજી ભગત-નકલંક મંદિર, ટંકારા ખાતે શ્રી પ્રભુચરણદાસ આશ્રમ, પડધરી ખાતે હનુમાનધારાની જગ્યાગ અને પાળ ગામમાં શ્રી બચુદાસબાપુ-જખરાપીર જગ્યા્ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદનાના કાર્યક્રમમાં ઉપસ્થિમત રહેશે. જયારે રાજયમંત્રીશ્રી કુંડારીયા તા. ૧૬ જુલાઇના રોજ સવારે ૯-૩૦ કલાકે મોરબી સરકીટ હાઉસ ખાતે ૧૩માં નાણાંપંચના કામોનું આયોજન તથા ‘ચલો તાલુકે’ કાર્યક્રમ હેઠળ આવરી લેવાના કામોના આયોજન અન્વ૩યેની બેઠકમાં હાજરી આપશે. આ પહેલા તા. ૧૪ના રોજ સાંજે પ વાગ્યેે લીલાપર ગામે ગ્રામસભામાં હાજરી આપશે.



જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટયર નિભાવવા હુકમ
રાજકોટ
રાજયમાં બનતા ગુન્હાતઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાીઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાુઓ શોધી કાઢવા માટે ગુન્હાયમાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાાના મુળ સુધી પહોંચવા પ્રયત્નોઅ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યારરે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હાનના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યાકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્યનકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડફ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુરત બાબતે આવા ગુન્હાખઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોધ તે જાણવું જરૂરી જણાતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નારશ્રીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ અન્વ્યે મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તા‍રમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટંરો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટકરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટવરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.
આ હુકમ તા. ૧૫/૭/૧૧થી તા. ૧૪/૯/૧૧ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર વ્યહકિત ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.



વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય
રાજકોટ-
રાજકોટ શહેર પોલીસ કમિશ્ન રેટ વિસ્તાગરમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીનીઓ અભ્યાિસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નીરશ્રી ગીતા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરરેટના સમગ્ર વિસ્તા્રમાં તા. ૨૧-૭-૧૧ થી તા. ૨૦-૯-૧૧ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્યાત પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોદ છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્ય કિત શિક્ષાને પાત્ર થશે.



રાજકોટના ખોવાયેલ બાળક વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટનો ૯ વર્ષનો બાળક રમેશ કેશાભાઇ ઓબ્ઝડર્વેશન હોમ(બાળ અદાલત), સમાજ સુરક્ષા ખાતું, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી ગત તા.૯-૫-૨૦૦૭ના રોજ સવારે ૮.૨૦ વાગ્યે ગુમ થયો છે. મધ્યગમ બાંધાના, વાને ઘઉંવર્ણા આ બાળકને જમણા નેણ પર વાગ્યાોનું નિશાન છે. અને આજ દિન સુધી તે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટનો યુવક ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
–રાજકોટનો ૨૧ વર્ષનો યુવક યસ્મીાન દામજીભાઇ મેઘાણી ૨/૧૧ ભક્તિનગર સ્ટેોશન પ્લો૩ટ, લોધાવાડ, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૫-૨૦૦૭ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ગુમ થયો છે. પાંચ ફુટ પાંચ ઇંચ ઉંચાઇના, મધ્ય–મ બાંધાના, વાને ઘઉંવર્ણા આ યુવકના ડાબા હાથના કાંડા પર ‘‘Y’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નધનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસર અને નોકરીદાતાઓને વિકલાંગ પારિતોષિકો અપાશે
રાજકોટ
વર્ષ-૨૦૧૧ના રાષ્ટ્રીય/રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્યવક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે તા.૧૬ જુલાઇ-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૧ જુલાઇ-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓના વ્યસક્તિગત કિસ્સાેમાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



રાજકોટનો તરૂણ ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ–
રાજકોટનો ૧૫ વર્ષનો તરુણ શૈલેષ ભુરાભાઇ સારોલીયા બીગ બાઇટ હોટલ સામેની ફુટપાથ ઉપરથી ગત તા.૨૮-૮-૨૦૦૮ના રોજ સાંજે ૭.૫૦ વાગ્યે ગુમ થયો છે. પાતળા બાંધાના, વાને શ્યાટમવર્ણા આ તરૂણના જમણા હાથના કાંડા પર ‘‘શૈલેષ’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નંનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નીનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ




ઇ.સી.એચ.એસ.પૂણે ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
જામનગર
આર્મી સેંટ્રલ ઓર્ગેનાઇઝેશન ઇ.સી.એચ.એસ. પુણે ખાતે ૨૪ કલાક હેલ્પરલાઇન ની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. હેલ્પઇલાઇન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૮૬૬૬ અને ૦૮૦-૪૩૦૦-૮૩૦૦ તથા એસ.એમ.એસ. અને વોઇસ કોલ માટેના મોબાઇલ નંબર ૯૭૧૪૭૯૪૩૦૦ છે. તમામ માજી-સૈનિકો / સ્વં.માજી-સૈનિકોને ૨૪ કલાક ઇ.સી.એચ.એસ.હેલ્પમલાઇન સુવિધાનો લાભ લેવા તથા વધુ જાણકારી માટે જિલ્લા૦ સૈનિક કલ્યાછણ અને પુનર્વસવાટ જામનગર નો સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાધણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.



ગૌરવ સેનાની કુમાર છાત્રાલય માં પ્રવેશ મેળવવા બાબત
અમદાવાદ શહેર બહાર વસતા માજી સૈનિકો/ દિવંગત માજી સૈનિકોના ધર્મ પત્નીપઓ ને જણાવવાનું કે ધોરણ ૮ થી ઉપરના અભ્યાનસ કરતા તેમના સંતાનોને શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માં ગૌરવ સેનાની કુમાર ભવન (સૈનિક કુમાર છાત્રાલય) ની હોસ્ટેતલ માં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ છે.
આ છાત્રાલય માં પ્રવેશ ઇચ્છતતા સબંધિતોએ જિલ્લાટ સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની કુમાર ભવન સ્કુ લની સામે, ઓફ ડ્રાઇવઇન રોડ, થલતેજ,અમદાવાદ-૩૮૦૦૫૪ સરનામે તુરત જ અરજી લઇ રૂબરૂ સંપર્ક કરવા જિલ્લાી સૈનિક કલ્યા ણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર દ્વારા જણાવાયુ છે.




આર્મી ના લેખિત પરિક્ષા કેન્દ્ર માં ફેરફાર
જુનાગઢ ખાતે યોજાયેલ આર્મી રેલીમાં એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવાર માટે તા. ૩૧/૭/૨૦૧૧ ના રોજ યોજાનાર લેખિત પરિક્ષા નું સ્થીળ ડી.એસ. ગોજીયા હાઇસ્કુષલને બદલે હવે ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર ખાતે રાખેલ છે. જેની પાસ થયેલ તમામ ઉમેદવારોએ નોંધ લેવા રોજગાર અધીકારી (વ્ય .મા.) જામનગર ની યાદીમાં જણાવ્યુંા છે.




રેકોર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટજ ફત્તેહગઢ ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
રાજપૂત રેજીમેન્ટ, ના સેવારત સૈનિકો, માજી-સૈનિકો/સ્વર.માજી સૈનિકોના ધર્મ પત્ની.ઓ તથા તેઓના આશ્રિતોના પેન્શ‍ન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્નોના તાત્કાંલિક નિરાકરણ માટે રેકર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટે ફત્તેહગઢ ખાતે ફ્રી હેલ્પ લાઇન ટેલીફોન નંબર ૧૮૦૦-૧૮૦-૫૪૫૨ નો પ્રારંભ કરવામાં આવ્યોત છે. જે સવારે ૮-૦૦ થી સાંજના ૮-૦૦ કલાક સુધી કચેરીના કામકાજ ના દિવસો દરમ્યા ન હેલ્પતલાઇનની સુવિધા નો લાભ લેવા જીલ્લાગ સૈનિક કલ્યાનણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરની યાદીમાં જણાવ્યું છે.




સંચારી રોગને અટકાવવા જિલ્લાફ સર્વેલન્સ. અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.
જામનગર
જામનગર જિલ્લાિ સર્વેલન્સઅ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમાર ના અધ્યલક્ષસ્થા‍ને યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી સંદિપકુમારે સંચારી રોગને અટકાવવા પાણીના ટાંકાઓની સફાઇ તેની તપાસ કરવા પર ભાર મુકયો હતો.વોટર સપ્લાાય પાઇપલાઇ તથા ડેમેજ લાઇન ચકાસવા જણાવ્યુસ હતુ. પાણી ના ટાંકા ની સફાઇ કરાવેલ બી.એચ.ઓશ્રીઓ ને અભિનંદન પાઠવ્યાન હતા.
કલેકટરશ્રીએ નગરપાલિકા દ્રારા સાફ સફાઇ બાબતે કાળજી લેવા જણાવી હોટલ, લોજ, રેસ્ટોરરંટ, તથા લારીઓની ચકાસણી કરવા જરૂર જણાય તો ફુડ એન્ડત ડ્રગ વિભાગ નો સંપર્ક કરી સેમ્પવલ લઇ ચકાસણી માટે મોકલવા તથા જરૂરી પગલાં લેવા સુચનાઓ આપી હતી.
આ બેઠક માં મુખ્ય જિલ્લાં આરોગ્ય અધિકારી પંડયા, જિલ્લા ના ઉચ્ચર અધિકારીઓ, જિલ્લાનના બી.એચ.ઓ.શ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહભાગી થયા હતા.



જામનગર ખાતે માનવ અધીકારો અંગે કાનુની સેમિનાર યોજાશે
જામનગર ખાતે ટાઉનહોલમાં (એસી) તા.૧૭/૭/૧૧ ના રોજ ૧૦ થી ૧૨ કલાક દરમિયાન લોકજાગૃતિ લાવવા માનવ અધિકારો અંગે કાનુની સેમિનાર યોજાશે. ઓલ ઇન્ડિનયા હયુમન રાઇટસ એસો. જામનગર ઓલ્ડર સીટી યુનિટ દ્વારા ડો.શેહનઝબેન બાબીના અધ્યનક્ષસ્થા ને યોજાનાર સેમિનારમાં નોબત દૈનિકના તંત્રીશ્રી પ્રદિપભાઇ માધવાણી, એડવોકેટ સર્વશ્રી રસિકલાલ બથીયા, શ્રી ગૌતમભાઇ ગોહિલ જામનગર જેસીસના પૂર્વ પ્રમુખશ્રી ચંદુભાઇ ડાંગર, શ્રી રમેશભાઇ કટારમલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિરત રહેશે.



રાષ્ટ્રીય વિકલાંગ પારિતોષિક સ્પકર્ધા યોજાશે.
વર્ષ-૨૦૧૧ ના રાષ્ટ્રીોય વિકલાંગ પારિતોષિકો ની સ્પમર્ધા માટે શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠો કાર્યક્ષમ વ્યષકિતઓ, સ્વોરોજગાર વિકલાંગ વ્યોકિતઓ, વિકલાંગોને કામ આપતા શ્રેષ્ઠે નોકરીદાતા, વિકલાંગો ને કામગીરી આપતા પ્લે સમેન્ટ‍ ઓફીસર્સ પાસેથી નિયત નમૂના માં અરજીઓ સાધનિક દસ્તાગવેજો સાથે મંગાવવામાં આવે છે. નિયત અરજી પત્રકો રોજગાર કચેરીએ થી વિનામૂલ્યેઅ તા. ૧૬/૭/૨૦૧૧ સુધી મળશે. તેમજ www.talimrojgar.org પરથી અરજી ડાઉનલોડ કરી શકાશે.ભરેલ અરજીપત્રકો રોજગાર કચેરીએ તા. ૨૭/૭/૨૦૧૧ સુધી માં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી-જામનગર નો સંપર્ક સાધવો.



બીપીએલ તથા અંત્યોેદય કાર્ડ ધારકોને તેલની ફાળવણી અંગે
જામનગર
બીપીએલ તથા અંત્યોીદય કાર્ડ ધારકોને કાર્ડદીઠ ૧ લીટર રૂ.૪૦ ના ભાવ થી આરબીડી પામોલીન તેલ ઓગષ્ટ થી નવેમ્બ૧ર-૨૦૧૧ સુધી વિતરણ કરાશે.
જાહેર વિતરણ વ્યતવસ્થાલ હેઠળ બીપીએલ, અંત્યોાદય કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની વિગતો વ્યાકજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ જીલ્લાત પુરવઠા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.



સામાજીક ન્યાતય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાાના પ્રવાસે
સામાજીક ન્યા ય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાપના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ જામનગર ખાતે બપોરે- ૨-૦૦ કલાકે આદર્શ નિવાસી શાળા (વિ.જા) જામનગર અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાન નું લોકાર્પણ કરશે. તેમજ અનુસૂચિત જાતિ કન્યાન છાત્રાલય નું ભૂમિપૂજન કરી તેમના હસ્તેા સહાય વિતરણ કરવામાં આવશે.



મંત્રીશ્રી વાસણભાઇ આહિર નો પ્રવાસ કાર્યક્રમ
સામાજીક શૈક્ષણિક રીતે પછાતવર્ગ કલ્યારણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ખંભાળીયા ખાતે આહિર સમાજ ના તેજસ્વીહ તારલાઓ ના ઇનામ વિતરણ અને સ્નેકહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિ ત રહેશે. ત્યા રબાદ મંત્રીશ્રી બપોરે ૨-૦૦ કલાકે જામનગર ખાતે આદર્શ નિવાસી શાળા (વિ.જા) અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ તેમજ અનુસૂચિત જાતિ કન્યાી છાત્રાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિ-ત રહેશે.




નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા જામનગર ખાતે ગુરૂવંદના કાર્યક્રમ માં ઉપસ્થિમત રહેશે.
નાણાંમત્રીશ્રી વજુભાઇ વાળ તા. ૧૫/૭/૨૦૧૧ ના રોજ ગુરૂપૂર્ણિમા નિમિત્તે જામનગર ખાતે આવનાર છે.તેઓશ્રી જામનગર ના વિવિધ ધાર્મિક સ્થાળોએ સવારે ૧૦-૦૦ કલાકે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન કાર્યક્રમ માં ઉપસ્થિજત રહેશે.



ધ્રોલની બહેનોનું શણનું સર્જન દિલ્હીશ-મુંબઇ પહોંચશે
ધ્રોલની બહેનોએ આશા, ઉન્મીાદ અને અરમાન સેલ્ફશ હેલ્પપ ગ્રુપની રચના કરી

સૌરાષ્ટ્રહની મહિલાઓની ભરત ગુંથણની તાકાતથી આપણે સૌ પરિચિત છીએ. ભરત-ગુંથણનું અવનવુ સર્જન દેશના સીમાડાઓ વટાવી વિદેશો સુધી પહોંચ્યુા છે. ભરત ગુંથણથી નવો ચીલો ચાતરી ધ્રોલની બહેનો શણમાંથી(જયુટ) સર્જન કરવા આગળ ધપી રહી છે. શણની સ્કુાલ બેગ, આકર્ષક પર્સ, વોટર બેગ, ફાઇલ કવર, મોબાઇલ કવર બનાવવા ધ્રોલની બહેનોએ આશા, અરમાન અને ઉમ્મીોદ ત્રણ સેલ્ફ હેલ્પર ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપની બહેનો ધ્રોલ ખાતે એમ.ડી. મહેતા ટ્રસ્ટ‍માં તાલીમબધ્ધુ થઇ મન ને ગમે તેવી વસ્તુબઓનું સર્જન કરી રહી છે. તેમનું આ સર્જન દિલ્હીે-મુંબઇ સુધી પહોંચશે.
સૌરાષ્ટ્રી ઇકોનોમીક ડેવલપમેન્ટ સેન્ટતર દ્વારા ભારત સરકારના નેશનલ જયુટ બોર્ડ તથા નાબાર્ડ રાષ્ટ્રી ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક ના સહયોગથી આ બહેનો તાલીમબધ્ધર થઇ સ્વરરોજગારી મેળવી તેમના કુટુંબને સહાયરૂપ બની રહી છે. નાબાર્ડના જામનગર જિલ્લા્ના વડાશ્રી ભાલેરાવે આ બહેનોને તલીમ બધ્ધં કરવા નાબાર્ડ દ્વારા રૂ.૪૫ હજાર ફાળવાયા હોવાનું જણાવ્યુ હતું. નાની બચત મોટુ કામ માસિક રૂ.પ૦ ની બચત કરી બહેનો મૂડીનું સર્જન કરી રહી છે. તેમનું નવસર્જન નેશનલ જયુટ બોર્ડ સરકારી સંસ્થાાઓના મેળાના માધ્ય મથી દિલ્હીં-મુંબઇ સહિત દેશભરમાં પહોંચશે. તેમ સૌરાષ્ટ્રટ ઇકોનોમી ડેવલપમેન્ટઓ સેન્ટધરના ડાયરેકટરશ્રી સુરેશ ગણાત્રાએ જણાવ્યુે છે.
મહિલા શિક્ષણ માટે પ્રસિધ્ધી શ્રી એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટણના મેનેજીંગ કમીટીના સેક્રેટરી સુશ્રી સુધાબેન બેઢેરિયાએ તાલીમબધ્ધ થયેલ ૩૦ બહેનો સ્વહરોજગારી મેળવી તેમના કુટુંબ માટે આધાર સ્તંસભ બનશે. ઉપરાંત પ્લા સ્ટીથકના ઉપયોગથી પર્યાવરણને જે નુકશાન થાય છે તે શણના ઉપયોગ થકી પર્યાવરણને નુકશાન થતુ પણ બચાવી શકાશે.
સીવણ કામ, માંઝા વર્ક, આરી ભરત સહિતની બહેનોને અહીં તાલીમ મળે છે તેમ જણાવી બહેનોને તાલીમબધ્ધે કરતા ચેતના પંડયા અને તેજસ વ્યાસે કહયુ કે, ગરીબ વર્ગમાંથી આવતી બહેનો માટે તાલીમ સાથે માર્કેટીંગનુ ખૂબ મહત્વા છે. અહીં ટેકનીકલ સ્કીાલ મેળવી બહેનોએ બનાવેલ વસ્તુ ઓનું માર્કેટીંગ માટે પણ પૂરતુ માર્ગદર્શન આપવામાં આવે છે જેનાથી બહેનો પગભર બને છે.
તાલીમાર્થી રેખાબેન ભુવા અને નયનાબેન વૈષ્ણવે કહયુ કે, અમારી સુઝ છે તેને અહી તાલીમ મળતા કાંઇક નવું સર્જન કરવાની તક મળે છે જે તકનો લાભ લઇ અમારા કુટુંબ માટે અમે આધાર સ્તંઅભ બનશું. અહી બહેનોને માત્ર તાલીમ નથી અપાતી પરંતુ તેમની બનેલી વસ્તુટઓ લોકોને ઘર સુધી પહોંચે તેની પણ કાળજી લેવાઇ છે. હાલ ૩૦ બહેનો તાલીમબધ્ધં થઇ તેમાં વધારો કરી ૧૦૦ બહેનોને તાલીમ અપાશે.
પારૂલ



બી.પી.એલ કુટુબોને શૌચાલય બનાવવાની સહાયમાં રૂપીયા ૧૦૦૦નો વધારો
પોરબંદર
નીર્મળ ગ્રામ યોજના અંતર્ગત દરેક ગ્રામને નિર્મળ બનાવવા અને ગ્રામજનોના સ્વાંસ્થ ય જીવનશૈલીમાં સુધારો લાવવાના આશયથી તેમજ બહાર ખુલ્લાનમાં શૌચક્રીયા બંધ થાય તે માટે માટે રાજય સરકાર કમરકસી રહી છે. આ માટે અનેકવિધ અમલી યોજનાઓ પૈકિ બી.પી.એલ કુટુંબોને પોતાના આવાસમાં શૌચાલયની સુવિધા ઉભી કરવા માટે સહાય આપવાની યોજના પણ અમલી છે.જે અન્વનયે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને રૂપીયા ૨૨૦૦/- તથા પહાડી વિસ્તારમાં રૂપીયા ૨૭૦૦/- ની સહાય ઉપલબ્ધ કરાવાઇ છે.
આ યોજનામાં તા.૧/૬/૨૦૧૧થી અમલ થાય તે રીતે સહાયમાં રૂપીયા ૧૦૦૦/- નો વધારો નક્કિ કરાયેલ છે જે અન્વ યે ગરીબી રેખા જીવનજીવતા લોકોને રૂપીયા ૩૨૦૦/- અને મુશ્કેલ તથા ડુગરાળ વિસ્તાારમાં વસતા આવા કુટુંબોને રૂપીયા ૩૭૦૦/- પ્રોત્સા૩હક સહાય રૂપે ચુકવવામાં આવશે.આ સહાયની રકમ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત/ ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચુકવવામાં આવશે. સરકારશ્રીની આ યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લાી ગ્રામવિકાસ એજન્સીમના નિયામકશ્રીની યાદીમાં અનુરોધ કરાયો છે.


સમાજની કેળવણી માટે કન્યા‍ને કેળવવી અનિવાર્ય
આદિત્યાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વ સ્પીર્ધા સંપન્ન

પોરબંદર
જીવનના ઘડતરમાં કીશોરાવસ્થા્એ અતિ મહત્વરનો સમય છે.આ સમયગાળામાં બાળકમાં શિક્ષણ દ્વારા ચારીત્ર્યવાન અને નિતિમય જીવનના સિધ્ધાં તોનું સિંચન થાય છે. આજનું બાળક એ આવતી કાલનું નાગરિક છે આથી તેઓમાં ઉચ્ચન સંસ્કા્ર અને આંતરિક શક્તીઓનો સર્વાંગી વીકાસ થાય તે અતિ મહત્વગનું છે. રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વીધાર્થીઓમાં પડેલી સુષૃપ્ત આંતરીક શક્તીઓને ખીલવાની તક મળે તે માટે જનજગૃતી કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પવર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદર ખાતે આવેલી જીલ્લાે માહિતી કચેરી દ્વારા રાણાવાવ તાલુકાની આદિત્યાાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વજ સ્પાર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પ્ર્ધામાં અનેક સ્પ ર્ધકોએ વિષયાનુગત પોતાના મંતવ્યો‍ વકતવ્યનમાં રજુ કર્યા જેમાં કન્યાા કેળવણી માટે આગવી ઝુંબેશ ચલાવવા માટે માન. મુખ્યેમંત્રીશ્રીનરેન્દ્રભાઇ મોદીનું અભીવાદન કરતાં કુ. રીટા ઓડેદરાએ કન્યા ની કેળવણીએ સમાજની કેળવણી માટે અનિવાર્ય હોવાનું જણાવતાં પ્રાચિનકાળની વિદુષી ગાર્ગી થી હાલના અર્વાચિન સમય સુધી અનેક સુપ્રસિધ્ધા મહિલાઓના સમાજ માટેના યોગદાન આલેખી સમાજના ઉત્થા ન અને સંસ્કાધરોના જતન માટે કન્યાુ કેળવણીની અગત્યાતા સિધ્ધખ કરી હતી.આ ઉપરાંત ગુજરાતના કૃષિ વિકાસ અને ઔધોગીક વિકાસના લાભો અને તેના દુરગામી પરીણામો વિશે જુદી જુદી સંસ્થાધમાંથી આવેલા સ્પ ર્ધકોએ પોતાના વકતવ્યામાં મંતવ્યોદ રજૂ કર્યા હતા.
સ્પ ર્ધાની શરૂઆતમાં સ્વાતગત પ્રવચન કરતાં આચાર્યશ્રી એલ.પી.ઓડેદરાએ વિધાર્થીઓને જીવનમાં આવી સ્પ ર્ધાઓ દ્વારા તેમનામાં પડેલા કૌશલ્યરને બહાર લાવવા અને કેળવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે વધુમાં જણાવ્યુંધ હતું કે શિક્ષણનો મેળવવાનો હેતુ વિધાર્થીના સર્વાગી વિકાસ સાથે સંકળાયેલો છે.
આ પ્રસંગે વિધાર્થીઓને પ્રોત્સાેહિત કરતાં જિલ્લાહ માહિતી કચેરીના શ્રી આર.જી.યાજ્ઞિકે જીવનના અનેક ચઢાવ ઉતારમાં સફળ થવા માટે આવી નાની નાની સ્પરર્ધાઓ દ્વારા સહનશિલતા, ધૈર્ય, સ્પષ્ટકવકતા, નિર્ણયશક્તિ અને ખેલદીલી જેવા ઉમદા સંસ્કારનું સિંચન થાય છે. આમ સ્પશર્ધાને હરિફાઇની દ્રષ્ટ્રીકથી ન મુલવતાં ચારીત્ર્ય ધડતર માટેના ઉમદા પ્રયાસ તરીકે મુલવવું જોઇએ. આ તકે તેઓએ સ્પ્ર્ધકોને શ્રેષ્ઠર દેખાવ માટે ધ્યા્નમાં રાખવા માટે જરુરી સુચનો કર્યા હતા.
આ સ્પ ર્ધામાં પ્રથમ ક્રમે આદિત્યા ણા હાઇસ્કુ લના વિધાર્થી મોઢવાડીયા વિપુલ કે., દ્વિતિય ક્રમે પરીશ્રમ સ્કુપલનો વિધાર્થિ મોઢવાડીયા અરભમ તથા તૃતીય ક્રમે આદિત્યા્ણા હાઇસ્કુધલની વિધાર્થિની કૃમારી ઓડેદરા રીટા એસ.આવેલ હતા. વિજેતાઓને અનુક્રમે ૫૧૧/-,૪૧૧/- અને ૩૧૧/- તથા પ્રમાણપ્રત વડે પુરષ્કૃિત કરવામાં આવ્યાુ હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણિતા તબીબ અને પર્યાવરણવિદ્ ડો. નુતનબેન ગોકાણી, શિક્ષકો એલ.કે. બાપોદરા, અને મયુરભાઇ બી. રાઠોડે સેવા આપી હતી.આભારવિધિ વિજ્ઞાનશિક્ષકશ્રી શૈલેષ કણસાગરાએ કરી હતી.
આ કાર્યક્રમમાં નગર પાલીકાના પ્રમુખશ્રી ધિરુભાઇ કેશવાલા તથા અગ્રણીશ્રી રવજીભાઇ અમૃતિયા, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામમાં વિધાર્થીઓ ઉપસ્થિશત રહયા હતા. આ સ્પાર્ધાને સફળ બનાવવા માટે માહિતી ખાતાના શ્રી ડી.પી. નાકરાણી, તથા આદિત્યાભણા હાઇસ્કુલના શિક્ષકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય મથી ભારે વરસાદની આગાહી
અમરેલી
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક દરમ્યા ન સૌરાષ્ટ્રવના અમુક સ્થરળોએ મધ્ય મથી ભારે વરસાદ પડવાની આગાહી હોય, અમરેલી જિલ્લાામાં કન્ટીભજન્સી્ એકશન પ્લાવન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓ અને અત્રેના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલરૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ તમામ અધિકારીશ્રીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા અને ફરજ કર્મચારીએ તાલુકા કંટ્રોલરૂમમાંથી દર બે કલાકે વરસાદના આંકડા જિલ્લાર કંટ્રોલરૂમને બિનચૂક લખાવવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.



રાજ્યકક્ષાના પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી
રાજય કક્ષાના પશુપાલન, મત્યોમરે દ્યોગ અને ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી આગામી તા. ૧૫ જુલાઇના રોજ અમરેલી જિલ્લાીના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી અકાળા ગુરૂ આશ્રમ તા. લાઠી ખાતે ગુરૂપૂર્ણિમા નિમિતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિછત રહેશે.
જુલાઇ-૨૦૧૧ દરમિયાન



અમરેલી જિલ્લા૦માં આવશ્યાક ચીજવસ્તુયઓનું વિતરણ પ્રમાણ અને ભાવ
અમરેલી
અમરેલી જિલ્લાતના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુલાઇ-૨૦૧૧ દરમિયાન વિતરણ કરવામાં આવનાર આવશ્ય ક ચીજવસ્તુયઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થોુ સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી લેવા જણાવવામાં આવે છે.
એ.પી.એલ. રેશનકાર્ડ ધારકો
ક્ર
મ આવશ્યેક ચીજ-વસ્તુાનું નામ જથ્થાધનું પ્રમાણ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
૧ ઘંઉ ૧૦.૦૦ કિલો ૨.૫૦૦ ૧૦.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ. રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ બેગદીઠ રૂ.૨૦/-
ઘંઉ ૩.૦૦ કિલો -- ૩.૦૦ ૫.૪૦
૨ ચોખા ૩.૫૦ ૧.૦૦ ૩.૫૦ ૩.૦૦
૩ ચોખા (સ્પે શ્ય લ) ૬.૫૦૦ કિલો -- ૬.૫૦ ૭.૦૦
૪ ઘંઉ ૭.૦૦૦ કિલો -- ૭.૦૦ ૫.૪૦
૫ એ.પી.એલ. ટુ બી.પી.એલ. ઘંઉ ૫.૦૦૦કિલો -- ૫.૦૦ ૫.૪૦
૮ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
અંત્યો દય રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ કિલોની બેગ બેગદીઠ રૂ.૨૦/-
૨ ઘંઉ ૯.૦૦૦ -- ૯.૦૦૦ ૨.૦૦
૩ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
૪ ચોખા ૧૬.૦૦૦ કિલો -- ૧૬.૦૦ ૩.૦૦
૫ આયોડાઇઝડ મીઠું ૧.૦૦૦ કિલો -- ૧.૦૦ ૧.૦૦
રાંધણગેસ નહિ ધરાવતા તમામ રેશનકાર્ડ ધારકો
૧ કેરોસીન ૯.૦૦ લીટર ૧.૫૦૦ લીટર ૯.૦૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
પુરવઠો મેળવવામાં જો કોઇ મુશ્કેરલી કે ફરિયાદ હોય તો સ્થાીનિક તાલુકા મામલતદાર અથવા જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

મુંબઇની આતંકવાદી બોમ્બજ વિસ્ફો ટ ઘટના અંગે મુખ્યછમંત્રીશ્રીનો આક્રોશ ભર્યો પ્રતિભાવ

આતંકવાદી બોમ્બદ વિસ્ફોબટની આ ઘટના ભવિષ્યગના મોટા આતંકવાદી હુમલાની સાજીશનું રિહર્સલ હોય એમ જણાય છે
ભારતની વર્તમાન સરકારને આતંકવાદીઓએ પડકાર ફેંકયો છે
આતંકવાદી બોમ્બર વિસ્ફોકટ ઘટનાનો ભોગ બનેલા લોકો-પરિવારો પ્રત્યેશ મુખ્યીમંત્રીશ્રીની સંવેદના
મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ આજે મોડી સાંજે મુંબઇમાં થયેલી શ્રેણીબધ્ધભ આતંકવાદી બોમ્બી વિસ્ફોશટની ઘટનાની આકરી ટીકા કરતાં જણાવ્યુંજ છે કે આ વધુ એક આતંકવાદી ઘટનાએ માનવતાવાદી શકિતઓને પડકાર ફેંકયો છે. પહેલી નજરે એવું સમજાય છે કે મુંબઇની આજની આતંકવાદી બોમ્બક વિસ્ફો.ટની ઘટનાથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરાધમો એવું પુરવાર કરવા માંગે છે કે હિન્દુ‍સ્તાથનની વર્તમાન સરકાર તેમનું કશું બગાડી શકવાની નથી અને હજુ પણ આ નરાધમો ભારતને પીંખી નાખવા પુરા શકતશાળી છે.
મુખ્યળ મંત્રીશ્રીએ આતંકવાદી ઘટનામાં મૃત્યુપ પામેલા અને ઇજાગ્રસ્તોાના પરિવારો પ્રત્યેદ સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યુંમ છે કે, આ ઘટનાની પ્રાથમિક જાણકારી પરથી એવું જણાય છે કે, આ બોમ્બ્ ધડાકા નજીકના ભવિષ્ય ની મોટી આતંકવાદી સાજીશ માટેનું રિહર્સલ હોઇ શકે પરંતું સમગ્ર દેશ એક સૂરથી આ નરાધમ આતંકવાદી કૃત્યાને વખોડી કાઢી આતંકવાદી પ્રવૃત્તિઓને જડ મુળથી ઉખેડી નાખવાની જવાબદારીમાં કોઇ પાછી પાની કરશે નહીં.

બુધવાર, 6 જુલાઈ, 2011

JETPURNA KARKHANEDARNE MARVA MAJBOOR KARNARA HAVAMA OGALI GAYA.

શાળા કક્ષાએ ક્રિકેટનો વ્યાપ વધારવા ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

શાળામાં નિયમિત અભ્યાસ કરતા (અન્ડર-૧૯) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે
ગાંધીનગર, મંગળવારઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ક્રિકેટની રમતનો શાળાકીય કક્ષાએ યોગ્ય વિકાસ થાય અને તેના થકી રાજ્યને પ્રતિભાશાળી નવા ક્રિકેટરો મળી રહે તેવા રમતલક્ષી ઉદ્દેશથી ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨ના ઓગષ્ટ માસમાં ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનંા આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતી ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર જિલ્લાની શાળાઓએ તેમના ખેલાડીઓના પ્રવેશ ફોર્મ મેળવવા તથા વધુ માહિતી માટે સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર-૨૧, ગાંધીનગરનો સંપર્ક કરવો. જેમનો ફોન નં. ૦૭૯-૨૩૨૪૧૧૮૦ છે તેમજ ભરેલા પ્રવેશપત્રો શાળાના આચાર્યશ્રીએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીમાં મોકલી આપવાના રહેશે. સ્પર્ધાનું અંગે સ્થળ અને તારીખની જાણ એન્ટ્રી મોકલનાર શાળાઓને કરવામાં આવશે તેમ સિનિયર કોચ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લારમાં નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ ૧૧૫ ગામોમાં ઉકરડાઓનો થયેલો નિકાલ

રાજકોટ–
રાજય સરકારના નિર્મળ ગુજરાત કાર્યક્રમને અસરકાર રીતે પાર પાડવા સરકાર કૃતનિશ્ચીયીછે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાુમાં ર૦૧૦-૧૧ના વર્ષમાં ૧૧૫ ગામોમાંથી ઉકરડાનો નિકાલ કરવામાં આવેલ જેની પાછળ રૂ. પ.૭૯ લાખનો ખર્ચ થયેલ હોવાનું ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુંુ છે.
જિલ્લાકમાં ઘરવપરાશી ગંદા પાણીના નિકાલ માટે ૧૮ ગામોના ભૂગર્ભ ગટરના કામો માટે થનાર રૂ. ૮ર લાખના ખર્ચને મંજૂરી આપવમાં આવી છે.


૧૧મી જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી થશે હેમુ ગઢવી હોલ ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્મા ન થશે રાજકોટ
તા.- દર વર્ષે ૧૧મી જુલાઇના દિને સમગ્ર વિશ્વમાં વિશ્વ વસતિ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ૧૧મી જુલાઇના દિનની વિશ્વ વસ્તીન દિન તરીકે ઉજવણી થનાર છે. તથા ૧૧મી જુલાઇથી તા. ર૪ જુલાઇ ર૦૧૧ સુધી વિશ્વ વસ્તીન પખવાડીયાની ઉજવણી થનાર છે. જિલ્લાં પંચાયત રાજકોટની કુટુંબ કલ્યારણ શાખા દ્વારા રાજકોટ ખાતેના હેમુ ગઢવી હોલ ખાતે તા. ૧૧/૭/૧૧ના રોજ સવારના ૯-૦૦ કલાકે યોજાનાર વિશ્વ વસ્તીો દિન અને પખવાડીયાની ઉજવણી સમારોહમાં વર્ષ ર૦૧૦-૧૧માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠા કામગીરી કરનાર આરોગ્યત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માાન કરાશે. આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લાય કલેકટરશ્રી, જિલ્લાગ વિકાસ અધિકારીશ્રી, આરોગ્યી વિભાગના અધિક નિયામક(આરોગ્યુ) ડો. પરેશ દવે આરોગ્યે સમિતિના ચેરમેન તથા અન્ય્ પદાધિકારીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિાત રહેશે. રાજકોટ જિલ્લાિમાં મહાત્માા ગાંધી રાષ્ટ્રી ય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના હેઠળ રરર કામો પૂર્ણ ૧.૪૩ લાખથી વધુ જોબકાર્ડ ઇશ્યુમ કરાયા ૧.૭ર લાખ માનવદિન રોજગારી રાજકોટ તા. પ જુલાઇ – કેન્દ્રા સરકારની મહાત્માર ગાંધી રાષ્ટ્રિ ય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલાં છે. રાજકોટ જિલ્લા માં આ યોજના હેઠળ વર્ષ ર૦૧૧-૧૨માં જુન-૨૦૧૧ અંતિત ૧.૪૩.૯૪૭ જોબકાર્ડ ઇશ્યુ કરવામાં આવેલ છે. જયારે ૪૭૫ કામો શરૂ કરાયા હતા જેની સામે રરર કામો પૂર્ણ થયેલ છે અને રપ૩ કામો પ્રગતિ હેઠળ હોવાનું જિલ્લાર ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ જણાવ્યુ છે. રાજકોટ જિલ્લાુની ગ્રામ વિકાસ એજન્‍સીની ગવર્નિંગ બોડીની ગઇ તા. ર જુલાઇ -૧૧ના રોજ મળેલી બેઠકમાં આ વિગતો આપવામાં આવી હતી.
શ્રી વાગડીયાએ ૪૦૭૩ કુટુંબોને ૧.૬ર લાખ માનવદિન રોજગારી આપવામાં આવેલ છે અને કામો પાછળ કૂલ રૂ. ર૬૪.૮ લાખનો ખર્ચ થયેલ છે તેમ ઉમેર્યુ હતું.


ગોંડલની માતા તેના સંતાનો સાથે ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ,:-
ગોંડલના નીલેશભાઇ કેશુભાઇ સોલંકીના ૨૩ વર્ષની ઉંમરના પત્નીલ સરોજબેન, ૬ વર્ષની ઉંમરની પુત્રી હર્ષિદાબેન અને ૪ વર્ષના પુત્ર હંસ સાથે આશાપુરા રોડ, જીન પ્લો્ટ, ગોંડલ ખાતેના પોતાના ઘરેથી ગત તા.૨૯.૫.૨૦૧૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે્ કોઇને કહયા વગર ગુમ થયા છે.આ બહેન અને બાળકો પાતળા બાંધાના, ગોળ ચહેરાવાળા અને વાને ઘઉંવર્ણા છે, બહેને લીલા કલરની સાડી, દીકરીએ બ્લેબક કલરના ચણિયાચોળી અને દીકરાએ બ્લેાક કલરના ટીશર્ટ-ચડ્ડી પહેર્યા છે. આ ત્રણેય આજ દિન સુધી ધરે પાછા ફરેલ નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો ગોંડલ પોલિસ સ્ટેજશન અથવા રાજકોટ ગ્રામ્ય‍ના પોલીસ અધિક્ષકશ્રીની કચેરીને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.


જામનગર જિલ્લાિમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩.૩૭ કરોડની સ્ટે મ્પય ડયુટી વસુલવા જિલ્લાિ કલેકટર સંદિપકુમારનો આદેશ
જામનગર,
જામનગર જિલ્લાૂમાં ખાનગી કંપનીઓ પાસેથી રૂ. ૩.૩૭ કરોડની સ્ટે,મ્પટ ડયુટી વસુલવા જિલ્લાન કલેકટર સંદિપકુમારે સ્ટેામ્પ ડયુટી મૂલ્યાં કન તંત્રને આદેશ કર્યો છે. જૈ પૈકી સ્ટેપમ્પ ડયુટી મૂલ્યાંજકન તંત્ર દ્વારા તા.૩૧/૫/૧૧ સુધીમાં કુલ રૂ.૧.૩૮ કરોડની વસુલાત કરાઇ છે.
જિલ્લામમાં જુદી – જુદી કંપનીઓ દ્વારા ઔધોગિક હેતુ માટે જમીન ખરીદી કરી સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઇ મુજબ જે તે હેતુ માટે સ્ટેુમ્પ્ ડયુટી ભરપાઇ થયેલ ન હોય તેવા ખાનગી કંપનીઓ સહિત તમામ આસામીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લાસ કલેકટરશ્રી સંદિપકુમાર દ્વારા સુચના અપાઇ છે.
જિલ્લા કલેકટર દ્વારા ૨૯૦ કિસ્સાકઓની વિગતો સ્ટેામ્પઇ ડયુટી તંત્રને ચકાસવા માટે મોકલાતા ૧૮૭ કેસોમાં કુલ રૂ.૩.૩૭ કરોડની બાકી વસુલાત હતી જે પૈકી સબંધીત આસામીઓને નોટીસ પાઠવી રૂ.૧.૩૮ કરોડની વસુલાત કરાઇ છે. અન્ય૨ બાકીદારો પાસેથી પણ સ્ટેીમ્પમ ડયુટી તંત્ર ધ્વાેરા વસુલાત કરવામાં આવી રહી છે. જિલ્લાદ કલેકટરશ્રી સંદિપકુમારની સુચના મુજબ નિયમાનુસાર સ્ટે મ્પં ડયુટી નહિં ભરનાર તમામ આસામીઓ સામે કડક પગલા લેવાશે.



જામનગર જિલ્લાડમાં હથિયારબંધી
જામનગર.
જામનગર જિલ્લામાં તહેવારોની ઉજવણી અને પ્રવર્તમાન સ્થિઆતને ધ્યાને લઇ કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ, સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરે એક હુકમ પ્રસિધ્ધ કરી તાત્કાતલીક અસરથી તા. ૩૧-૭-૨૦૧૧ સુધી સમગ્ર જિલ્લાઅમાં હથિયારબંધી ફરમાવી છે.
આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.



જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ
જામનગર,
જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડની વ્યપવસ્થા્પક સમિતિના સભ્યોિની ચૂંટણી માટેની કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિધ્ધક થઇ હતી. આ મતદાર યાદી સામે દાવા- વાંધા રજૂ કરવા માટેની છેલ્લી તા.૨૪/૬/૧૧. દરમિયાન કોઇ દાવા-વાંધા અરજી રજૂ થયેલ નથી. આથી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિે તા.૫/૭/૧૧ રોજ કરાઇ હોજાનું . ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી , લાલપુરની યાદીમાં જણાવાયુ છે



રૂ.૧૮.૭૬ કરોડના ખર્ચે ધ્રોલ-જોડિયા વિસ્તા રમાં રસ્તાાના કામો પૂર્ણ કરાયા
જામનગર,
ઘ્રોલ-જોડિયા વિસ્તાિરમાં માર્ગ – મકાન વિભાગ (રાજય) દ્વારા છેલ્લાથ એક વર્ષમાં રૂ. ૧૮.૭૬ કરોડના ખર્ચે વિવિધ રસ્તાયના કામ પૂર્ણ કરાયા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા જણાવાયુ છે. આ રસ્તા ના કામોમાં રૂ.૧૪.૭૬ લાખના ખર્ચે માળિયા, આમરણ, જોડિયા, જાંબુડા પાટિયા ૩૨ કિમી. રસ્તાાનું મજબુતીકરણ અને અન્યા કામગીરી લતીપુર-ટંકારા રોડ રૂ.૨૧૦ લાખ, કાલાવડ-જામવંથલી-ફલ્લાશ રોડ રૂ.૧૪૦ લાખ તથા આમરણ-જીવાપર-માણેકવાડા રોડ રૂ. પ૦ લાખના ખર્ચે પ્રોટેકટીવ વોલની કામગીરી પૂર્ણ કરાઇ છે. રસ્તા ની કામગીરી પૂર્ણ થતાં ધ્રોલ-જોડિયા વિસ્તાવર સહિત આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકોને વધુ સારા રસ્તાનની સુવિધા મળતા પરિવહનમાં સરળતા રહેશે.



ભાણવડના ભવનેશ્વીર ખાતે ૪.૪૬ લાખના ખર્ચે પાણી પૂરવઠાના કામોનું નિર્માણ કરાશે
જામનગર,
ભાણવડ તાલુકાના ભવનેશ્વકર ખાતે રૂ.૪.૪૬ લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા માટે વિવિધ વિકાસ કામોનું નિર્માણ કરાશે.
સેકટર રીફોર્મ યોજના અંતર્ગત વાસ્મોો યુનીટ જામનગર દ્વારા પાણી વિતરણ પાઇપ લાઇન, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, પંપીગ મશીનરી અને પંપ હાઉસની કામગીરી હાથ ધરાશે.
ગ્રામ્યઇ વિસ્તાપરોમાં લોકોને ઘરે-ઘરે પાણી પૂરુ પાડવા વાસ્મો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો દ્વારા પાણી સમિતિ બનાવી ૧૦ ટકા લોકફાળો આપવામાં આવે છે.



ધ્રોલ ખાતે તા.૧૧ જૂલાઇના રોજ રોજગાર નોંધણી કેમ્પા યોજાશે
જામનગર,

ઘ્રોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તા.૧૧ જૂલાઇના રોજ રોજગાર નોંધણી અને માર્ગદર્શન કેમ્પત યોજાશે. જિલ્લાર રોજગાર કચેરી જામનગર આયોજીત આ કેમ્પ૧માં ધ્રોલ તાલુકાના યુવાન/યુવતીઓ રોજગાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકશે. ઉપરાંત રોજગાર સંબંધી માર્ગદર્શન અપાશે. તેમ જિલ્લાય રોજગાર કચેરી જામનગરની એક યાદીમાં જણાવાયુ છે.
અર્જૂન/પારૂલ




સુરેન્દ્રનનગર જિલ્લાીમાં સભા સરઘસબંધીનો અમલ જારી
સુરેન્દ્રનનગર
સુરેન્દ્રયનગર જિલ્લાશમાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યતવસ્થામ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રાનગરના અધિક જિલ્લાજ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર્નગર જિલ્લાજના સમગ્ર વિસ્તા્રમાં તા.૧૭ મી જુલાઇ-૨૦૧૧ સુધી સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાલ સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોઅ છે.
આ પ્રતિબંધ કલેકટર કચેરીના મુખ્યગ દરવાજા પાસે જમણી બાજુએ ફુટપાથ તરફ દરવાજાથી પાંચ મીટરનું અંતર રાખીને ત્યાકરબાદની પચાસ મીટર સુધીની ફુટપાથ ઉપરની જગ્યાતના વિસ્તાીરને તેમજ લગ્નનના વરઘોડાને - સ્મીશાન યાત્રાને લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



સુરેન્દ્ર્નગર જિલ્લાોમાં હથિયારબંધીનો અમલ જારી
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્રરનગર જિલ્લાામાં હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યયવસ્થાર જળવાઇ રહે તે માટે સુરેન્દ્રાનગરના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રાનગર જિલ્લાધના સમગ્ર વિસ્તારરમાં તા. ૧૭મી જુલાઇ-૨૦૧૧ સુધી હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યોા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોં છે.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યંકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



ચક્ષુદાન કરી જીવન સાર્થક કર્યું
સુરેન્દ્રધનગર,
શ્રી મહાત્મા ગાંધી સ્માનરક જનરલ હોસ્પિુટલ, સુરેન્દ્રજનગરની એક અખબારી યાદીમાં જણાવ્યાક મુજબ રાજસીતાપુરના રહેવાસી નેહલબા જદુવીરસિંહ રાણાનું ૧૩ વર્ષની વયે અવસાન થતાં તેઓની બંને આંખોનું ચક્ષુદાન ર્ડા. જે.એમ. વેસેટીયને લીધું હતું. પ્રેરણા શ્રી હરપાલસિંહએ આપી હતી. આ ચક્ષુદાન સિવિલ હોસ્પિનટલ અમદાવાદ આઇ બેંક ખાતે મોકલવાની વ્યવવસ્થાં કરી હતી.



મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટે‍શને રજુ કરવી જરૂરી
સુરેન્દ્રકનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
સુરેન્‍દ્રનગર
ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યેકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્ર નગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર નગર જિલ્લાેમાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યકકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેનશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યવકિતનું નામ, મકાન ભાડે આપ્યાલની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્યસકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યંકિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧/૭/૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્યોકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



ધોરણ-૧૧ થી કોલેજ સુધી અભ્યાિસ કરવા માંગતી અનુ.જાતિની કન્યાહઓ માટે છાત્રાલયમાં પ્રવેશ અંગે
સુરેન્દ્રાનગર,
સુરેન્દ્ર્નગર જિલ્લાછ પછાત વર્ગ કલ્યા્ણ અધિકારીશ્રી હસ્તંકની ર્ડા. ભીમરાવ આંબેડકર સરકારી કન્યાગ છાત્રાલય, સુરેન્દ્રનનગરમાં વર્ષ-૨૦૧૧-૧૨ માટે ધોરણ-૧૧, ૧૨ અને કોલેજ કક્ષા સુધીના અભ્યારસક્રમ માટે છાત્રાલયમાં રહીને અભ્યાનસ કરવા માંગતી અનુ. જાતિની કન્યાલઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ છાત્રાલયમાં રહેવા જમવાની સરકાર તરફથી મફત સગવડ આપવામાં આવે છે. જેથી પ્રવેશ મેળવવા માંગતી કન્યા ઓએ ર્ડા. ભીમરાવ આંબેડકર સરકારી કન્યાય છાત્રાલય, મુળચંદ રોડ, માનવ મંદિર પાસે, સુરેન્દ્રતનગર ખાતેથી તાત્કારલિક અરજી ફોર્મ મેળવી તેજ કચેરીમાં રજુ કરવા જિલ્લાં પછાત વર્ગ કલ્યાંણ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા ૧ વર્ષ માટે વાયમેન અને ઓટો રિપેર્સના વર્ગો શરૂ થશે
સુરેન્‍દ્રનગર,
કુટીર અને ગ્રામોદ્યોગ, વિભાગ ગાંધીનગર સંચાલિત કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રસ ,સુરેન્દ્રતનગરમાં તા.૧ લી ઓગષ્ટ/-૨૦૧૧ થી ૧ વર્ષ ના સમય ગાળા માટે ૧૪ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતાં ધોરણ-૮ પાસ વ્યાકિતઓ માટે વાયરમેનના વર્ગો અને ધોરણ-૯ પાસ વ્યષકિતઓ માટે ઓટો રિપેર્સના વર્ગો શરૂ થનાર છે.
ઉપરોકત તાલીમ વર્ગોમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ તથા આર્થિક પછાત વર્ગના તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર હોઇ તાલીમ લેવા ઇચ્છુતક ઉમેદવારોને કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર્, બહુમાળી ભવન, બ્લો‍કનં.-સી/૨૦૪, ખેરાળી રોડ, સુરેન્દ્ર૦નગર ખાતે સાદા કાગળમાં અરજી કરી અથવા અસલ પ્રમાણપત્ર સાથે રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
તાલીમ સમય દરમિયાન તાલીમાર્થીઓને સરકારના નિયમોનુસાર શિષ્ય વૃતિ અને એસ.ટી. પાસ કન્સે શનની સુવિધા આપવામાં આવશે તેમ રેકટર કમ સુપ્રિટેન્ડેઅન્ટીશ્રી ની એક યાદીમાં જણાવાયું છે.



અનુસુચિત જાતિના ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ
સુરેન્‍દ્રનગર,
સુરેન્દ્રેનગર જિલ્લાએમાં અનુસુચિત જાતિના બાગાયત ખેડૂતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
જે અંતર્ગત સેન્દ્રી ય ખેતી માટે ઇનપુટના ઉપયોગ માટે ખર્ચના ૭૫ ટકા કે એક હેકટર દીઠ રૂપિયા ૬ હજાર સુધી સહાય આપવામાં આવશે, પાવર ટીલર તથા મીની ટ્રેકટર વસાવવા માટે ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૬૦ હજારની સહાય તથા પાક સંરક્ષણ સાધનો ખરીદવા ખર્ચના ૭૫ ટકા કે હાથથી ચાલતા સાધનો માટે રૂ.૧૧૨૫, પાવરથી ચાલતા સાધનો માટે રૂ.૩૭૫૦/- અને ટ્રેકટર માઉન્ટેસડ પાવર સ્પ્રેાયર માટે ૨૫ હજાર સુધી સહાય અપાશે.
વેલાવાળા શાકભાજીના પાકા મંડપ બનાવવા ખર્ચના ૫૦ ટકા કે એક હેકટર દીઠ રૂ. ૫૦ હજાર અને કાપણીના સાધનો માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૫૦ હજાર સુધી, જયારે પ્રોસેસીંગના સાધનો માટે ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૨ લાખ સુધી સહાય આપવામાં આવશે. શોટીંગ કે ગ્રેડીંગ તથા ખળાના સાધનો તાલપત્રી માટે ખર્ચના ૫૦ ટકા કે પ્રતિ લાભાર્થી રૂ. ૨ હજાર સુધી સહાય બહુ વર્ષીયુ ફળ પાકોના નવા વાવેતર માટે નિયત કરેલા ખર્ચના ૭૫ ટકા કે હેકટર દીઠ રૂ.૨૨,૫૦૦ જયારે બહુ વર્ષીયુ ન હોય તેવા ફળ પાક માટે ૫૦ ટકા કે ૪ હેકટર સુધી રૂ. ૧૫ હજારની સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતિના ખેડૂતોને ફળ શાકભાજીના પાકોના હાયબ્રીડ બીજ ખરીદીમાં ખર્ચના ૭૫ ટકા કે રૂ.૭,૫૦૦/- સુધીની સહાય અને શાકભાજી પાકોમાં મંડપ બનાવવા ખર્ચના ૭૫ ટકા મુજબ અર્ધ પાકા મંડપમાં પ્રતિ હેકટર રૂ. ૬૦ હજાર અને કાચા મંડપ માટે પ્રતિ હેકટર રૂ. ૩૯ હજારની સહાય ચૂકવાશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવક, વિસ્ત રણ અધિકારી, બાગાયત, અધિકારી તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોતકનં.-સી/૨૦૮, ખેરાળી રોડ, સુરેન્દ્ર૫નગર (ફોનનં.-૦૨૭૫૨-૨૮૨૭૬૩)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

તંબાકુ સેવન સામે લોકચેતના જગાવવા સ્કકવોડ રચાશેઃ ભુજમાં તંબાકુ નિષેધ અમલીકરણ સમિતિની મળેલી બેઠકઃ
ભુજ,
કચ્છકમાં તંબાકુ નિષેધ ધારાનો અમલ થાય અને તંબાકુના ગેરફાયદા સામે લોકજાગૃતિ આવે એ હેતુસર અધિકારીઓની સ્ક વોડ બનાવવામાં આવશે. ભુજ ખાતે તંબાકુ નિષેધ અમલીકરણ સમિતિની અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના અધ્યયક્ષસ્થાિને મળેલી બેઠકમાં નકકી થયા અનુસાર જિલ્લાઅ આરોગ્ય અધિકારી, પોલીસ, મનોચિકિત્સઆક તથા સ્વૈબચ્છિરક સંસ્થા ઓના સભ્યોા સાથેની સ્કઅવોડ ખાસ કરીને ટોકિઝ, એસ.ટી. તેમજ અન્યક જાહેર સ્થસળોએ તંબાકુનું સેવન ન થાય તે માટે યોગ્યં પગલાં ભરશે. બેઠકમાં કચ્છ‍ મહિલા સંગઠનના સદસ્યક દ્વારા એસ.ટી.માં પ્રવાસ દરમ્યાઅન પ્રવાસીઓને હજુ પણ બીડી, સીગારેટના ધૂમાડાનો સામનો કરવો પડે છે અને ડ્રાયવર-કંડકટર તરફથી સાનુકુળ પ્રતિસાદ મળતી નથી, તેવી રજૂઆતના સંદર્ભમાં કચ્છવ એસ.ટી.ના નિયામકશ્રી સંજય જોષીએ આવા કિસ્સાયમાં તેમનું ધ્યાેન દોરવા જણાવી ખાતરી આપતા ઊમેર્યુ કે, એસ.ટી. પ્રવાસ દરમ્યાઆન બીડી, સિગારેટ અને તંબાકુનું સેવન ન થાય તેવા પ્રયાસ કરાશે, આવી કોઇપણ ફરિયાદ સામે સખતાઇથી કામ લેવાશે. રાજય સરકારના નિર્ધારિત નિયમોનું પાલન કરવા પણ અધિક કલેકટરશ્રી નેમાએ દરેક અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ લોકચેતના જગાવવા અંગે જણાવ્યુંર હતું. બેઠકમાં ડો.પાન્ડેટ, માનસ શાસ્ત્રી તબીબ ડો.મહેશ ટિલવાણી વિગેરે ઉપસ્થિવત રહયા હતા. મુખ્યત જિલ્લા આરોગ્યન અધિકારી ડો.એસ.કે.મોઢે બેઠકનું સંચાલન કર્યુ હતું.

રવિવાર, 3 જુલાઈ, 2011

JETPURNA KAARKHANEDARNO AAPGHAAT.


સરપ્રાઇઝ ચેકીંગ કરી ગર્ભસ્થા શિશુનું જાતિ પરિક્ષણ કરતા ડોકટરોના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવશે- અધ્યથક્ષ ડો. કથીરિયા પી.એન.ડી.ટી. એકટ જિલ્લા સલાહકાર સમિતિની યોજાયેલ બેઠક

રાજકોટ
પી.એન.ડી.ટી. એકટની જિલ્લાા સલાહકાર સમિતિની બેઠક ડો. વલ્લઓભભાઇ કથીરિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરપ્રાઇઝ ચેકીંગ કરી ગર્ભસ્થક શિશુનું જાતિ પરિક્ષણ કરતા ડોકટરોના સોનોગ્રાફી મશીન સીલ કરવાની તથા સ્ટીંવગ ઓપરેશન દ્વારા આવું પરિક્ષણ કરતા ડોકટરોની માહિતી મેળવવાની કાર્યવાહી કડકપણે કરવામાં આવશે. ૨૦૧૧ની વસ્તીહગણત્રીમાં નોંધાયેલા સ્ત્રી -પુરૂષોના અસમાન પ્રમાણનો ઉલ્લેચખ કરી અધ્યસક્ષ ડો. કથીરિયાએ ટંકારા, ધોરાજી, ઉપલેટા, ગોંડલ વગેરે તાલુકાઓના વિવિધ ગામોમાં સઘન લોકજાગૃતિ કેળવવાના પ્રયાસોને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. અને જાતિ પરિક્ષણ કરતા ડોકટરો સામે કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. જિલ્લાત કલેકટરશ્રી નલિન ઉપધ્યા્યે સમગ્ર જિલ્લાામાં બાળકીઓના જન્મપને ઉત્તેીજન આપવા માટે ‘‘બેટી વધાવો’’ યાત્રાનું આયોજન કરવા અને તેમાં ધારાસભ્યોંને સામેલ કરવાનું સૂચન કર્યું હતું. મોરબીની પ્રભાત હોસ્પિોટલના સીલ કરાયેલા સોનોગ્રાફી મશીનની સ્થ્ળ પર જઇને જાત-તપાસ કરવા અને દંડ પેટે રૂ. ૨૦,૦૦૦ની રકમ ભરી મશીન છોડાવી જવા પ્રભાત હોસ્પિીટલના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવા તેમણે મોરબીના બ્લો્ક હેલ્થમ ઓફિસરને સૂચના આપી હતી,
કલેકટર કચેરી રાજકોટ ખાતે યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.એસ. સંઘવીએ રાજકોટ જિલ્લારમાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટર્સ/ક્લિનિક/હોસ્પિીટલ વગેરે અંગેની વિગતોથી અધ્યોક્ષશ્રીને વાકેફ કર્યા હતા. અને નોંધણી પ્રમાણપત્ર માટે આવેલ જીનેટીક કાઉન્સેેલીંગ સેન્ટીર, જીનેટીક ક્લિનિક અને જીનેટીક લેબોરેટરીની થઇ રહેલી નોંધણી કામગીરીની વિગતો આપી હતી. ગત બેઠકમાં રજૂ થયેલ બાબતોને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લામાં સોનોગ્રાફી મશીન ધરાવતા ડોકટરો, કલીનીક, હોસ્પીટલોના સ્થળ રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન આપવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પૂર્વ સાંસદ અને સમિતિના સભ્ય શ્રીમતિ રમાબેન માવાણી, જિલ્લાસ પંચાયતના આરોગ્યશ અધિકારી ડો. ભંડેરી, જિલ્લામ આઇ.ઇ.સી.અધિકારી એમ.એમ.ઝાલા, ગાયનેકોલોજીસ્ટ ડો. એ.યુ.મહેતા, ઇન્ડીરયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડો. કેતન ગોસાઇ, નવજીવન ટ્રસ્ટમના ફાધર થોમસ, રાજકોટ, જેતપુર, જસદણ, વગેરે તાલુકાના બ્લો ક હેલ્થઇ ઓફિસર, અને સમિતિના અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટ ગ્રામ્યય જિલ્લા,માં હથિયારબંધી
રાજકોટ તા. ૨ જુલાઇ - અષાઢી બીજના તહેવાર તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદા-જુદા પ્રશ્ને કરાતા આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતીની જાળવણી માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, દ્વારા રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં તા. ૩૧/૭/૧૧ સુધી હથિયારબંધી ફરમાવવામાં આવી છે.
આ મનાઇહુકમો અન્વજયે શારીરિક ઇજા કરી શકાય તેવા હથિયારો સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં તા. ૩૧/૭/૧૧ સુધી આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.



નધણિયાત ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીતલર પોલિસ કબ્જેમ લઇ શકાશે.
રાજકોટ - ગુજરાત રાજયમાં જાહેર જગ્યાેઓ ઉપર બોમ્બો વિસ્ફોમટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્યહ સામાનમાં વિસ્ફોજટક સામગ્રી, રાખી બોમ્બષ ધડાકા કરવામાં આવે છે. જયાં લોકોની વધુ સંખ્યાનમાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મેક કૃત્યોભને રોકવા શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લાક, રાજકોટ દ્વારા ટીફીન બોકસ કે અન્યય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિિલર વાહનો જાહેર રસ્તાા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યડકિતની દેખરેખ સીવાય (નધણીયાત રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના સમગ્ર વિસ્તાનરમાં આ હુકમો લાગુ પડશે જે તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. ટીફીન બોકસ કે અન્યી કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલલર વાહનો જાહેર જગ્યા /રસ્તા૦ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યીકતિની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે પોલીસ તપાસ અર્થે કબ્જેક લઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.



સાયકલ અને ટુ વ્હીથલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ
રાજકોટ
- આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીશલર વાહનો ઉપર સ્ફોતટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યા ઓમાં બોમ્બઇ બ્લાઓસ્ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યો્ને અંજામ આપવામાં આવે છે. જેથી સાયકલો/વાહનો વેચનારાઓ ઉપર જાહેર વ્ય‍વસ્થાવ, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી પંકજ ઠાકર, અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્યન વિસ્તાીરમાં સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીથલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોુએ જયારે જયારે આવા સાયકલ, સ્કુ ટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલલરો વાહનો વેચવામાં આવે ત્યામરે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્યા પાલન કરવાના હુકમ જારી કરાયા છે. આવા વાહનો ખરીદનારાને અવશ્યર બિલ આપવુ અને તેની સ્થયળપ્રત કબ્જાચમાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સા, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંકનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થા્નુ પ્રમાણપત્ર કે સ્થાડનીક અગ્રણીઓ જેવા કે મ્યુજનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યંશ્રી, સંસદસભ્ય શ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુળટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીસલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુાટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્હિમલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીીન નંબર અવશ્યે લખવો, સાયકલ, સ્કુ ટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિ લર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યા રે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૩૦-૬-૨૦૧૧ થી તા. ૨૯-૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.



ગુજરાતના યુવાનોનું ભાવિ ઉજ્જવળ છે-નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળા
ગોંડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સેન્ટર ફોર એક્સેલન્સીના નવા બિલ્ડિંગનું
ઉદ્દઘાટનઃ સૌરાષ્ટ્રમમાં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે

રાજકોટ
ગોંડલ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રૂ.૮૩.૧૨ લાખના ખર્ચથી નવનિર્મિત સેન્ટર ફોર એક્સેલન્સીની ઇમારતનું ઉદ્દઘાટન કરતા રાજ્યના નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ ઉપસ્થિત યુવાનોને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોનું ભાવિ ઘણું ઉજ્જવળ છે. આપણે ત્યાં અનેક પ્રકારના ઉદ્યોગો આવી રહ્યા છે. તે માટે કુશળ કારીગરોની ભારે માંગ રહેવાની છે. એટલે આઇટીઆઇમાં તાલીમ લેનારાને તુરંત નોકરી મળી જશે. આઇટીઆઇમાં તાલીમ પામનારો યુવાન બેકાર નહીં રહે.
નાણાંમંત્રી શ્રી વાળાએ કઠોર પરિશ્રમ કરવાની હાકલ કરતા જણાવ્યું હતું કે યુવાનોને આળસવૃત્તિ ત્યજવી જોઇએ. વ્યસનો અને ખોટા મોજશોખ તથા ખર્ચને ટાળવા જોઇએ. આજે સંપત્તિનું નહીં પણ જ્ઞાનનું મહત્વ છે. માણસ ગુણો થકી જ પૂજાય છે. આઇટીઆઇ જેવી સંસ્થામાં જ્ઞાન મેળવી તે જ્ઞાન વાસ્તવમાં અમલમાં મૂકવું જોઇએ. યુવાનીમાં મહેનત કરી કમાવાથી પાછળની પોતાની અને પરિવારની જિંદગી પણ સારી રીતે પસાર થશે.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશને આજે ગરીબીનો પ્રશ્ન સતાવે છે. ત્યારે, રાજ્ય સરકાર ગરીબી નિર્મુલન માટે અનેક પગલાં લઇ રહી છે. એમાંથી એક છે યુવાનોને રોજગારી પ્રદાન કરવી. યુવાનોને રોજગારી મળતી થશે એટલે તેના પરિવારનું કલ્યાણ થશે. આપણા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી યુવાનોને પૂરી પાડવામાં આવી છે. આવું કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે.
રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક શ્રી એસ. એ. પાંડવે કહ્યું હતું કે રાજ્યમાં ૨૧૭ જેટલી સરકારી, ૧૩૧ ગ્રાંટેડ અને ૩૦૧ સ્વનિર્ભર મળી કૂલ ૬૪૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ચાલી રહી છે. તેમાં પ્રતિવર્ષ ૧૧૭૭૭૧ તાલીમાર્થીઓ તાલીમ મેળવે છે. આ ઉપરાંત રાજ્યમાં રૂ. ૨૪ કરોડની ફાળવણીથી ૧૫૦ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચાલી રહ્યા છે. આ વર્ષે વધુ ૧૫૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો ખોલવામાં આવશે. ગત વર્ષે આ કેન્દ્રોમાંથી ૧ લાખ ૨૦ હજાર તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી. આ તાલીમાર્થીઓ પૈકી ૪૭ ટકા યુવતીઓ હતી. આઇટીઆઇમાં યુવતીઓના ૭ ટકાના પ્રમાણ સામે આ આંકડો આવકારદાયક છે. રાજ્યના તમામ તાલુકામાં સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે. સૌરાષ્ટ્ર માં ૩૦ નવી સરકારી આઇટીઆઇ ખોલવામાં આવશે.
શ્રી પાંડવે ઉમેર્યું હતું કે, ગોંડલમાં સર ભગવતસિંહજી પબ્લિક ટ્રસ્ટના સહયોગની ૨૨-૧૧-૧૯૬૩ના રોજ બનેલી આઇટીઆઇમાં તે સમયે ૭ કોર્સ ચાલતા હતા અને રૂ.૧૪ લાખનું બજેટ ફાળવવામાં આવતું હતું. અત્યારે આ બજેટ ૩.૪૧ કરોડનું થયું, ૩૦ કોર્સ ચાલે છે અને તેમાં ૧૩૧૨ તાલીમાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૬૨માં તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૦૭ જ હતી. આઇટીઆઇ કરેલા તાલીમાર્થીઓને વિદેશ વિઝા મેળવવામાં ૧૦ પોઇન્ટ કન્સીડર કરવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્ર માં ન હોય એવી રીતે રાજ્યમાં આઇટીઆઇ કામગીરી કરે છે. ગોંડલના સેન્ટર ફોર એક્સેલન્સમાં અત્યાર સુધીમાં ૮૫૦ તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે. તેમાથી ૭૮૦ લોકોને નોકરી મળી છે.
કાર્યકારી કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાયે કહ્યું હતું કે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ જેવા કાર્યક્રમોના કારણે અબજો રૂપિયાના રોકાણો થયા છે. મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે, તેને કુશળ કારીગરોની જરૂર પડવાની છે. આવા સમયે આઇટીઆઇ કરેલા યુવાનોની માગ રહેવાની છે. તેમણે ગોંડલ આઇટીઆઇના મેદાનમાં ઘનિષ્ઠન વૃક્ષારોપણ કરવા સૂચન કર્યું હતું.
કાર્યક્રમને પ્રારંભે આઇટીઆઇની તાલીમાર્થિનીઓ દ્વારા સ્તુતિ રજૂ કરવામાં આવી હતી અને નૃત્યની પ્રસ્તુતિ થઇ હતી. નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળાએ રિબિન કાપી સેન્ટર ફોર એક્સેલન્સને ખુલ્લુ મૂક્યું હતં અને બાદમાં તેને નિહાળ્યું હતું. નવનિર્મિત ઇમારત આગળ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી મનસુખભાઇ સખિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કિરણબેન આંદીપરા, આગેવાન શ્રી બાબુભાઇ વોરા, આઇએમસીના શિરીષભાઇ જોશી, જયંતિભાઇ વોરા, ભાવનગર આઇટીઆઇના પ્રાચાર્ય શ્રી ડી. એમ. ચૌહાણ, શ્રી બહાદૂરસિંહ, પ્રાંત અધિકારી શ્રી લિમ્બાસિયા, મામલતદાર શ્રી જોશી સહિત નગરજનો હાજર રહ્યા હતા.



જેતપુર શહેરમાં કણકિયા પ્લોરટ વિસ્તાહરમાં ભારે વાહનોના પ્રવેશમાં છૂટછાટ આપવા સબંધે લોકોના મંગાતા વાંધા સૂચનો

રાજકોટના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટશ્રી પંકજ ઠાકરે એક જાહેર નોટીશ પ્રસિધ્ધ, કરી જણાવેલ છે કે જેતપુર શહેરમાં કણકીયા પ્લોતટ વિસ્‍તારમાં તા. રર/૯/૧૦ના અમલમાં રહેલા જાહેરનામાના પ્રતિબંધ સમયમાં બપોરના ૧-૩૦ થી બપોરના ર-૩૦ (એક કલાક) સુધી ભારે વાહનોના પ્રવેશને છૂટ આપતો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા ચાલી રહી છે. આવો હુકમ ફરમાવવા સામે કોઇ પણ વ્યનકતિને વાંધા અથવા સૂચનો હોય તો આવા વાંધા સૂચનો આ નોટિસ પ્રસિધ્ધવ થયાની તારીખથી દિવસ-૩૦માં અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીની કચેરી, રાજકોટને મોકલી આપવા. આ મુદતમાં રજુ થયેલા વાંધા સુચનો ધ્યા ને લઇને આ અંગે આખરી હુકમ કરાશે. મુદત વીત્યાર બાદમાં મળેલા વાંધા સૂચનો લક્ષમાં નહિં લેવાય, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે. હાલ રાજકોટ અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રીના જાહેરનામા મુજબ જેતપુર શહેરના કણકીયા પ્લોાટ વિસ્તાારમાં રાત્રિના ર૦-૦૦ કલાકથી બીજા દિવસ સવારના ૬-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન જ ભારે વાહનો પ્રવેશી શકશે. એટલે કે સવારનાં ૬-૦૦ કલાક થી ર૦-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન કણકિયા પ્લોશટ વિસ્તા રમાં ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ અમલમાં છે, જે સબંધે ફેરફાર કરવા રજુઆતો આવતા ઉપર મુજબ ભારે વાહનોને પ્રવેશ છૂટ આપવાનો હુકમ પ્રસિધ્ધર કરવા વિચારણા કરવામાં આવી રહી છે.



ચરખડી ગામની ગુમ થયેલી યુવતી અંગે જાણકારી મળે તો પોલીસને જાણ કરશો.
રાજકોટ
ગોંડલ તાલુકાના ચરખડી ગામની મિતલબેન હરસુખભાઇ ઓઘડભાઇ લીલા ઉ.વ. આશરે રર નામની યુવતી તા. ર૦/૬/૧૦ના ગોંડલ નાની બજાર ખાતે આવેલ તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ગુમ થયેલ છે. તેણી શરીરે મધ્યડમ બાંધાની, ઘઉવર્ણી, ચહેરો લંબગોળ અને પાંચ ફુટની ઉંચાઇ ધરાવે છે. તથા ગુજરાતી અને હિન્દીય ભાષાની જાણકારી ધરાવે છે. જેઓને આ અંગે કોઇ જાણકારી મળે તો ગોંડલ સીટી પોલીસ સ્ટેતશન અથવા નજીકના પોલીસ સ્ટેનશનને જાણ કરવા પોલીસ અધિક્ષકની કચેરી રાજકોટ ગ્રામ્યલની યાદીમાં જણાવાયું છે.



લશ્કીરમાં ધાર્મિક શિક્ષકોની ભરતી
રાજકોટ
લશ્ક.રમાં ધાર્મિક શિક્ષકોની જુનિયર કમિશન્ડઆ ઓફિસર તરીકે પંડિત, ગ્રન્થીસ અને મૌલવીની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતી માટે ઓછામાં ઓછી લાયકાત તરીકે કોઇ પણ ક્ષેત્રના સ્નાકતકની ડીગ્રી નિયત કરાઇ છે. પંડિત માટે સંસ્કૃાતમાં ‘મધ્યેમાં’ અને હિન્દી માં ‘ભૂષણ’ સમકક્ષ જરૂરી છે. જેમણે બી.એ. સાથે હિન્દી અને સંસ્કૃ ત કર્યુ હોય તેઓ ભૂષણ અને મધ્યલમાં નહીં હોય તો પણ લાયક ગણાશે. ગ્રન્થીક માટે વિદ્વાન અને બી.એ. સાથે પંજાબી લાયક ગણાશે. એ જ પ્રકારે મૌલવી માટે મૌલવી અલિમ ઈન ઉર્દૂ/આદમ આલિમ ઈન ઉર્દૂ અથવા સબંધિત ધાર્મિક ભાષાનું યોગ્ય્ સ્ટામન્ડઅર્ડ ઉપરાંત જેમણે અરેબિક/ઉર્દૂ મુખ્યા વિષય સાથે બી.એ. કર્યુ હોય તેમને મૌલવી આલિમ/આલમ ઉર્દૂની આવશ્યાકતા નહીં રહે અને લાયક ગણાશે. ઉમેદવાર ૨૭ થી ૩૪ વર્ષની વયમર્યાદા ધરાવતો હોવો જોઇએ. ૬ઠ્ઠી ઓગષ્ટઅ-૨૦૧૧ પહેલા રિક્રૂટિંગ ઓફિસર, હેડકવાર્ટર રિક્રૂટિંગ ઝોન નંબર, ૩, રાજેન્દ્રકસિંહ રોડ પુને ૪૧૧૦૦૧ ના સરનામે મોકલી આપવા જણાવાયું છે. વધુ વિગત માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.



જિલ્લાા ગ્રામ વિકાસ એજન્સીના ગવર્નીંગ બોડીની બેઠક મળી
રાજકોટ
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનના ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાવ પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.
જિલ્લાભ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાનયના અધ્યિક્ષસ્થા્ને યોજાયેલી આ બેઠકમાં સરકારની વિવિધ લોકકલ્યાડણલક્ષી યોજનાઓ જેવી કે, નરેગા, એન.આર.ઇ.જી.એસ., ગોકુળ ગ્રામ, સામાજિક વનીકરણ, એસ.જી.એસ.વાય., સખીમંડળ, ઇન્દિ રા આવાસ યોજના, વોટરશેડ, માનવ કલ્યાકણ, ઘરદીવડા, આમઆદમી વીમા યોજના વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા્ ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયાએ આ યોજનાઓના કામોના લક્ષ્‍યાંકો અને તેની સામે મેળવેલી ભૌતિક સિધ્‍ધિ અને થયેલ ખર્ચની રૂપરેખા આપી હતી. ઉપલેટાના ધારાસભ્યેશ્રી પ્રવીણભાઇ માંકડીયાએ તાલુકાવાઇઝ ઇશ્યુ કરાયેલા જોબકાર્ડ, એ.પી.એલ. અને બી.પી.એલ. શૌચાલયોના નિર્માણ, ઘરદીવડા યોજના અંતર્ગત બહેનોને મળવાપાત્ર સબસીડી, નરેગા યોજનાના પ્રગતિ હેઠળના કામો વગેરે બાબતોની વિગતો ઉપસ્થિતત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ગત વિકાસલક્ષી યોજના હેઠળ શ્રમિકોને મળવાપાત્ર રકમનું ચૂકવણું તાત્કાલિક ધોરણે કરવા તેમણે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, તેમજ સિંચાઇ, નાબાર્ડ, વનવિભાગ, જિલ્લાા અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિાત રહયા હતા.



ઇન્ડી્યન એરફોર્સની ભરતી રેલીના આયોજનની બેઠક
રાજકોટ-
આગામી ઓકટોબર-૨૦૧૧માં રાજકોટ ખાતે યોજાનારી ઇન્ડીહયન એરફોર્સની ભરતી રેલીના આયોજન અંગેની બેઠક ચોથી જુલાઇએ બપોરે ૧.૩૦ વાગ્યેં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. ઇન્ડીબયન એરફોર્સમાં વિવિધ કેટેગરીની જગ્યા૦ઓની ભરતી માટે વીંગ કમાન્ડનર, કમાન્ડિં ગ ઓફિસરશ્રી, ૬-એરમેન સીલેકશન સેન્ટ ર ફોર એરફોર્સ, કોટનગ્રીન, બોમ્બેં દ્વારા સૌરાષ્ટ્રભ પ્રદેશના ઉમેદવારો માટે આ રેલી યોજાશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર), રાજકોટની યાદીમાં જણાવાયું છે.



વાંકાનેરના ફાયરીંગ બટમાં અવરજવર પર પ્રતિબંધ
રાજકોટ
રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટમાં તા.૪ જુલાઇએ સેન્ટ્રઆલ ઇન્ડુસ્ટ્રી યલ સીકયોરિટી ફોર્સના માણસો દ્વારા ફાયરીંગ કરવામાં આવનાર છે. આથી મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)ખ અન્વયે પંકજ ઠાકર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા રાજકોટ રૂરલ જિલ્લામના વાંકાનેર ખાતે વાંકાનેર રેલ્વે લાઇન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતાં રેલ્વે લાઇનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉત્તરે આવેલ ધાર-ડુંગરની ધાર પાસેના ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૪ જુલાઇએ જાહેર જનતાએ પ્રવેશ કરવા પર, ત્યાંથી પસાર થવા પર, કે કોઇ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમ તથા ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર થશે.



હીલ શીલ્ડવ ક્રિકેટ ટુર્નામેન્ટમમાં ભાગ લેવા માગતી શાળાઓએ એન્ટ્રીમ મોકલવાની તારીખ ૧૪ જુલાઇ

રાજકોટ
રાજકોટ જિલ્લાત કક્ષા/કોર્પોરેશનની ‘‘સ્વા૧મી વિવેકાનંદ હીલ શીલ્ડ- ક્રિકેટ ટુર્નામેન્ટ ’’માં ભાગ લેવા માગતી શાળાઓએ તેમની એન્ટ્રીા ૧૪ જુલાઇ સુધીમાં મોકલવાની રહેશે. સ્પોનર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તાકની જિલ્લાઓ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટફમાં રાજકોટ જિલ્લાિની સરકારી માન્યીતા ધરાવતી શાળાઓ ભાગ લઇ શકશે. આ ટુર્નામેન્ટટમાં વધુમાં વધુ ૧૫ ટીમ ભાગ લઇ શકશે. જો ૧૫થી વધુ એન્ટ્રીશ આવશે, તો ટુર્નામેન્ટં કમિટી દ્વારા પસંદગી કરવામાં આવશે, આથી રસ ધરાવતી શાળાઓને તેમની એન્ટ્રી્ ૧૪ જુલાઇ સુધીમાં સીનિયર કોચ, જિલ્લાઆ રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રન, બ્લોતક નં-૩/૭મો માળ, બહુમાળી ભવન, રાજકોટને પહોંચાડવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.



મુળી, પાણશીણા તથા વઢવાણ ખાતે વિનામૂલ્યેય નિદાન તથા સારવાર કેમ્પલ યોજાશે
સુરેન્દ્ર નગર,
સુરેન્દ્રવનગર જિલ્લાા આરોગ્યક અને પરિવાર કલ્યા્ણ વિભાગ દ્વારા લોકોમાં બદલાયેલ જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગો જેવા કે, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઇપર ટેન્શીન, સંધિવા, મગજનો લકવો, શ્વસનતંત્રના રોગો વિષે જાગૃતતા લાવવા રોગના સમયસર નિદાન તથા અટકાયતી પગલાં માટે જિલ્લા એન.સી.ડી. સેલ શ્રી મહાત્મામ ગાંધી સ્માારક જનરલ હોસ્પિિટલ સુરેન્દ્રભનગર દ્વારા મુળી, પાણશીણા અને વઢવાણ તાલુકામાં વિનામૂલ્યેા નિદાન તથા સારવાર કેમ્પં યોજાશે.
જે અન્વયે તા. ૬, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્યર કેન્દ્રય – મુળી, તા.૧૧, જુલાઇ-૨૦૧૧ ને સોમવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન પ્રાથમિક આરોગ્યર કેન્દ્રલ – પાણશીણા, તેમજ તા. ૧૩, જુલાઇ-૨૦૧૧ ને બુધવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન સામુહિક આરોગ્ય્ કેન્દ્ર , વઢવાણ ખાતે નિદાન તથા સારવાર કેમ્પે યોજાશે.
આ નિદાન કેમ્પિમાં ડાયાબિટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લનડ પ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ, બી. એમ. આઇ તપાસ તથા એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવશે. આથી વધુમાં વધુ દર્દીઓ લાભ લેવા મુખ્યા જિલ્લાત તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની એક યાદીમાં જણાવાયું છે.


જિલ્લાં સંકલન સમિતિની બેઠક મળશે
સુરેન્‍દ્રનગર,
જિલ્લાકલેકટરશ્રી અનુપમના અધ્યનક્ષસ્થાલને તા.૧૬ મી જુલાઇ-૨૦૧૧ને શનિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે જિલ્લાલ સંકલન સમિતિની બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિીત રહેવા જણાવાયું છે.



સુરેન્દ્રરનગર જિલ્લાધના ઉમેદવારો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન
સુરેન્‍દ્રનગર,
સુરેન્દ્રરનગર જિલ્લાાના ઉમેદવારોને લશ્કલરમાં ભરતી થવા માટે તા. ૨૭ જુલાઇ-૨૦૧૧ ના રોજ સવારે ૫-૦૦ કલાકે પોલીસ હેડકવાર્ટર, પરેડ ગ્રાઉન્ડ , મહેસાણા ખાતે સોલ્જમર કલર્ક, સ્ટો ર કીપર ની જગ્યાજ માટે લશ્ક૦રી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુંર છે. તમામ જગ્યાેઓની શૈક્ષણિક અને શારીરિક લાયકાતની વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો (ફોનં નં. ૨૮૨૩૫૩) સંપર્ક સાધવા, તથા જે ઉમેદવારો શારીરિક તાલીમ મેળવવા ઇચ્છુલક હોય તેઓએ તા.૧૧ જુલાઇ-૨૦૧૧ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડર, સુરેન્દ્રાનગર ખાતે હાજર રહેવા સુરેન્દ્ર નગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.




ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચા અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ રાજય મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તે કરાશે. સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યાશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિનત રહેશે.

જામનગર જિલ્લાષમાં માતૃ-બાલ કલ્યાશણ સેવાઓ સઘન બનાવવા તાકીદ
જિલ્લા આરોગ્યા સોસાયટીની ગવર્નીંગ બોડીની મળેલ બેઠક

જામનગર,
જામનગર જિલ્લા આરોગ્યિ સોસાયટીની બેઠક ગઇકાલે જિલ્લા્ કલેકટરશ્રી સંદિપકુમારના અધ્યોક્ષ સ્થા ને યોજાઇ હતી. જેમાં ઉપસ્થિરત તબિબિ અધિકારીઓને માતૃ-બાલ કલ્યાાણ સેવાઓને વધુ સઘન બનાવવા તાકીદ કરાઇ હતી.
જિલ્લાે વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્થિ તિમાં યોજાયેલ બેઠકમાં વર્ષ દરમિયાન જિલ્લાબમાં કરવામાં આવેલ રૂ.૪.૮૩ કરોડના ખર્ચની સમીક્ષા કરી સબ સેન્ટઠરોમાં સુવિધાઓ વધારવા જણાવાયુ હતુ.
મમતા દિવસ, બાલસખા યોજના, ચિરંજીવી યોજના સહિતની કામગીરી આયોજનબધ્ધમ રીતે હાથ ધરવા સાથે ફેમીલી પ્લાિનીંગ ઉપર વિશેષ ભાર મૂકવા જિલ્લાા કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.
નવજાત શીશુન મૃત્યુા અટકાવવા ઉપરાંત સગર્ભા માતાઓની કાળજી લેવા સાથે રસીકરણ કાર્યક્રમને સઘન બનાવવા જણાવાયુ હતું. બેઠકમાં જિલ્લાા પંચાયત, જી.જી.હોસ્પિાટલના તબિબિ અધિકારીઓ ઉપસ્થિાત રહયા હતા.



ખંભાળિયા તાલુકામાં મધ્યાયહન ભોજન યોજનાના નવા ૨૨ કેન્દ્રો માં સ્ટાોફની ભરતી થશે
જામનગર,
ખંભાળિયા તાલુકાના ૨૨ કેન્દ્રો માં મધ્યા હન ભોજન યોજના માટે જૂલાઇ-૧૧ થી કેન્દ્રા શરૂ કરાશે. જેમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરવાની હોય સંચાલક તરીકે એસએસસી પાસ તથા ૨૦ થી ૫૮ વર્ષના સ્થાીનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારશ્રી દ્વારા નકકી થયેલ માનદ વેતન કર્મચારીને આપવામાં આવશે. અરજી ફોર્મ, પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડની ઝેરોક્ષ, રહેઠાણનો આધાર, મેડીકલ ફિટનેશનો આધાર તા.૧૧/૭/૧૧ સુધીમાં મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે મોકલવાની રહેશે. ઇન્ટ,રવ્યુ તા.૧૪/૭/૧૧ ના રોજ મામલતદાર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે.મહિલા, ત્યોકતા, વિધાવ, ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે.
દાંતા, કેશોદ, માંઝા, સોઢા તરધડી, સ્ટે‍શન વિસ્તાતર, કોટડિયા વાડી શાળા, સૂરજ મોરી, દાત્રાણા, વચલાબારા, સીમાણી કાલાવડ, મોવાણ, વડત્રા, ભાડથર વાડી, ગોઇંજવાડી, નવા તથિયા, નાના માંઢા, બજાણા, વિઝલપર, બેરાજાની શાળામાં આ ભરતીઓ થશે. તેમ મામલતદાર ખંભાળિયાની યાદીમાં જણાવાયુ છે.



જામનગરના બેડી વિસ્તાપરમાં રૂ. ૨.૯૦ કરોડના ખર્ચે પાણી પૂરવઠાના કામનું ભૂમિપૂજન સંપન્નિ
જામનગર,
જામનગરના બેડી વિસ્તાીરમાં પીવાના પાણીની વધુ સારી સૂવિધા માટે રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી વિતરણ નેટવર્ક તથા હેડવર્ક કામ નું ભૂમિપૂજન મહિલા અને બાળવિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના હસ્તેે ગઇકાલે કરવામાં આવ્યુપ હતું. મુખ્યંમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત રૂ.૨ કરોડ ૯૦ લાખ ના ખર્ચે પાણી નો સંપ, પંપ હાઉસ તથા પંપ મશીનરીઓ વસાવાશે.જેમાં પંપ ની ૧૦ લાખ લીટર કેપીસીટી, સંપ ની કેપીસીટી ૧૫ લાખ લીટર ની રહેશે. સાથે ૬૫૦ રનીંગ મીટર મેનલાઇન દ્રારા પાણી વિતરણ નું નેટવર્ક હાથ ધરવામાં આવશે.
આ સૂવિધાના નિર્માણ થી લોકોને પૂરતા પ્રેસર થી પાણી મળશે.તેમ જણાવી મંત્રીશ્રી એ કહયુ કે, આ કામ ગુણવત્તાયુકતા થશે અને સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
આ ભૂમિપુજન કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા ના મેયરશ્રી અમીબેન પરીખ, સ્ટે ન્ડીીગ કમિટી ના ચેરમેનશ્રી તુલસીભાઇ પટેલ, શાસક જૂથ ના નેતાશ્રી કરશનભાઇ કરમૂર, વિરોધ પક્ષના નેતાશ્રી કાસમભાઇ ઝોખીયા, વોટર વર્કસ સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ ગજરા,વોટર વર્કસ એન્જીાનિયરશ્રી એસ.એલ.ડાંગર, કોર્પરેટરશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિજત રહયા હતા.



ધ્રોલ ભાદરા પાટીયા ઉપર વાગુદળીયો પુલ નું લોકાર્પણ થશે.
જામનગર
ધ્રોલ ભાદરા પાટીયા રાજયધોરી માર્ગ નં.૨૫ ઉપર આવેલ મેજર બ્રિજ નં.૨/૩ (વાગુદળીયો) પુલ નું લોકર્પણ તા.૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજય ના ઉચ્ચપ અને ટેકનીકલ શિક્ષણ, મહિલા અને બાળવિકાસ નાં મંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી ના વરદ્ હસ્તેપ કરવામાં આવશે. આ નિમિત્તે યોજાયેલ સમારંભ ના અતિથિ વિશેષ તરીકે જોડીયા ના ધારાસભ્યનશ્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિ્ત રહેશે.



અમરેલી જિલ્લાણ પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી ખાતે જિલ્લા પંચાયતની ચોથી ખુલ્લીહ કારોબારી સમિતીની બેઠક યોજાઈ
રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્યત માર્ગો સુધારણાના ટેન્ડરો મંજૂર કરાયા
અમરેલી,
જુલાઈ સ્ટેીટ લેવલે ઉજવાતાં રાષ્ટ્રી્ય પર્વોને વિવિધ જિલ્લાે મથકો ખાતે અને જિલ્લાચ લેવલની ઉજવણી તાલુકા કક્ષાએ ઉજવવાનું રાજય સરકારે શરૂ કરતાં ગરિમાપૂર્ણ ઉજવણીની સુવાસ છેવાડાના માનવીઓ સુધી પહોંચી છે. એ જ રીતે વર્ષોથી જિલ્લાણ મથક ખાતે યોજાતી જિલ્લા્ પંચાયત કારોબારી સમિતિની બેઠકને અમરેલી જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા લેવલે લાઠી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા્ પંચાયતની ચોથી ખુલ્લીલ કારોબારી સમિતીની બેઠક કારોબારી ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીના અધ્યક્ષ સ્થાયને યોજાઈ હતી
આજની ચોથી ખુલ્લીઈ કારોબારી સમિતીની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીએ ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ રૂ.૨.૧૧ કરોડના ૧૯ ગ્રામ્ય માર્ગો સુધારણાના ટેન્ડજરો, કુંકાવાવ અને બાબરા તાલુકાની ૧૬૬૯૪ ચો.મી. જમીનને બીનખેતીમાં ફેરવવાની મંજૂરી સહિત રૂ.૧૫૦૦૦ની મર્યાદામાં બે કેન્સ ર પીડિત દર્દીઓને સહાય મંજૂર કરવામાં આવ્યાનું જણાવ્યુંવ હતું. જિલ્લા્ના વિકાસ કાર્યોમાં જોડાયેલ અધિકારીઓ અને કર્મચારીઓની સુંદર કામગીરીને પ્રોત્સા્હિત કરવાનો નૂતન પ્રયાસ પણ અમલમાં મૂકયાનું જણાવી ચેરમેનશ્રીએ કાર્યદક્ષ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યાહ હતાં. માન. મુખ્યલમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વહીવટી પારદર્શિતા લાવવા ખુલ્લી કારોબારીના માધ્યલમથી પંચાયત હસ્ત્કની યોજનાઓને પ્રાધાન્યે આપવામાં આવેલ હોવાથી જિલ્લા ના વિકાસ કામોને વેગ મળશે તેમ શ્રી લાખાણીએ ઉમેર્યુ હતું.
બેઠકમાં જિલ્લા્ પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ માયાણીએ અમરેલી જિલ્લાઆમાં પ્રથમ વખત તાલુકા કક્ષાએ ખુલ્લીં કારોબારી સમિતિની બેઠક યોજીને ચેરમેનશ્રી અને સચિવશ્રીના લોકાભિમુખ વહિવટની સરાહના કરતાં કાર્યદક્ષ કર્મયોગીને અભિનંદન પાઠવ્યાે હતાં. અમરેલી જિલ્લાહ પંચાયત રાષ્ટ્રીષય લેવલે ત્રીજા નંબરનુ સ્થાદન મેળવી ચૂકી છે, ત્યાયરે ‘‘તાલુકા સરકાર’’ના અભિગમથી તાલુકા કક્ષાએ કર્મચારી/અધિકારીઓ અને પદાધિકારીઓના સહકારથી પારદર્શક વહિવટથી પ્રથમ નંબરે આવે તેવી આશા પ્રમુખશ્રી માયાણીએ વ્યનકત કરી શ્રેષ્ઠ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી બેચરભાઈ ભાદાણીએ સૌપ્રથમ વખત તાલુકા કક્ષાએ મળેલ ખુલ્લી કારોબારી સમિતિની બેઠકથી પારદર્શક અને લોકાભિમુખ વહિવટી પ્રક્રિયાને લોકો સુધી પહોંચાડ્યાનું જણાવ્યુંશ હતું.
પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લાે વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડેએ જિલ્લાા સ્ત રે યોજાતી કારોબારી સમિતિની બેઠકો તાલુકા કક્ષાએ લઈ જવા બદલ પદાધિકારીઓ પ્રત્યેક આભારની લાગણી વ્યાક્ત કરી ખુલ્લીી કારોબારીની બેઠકોમાં લોકપ્રશ્નોનો ઝડપી અને પારદર્શિતાથી નિકાલ થઈ રહ્યાનું જણાવ્યું હતું. ઈ-પ્રચારના પાયલોટ પ્રોજેકટથી અમરેલી જિલ્લોર ગુજરાતમાં અગ્રસ્થા ને છે તેમ રાષ્ટ્રી ય લેવલે પ્રથમ સ્થાીન મેળવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાને શાલ ઓઢાડી તેમજ સુંદર કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી કર્મયોગીઓને સન્મા તિત કર્યા હતાં. બેઠકની આભારવિધિ કારોબારી સદસ્યબશ્રી રામભાઈ સાનેપરાએ કરી હતી.
બેઠકમાં જિલ્લા્ પંચાયત સમિતિના ચેરમેન/સદસ્યોા સર્વશ્રી મનુભાઈ આદ્રોજા, કમલેશભાઈ કાનાણી, પ્રેમજીભાઈ માધડ, હંસાબેન પીઢડીયા, વિજયભાઈ યાદવ, મયુરભાઈ હિરપરા સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી કોટડ, નાયબ જિલ્લાન વિકાસ અધિકારીશ્રીઓ, હિસાબી અધિકારીશ્રી, જિલ્લાી આરોગ્ય્ અધિકારી ડૉ.પટેલ, કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ત્રિવેદી સહિત કર્મચારીઓ ઉપસ્થિીત રશ્યાં હતાં.



વડિયા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી જુલાઈના રોજ યોજાશે
અમરેલી,
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચલ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વા ગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ-૨૦૧૧ માસની તા.૨૭/૦૭/૨૦૧૧ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા.૧૨/૦૭/૨૦૧૧ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રે ટની કચેરી-વડિયા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે.
અરજીમાં મોટા અક્ષરે “તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નોગ રજૂ થઇ શકશે નહિ અને કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ મામલતદારશ્રી,વડિયાની યાદીમાં જણાવાયું છે.
દેવાણી



સ્ટેણમ્પસ ડયુટીની વસુલાત માટે પડતર દસ્તાહવેજોમાં બજાર કિંમતની આકારણી નવેસરથી હાથ ધરાશે
૧૫મીએ ૨૦૦૭ પહેલાં આકારિત સ્ટેામ્પ્ ડયુટી વસુલીના હુકમો રદ ગણાશેઃ
રાજય સરકારે બહાર પાડેલા આદેશોઃ

ભુજ,
મિલ્કેતની બજારકિંમત અનુસાર ખૂટતી સ્ટેીમ્પગ ડયુટીની વસુલાત માટેના સ્ટે મ્પક અધિનિયમની કલમ-૩૨-ક હેઠળના પડતર દસ્તાંવેજોમાં સ્ટેટમ્પે અધિનિયમ તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪માં ઠરાવેલ જોગવાઇઓ અનુસારીને નવેસરથી બજાર કિંમતની આકારણી તથા ખૂટતી સ્ટેિમ્પ૯ ડયુટી નકકી કરવાની કાર્યવાહી હાથ ધરવાનો રાજય સરકારે તા. ૨૬/૪/૧૧ના હુકમથી આદેશો બહાર પાડ્યા છે.
રાજય સરકારના આ નિર્ણય અનુસાર તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં નાયબ કલેકટર(સ્ટે મ્પ૬ ડ્યુટી) અથવા એપેલેટ ઓથોરીટી( સી.સી.આર.એ.) એ મિલકતની નકકી કરેલ બજાર કિંમત અને તે અનુસાર ખૂટતી સ્પેેમ્પર ડયુટી વસુલ લેવા કરેલા હુકમો અમલી રહેશે નહીં અને રદ્દ ગણવાના રહેશે.
સ્ટેેમ્પર ડયુટી મુલ્યાંવકન તંત્ર, નાયબ કલેકટર પી.એ.ગામિતના જણાવ્યાન અનુસાર નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પે‍. સી.એ. નં. ૧૦૧૭૭ સને ૨૦૦૮માં તા. ૮/૮/૦૮ના રોજ તથા એમ.સી.એ. નં. ૭૨૩ સને ૨૦૧૧માં તા. ૨૦/૪/૨૦૧૧ના રોજ કરેલ મૌખિક(ઓરલ) જજમેન્ટિની વિગતો ધ્યાસને લઇ કલમ ૩૨-કના પડતર વસુલાતવાળા દસ્તા વેજોમાં નવેસરથી કાર્યવાહી હાથ ધરવા અંગે તા. ૨૬/૪/૨૦૧૧નો હુકમ બહાર પાડવામાં આવ્યોત છે.
રાજય સરકારના મહેસૂલ વિભાગના તા. ૨૬/૪/૨૦૧૧ના હુકમની વિગતે તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં રજૂ થયેલ અને નોંધણી અર્થે પડતર હોય તેવા દસ્તા વેજો તથા એપ્રિલ-૨૦૦૦ પહેલાં રજૂ થયેલા અને નોંધાયેલા દસ્તા વેજો કે જે, કલમ ૩૨-ક હેઠળ બજાર કિંમતની આકારણી સારૂ સંબંધિત નાયબ કલેકટર, સ્‍ટેમ્પર ડયુટીને રેફરન્સ કરેલ હોય તેવા દસ્તાળવેજોમાં નાયબ કલેકટર (સ્ટેકમ્પપ ડયુટી) અથવા એપેલેટ ઓથોરીટીએ તા. ૧૫/૫/૨૦૦૭ પહેલાં હુકમ કરેલા હોવા જોઇએ. સાથોસાથ પક્ષકારે ખૂટતી ડયુટીની રકમ દંડ સાથે કે દંડ વગર ભરપાઇ કરેલ હોવી ન જોઇએ. આવા દસ્તાાવેજો સંબંધમાં સ્ટેકમ્પો અધિનિયમની કલમ-૩૨-ક તથા તે હેઠળના મિલકતની બજાર કિંમત નકકી કરવા બાબતના નિયમો-૧૯૮૪ના નિયમ-૪, ૭, અને ૮માં ઠરાવેલ કાર્યપધ્ધતતિ અને માર્ગદર્શક સિધ્ધાંવતોને અનુસરીને નવેસરથી બજાર કિંમતની આકારણીની કાર્યવાહી નાયબ કલેકટર (સ્ટેમમ્પર ડયુટી)એ હાથ ધરવાની રહેશે.
નાયબ કલેકટરોએ હાથ ધરવાની કાર્યવાહી બાબતે યોગ્ય જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે પણ રાજય સરકાર દ્વારા સુપ્રિન્ટેકન્ડેેન્ટર ઓફ સ્ટે મ્પમ અને ચીફ કંટ્રોલીંગ રેવન્યુુ ઓથોરીટીને વિગતવાર પરિપત્ર કે સુચના બહાર પાડવા જણાવ્યું છે.
રાજય સરકારે કરેલા આ નિર્ણયની દસ્તાંવેજોના પક્ષકારો અને લોકોને પૂરતી માહિતી મળી રહે અને રાજય સરકારના નિર્ણયનો ઝડપથી અમલ થાય તથા પક્ષકારોને બજાર કિંમતની આકારણી બાબતે વિવાદ ન રહે તે હેતુથી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પક્ષકારોએ સંબંધિત નાયબ કલેકટર, સ્ટેદમ્પત ડયુટી મુલ્યાંયકન તંત્રની કચેરીનો સંપર્ક સાધવાનો તેમ વધુમાં જણાવાયું છે.



કચ્છદમાં વધુ ૬૦૭૦ ચો.મી.જમીન ખાલસાઃ

માધાપરની જમીન શરતભંગ જણાતાં તંત્રનું પગલુંઃ
ભુજ,
કચ્છરમાં તંત્ર દ્વારા જે હેતુસર જમીન આપવામાં આવી હોય અને તેનો ઉપયોગ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે તો કલમના એક જ ઝાટકે વહીવટી તંત્ર દ્વારા તે જમીન ખાલસા કરી નાખવાનો સિલસિલો જિલ્લાામાં ચાલુ રહયો છે અને એ મુજબ માધાપરમાં ૬૦૭૦ ચો.મી.જમીન સરકાર દાખલ કરી છે. જિલ્લાો કલેકટરશ્રી એમ.થેન્ના રસન અને અધિક કલેકટરશ્રી સી.પી.નેમાના જણાવ્યા અનુસાર, શ્રી કચ્છપ સિરામિક વર્કસ માધાપરને, ૬૦૭૦ ચો.મી. જમીન કેમિકલ પીસવા માટે યંત્રો બેસાડવાના ઔધોગિક હેતુસર ૩૧મી જુલાઇ-૨૦૦૪ના રોજ જમીન મંજૂર કરવામાં આવી હતી.
શ્રી કચ્છર સિરામિક વર્કસ દ્વારા એ જ હેતુસર એ જમીનનો ભાડાપટો તાજો નહીં કરાવવા બદલ તથા મંજૂર થયેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત હેતુસર નહીં કરવા બદલ જમીન મહેસુલ અધિનિયમ ૭૯-એ હેઠળ શરતભંગ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ આ જમીન બોજા રહિત શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ આપ્યોા છે.
એસ.કે.સોની/સીદીક કેવર...

ગુરુવાર, 30 જૂન, 2011

સ્થાતનિક સ્વ રાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કરાયેલા જરૂરી સુધારાઓ અને વિચારણા હેઠળના સુધારાઓની બાબતોથી વાકેફ કરતાં રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નરશ્રી કે. સી. કપુર

સુરેન્દ્રટનગરની નગરપાલિકાઓની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠક

સુરેન્દ્રરનગર,
સુરેન્દ્રાનગર જિલ્લામાં આગામી તા. ૧૦ મી જુલાઈના રોજ યોજાનારી સુરેન્દ્રરનગર અને થાનગઢ નગરપાલિકાની એક – એક બેઠક માટેની પેટા ચૂંટણી અન્વયે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી કે. સી. કપૂરે આજરોજ સબંધિત નગરપાલિકા વિસ્તાયરના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માહિતી મેળવી, આગામી દિવસોમાં યોજાનાર સ્થાવનિક સ્વ્રાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ સુધારાઓ તેમજ વિચારણા હેઠળના સુધારાઓ બાબતે વિસ્તૃાત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.
કમિશ્નરશ્રી કે. સી. કપૂરે જણાવ્યુંબ હતુ કે, ચૂંટણીઓ મુક્ત – ન્યાયી વાતાવરણમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાેનિક સ્વંરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અન્વયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડના નકશાઓના ડીઝીટલાઈઝેશન કરવાની કામગીરી થઈ રહી છે. જે પૂર્ણ થતાં લોકો ઘરે બેઠાં – બેઠાં ઈન્ટઓરનેટના માધ્યમથી ચૂંટણી સબંધી પોતાના વોર્ડની જાણકારી મેળવી શકશે. ઉપરાંત ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની તમામ વિગતો તથા એફિડેવિટ સહિતની માહિતી પણ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. જેથી લોકો પોતાના ઉમેદવારને ઓળખી શકે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની એફિડેવિટમાં દર્શાવેલી વિગતો જો ખોટી હશે તો તેવા કિસ્સામાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવશે.
કમિશ્નરશ્રી કપૂરે વધુમાં જણાવ્યુંો હતુ કે, આગામી દિવસોમાં યોજાનાર સ્થાનનિક સ્વરરાજ્યની ચૂંટણીઓ અન્વયે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જે મતદાર ઈ-વોટીંગ દ્વારા મતદાન કરવા માંગતા હોય તેવા ઈન્ટયરનેટનું જોડાણ અને પોતાના નામે મોબાઈલ ફોનનું જોડાણ ધરાવતા મતદારો ઈ – વોટીંગ કરી શકે તે તેમજ ગામમાં ઈ-બુથ ઉભુ કરવાની બાબત ઉપરાંત અત્યાર સુધી જિલ્લા – તાલુકા – ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેની જેમ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાનરોની ચૂંટણીઓમાં પણ મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલે તે બાબત પણ વિચારણા હેઠળ છે.
આગામી મહિનાઓમાં જિલ્લાઓમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં ચૂંટણી કમિશ્નરશ્રીએ જણાવ્યું હતુ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી જે પહેલા જિલ્લા કક્ષાએથી થતી હતી તે હવે પછી પ્રાંત કક્ષાએથી કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ હજાર સુધીની વસતી ધરાવતી નગરપાલિકાની ચૂંટણીઓની કામગીરી પણ પ્રાંતને સોંપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સ્થાંનિક સ્વતરાજ્યની ચૂંટણીઓમાં જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે, તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવામાં આવશે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી કે. એલ. પરમારે મતદાનના દિવસે જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવા તથા ઓળખપત્ર જે લોકોને હજુ ઈસ્યુ નથી થયા તેવા કિસ્સા માં અન્ય વૈકલ્પિદક પુરાવાઓ ધ્યાને લઈ પૂરતી ચકાસણી બાદ તેમને મત આપવા દેવા જણાવ્યુંથ હતુ. તેમણે આ તકે ફોટા સાથેની મતદાર ઓળખ યાદીની કામગીરી બાબતે ચર્ચા કરી આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરી મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનો તથા ચૂંટણી ફરજ પરના કર્મચારી – અધિકારીશ્રીઓ ઉપરાંત ચૂંટણી અન્વયે હાથ ધરવાની થતી અન્ય ફરજો સહિતની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃગત માર્ગદર્શન આપ્યું હતુ.
સુરેન્દ્રનનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે જિલ્લામાં નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની યોજાનાર પેટા ચૂંટણી અંગેની માહિતી આપી, જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ફોટા સાથેના ઓળખપત્ર તથા ફોટા સાથેની મતદાર યાદી અન્વયે થયેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં મદદનીશ ચૂંટણી કમિશ્નર શ્રીમતી કે. જે. દવે, અધિક કલેકટરશ્રી મુકેશ મેઘા, ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી પટેલ, વઢવાણના મામલતદારશ્રી રાઠોડ અન્ય અધિકારીશ્રીઓ તથા શ્રી શાન જ્યપુરી, શ્રી છનાલાલ બજાવાણિયા, શ્રી રાજેન્દ્રભાઈ દવે, શ્રી લક્ષ્મરણભાઈ પરમાર, શ્રી દેવકરણ, શ્રી જ્યોતિબા સહિતના વિવિધ પક્ષોના આગેવાનો ઉપસ્થિ,ત રહયાં હતા.

સોખડા ગામની સરકારી ખેડવાલાયક જમીન મેળવવા ઈચ્છ્તા ઈસમો જોગ

સુરેન્દ્રનનગર,
નાયબ કલેકટરશ્રી, લીંબડીની એક યાદીમાં જણાવ્યાશ પ્રમાણે, સાયલા તાલુકાના સોખડા ગામે સરકારી ખેડવાલાયક જમીન સર્વે નં.૧૫૧ પૈકી ૩૭.૦૦ એકર ગુંઠા તથા સ.નં. ૧૭ પૈકી ૭-૨૦ એકર ગુંઠા જમીન આખરીપત્રકે દાખલ કરવામાં આવી છે. જે ઈસમો જમીન મેળવવા માંગતા હોય તેમણે આ અંગે તા. ૨૭-૭-૨૦૧૧ સુધીમાં કચેરી સમય દરમિયાન મામલતદારશ્રી, સાયલાને અરજીમાં સંપૂર્ણ વિગતો જેવી કે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત, રેશનકાર્ડની પ્રમાણિત નકલ, અનુ. જાતિ/અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના હોય તો તે અંગેનો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનો દાખલો, સ્વસતંત્ર કે સંયુકત નામે જમીન આવેલ હોય તો તેની છેલ્લીત સ્થિરતિના દાખલા, ૮-અની નકલ, માજી સૈનિકે ડીસ્ચા ર્જ સર્ટીફીકેટ તથા ગુજરાતમાં અન્યલ જગ્યાકએ જમીન ફાળવેલ નથી અને ફાળવેલ હોય તો તેની વિગત સાથેનું સોગંદનામુ વિગેરે આધારો સાથે મામલતદારશ્રી, સાયલાને અથવા નાયબ કલેકટર કચેરી, લીંબડીને અરજીઓ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૭/૭/૨૦૧૧ પછીથી રજુ થયેલ કોઇ અરજીઓ ધ્યાજને લેવામાં આવશે નહીં. જમીન ફાળવણી અંગેની તારીખ, અરજી મેળવ્યાી બાદ, અરજીની તારીખ પૂર્ણ થયા બાદ, અરજીની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ, નકકી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.

સુરેન્દ્રકનગર ખાતે સી.ઇ.ડી દ્વારા ઉદ્યોગ સાહસિકતા તાલીમી કાર્યક્રમનું આયોજન

સુરેન્દ્રકનગર,
ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાદન સી.ઇ.ડી. દ્રારા સુરેન્દ્ર નગર ખાતે ટુંક સમયમાં ઇ.ડી.પી. કોમ્પો તાલીમી કાર્યક્રમ શરુ કરવા આયોજન થયેલ છે. આ તાલીમી કાર્યક્રમમાં ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છગતા ભાઇ/બહેનોને કયો ઉદ્યોગ શરૂ કરવો ? કયાં શરુ કરવો ? કેવી રીતે સ્થાઉપવો ? તથા કઇ-કઇ મદદો અને સવલતો ઉપલબ્ધો છે ? તેની યોગ્યવ જાણકારી આપી ઉદ્યોગનું સફળ સંચાલન કઇ રીતે કરવુ તે અંગે જુદા-જુદા નિષ્ણાં તો દ્વારા જરૂરી જ્ઞાન, વ્યરવસ્થિંત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ તાલીમી કાર્યક્રમમાં અન્યૂ વિષયો જેવા કે પ્રોજેકટ રીપોર્ટ, માર્કેટીંગ, ઔદ્યૌગિક તકો તેમજ મેનેજમેન્ટ‍ના વિષયો પણ આવરી લેવાયા છે.
આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છ્તા ભાઇ/બહેનો ને વધુ માહિતી તથા વિના મુલ્યેા અરજી ફોર્મ મેળવવા માટે શ્રી એમ. એન. દવે, સી.ઇ.ડી., જિલ્લામ ઉદ્યોગ કેન્દ્રી, કલેકટર કચેરી પાછળ, સુરેન્દ્રતનગરનો સંપર્ક સાધવા રાજકોટ વિભાગીય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

પોરબંદર જિલ્લાિના છાયાના ઇંદીરાનગર અને બેરણ ગામે વ્ય જબી ભાવની દુકાન ખોલવા મંજુરી

ઘેડ વિસ્તાારના ગામોને ચોમાસાની ઋતુના સંદર્ભે અનાજ, કેરોસીનનો બે માસનો પુરવઠો ફાળવાયો જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની કલેકટરશ્રી શાહના અધ્યલક્ષસ્થાકને બેઠક સંપન્ન્

પોરબંદર તા. ૨૯ઃ- પોરબંદર જિલ્લાેના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની મળેલ બેઠકમાં અધ્યકક્ષસ્થા-નેથી જિલ્લાા કલેકટરશ્રી ગિરીશ શાહએ જણાવ્યુંક હતું કે જિલ્લાિના ઘેડ વિસ્તા્રના ગામોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ રહેવાના કારણે આવન-જાવન થઇ શકતું નથી. આથી આ ગામોમાં ચોમાસાની ઋતુના સંદર્ભે લોકો માટે સરકારશ્રી દ્રારા મળવા પાત્ર અનાજ, કેરોસીન વિગેરેનો બે માસનો પુરવઠો ફાળવવામાં આવેલ છે.
આ બેઠકમાં પોરબંદર તાલુકાના છાયા શહેરી વિસ્તા રના ઇંદીરાનગર અને બેરણ ગામે બંધ પડેલ વ્યા જબી ભાવની દુકાન પુનઃશરૂ કરવા માટે મંજુરી આપવામાં આવેલી છે. અત્રે ઉલ્લેવખનીય છેકે જિલ્લાનમાં હાલ ૨૧૯ વ્યરજબી ભાવની દુકાનો અને કુલ ૧૫૯૩૩૦ કાર્ડ છે.
કલેકટરશ્રીએ સમિતિના સભ્યોુને જિલ્લામમાં જાહેર વિતરણ વ્ય વસ્થા૯ ને વધુ સુદ્રઢ બને તે માટે સભ્યટઓને સહયોગ આપવા જણાવ્યું હતું. તેમણે સમિતિના સભ્યોથશ્રીઓના વિવિધ રચનાત્મ ક સુચનો આવકારીને યોગ્યન કરવા જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યુંે હતું. આ બેઠકમાં જિલ્લા‍માં જાહેર વિતરણ વ્યાવસ્થાય અંતર્ગત વિવિધ કાર્ડ ધારકોને સરકારશ્રી દ્રારા અપાતા ઘંઉ, ફોર્ટીઆઇડ આટો, ચોખા, ખાંડ, પામોલીન તેલ, આયોડાઇઝ મીઠુ, કેરોસીન વિગેરેના પ્રમાણ તથા ભાવની વિગતો આપવામાં આવી હતી. પુરવઠા કચેરી દ્રારા એપ્રિલ-૧૧ માસમાં ૧૨ દરોડા/ તપાસ કરીને રૂ. ૧૧૩૭૯૦ કિંમતના માલનો જથ્થોી કબજે કરવામાં આવ્યો૧ હતો. અને તેમાંથી રૂ. ૨૫૦૬૯નો જથ્થો રાજયસાત કરાયેલ હતો. મે-૧૧ માસમાં ૩૩ દરોડા/તપાસ દ્રારા રૂ. ૫૨૯૧૯નો જથ્થોન કબજે કરીને રૂ. ૧૫૧૭૨નો જથ્થો. રાજયસાત કરાયેલ છે. અને રૂ. ૪૧૨૫ ભરવાના ડીપોઝીટ રાજયસાત કરાયેલ છે. એક પરવાનો મોકુફ રાખવામાં આવેલ છે. તેમ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું. તેમજ બારકોટેડ રેશનકાર્ડ ની વિગત આપવામાં આવી હતી. સમગ્ર બેઠકની કાર્યવાહી નું સંચાલન જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહએ કર્યું હતું.
આ બેઠકમાં સમિતિના સભ્યોધમાં સર્વશ્રી નાથાલાલ ઠકરાર, શ્રી નાગાર્જુનભાઇ જેઠવા, શ્રી છગનભાઇ પુરોહિત, શ્રી હંસાબેન પાડલીયા, શ્રી રામસિંહભાઇ મોરી, શ્રી હેમેન્દ્રઆભાઇ કોટેચા, સહાયક માહિતી નિયામકશ્રી અરવિંદ જોશી, તોલમાપ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી કારીયા વિગેરે ઉપસ્થિરત રહયા હતા.